<?xml version="1.0" encoding="UTF-8"?>
   <rss xmlns:media="http://search.yahoo.com/mrss/"
     xmlns:atom="http://www.w3.org/2005/Atom"
     xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
     version="2.0">
      <channel>
        <title>RAJKOT | Offbeat Stories</title>
        <link>https://offbeatstories.in/category/rajkot</link> 
        <atom:link href="https://offbeatstories.in/rss/rajkot.xml"  rel="self" type="application/rss+xml" />
        <description><![CDATA[ RAJKOT News in Gujarati - Read RAJKOT Latest, Breaking, Exclusive News Headlines and Today Live News Updates at India's No. 1 Gujarati News Website offbeatstories.in ]]></description>
        <language>gu</language>
        <image>
          <title>RAJKOT | Offbeat Stories</title>
          <url>https://offbeatstories.in/logo.png</url>
           <link>https://offbeatstories.in/category/rajkot</link> 
        </image>
        
              <item>
                <title><![CDATA[પાટીદાર સમાજમાં આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે બે ફાંટા: અનાર પટેલ અને લાલજી પટેલના વિરોધાભાસી સૂર]]></title>
                <link>https://offbeatstories.in/news/patidar-samaj-intercast-marriage-lalji-patel-anar-patel-gujarat-1892491966</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/patidar-samaj-intercast-marriage-lalji-patel-anar-patel-gujarat-1892491966</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/patidar-samaj-intercast-marriage-lalji-patel-anar-patel-gujarat-1892491966" />
                <description><![CDATA[પાટીદાર સમાજમાં આંતરજાતીય લગ્ન મુદ્દે લાલજી પટેલ અને અનાર પટેલના નિવેદન બાદ ગુજરાતમાં ચર્ચા તેજ બની છે. જાણો શું છે સમગ્ર મુદ્દો.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/11/Lalji-Patel-Vs-Anar-Patel_7b126990-73e9-4e36-8c2e-608fd01550e1.jpg" alt="Lalji Patel Vs Anar Patel" />
                  </div>
                  <p><strong>Lalji Patel Vs Anar Patel : </strong>બનાસકાંઠાના ગઢ ગામમાં તાજેતરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણીઓની હાજરીમાં સમાજની દીકરીઓ અને આંતરજ્ઞાતિય લગ્ન (Inter-caste Marriage) જેવા સંવેદનશીલ મુદ્દે ઉગ્ર ચર્ચાઓ જોવા મળી. ખાસ કરીને આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ અને SPG પ્રમુખ લાલજી પટેલના નિવેદનોએ સામાજિક ગરમાવો લાવી દીધો છે.</p><p></p><h2><strong>સંગઠન અને મગજના 'રજવાડા' પર અનાર પટેલનો પ્રહાર</strong></h2><p>કાર્યક્રમમાં સંબોધન કરતા અનાર પટેલે સંગઠનની શક્તિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, સરદાર પટેલ પાસેથી શીખવા જેવી સૌથી પહેલી બાબત 'સંગઠન' છે. કાઠિયાવાડમાં ખોડલધામ જેવા સંગઠનોનું ઉદાહરણ આપી તેમણે ઉત્તર ગુજરાતમાં સંગઠનની જરૂરિયાત વર્ણવી હતી. વર્તમાન સોશિયલ મીડિયાના યુગ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું જો આજે સરદાર પટેલ હોત, તો તેમને પણ 562 રજવાડાં ભેગા કરવામાં મુશ્કેલી પડત. કારણ કે આજે રજવાડાં નથી, પણ લોકોના મગજમાં 'રજવાડાં' છે અને ઘરે-ઘરે નેતા પેદા થયા છે."</p><p></p><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-flora-inn-hotel-prostitution-racket-busted-9703300557">રાજકોટમાં દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ! : પોલીસ સ્ટેશનની એકદમ નજીક ચાલતું હતું કૂટણખાનું, 6 મહિલાઓ મુક્ત</a></p><p></p><h2><strong>દીકરીઓ કેમ બહાર જાય છે? અનાર પટેલનો સમાજના દીકરાઓને સવાલ</strong></h2><p>અનાર પટેલે સમાજમાં દીકરીઓના આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓનો મોરચો દીકરાઓ તરફ વાળ્યો હતો. તેમણે બહેનોને આહ્વાન કર્યું કે જો ભાઈ દારૂ પીને આવે તો તેને ઘરની બહાર કાઢવો જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શા માટે હંમેશા દીકરીઓને જ સલાહ આપવામાં આવે છે? શું દીકરાઓ સમાજ નથી બગાડતા? દીકરી ત્યારે જ બીજા સમાજમાં જાય છે જ્યારે પોતાના સમાજના છોકરાઓમાં સક્ષમતા હોતી નથી. જો છોકરો દારૂડિયો હોય, રખડતો હોય કે કામકાજ વગરનો હોય, તો દીકરી સુરક્ષિત ભવિષ્ય માટે અન્ય વિકલ્પ પસંદ કરે તે સ્વાભાવિક છે.</p><h2></h2><h2><strong>લાલજી પટેલની ચીમકી: "સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ"</strong></h2><p>અનાર પટેલના નિવેદનથી વિરુદ્ધ, SPG પ્રમુખ લાલજી પટેલે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી કે દીકરીઓએ સમાજની મર્યાદામાં જ લગ્ન કરવા જોઈએ. લાલજી પટેલે જણાવ્યું હતું કે લાડકોડથી મોટી કરેલી દીકરી કોઈ અસામાજિક તત્વ કે ગુંડા સાથે ભાગીને લગ્ન કરે તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. કદાચ પાટીદાર સમાજ આ જતું કરશે, પણ SPG (સરદાર પટેલ ગ્રુપ) આ વાત ક્યારેય સ્વીકારશે નહીં." એક જ મંચ પરથી આવેલા આ બે નિવેદનોએ પાટીદાર સમાજમાં નવી ચર્ચા છેડી છે. જ્યાં એક તરફ અનાર પટેલ દીકરીઓને દોષ દેવાને બદલે સમાજના યુવકોની સક્ષમતા અને આચરણ પર સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ લાલજી પટેલ સામાજિક શિસ્ત અને પરંપરા જાળવી રાખવા માટે કડક વલણની હિમાયત કરી રહ્યા છે. આ વિરોધાભાસી મંતવ્યો આગામી સમયમાં સમાજિક પરિવર્તનની દિશામાં કેવા વળાંકો લાવશે તે જોવું રહ્યું.</p><p></p><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/savli-mevaliyapura-group-clash-social-media-post-dj-group-conflict-vadodara-2197250383">સાવલીમાં ડીજે ગ્રુપની પોસ્ટ મુદ્દે બે જૂથ બાખડ્યા : પથ્થરમારો અને તલવારો ઉછળતા ગામમાં સન્નાટો! 19 સામે ફરિયાદ, 15 જેલ ભેગા</a></p><p></p><h2><strong>પાટીદાર સમાજમાં બદલાતી માનસિકતા</strong></h2><p>ગુજરાતમાં છેલ્લા દાયકામાં સામાજિક અને આર્થિક સ્તરે મોટા પરિવર્તનો આવ્યા છે. ઉચ્ચ શિક્ષણ, વિદેશગમન અને કોર્પોરેટ ક્ષેત્રમાં વધતી ભાગીદારીને કારણે પાટીદાર સમાજની નવી પેઢી વધુ ખુલ્લા વિચારો તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં યુવાનો વચ્ચે જાતિ આધારિત મર્યાદાઓ અગાઉની તુલનામાં નરમ પડી રહી હોવાનું સમાજશાસ્ત્રીઓ માને છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત માન્યતાઓ હજુ મજબૂત છે. પાટીદાર સમાજ ગુજરાતમાં રાજકીય અને આર્થિક રીતે પ્રભાવશાળી સમુદાય તરીકે ઓળખાય છે. અનામત આંદોલન બાદ સમાજની અંદર યુવાનોની ભૂમિકા અને નવી વિચારસરણી વધુ સ્પષ્ટ બની હતી.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 11 May 2026 12:18:17 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/11/Lalji-Patel-Vs-Anar-Patel_7b126990-73e9-4e36-8c2e-608fd01550e1.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ!: પોલીસ સ્ટેશનની એકદમ નજીક ચાલતું હતું કૂટણખાનું, 6 મહિલાઓ મુક્ત]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-flora-inn-hotel-prostitution-racket-busted-9703300557</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-flora-inn-hotel-prostitution-racket-busted-9703300557</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-flora-inn-hotel-prostitution-racket-busted-9703300557" />
                <description><![CDATA[રાજકોટની ફ્લોરા ઈન હોટલમાં પોલીસે દરોડો પાડી દેહવ્યાપારના રેકેટનો ભાંડો ફોડ્યો. 6 મહિલાઓ મુક્ત, મહિલા સંચાલિકા ઝડપાઈ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/11/rajkot-kutankhanu-_b1642a5f-d977-4fcd-b465-2a4dc1eafff6.jpg" alt="હોટેલ ફ્લોરા ઇનનના દ્રશ્યો" />
                  </div>
                  <p>રાજકોટ શહેરમાં દેહવ્યાપારના ગેરકાયદે ધંધા સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર આવેલી ફ્લોરા ઈન હોટલમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડો પાડી મહિલા સંચાલિકાની ધરપકડ કરી છે. પોલીસે દરોડા દરમિયાન દિલ્હી, મહારાષ્ટ્ર અને દહેરાદૂનની કુલ 6 મહિલાઓને મુક્ત કરાવી હતી. પ્રાથમિક તપાસમાં બહારથી ગ્રાહકો બોલાવી હોટલના રૂમોમાં ગેરકાયદે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.<br></p><p>પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે લાખાજીરાજ રોડ પર બાપુના બાવલા પાસે આવેલી ફ્લોરા ઈન હોટલમાં મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નીકીતા હરેશભાઈ કાકડીયા અને રિઝવાન નામનો શખ્સ મળીને દેહવ્યાપારનો ધંધો ચલાવે છે. બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડ્યો હતો.<br></p><h2><strong>અલગ અલગ રૂમોમાંથી મહિલાઓ અને ગ્રાહકો ઝડપાયા</strong></h2><p>પોલીસ જ્યારે ફ્લોરા ઈન હોટલ પહોંચી ત્યારે કાઉન્ટર પર મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નીકીતા હાજર મળી આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા હોટલના અલગ અલગ રૂમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રથમ માળના રૂમ નંબર 105 તેમજ બીજા માળના રૂમ નંબર 202, 203 અને 204માં પુરુષો અને મહિલાઓ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.<br></p><p>પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે રૂમોમાંથી મળી આવેલી મહિલાઓમાં એક મહિલા મહારાષ્ટ્રની, બે મહિલાઓ દિલ્હીની અને બે મહિલાઓ દહેરાદૂનની હતી. અન્ય એક મહિલા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહિલાઓની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ હોટલમાં બહારથી ગ્રાહકો બોલાવી શરીર સંબંધ કરાવતા હતા.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/anand-tarapur-vataman-highway-tempo-truck-accident-7809798877"><strong>આણંદમાં ગોઝારો અકસ્માત: ટ્રક પાછળ ટેમ્પો ઘૂસતાં એક જ પરિવારના 4નાં મોત, 5 ગંભીર ઇજાગ્રસ્ત</strong></a></p><h2><strong>ગ્રાહક દીઠ રૂ.2000 વસૂલાતા હતા</strong></h2><p>તપાસ દરમિયાન મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું કે ગ્રાહક દીઠ રૂપિયા 2000 લેવામાં આવતા હતા. જેમાંથી મહિલાઓને માત્ર રૂપિયા 500 આપવામાં આવતા હતા, જ્યારે બાકીના રૂપિયા 1500 દલાલી પેટે આરોપીઓ પોતાના પાસે રાખતા હતા. આ સમગ્ર રેકેટ લાંબા સમયથી ચાલતો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.<br></p><p>આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે કારણ કે દેહવ્યાપારનો આ ગેરકાયદે ધંધો પોલીસ સ્ટેશનથી ખૂબ નજીક ચાલી રહ્યો હતો. સ્થાનિકોમાં પણ આ મામલે અનેક સવાલો ઉભા થયા છે કે આટલા નજીક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવા છતાં લાંબા સમય સુધી તેની જાણ કેમ ન થઈ.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/ahmedabad-jodhpur-medical-warehouse-fire-incident-899143726"><strong>અમદાવાદના પોશ વિસ્તારમાં લાગી ભીષણ આગ!: મેડિકલ ગોડાઉન સળગતા BRTS નજીક અફરાતફરી</strong></a></p><h2><strong>રૂ.1.43 લાખનો મુદ્દામાલ કબ્જે</strong></h2><p>પોલીસે આરોપી મહિલા સંચાલિકા મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નીકીતા હરેશભાઈ કાકડીયાની ધરપકડ કરી હતી. તેની તલાશી દરમિયાન પર્સમાંથી રૂપિયા 83 હજાર રોકડા મળી આવ્યા હતા. ઉપરાંત હોટલના કાઉન્ટર પરથી વધુ રૂપિયા 50 હજાર રોકડા અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 1.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.<br></p><p>હાલ પોલીસ ફરાર આરોપી રિઝવાનની શોધખોળ કરી રહી છે. આ રેકેટ સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે કેમ, હોટલમાં આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને તેમાં કોઈ મોટા નેટવર્કની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 11 May 2026 11:41:46 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/11/rajkot-kutankhanu-_b1642a5f-d977-4fcd-b465-2a4dc1eafff6.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ નજીક ગમખ્વાર અકસ્માત: દેવભૂમિ દ્વારકાના ખેડૂતનું ટ્રક પાછળ કાર ઘૂસતાં મોત]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-bedi-road-car-truck-accident-dwarka-farmer-death-7286444731</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-bedi-road-car-truck-accident-dwarka-farmer-death-7286444731</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-bedi-road-car-truck-accident-dwarka-farmer-death-7286444731" />
                <description><![CDATA[રાજકોટ બેડી ચોકડી નજીક ટ્રક પાછળ કાર ઘૂસતાં દેવભૂમિ દ્વારકાના ખેડૂત નારણભાઈ કરંગીયાનું સારવાર દરમિયાન મોત થયું.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/10/car-accident_dab03f23-b914-40f9-aedc-a342a49694d2.jpg" alt="રાજકોટ પર કાર અકસ્માતના દ્રશ્યો" />
                  </div>
                  <p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>જિલ્લામાં વહેલી સવારે સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં દેવભૂમિ દ્વારકાના ખેડૂતનું કરુણ મોત નિપજ્યું છે. જામકલ્યાણપુર તાલુકાના માદેવિયા ગામના રહેવાસી અને ખેતીકામ સાથે સંકળાયેલા 58 વર્ષીય નારણભાઈ કરંગીયા તેમના વેવાઈ પક્ષના સગા સાથે આણંદ તરફ જવા નીકળ્યા હતા, ત્યારે રાજકોટ-બેડી ચોકડી રોડ પર આ અકસ્માત બન્યો હતો. ઘટનાએ પરિવારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.<br></p><p>પ્રાથમિક માહિતી અનુસાર, શુક્રવારે વહેલી સવારે લગભગ 5.30 વાગ્યાની આસપાસ નારણભાઈ તેમના સગા રામશીભાઈ સાથે કારમાં આણંદ જવા નીકળ્યા હતા. જ્યારે તેમની કાર <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે આવેલા એક એચપી પેટ્રોલ પંપ નજીક પહોંચી, ત્યારે રસ્તા પર અચાનક એક પશુ આવી ગયું હતું. પશુને બચાવવા માટે આગળ જઈ રહેલા વાહનચાલકે તાત્કાલિક બ્રેક મારી હતી.<br></p><p>આચાનક સામે બનેલી પરિસ્થિતિને કારણે પાછળથી આવી રહેલી કારના ચાલક રામશીભાઈએ અથડામણ ટાળવા માટે કારને રોડની સાઈડમાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રકનો અંદાજ ન આવતા કાર સીધી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.<br></p><h2><strong>ડ્રાઈવર બચ્યો, બાજુમાં બેઠેલા ખેડૂતને ગંભીર ઈજા</strong></h2><p>અકસ્માત સમયે નારણભાઈ ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા હતા. ટક્કરના જોરદાર આંચકાને કારણે તેમને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ, કાર ચલાવી રહેલા રામશીભાઈનો સદનસીબે આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળે છે.<br></p><p>અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન નારણભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/surat-varachha-sbi-robbery-shubham-thakur-police-firing-0308449603"><strong>સુરત SBI લૂંટ કેસના આરોપીનું પોલીસ પર ફાયરિંગ: ACP એ સ્વબચાવમાં ગોળી મારી</strong></a></p><h2><strong>કુવાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી</strong></h2><p>અકસ્માત અંગે જાણ થતાં કુવાડવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં સામેલ ટ્રક, માર્ગ પરની પરિસ્થિતિ અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.<br></p><p>પ્રાથમિક તારણ મુજબ, રસ્તા પર અચાનક પશુ આવી જવાથી સર્જાયેલી પરિસ્થિતિ આ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ટ્રક રોડની બાજુમાં કેવી સ્થિતિમાં પાર્ક કરાયો હતો અને ત્યાં પૂરતી ચેતવણી વ્યવસ્થા હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ થઈ શકે છે.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/ahmedabad-vasna-police-misconduct-minor-boys-video-controversy-6015915434"><strong>અમદાવાદના વાસણામાં પોલીસની કામગીરી પર સવાલ: સગીર બાળકો સાથે ગેરવર્તણૂક અને યુવતીઓ સાથે ઝપાઝપીના આક્ષેપથી વિવાદ વકર્યો</strong></a></p><h2><strong>પરિવાર પર તૂટી પડ્યો આઘાત</strong></h2><p>નારણભાઈ કરંગીયા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના માદેવિયા ગામના રહેવાસી હતા અને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ સરળ સ્વભાવના અને સમાજમાં સક્રિય વ્યક્તિ તરીકે ઓળખાતા હતા.</p><p>તેમના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. બે દિવસ પહેલાં જ મહેમાન બનીને આવેલા તેમના વેવાઈ પક્ષના સગા સાથે ફરવા માટે નીકળેલા નારણભાઈનું આ રીતે અકસ્માતમાં મોત થતાં ગામમાં પણ શોકનો માહોલ સર્જાયો છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sun, 10 May 2026 10:01:29 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/10/car-accident_dab03f23-b914-40f9-aedc-a342a49694d2.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં ભરતી કૌભાંડનો ધડાકો: પરીક્ષા પહેલા જ ક્લાર્કનું નામ નક્કી હતું? યુવરાજસિંહના સનસનીખેજ આક્ષેપ]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-bhayavadar-college-recruitment-controversy-gujarat-6763084266</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-bhayavadar-college-recruitment-controversy-gujarat-6763084266</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-bhayavadar-college-recruitment-controversy-gujarat-6763084266" />
                <description><![CDATA[રાજકોટની એચ.એલ. પટેલ કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિના આક્ષેપ. પરિણામ પહેલા નામ જાહેર થતા યુવરાજસિંહ જાડેજાએ તપાસની માંગ કરી. વિગતો માટે વાંચો.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/09/hl-patel-collage_86f6fd57-33c2-46f0-90db-b8fbce3a6dd1.jpg" alt="યુવરાજસિંહ જાડેજા અને એચ એલ કોલેજ" />
                  </div>
                  <p>રાજકોટ-ભાયાવદર વિસ્તારમાં આવેલી એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતી પ્રક્રિયા અંગે ગંભીર વિવાદ ઊભો થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ભરતીમાં ગેરરીતિ થયાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેમાં પરીક્ષા પહેલા જ ઉમેદવારનું નામ નક્કી થઈ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ભરતી પ્રક્રિયાની પારદર્શકતા અને વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે.<br></p><p>આ ભરતી પ્રક્રિયાની જાહેરાત ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા 20 સપ્ટેમ્બર 2025 ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ 16 માર્ચ 2026 ના રોજ પ્રાથમિક પરીક્ષા યોજાઈ અને આગળની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 1 મેના રોજ અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ પરિણામ જાહેર થાય તે પહેલાં જ 19 એપ્રિલે યુવરાજસિંહ જાડેજાએ લેખિતમાં ફરિયાદ કરી હતી કે ભુવા હર્ષ અનિલભાઈ નામના ઉમેદવારની પસંદગી નિશ્ચિત છે.<br></p><h2><strong>પરિણામ પહેલા કરેલી ફરિયાદે વધાર્યો શંકાનો ઘેરાવો</strong></h2><p>ફરિયાદ બાદ જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે ખરેખર ભુવા હર્ષ અનિલભાઈની પસંદગી થઈ હોવાનું સામે આવ્યું, જેના કારણે આક્ષેપોને વધુ બળ મળ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ કોઈ અનુમાન કે આગાહી કરી રહ્યા નહોતા, પરંતુ અગાઉથી મળેલી ચોક્કસ માહિતીના આધારે આ રજૂઆત કરવામાં આવી હતી.<br></p><p>તેમણે દાવો કર્યો કે છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માત્ર ઔપચારિકતા બની રહી છે અને પસંદગી અગાઉથી નક્કી કરવામાં આવે છે. આ ઘટનાને તેમણે એક “સુનિયોજિત કાવતરું” ગણાવ્યું છે, જેમાં ઓળખાણવાદ અને લાગવગશાહીનો સંકેત મળે છે.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/gondal-family-tragedy-father-children-case-8458288770"><strong>રાજકોટમાં કરુણાંતિકા!: પિતાએ બે માસૂમ સંતાનોને ગળેટૂંપો દઈ પોતે પણ જીવન ટૂંકાવ્યું</strong></a></p><h2><strong>પરીક્ષા પ્રક્રિયા પર પણ ઉઠ્યા સવાલો</strong></h2><p>આ મામલે માત્ર પરિણામ જ નહીં પરંતુ પરીક્ષા પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઉભા થયા છે. આરોપ મુજબ, પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને પોતાની પેન ઉપયોગ કરવાની મંજૂરી નહોતી અને એક ચોક્કસ બોલપેનથી જ OMR શીટ ભરવા ફરજ પાડવામાં આવી હતી. આ બાબતને પણ સંદિગ્ધ ગણાવી તપાસની માંગ કરવામાં આવી છે.<br></p><p>વધુમાં, પસંદ થયેલા ઉમેદવારને 200 માંથી 173 ગુણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આ ઉમેદવારે અગાઉ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો નથી, જે પરિસ્થિતિમાં પ્રથમ જ પ્રયાસમાં આટલા ઉચ્ચ ગુણ મેળવવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/rajkot-crime-branch-theft-gang-arrest-1559288307"><strong>વૃદ્ધ વેપારીઓને ટાર્ગેટ કરતી 'ચિપ્સ ગેંગ'નો પર્દાફાશ: રાજકોટ પોલીસે 3 રીઢા ગુનેગારોને દબોચ્યા</strong></a></p><h2><strong>તપાસ અને ભરતી રદ્દ કરવાની માંગ</strong></h2><p>આ સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજાએ તાત્કાલિક ભરતી પ્રક્રિયા રદ્દ કરવાની માંગ કરી છે. સાથે જ, નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ માટે સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી અથવા ખાસ તપાસ દળ (SIT) રચવાની માંગણી કરવામાં આવી છે.<br></p><p>તેમણે જણાવ્યું કે આ મુદ્દે શિક્ષણ મંત્રી, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી અને અન્ય સંબંધિત અધિકારીઓને અગાઉથી જ જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે આ મામલે સોમવારે ફરીથી રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.</p><p></p><h2><strong>સિસ્ટમ પર ફરી ઉઠ્યા વિશ્વાસના પ્રશ્નો</strong></h2><p>આ ઘટનાએ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશ્વસનીયતા પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ભરતી અને પરીક્ષા પ્રક્રિયાને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે, જેના કારણે યુવાનોમાં અસંતોષ વધતો જોવા મળે છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 09 May 2026 08:55:29 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/09/hl-patel-collage_86f6fd57-33c2-46f0-90db-b8fbce3a6dd1.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[વૃદ્ધ વેપારીઓને ટાર્ગેટ કરતી 'ચિપ્સ ગેંગ'નો પર્દાફાશ: રાજકોટ પોલીસે 3 રીઢા ગુનેગારોને દબોચ્યા]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-crime-branch-theft-gang-arrest-1559288307</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-crime-branch-theft-gang-arrest-1559288307</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-crime-branch-theft-gang-arrest-1559288307" />
                <description><![CDATA[રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સિનિયર વેપારીઓને લક્ષ્ય બનાવતી ટોળકી પકડી, 7.58 લાખ મુદ્દામાલ જપ્ત.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/09/RAJKOT-CRIME_527ccb80-a564-445d-8634-e49a70951ef3.jpg" alt="રાજકોટમાં ઝપાયેલ આરોપીના cctv દ્રશ્યો" />
                  </div>
                  <p>રાજકોટ શહેરમાં વધતી મિલકત સંબંધિત ચોરીઓ વચ્ચે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિનિયર સિટિઝન વેપારીઓને નિશાન બનાવતી એક શાતિર આંતરજિલ્લા ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર ભાવનગર જિલ્લાના ગારિયાધારનો રહેવાસી વિકી સેખલિયા હોવાનું સામે આવ્યું છે, જે બે સગીર સાગરીતો સાથે મળીને ચોરીઓને અંજામ આપતો હતો.<br></p><p>પોલીસ તપાસ મુજબ આ ટોળકી ખૂબ જ ગોઠવણપૂર્વક કામ કરતી હતી. તેઓ પ્રથમ જે શહેરમાં જવાના હોય ત્યાં રેકી કરતા અને પછી એકલા દુકાન સંભાળતા વૃદ્ધ વેપારીઓને લક્ષ્ય બનાવતા. ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશી વાતોમાં ઉલઝાવી, વેપારીને અંદર સામાન લેવા મોકલતા અને તે દરમિયાન ગલ્લામાંથી રોકડ રકમ ચોરી કરી ભાગી જતા હતા.<br></p><h2><strong>CCTV અને ઇન્ટેલિજન્સથી ઉકેલાયો ભેદ</strong></h2><p>આ સમગ્ર કેસ અંગે રાજકોટ ક્રાઇમના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે શહેરમાં ઘરફોડ અને ચોરીના ગુનાઓને ઝડપી ઉકેલવા માટે સતત પેટ્રોલિંગ અને ખાસ ટીમો કાર્યરત હતી. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજ અને માનવ સૂત્રોની મદદથી તપાસ આગળ ધપાવી અને અંતે ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મેળવી.<br></p><p>તપાસમાં સામે આવ્યું છે કે રાજકોટ શહેરના આજીડેમ અને ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ટોળકીએ ચોરીઓ કરી હતી. સાથે સાથે ભાવનગર, નવસારી અને વાસદ સહિતના વિસ્તારોમાં પણ આવા જ બનાવોને અંજામ આપ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 10 જેટલા વેપારીઓને નિશાન બનાવ્યાની કબૂલાત આરોપીઓએ કરી છે.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/expired-milk-seized-from-burger-king-in-rajkot-municipal-corporation-destroys-72-liters-of-milk--8588727949"><strong>રાજકોટવાસીઓ સાવધાન!: જાણીતી બ્રાન્ડના નામે અહીં પીરસાય રહી છે વાસી વસ્તુઓ, મનપાના દરોડામાં થયો મોટો ખુલાસો</strong></a></p><h2><strong>7.58 લાખનો મુદ્દામાલ જપ્ત</strong></h2><p>પોલીસે આરોપીઓ પાસેથી 2.58 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ એક હ્યુન્ડાઈ વેન્યુ કાર મળી કુલ 7.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય આરોપી વિકી સેખલિયા વિરુદ્ધ અગાઉ પણ ચાર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે, જેમાં જુગાર, મારામારી અને ચોરી સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે.<br></p><p>સાથે ધરપકડ કરાયેલા બે સગીર આરોપીઓનો કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ નોંધાયો નથી. પોલીસ હવે આ ટોળકી દ્વારા અન્ય કેટલા વેપારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની દિશામાં તપાસ તેજ કરી રહી છે.<br></p><h2><strong>વેપારીઓને પોલીસની ખાસ અપીલ</strong></h2><p>પોલીસ અધિકારીઓએ ખાસ કરીને સિનિયર સિટિઝન વેપારીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. જો કોઈ અજાણ્યા વ્યક્તિઓ દુકાનમાં આવીને વાતોમાં ઉલઝાવીને ધ્યાન ભંગ કરવાનો પ્રયાસ કરે તો ગલ્લો છોડીને અંદર જવાનું ટાળવું જોઈએ. દુકાનમાં અન્ય સ્ટાફ હોય તો તેમને સામાન આપવા મોકલવો વધુ સલામત વિકલ્પ ગણાવવામાં આવ્યો છે.<br></p><p>સાથે સાથે ગલ્લો હંમેશા લોક રાખવો, રોકડ ખુલ્લી ન રાખવી અને સતત નજર રાખવી જરૂરી હોવાનું પણ પોલીસએ જણાવ્યું છે. સીસીટીવી કેમેરા લગાવવાથી આવા બનાવોની અટકમાં મદદરૂપ બની શકે છે.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/gondal-family-tragedy-father-children-case-8458288770"><strong>રાજકોટમાં કરુણાંતિકા!: પિતાએ બે માસૂમ સંતાનોને ગળેટૂંપો દઈ પોતે પણ જીવન ટૂંકાવ્યું</strong></a></p><h2><strong>વધતી ચોરીઓ અને સુરક્ષા પર પ્રશ્નચિહ્ન</strong></h2><p>તાજેતરના સમયમાં વેપારીઓને નિશાન બનાવતી ચોરીઓમાં વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને એવા વેપારીઓ જે એકલા દુકાન સંભાળે છે. આ ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ચર્ચા જગાવી છે.<br></p><p>પોલીસ તંત્ર દ્વારા વધારાની પેટ્રોલિંગ અને ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ વધારવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નાગરિકો અને વેપારીઓ વચ્ચે જાગૃતિ વધારવી પણ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 09 May 2026 07:26:03 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/09/RAJKOT-CRIME_527ccb80-a564-445d-8634-e49a70951ef3.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં કરુણાંતિકા!: પિતાએ બે માસૂમ સંતાનોને ગળેટૂંપો દઈ પોતે પણ જીવન ટૂંકાવ્યું]]></title>
                <link>https://offbeatstories.in/news/gondal-family-tragedy-father-children-case-8458288770</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gondal-family-tragedy-father-children-case-8458288770</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gondal-family-tragedy-father-children-case-8458288770" />
                <description><![CDATA[ગોંડલમાં પિતાએ બે સંતાનોની હત્યા કરી પોતે આત્મહત્યા કરી. ઘટના પાછળનું કારણ અજાણ, પોલીસ તપાસ શરૂ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/09/RAJKOT-GONDAL_5d99108c-fb9c-4729-bd9f-57b0a169c5d4.jpg" alt="ગોંડલમાં ઘટનાસ્થળન દ્રશ્યો" />
                  </div>
                  <p>રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર નજીક ઘોઘાવદર રોડ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ સંતાનોની ગળાટૂંપો આપી હત્યા કરી બાદમાં પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે અને વેપારી વર્ગ સહિત સ્થાનિકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.<br></p><p>પ્રાથમિક માહિતી મુજબ, મૃતક જયપાલભાઈ તોગડીયા (ઉંમર આશરે 35 વર્ષ), જે ઘોઘાવદર રોડ પર આવેલી ‘ગાયત્રી સિમેન્ટ’ ફેક્ટરી સાથે સંકળાયેલા હતા, તેઓ સવારે પોતાના પુત્ર મિશ્ર (15 વર્ષ) અને પુત્રી રિવા (10 વર્ષ)ને સાથે લઈને કારખાનામાં ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ કોઈ અજ્ઞાત કારણોસર આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. પોલીસે જણાવ્યા મુજબ, પિતાએ પહેલા બંને સંતાનોની ગળાટૂંપો આપી હત્યા કરી અને ત્યારબાદ પોતે પંખા સાથે લટકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.<br></p><p><strong>તેજસ્વી બાળકોના મોતથી શોકની લાગણી</strong></p><p>આ ઘટનામાં ભોગ બનેલા બંને બાળકો અભ્યાસમાં તેજસ્વી ગણાતા હતા. પુત્ર મિશ્રે તાજેતરમાં ધોરણ 10માં આશરે 70 ટકા ગુણ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું હતું, જ્યારે પુત્રી રિવા ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી અને હોંશિયાર વિદ્યાર્થી તરીકે ઓળખાતી હતી. આવા તેજસ્વી અને નાની ઉંમરના બાળકોના અકાળે મૃત્યુથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો છે.<br></p><p>સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પરિવાર સામાન્ય રીતે સુખી અને સ્થિર માનવામાં આવતો હતો. છેલ્લા લગભગ 15 વર્ષથી વ્યવસાય સાથે સંકળાયેલા જયપાલભાઈનો વેપારમાં સારો પ્રતિષ્ઠિત દરજ્જો હતો. તેથી આ ઘટના પાછળનું કારણ શું હોઈ શકે તે અંગે લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/gujarat-high-court-ruling-no-maintenance-if-wife-leaves-husband-without-valid-reason-6819321237"><strong>પત્નીઓ માટે ગુજરાત હાઈકોર્ટનો લાલબત્તી સમાન ચુકાદો: વ્યાજબી કારણ વગર પતિનું ઘર છોડનાર પત્નીને ભરણપોષણ નહીં મળે!</strong></a></p><h2><strong>પોલીસ કાર્યવાહી અને તપાસ</strong></h2><p>ઘટનાની જાણ થતાં જ Gujarat Police ની ગોંડલ A ડિવિઝન ટીમ અને 108 ઇમરજન્સી સેવા સ્થળ પર પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. હાલ પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘટનાના તમામ પાસાઓની છાનબીન કરવામાં આવી રહી છે.<br></p><p>પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ ઘટના પાછળના કારણો હજુ સ્પષ્ટ નથી. પરિવારિક, આર્થિક અથવા અન્ય કોઈ વ્યક્તિગત પરિસ્થિતિઓ જવાબદાર હોઈ શકે તે દિશામાં તપાસ ચાલી રહી છે. સાથે જ, સ્થળ પરથી મળેલા પુરાવા અને નજીકના લોકોના નિવેદનોના આધારે તપાસને આગળ ધપાવવામાં આવશે.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/vadodara-alkaline-water-fssai-fulvic-acid-case-6835184998"><strong>આલ્કલાઇન વોટર પીનારા સાવધાન: ગુજરાતમાં FSSAI ના દરોડા, સ્વાસ્થ્ય માટે હાનિકારક તત્વો મળતા જથ્થો જપ્ત</strong></a></p><h2><strong>કારણ અકબંધ, પ્રશ્નો અનેક</strong></h2><p>આ ઘટના સમાજ માટે ચિંતાજનક સંકેત તરીકે જોવામાં આવી રહી છે. એક સુસ્થાપિત અને સામાન્ય દેખાતો પરિવાર અચાનક આવી કરુણ પરિસ્થિતિમાં કેમ આવી ગયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. આ ઘટનાએ માનસિક તાણ, દબાણ અને વ્યક્તિગત સમસ્યાઓ અંગે પણ ચર્ચા શરૂ કરી છે.<br></p><p>નિષ્ણાતો માનતા હોય છે કે ઘણી વખત બહારથી બધું સામાન્ય લાગતું હોવા છતાં વ્યક્તિ અંદરથી ગંભીર તણાવમાંથી પસાર થતો હોય છે. આવા કિસ્સાઓમાં સમયસર સહાય અને સંવાદ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/rajpipla-poultry-farm-bird-flu-protest-7192857888"><strong>બર્ડ ફ્લૂનાં કારણે રાજપીપળાનાં લોકોમાં ફેલાયો ભય: પોલ્ટ્રી ફાર્મ બંધ કરાવવા આપ્યું આવેદન</strong></a></p><h2><strong>સમાજ માટે ચેતવણીરૂપ ઘટના</strong></h2><p>ગોંડલની આ કરુણાંતિકા માત્ર એક પરિવારની દુઃખદ ઘટના નથી, પરંતુ સમાજ માટે એક ચેતવણી પણ છે. માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ, પરિવારિક સંવાદ અને સમસ્યાઓનો સમયસર ઉકેલ અત્યંત જરૂરી છે. આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે ગંભીર નિર્ણયો પાછળ ઘણી વખત અદ્રશ્ય પરિસ્થિતિઓ જવાબદાર હોઈ શકે છે.<br></p><p>સ્થાનિક સ્તરે શોકની લાગણી વચ્ચે લોકો મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે તેવી અપેક્ષા છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 09 May 2026 06:34:21 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/09/RAJKOT-GONDAL_5d99108c-fb9c-4729-bd9f-57b0a169c5d4.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટવાસીઓ સાવધાન!: જાણીતી બ્રાન્ડના નામે અહીં પીરસાય રહી છે વાસી વસ્તુઓ, મનપાના દરોડામાં થયો મોટો ખુલાસો]]></title>
                <link>https://offbeatstories.in/news/expired-milk-seized-from-burger-king-in-rajkot-municipal-corporation-destroys-72-liters-of-milk--8588727949</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/expired-milk-seized-from-burger-king-in-rajkot-municipal-corporation-destroys-72-liters-of-milk--8588727949</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/expired-milk-seized-from-burger-king-in-rajkot-municipal-corporation-destroys-72-liters-of-milk--8588727949" />
                <description><![CDATA[રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાલાવડ રોડ પર આવેલા જાણીતા ફૂડ આઉટલેટ 'બર્ગર કિંગ'માં સપાટો બોલાવી 72 લિટર એક્સપાયરી ડેટનું દૂધ ઝડપી પાડ્યું છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/08/Burger-King-Expiry-Date-Milk-Seized_5d332d00-eceb-4dc1-bda4-e47e80f141eb.jpg" alt="RMC Food Department, Burger King Expiry Date Milk Seized" />
                  </div>
                  <p><strong>રાજકોટ:</strong> રાજ્યમાં ઉનાળાની સિઝન અને લગ્નગાળાને પગલે ખાણી-પીણીના પદાર્થોમાં ભેળસેળ અને ગુણવત્તાના પ્રશ્નો વકર્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-weather-update-rain-heatwave-forecast-ahmedabad-425697744">આરોગ્ય વિભાગ </a>ફરી એકવાર એક્શનમાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર આવેલી પ્રખ્યાત ફૂડ ચેઈન અને ખાણી-પીણીની દુકાનો પર ત્રાટકેલા આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. ખાસ કરીને કાલાવડ રોડ જેવા ધમધમતા વિસ્તારમાં જાણીતા આઉટલેટ્સમાં તપાસ હાથ ધરતા અનેક ક્ષતિઓ સામે આવી છે. આ કાર્યવાહીને પગલે રાજકોટના 'ફૂડ લવર્સ' માં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર દ્વારા લોકોને બહારનું ખાતા પહેલા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.</p><p></p><h3><strong>બર્ગર કિંગમાંથી 72 લિટર એક્સપાયરી ડેટનું દૂધ મળ્યું</strong></h3><p>રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પ્રખ્યાત બર્ગર કિંગ (Burger King) આઉટલેટમાં જ્યારે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. અહીં સ્ટોકમાં રહેલું 72 લિટર જેટલું દૂધ એક્સપાયરી ડેટનું મળી આવ્યું હતું. આ દૂધનો ઉપયોગ ગ્રાહકોને પીરસવામાં આવતા શેક અથવા અન્ય વાનગીઓમાં થવાનો હતો, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હતું. તંત્રએ તાત્કાલિક અસરથી આ જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને બેદરકારી બદલ સંચાલકોને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.</p><p></p><h3><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/savli-pasva-village-ertiga-accident-mumbai-man-death-592375187"><strong>દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સાવલી નજીક પલટી કાર: મુંબઈના આધેડે ગુમાવ્યો જીવ, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ</strong></a></h3><p></p><h3><strong>21 જેટલા ધંધાર્થીઓને ત્યાં સપાટો: 17 સ્થળે નમૂના લેવાયા</strong></h3><p>આરોગ્ય વિભાગની આ કાર્યવાહી માત્ર એક આઉટલેટ પૂરતી સીમિત નહોતી. મહાનગરપાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 21 જેટલા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ૪ ધંધાર્થીઓ પાસે જરૂરી લાયસન્સ ન હોવાથી તેમને નોટિસ પાઠવવામાં આવી છે અને સુધારાત્મક સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, ગુણવત્તાની ચકાસણી કરવા માટે ૧૭ જેટલા સ્થળોએથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈ સ્થળ પર જ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.</p><p></p><p><strong>આ પણ વાંચો:</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-weather-update-rain-heatwave-forecast-ahmedabad-425697744">ગુજરાતનાં હવામાનમાં ઉથલપાથલ : ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ખતરો, જાણો તમારા શહેરની સ્થિતિ</a></p><p></p><h3><strong>બર્ગર લવર્સ ચેતજો! આરોગ્ય સાથે ચેડાં નહીં ચલાવી લેવાય</strong></h3><p>રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રખ્યાત બ્રાન્ડ હોવા છતાં એક્સપાયરી ડેટની વસ્તુઓનો ઉપયોગ કરવો એ ગ્રાહકોના વિશ્વાસ અને સ્વાસ્થ્ય સાથેના ગંભીર ચેડાં છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે પણ એકમ સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરે અથવા ભેળસેળયુક્ત કે વાસી ખોરાક પીરસશે, તેમની સામે લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 08 May 2026 11:09:51 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/08/Burger-King-Expiry-Date-Milk-Seized_5d332d00-eceb-4dc1-bda4-e47e80f141eb.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની ઉઠી માંગ: લોહીથી લખેલા પત્રો PM અને CMને મોકલાયા, રાજ્યભરમાં યોજાઈ રેલીઓ]]></title>
                <link>https://offbeatstories.in/news/gau-mata-rashtramata-demand-surat-rajkot-bhavnagar-rally-0126123853</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gau-mata-rashtramata-demand-surat-rajkot-bhavnagar-rally-0126123853</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gau-mata-rashtramata-demand-surat-rajkot-bhavnagar-rally-0126123853" />
                <description><![CDATA[સુરત, રાજકોટ અને ભાવનગરમાં ગૌભક્તોની રેલીઓ યોજાઈ. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌવધ પર પ્રતિબંધની માંગ ઉઠી.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/07/Demand-to-declare-Mother-Cow-as-Mother-of-the-Nation-1_0d497d4d-e30f-4c34-8426-a408bbf74fef.png" alt="રેલીની છબી" />
                  </div>
                  <p>ગુજરાતમાં ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ ફરી એકવાર તેજ બની છે. સુરત, રાજકોટ અને ભાવનગર સહિતના શહેરોમાં ગૌભક્તો, સાધુ-સંતો અને ગૌસેવકો દ્વારા ભવ્ય રેલીઓ, પદયાત્રાઓ અને હસ્તાક્ષર અભિયાન યોજાઈ રહ્યા છે. ગૌરક્ષા અને ગૌસંવર્ધનના મુદ્દે વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અને ‘ગૌ સંવર્ધન મંત્રાલય’ની રચનાની માંગ ઉઠી છે.</p><p></p><p>સુરતમાં ગૌભક્તો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મિલેનિયમ માર્કેટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી દરમિયાન બુલડોઝર અને બળદગાડા મુખ્ય આકર્ષણ બન્યા હતા. ગૌમાતાના સંરક્ષણ માટે કડક કાયદા અમલમાં મૂકવાની માંગ સાથે ગૌભક્તોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અભિયાન હેઠળ આશરે પાંચ લાખ હસ્તાક્ષર એકત્રિત કરવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે.</p><p></p><h2><strong>લોહીથી લખાયેલા પત્રોથી સરકારને સંદેશ</strong></h2><p>સુરતમાં ગૌભક્તોએ પ્રતીકાત્મક વિરોધ અને ભાવનાત્મક અપીલ રૂપે પોતાના લોહીથી પત્રો લખી દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. ગૌસેવકોનું કહેવું છે કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, કૃષિ પરંપરા અને આધ્યાત્મિક જીવનશૈલીનું કેન્દ્રબિંદુ છે, તેથી તેને રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન મળવું જોઈએ.</p><p></p><p>રેલીમાં જોડાયેલા આગેવાનો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે દેશભરમાં ગૌરક્ષા માટે અનેક વર્ષોથી ચળવળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. ગૌભક્તોએ સરકારને આ મુદ્દે સંવેદનશીલ અભિગમ અપનાવવાની અપીલ કરી હતી.</p><p></p><h2><strong>રાજકોટમાં સહી ઝુંબેશ શરૂ</strong></h2><p>રાજકોટમાં પણ ગૌમાતા મુદ્દે અભિયાન તેજ બન્યું છે. શહેરના બહુમાળી ચોક ખાતે ગૌપ્રેમીઓ અને ગૌસેવકો દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આ અભિયાનમાં જોડાયા હતા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને સમર્થન આપ્યું હતું.</p><p></p><p>આ અભિયાનમાં ગુજરાત ગૌ આયોગના પૂર્વ ચેરમેન ડૉ. વલ્લભ કથીરિયા પણ જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે ગૌમાતા માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ ભારતીય કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રનો આધારસ્તંભ છે. અભિયાન પૂર્ણ થયા બાદ મામલતદાર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ગૌભક્તોનું માનવું છે કે ગૌસંવર્ધન માટે રાજ્ય અને કેન્દ્ર સ્તરે અલગ મંત્રાલય રચવામાં આવે તો ગૌશાળાઓ, ગૌચર જમીન અને નિરાધાર પશુઓ માટે વધુ અસરકારક નીતિઓ બનાવી શકાય.</p><p></p><p><img><img src="https://assests.offbeatstories.in/image/2026/05/07/RJT_a2999bcc-8f34-4e46-8e86-1db78b0c3f35.JPG"></p><h2><strong>ભાવનગરમાં ભવ્ય પદયાત્રા</strong></h2><p>ભાવનગર શહેર આજે ગૌભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે જશોનાથ ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો, સામાજિક આગેવાનો, ગૌસેવકો અને મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા.</p><p></p><p>પદયાત્રા દરમિયાન “ગૌમાતા રાષ્ટ્રીય માતા બનાવો” અને “ગૌરક્ષા અમારો સંકલ્પ” જેવા નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું મહત્વપૂર્ણ પ્રતિક છે. તેમણે સરકાર સમક્ષ ગૌરક્ષા માટે વધુ કડક કાયદા અને ગૌસંવર્ધન માટે ખાસ નીતિ ઘડવાની માંગ કરી હતી. પદયાત્રા અંતે પ્રતિનિધિમંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી આ માંગ પહોંચાડવાની વિનંતી કરવામાં આવી હતી.</p><p></p><p><img><img src="https://assests.offbeatstories.in/image/2026/05/07/BVN_f8e663f5-08d3-4fff-bba5-595bffb525ac.JPG"></p><p></p><h2><strong>ગૌરક્ષા મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચા તેજ</strong></h2><p>ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ છેલ્લા કેટલાક વર્ષોથી અલગ-અલગ સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે આ મુદ્દે દેશમાં રાજકીય અને સામાજિક સ્તરે ભિન્ન મતો પણ જોવા મળે છે. કેટલાક વર્ગો ગૌરક્ષાને સાંસ્કૃતિક અને ધાર્મિક આસ્થા સાથે જોડે છે, જ્યારે અન્ય વર્ગો કાયદાકીય અને બંધારણીય દ્રષ્ટિકોણથી ચર્ચાની જરૂરિયાત વ્યક્ત કરે છે. હાલ રાજ્યના વિવિધ શહેરોમાં શરૂ થયેલા આ અભિયાનને કારણે ગૌરક્ષા અને ગૌસંવર્ધનનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આગામી સમયમાં સરકાર આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિસાદ આપે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Thu, 07 May 2026 07:48:50 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/07/Demand-to-declare-Mother-Cow-as-Mother-of-the-Nation-1_0d497d4d-e30f-4c34-8426-a408bbf74fef.png" medium="image" type="image/png" />
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/07/RJT_a2999bcc-8f34-4e46-8e86-1db78b0c3f35.JPG" medium="image" /><media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/07/BVN_f8e663f5-08d3-4fff-bba5-595bffb525ac.JPG" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[જાહેરમાં રાજકારણી પણ ખાનગીમાં વ્યાજખોર!: રાજકોટ પોલીસે 36 પરિવારોને વ્યાજચક્રમાંથી છોડાવ્યા! રાજકીય નેતા સહિત મામા-ભાણેજની જોડી જેલભેગી]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-police-operation-against-usurers-bjp-leader-arrested-gondal-7195032103</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-police-operation-against-usurers-bjp-leader-arrested-gondal-7195032103</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-police-operation-against-usurers-bjp-leader-arrested-gondal-7195032103" />
                <description><![CDATA[રાજકોટ જિલ્લા પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી 136 પીડિત પરિવારોને ન્યાય અપાવ્યો છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/07/Rajkot-Police-Money-Lender_a5c8ad47-5af8-42a6-a6b4-935644988ac1.jpg" alt="Rajkot Police, Money Lender, SP Vijaysinh Gurjar" />
                  </div>
                  <p><strong>રાજકોટ:</strong> ગુજરાતમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત રાજકોટ જિલ્લા પોલીસે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે ગોંડલ પંથકમાં આતંક મચાવનારા મામા-ભાણેજની જોડીને દબોચી લીધી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસે એકસાથે 136 જેટલા પીડિત પરિવારોને વ્યાજના વિષચક્રમાંથી આઝાદ કરાવી ન્યાય અપાવ્યો છે. આ ઓપરેશનની ખાસ વાત એ છે કે, પોલીસે માત્ર ધરપકડ જ નથી કરી, પરંતુ વ્યાજખોરોએ મજબૂર લોકો પાસેથી સિક્યુરિટી પેટે પડાવી લીધેલા કરોડો રૂપિયાના ચેક અને દસ્તાવેજો પણ પરત અપાવ્યા છે. આ સફળ કામગીરીને પગલે ગ્રામ્ય પંથકમાં પોલીસની છબી વધુ મજબૂત બની છે અને સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.</p><p></p><h2><strong>રાજકીય વગનો ઓથો અને 2 કરોડનું વ્યાજચક્ર</strong></h2><p>પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મુખ્ય આરોપી અસ્ફાક હનીફભાઇ સલાટ રાજકીય વગ ધરાવે છે. તે ગોંડલ તાલુકા ભાજપના લઘુમતી સેલના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતો હતો. રાજકીય હોદ્દાના જોરે તે અને તેનો મામો કાળુ સલાટ ગોંડલના વાસાવડ ગામે વ્યાજનો કાળો કારોબાર ચલાવતા હતા. આ બંને શખ્સોએ આશરે 2 કરોડ રૂપિયા જેટલી રકમ વ્યાજે ફેરવી હતી અને લોકો પાસેથી બળજબરીથી વસૂલાત કરતા હતા.</p><p></p><h3><img><img src="https://assests.offbeatstories.in/image/2026/05/07/vlcsnap-2026-05-07-12h27m20s800_af34eaa1-3d45-4cf3-8d9b-6d37311fd2f6.png"></h3><h2><strong>375 ચેક અને 10% સુધીનું તોતિંગ વ્યાજ</strong></h2><p>આ મામા-ભાણેજની જોડી જરૂરિયાતમંદ લોકોને 3% થી લઈને 10% જેવા અસહ્ય વ્યાજદરે નાણાં આપતા હતા. નાણાં આપતી વખતે તેઓ સુરક્ષાના નામે કોરા અથવા સહી કરેલા ચેક લખાવી લેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 375 જેટલા ચેક જપ્ત કર્યા છે. આ ચેકનો ઉપયોગ કરીને તેઓ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ધમકાવતા અને માનસિક ત્રાસ આપતા હતા.</p><p></p><h3><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/rajkot-sog-caught-two-accused-with-ganja-2026-3440110272"><strong>રાજકોટ SOGનું નશા વિરોધી મોટું ઓપરેશન: 2.193 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા, રિક્ષા સહિત લાખોનો મુદ્દામાલ કબજે</strong></a></h3><p></p><h2><strong>SP વિજયસિંહ ગુર્જર અને ટીમનું મેગા ઓપરેશન</strong></h2><p>જિલ્લા SP વિજયસિંહ ગુર્જર અને DYSP કે.જી. ઝાલા સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ઓપરેશનને અંજામ આપ્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 100થી વધુ એવા પરિવારજનોને શોધી કાઢ્યા જેઓ ડરના માર્યા ફરિયાદ કરવા તૈયાર નહોતા. પોલીસે આ પરિવારોને વિશ્વાસમાં લઈ વ્યાજખોરો પાસે જમા કરાવેલા તેમના ચેક અને મિલકતના કાગળો પરત અપાવ્યા છે.</p><p></p><h3><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/rajkot-acb-bribery-case-traffic-police-sentence-2380873363"><strong>લીધા રૂ.50 'ને મળી 10 વર્ષની જેલ!: રાજકોટમાં પોલીસકર્મીને લાંચ લેવી ભારે પડી</strong></a></h3><p></p><h2><strong>વ્યાજખોરો માટે પોલીસની કડક ચેતવણી</strong></h2><h2>આ સફળ ઓપરેશન બાદ રાજકોટ જિલ્લા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં કોઈપણ વ્યાજખોરને છોડવામાં આવશે નહીં. SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, "જો કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બની રહી હોય, તો તેમણે ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવો જોઈએ." આ કિસ્સામાં ભાજપના હોદ્દેદારની સંડોવણી હોવા છતાં પોલીસે નિષ્પક્ષ રહીને જે રીતે કડક કાર્યવાહી કરી છે, તેનાથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે.</h2>
                ]]></content:encoded>
                <pubDate>Thu, 07 May 2026 07:00:06 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/07/Rajkot-Police-Money-Lender_a5c8ad47-5af8-42a6-a6b4-935644988ac1.jpg" medium="image" type="image/jpg" />
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/07/vlcsnap-2026-05-07-12h27m20s800_af34eaa1-3d45-4cf3-8d9b-6d37311fd2f6.png" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ગુજરાતમાં માવઠા બાદ હવે આકરો ઉનાળો શરૂ: રાજકોટ સૌથી ગરમ શહેર; 7 શહેરોમાં પારો 40°C પાર]]></title>
                <link>https://offbeatstories.in/news/gujarat-heatwave-rajkot-highest-temperature-may-2026-910735959</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gujarat-heatwave-rajkot-highest-temperature-may-2026-910735959</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gujarat-heatwave-rajkot-highest-temperature-may-2026-910735959" />
                <description><![CDATA[ગુજરાતમાં માવઠા બાદ ગરમીનો પ્રકોપ વધ્યો. રાજકોટમાં 42.9°C તાપમાન નોંધાયું, 7 શહેરોમાં પારો 40°C પાર.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/07/gujarat-weather_1f1d2c9f-3b73-4d6b-9c00-f4d84498c7e7.jpg" alt="ગુજરાતમાં છેલ્લા 24 કલાકનું વાતાવરણ" />
                  </div>
                  <p>ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સર્જાયેલા માવઠા અને કમોસમી વરસાદ બાદ હવે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બાદ તાપમાન ફરી ઝડપથી વધવા લાગ્યું છે અને રાજ્યમાં આકરા ઉનાળાની અસર સ્પષ્ટ દેખાવા લાગી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો છે, જેના કારણે લોકો ફરી ગરમી અને બફારાથી પરેશાન બન્યા છે.<br></p><p>ગઈકાલે ભાવનગર, ગીર સોમનાથ, મહિસાગર, હિંમતનગર અને ભરૂચ સહિતના જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. કેટલાક સ્થળોએ ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. વરસાદ બાદ વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી, પરંતુ ભેજનું પ્રમાણ વધી જતા લોકો બફારાની અસહ્ય સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે ભેજનું સંયોજન લોકો માટે અકળામણભર્યું બન્યું છે.<br></p><h2><strong>રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર</strong></h2><h2>હવામાન વિભાગના છેલ્લા 24 કલાકના આંકડા મુજબ, રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. તેની સાથે અમરેલી, સુરેન્દ્રનગર અને વડોદરા સહિતના શહેરોમાં પણ ગરમીનું જોર વધુ જોવા મળ્યું છે. ઉત્તર અને મધ્ય <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat">ગુજરાત</a>ના અનેક વિસ્તારોમાં બપોર દરમિયાન તડકો તીવ્ર બનતાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.<br></h2><h2><strong>હવે રાજ્યમાં હવામાન સૂકું રહેશે</strong></h2><p>હવામાન વિભાગે આગામી દિવસો માટે રાજ્યમાં મુખ્યત્વે સૂકા વાતાવરણની આગાહી વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્ય પર અસર કરતા વરસાદી વાદળો હવે વિખેરાઈ ગયા છે અને આગામી 12 મે સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ-દમણ વિસ્તારમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. અગાઉ કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા અને તેજ પવનની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે પવનની ગતિ સામાન્ય થઈ રહી છે.<br></p><p>હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે. ખાસ કરીને આંતરિક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ પહોંચવાની સંભાવના છે. તેના કારણે બપોરના સમયમાં ગરમીની અસર વધુ ગંભીર બની શકે છે.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/gujarat-weather-update-rain-forecast-may-2026-1693781512"><strong>બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ!: હવામાન વિભાગે કરી આગામી 24 કલાકની આગાહી, તમારા શહેરમાં કેવું રહેશે વાતાવરણ?</strong></a></p><h2><strong>દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાની અસર વધુ</strong></h2><p>સુરત, વેરાવળ, દમણ અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ભલે 40 ડિગ્રીથી નીચે રહેતું હોય, છતાં હવામાં રહેલા ભેજને કારણે લોકો અસહ્ય બફારો અનુભવી રહ્યા છે. ભેજનું પ્રમાણ વધતા શરીરમાંથી પરસેવો વધુ નીકળે છે અને થાક તેમજ અકળામણની સ્થિતિ સર્જાઈ રહી છે.<br></p><h2><strong>ખેડૂતો માટે ખાસ ચેતવણી</strong></h2><p>હવામાન વિભાગે ખેડૂતોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ છૂટાછવાયા વરસાદની સંભાવના યથાવત હોવાને કારણે કેરીના ઉતારા અને ઉનાળુ પાકની લણણી દરમિયાન ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને ખુલ્લામાં રાખવામાં આવેલા કૃષિ ઉત્પાદનને વરસાદ અને ભેજથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે.<br></p><p>રાજ્યના કૃષિ વિસ્તારોમાં માવઠાના કારણે કેરી સહિતના બાગાયતી પાકોને કેટલીક જગ્યાએ અસર પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. ખેડૂતો હવે હવામાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે જેથી પાકને નુકસાનથી બચાવી શકાય.</p>
                ]]></content:encoded>
                <pubDate>Thu, 07 May 2026 04:45:12 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/07/gujarat-weather_1f1d2c9f-3b73-4d6b-9c00-f4d84498c7e7.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ SOGનું નશા વિરોધી મોટું ઓપરેશન: 2.193 કિલો ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા, રિક્ષા સહિત લાખોનો મુદ્દામાલ કબજે]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-sog-caught-two-accused-with-ganja-2026-3440110272</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-sog-caught-two-accused-with-ganja-2026-3440110272</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-sog-caught-two-accused-with-ganja-2026-3440110272" />
                <description><![CDATA[રાજકોટ SOG નાર્કોટિક્સ સેલે 2.193 કિલો ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે રિક્ષા સહિત રૂ. 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/06/Rajkot-SOG_f586ea2f-3949-4379-97b2-91031b780892.jpg" alt="Rajkot News" />
                  </div>
                  <p><strong>Rajkot News:</strong> રાજકોટ શહેરમાં યુવાનોને નશાના રવાડેથી દૂર રાખવા માટે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ જ અભિયાન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની નાર્કોટિક્સ સેલે મોટી કાર્યવાહી કરીને 2.193 કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, રોકડ રકમ અને CNG રિક્ષા સહિત કુલ રૂ. 3.20 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.</p><p></p><p>રાજકોટ શહેર પોલીસ દ્વારા “Say No To Drugs” મિશન હેઠળ નશીલા પદાર્થોના વેચાણ અને સપ્લાય સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ SOG નાર્કોટિક્સ સેલે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ તા. 5 મે 2026ના રોજ SOG શાખાના અધિકારીઓને બાતમી મળી હતી કે કુવાડવા-વાંકાનેર રોડ ઉપર સણોસરા ગામ જવાના રસ્તા પાસે આવેલા સૂર્યરામપરા ગામના બસ સ્ટેન્ડ નજીક કેટલાક શખ્સો ગાંજાનો જથ્થો લઈને ઉભા છે. બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક રેડ ગોઠવી હતી.</p><p></p><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/vadodara-ankodiya-love-murder-case-divya-parmar-1790361786">'તું મારી નહીં તો કોઈની નહીં', માત્ર એક શંકાએ લીધો યુવતીનો જીવ : પ્રેમીને શંકા હતી કે યુવતી છોડી દેશે એટલે યુવતીને દુનિયા છોડાવી દીધી</a></p><p></p><p><strong>બસ સ્ટેન્ડ પાસે કેબીન નજીકથી ઝડપાયા આરોપીઓ</strong></p><p>પોલીસે જાહેર માર્ગ પરથી બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસે રહેલા થેલામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંનેની પૂછપરછ કરતાં તેમની ઓળખ શરદ ઉર્ફે શિવો દિલીપભાઈ ભરખડા (ઉંમર 30) અને સોયબ ઇમ્તિયાઝભાઈ ચૌહાણ (ઉંમર 29) તરીકે થઈ હતી. બંને રાજકોટ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. શરદ ભરખડા મજૂરી કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જ્યારે સોયબ ચૌહાણ રિક્ષા ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.</p><p></p><h2><strong>કબજે કરાયેલ મુદ્દામાલની વિગત</strong></h2><p>SOG ટીમે આરોપીઓ પાસેથી કુલ રૂ. 3,20,030નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં મુખ્યત્વે 2.193 કિલોગ્રામ ગાંજાનો જથ્થો સામેલ છે, જેની કિંમત રૂ. 1,09,650 આંકવામાં આવી છે. આ ઉપરાંત બે ટચ સ્ક્રીન મોબાઇલ ફોન, રૂ. 380 રોકડા, CNG રિક્ષા, ટ્રેન ટિકિટ અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે જપ્ત કરેલી CNG રિક્ષાની કિંમત અંદાજે રૂ. 2 લાખ હોવાનું જણાવાયું છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આરોપીઓ આ રિક્ષાનો ઉપયોગ નશીલા પદાર્થોની હેરાફેરી માટે કરતા હતા કે નહીં.</p><p></p><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-weather-update-rain-forecast-may-2026-1693781512">બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ! : હવામાન વિભાગે કરી આગામી 24 કલાકની આગાહી, તમારા શહેરમાં કેવું રહેશે વાતાવરણ?</a></p><p></p><h2><strong>રાજકોટમાં નશા વિરોધી અભિયાન વધુ તેજ</strong></h2><p>છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટ શહેર પોલીસ નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે વધુ આક્રમક બની છે. ખાસ કરીને યુવાનોને ટાર્ગેટ કરીને વેચાતા ગાંજા, ચરસ, MD ડ્રગ્સ અને અન્ય નાર્કોટિક્સ સામે SOG અને ક્રાઇમ બ્રાંચ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ “Say No To Drugs” અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોને નશાની લતથી બચાવવાનો છે. શહેરમાં શૈક્ષણિક વિસ્તારો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને જાહેર સ્થળો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે રાજકોટ પોલીસ નશાના નેટવર્ક સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. શહેરમાં નાના સ્તરેથી લઈને મોટા સપ્લાય ચેઇન સુધીની કડીઓ શોધવા માટે સતત ઇન્ટેલિજન્સ નેટવર્ક સક્રિય રાખવામાં આવી રહ્યું છે.</p><p></p><h2><strong>કયા અધિકારીઓએ કરી કાર્યવાહી?</strong></h2><p>આ સમગ્ર ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ગગલવા અને PSI વી.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. ટીમમાં ASI ઇન્દ્રમસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, અરૂણભાઈ બાંભણિયા સહિતના પોલીસકર્મીઓ સામેલ રહ્યા હતા. પ્રાથમિક પરીક્ષણ FSL અધિકારી કે.એમ. તાવીયાએ કર્યું હતું અને મળેલો જથ્થો ગાંજો હોવાનું નિશ્ચિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Wed, 06 May 2026 13:17:22 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/06/Rajkot-SOG_f586ea2f-3949-4379-97b2-91031b780892.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[લીધા રૂ.50 'ને મળી 10 વર્ષની જેલ!: રાજકોટમાં પોલીસકર્મીને લાંચ લેવી ભારે પડી]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-acb-bribery-case-traffic-police-sentence-2380873363</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-acb-bribery-case-traffic-police-sentence-2380873363</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-acb-bribery-case-traffic-police-sentence-2380873363" />
                <description><![CDATA[રાજકોટ ACB લાંચ કેસમાં ટ્રાફિક હેડ કોન્સ્ટેબલને 10 વર્ષની કેદ અને ખાનગી વ્યક્તિને 7 વર્ષની સજા ફટકારાઈ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/06/rajkot_e63825e4-9348-4a3e-a3ce-387f62fea876.jpg" alt="લાંચ બાદ પોલીસકર્મીને જેલ દર્શાવતા દ્રશ્યો" />
                  </div>
                  <p>રાજકોટ શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ બિપીનભાઈ લવજીભાઈ મકવાણા અને તેમના વતી કથિત રીતે ઉઘરાણું ચલાવતા ખાનગી વ્યક્તિ દિપકભાઈ કાન્તિભાઈ પરમારને લાંચ કેસમાં સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે પોલીસ કર્મચારી બિપીનભાઈ મકવાણાને 10 વર્ષની સખત કેદ અને રૂ.3 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે મદદગારી કરનાર દિપકભાઈ પરમારને 7 વર્ષની સખત કેદ તથા રૂ.2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.<br></p><p>આ કેસ વર્ષ 2018 માં રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગોઠવાયેલા ડિકોય ટ્રેપ બાદ પ્રકાશમાં આવ્યો હતો. તે સમયે રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોટલ ક્રિષ્ના પાર્કથી કુવાડવા પોલીસ ચોકી સુધીના માર્ગ પર ટ્રાફિક ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ઉઘરાણું થતું હોવાની ફરિયાદોના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.<br></p><p><strong>રૂ.50 ની લાંચ માટે ગોઠવાયું હતું ડિકોય ટ્રેપ</strong></p><p>એસીબી દ્વારા ગોઠવાયેલા ડિકોય ઓપરેશન દરમિયાન ડિકોયરની માલવાહક રિક્ષાને ખાનગી વ્યક્તિ દિપકભાઈ પરમારે અટકાવી હતી. આરોપ છે કે તેણે ડિકોયર સાથે વાતચીત કરીને ગેરકાયદેસર રીતે રૂ.50ની લાંચની માંગણી કરી હતી અને બાદમાં તે રકમ સ્વીકારી હતી.<br></p><p>તપાસમાં સામે આવ્યું હતું કે લાંચની રકમ સ્વીકાર્યા બાદ પુરાવા તરીકે ડિકોયરને માર્ચ 2018 માસનું એક કાર્ડ આપવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દ્વારા કથિત રીતે વાહનચાલકો પાસેથી નિયમિત ઉઘરાણું કરવામાં આવતું હતું. એસીબીની ટીમે દિપકભાઈને રંગેહાથ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.</p><p><br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/rajkot-child-marriage-122-cases-marriage-certificate-rejected-7774997827"><strong>રાજકોટ મનપા આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો: મેરેજ સર્ટિફિકેટ મેળવા કરેલી અરજીમાં ભાંડો ફૂટ્યો</strong></a></p><p></p><h2><strong>તપાસમાં બહાર આવ્યું ઉઘરાણું નેટવર્ક</strong></h2><p>એસીબીની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપી દિપકભાઈ પાસેથી અન્ય 16 કાર્ડ મળી આવ્યા હતા. ઉપરાંત, પોલીસ હેડ કોન્સ્ટેબલ બિપીનભાઈ મકવાણાની સરકારી જીપની પાછળની સીટ નીચેથી કુલ 569 કાર્ડ મળી આવ્યા હતા.<br></p><p>તપાસ એજન્સીના મતે, આ કાર્ડો ગેરકાયદેસર ઉઘરાણું માટે ઉપયોગમાં લેવાતા હતા અને તે સમગ્ર નેટવર્કનું મહત્વપૂર્ણ પુરાવું બન્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે બિપીનભાઈ મકવાણાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિ મારફતે વાહનચાલકો પાસેથી લાંચ ઉઘરાવવાની વ્યવસ્થા ઊભી કરી હતી.<br></p><p>આ મામલે રાજકોટ શહેર ACB પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વિવિધ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.</p><p><br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/rajula-ningala-love-affair-murder-kidnap-case-7-accused-arrested-6959637955"><strong>અમરેલીમાં પ્રેમપ્રકરણથી રક્તરંજિત ઘટના: યુવકના અપહરણ વચ્ચે માતાને કાર નીચે કચડી હત્યા, 7 આરોપી ઝડપાયા</strong></a></p><p></p><h2><strong>કોર્ટે પુરાવાના આધારે કડક સજા ફટકારી</strong></h2><p>કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ડિકોય ટ્રેપની કાર્યવાહી, જપ્ત કરાયેલા કાર્ડ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.<br></p><p>સેશન્સ કોર્ટે પોલીસ કર્મચારી બિપીનભાઈ મકવાણાને 10 વર્ષની સખત કેદ અને રૂ.3 લાખના દંડની સજા ફટકારી છે. જ્યારે મદદગારી કરનાર દિપકભાઈ પરમારને 7 વર્ષની સખત કેદ અને રૂ.2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.<br></p><p>કાનૂની નિષ્ણાતોના મતે, ભ્રષ્ટાચારના કેસોમાં આ પ્રકારની કડક સજા સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવે છે. ખાસ કરીને કાયદાનું પાલન કરાવતી એજન્સીઓમાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીથી જનવિશ્વાસ જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.<br></p><h2><strong>ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી પર ફરી ધ્યાન</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat">ગુજરાત</a>માં છેલ્લા કેટલાક વર્ષોમાં ACB દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં લાંચના કેસોમાં ટ્રેપ અને કાર્યવાહી વધારવામાં આવી છે. ટ્રાફિક, આવક, નગરપાલિકા અને જમીન સંબંધિત વિભાગોમાં ભ્રષ્ટાચારના આરોપો સામે નિયમિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.<br></p><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>ના આ કેસમાં નાની રકમથી શરૂ થયેલી તપાસે મોટા ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. તપાસ એજન્સીઓ માને છે કે આવા કેસોમાં સતત દેખરેખ અને ડિકોય ઓપરેશન દ્વારા ભ્રષ્ટાચાર સામે અસરકારક નિયંત્રણ લાવી શકાય છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Wed, 06 May 2026 07:26:23 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/06/rajkot_e63825e4-9348-4a3e-a3ce-387f62fea876.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[અમરેલીમાં પ્રેમપ્રકરણથી રક્તરંજિત ઘટના: યુવકના અપહરણ વચ્ચે માતાને કાર નીચે કચડી હત્યા, 7 આરોપી ઝડપાયા]]></title>
                <link>https://offbeatstories.in/news/rajula-ningala-love-affair-murder-kidnap-case-7-accused-arrested-6959637955</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajula-ningala-love-affair-murder-kidnap-case-7-accused-arrested-6959637955</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajula-ningala-love-affair-murder-kidnap-case-7-accused-arrested-6959637955" />
                <description><![CDATA[અમરેલીના રાજુલા નીંગળા ગામમાં પ્રેમપ્રકરણને લઈને યુવકની માતાની કાર નીચે કચડી હત્યા કરાઈ હતી. પીપાવાવ પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડ્યા.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/05/Amreli-News-_31f2a809-2922-4397-a7ac-6a67ec1fab49.jpg" alt="Amreli Love Affair Turns Deadly" />
                  </div>
                  <h2><strong>Amreli News: </strong>રાજુલા તાલુકાના નીંગળા ગામમાં થોડા દિવસો પહેલા પ્રેમ પ્રકરણના મનદુઃખમાં એક મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં પીપવાવ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ મહિલાઓ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે.</h2><p></p><h2><strong>શું હતી સમગ્ર ઘટના?</strong></h2><p>નીંગળા ગામના ભાવેશ ભીલ નામના યુવકને ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધ યુવતીના પરિવારજનોને મંજૂર નહોતો. આ મનદુઃખ રાખીને યુવતીના પરિવારના સભ્યોએ ભાવેશનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ગત દિવસોમાં જ્યારે આરોપીઓ ભાવેશનું અપહરણ કરી તેને કારમાં બેસાડીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે ભાવેશને બચાવવા માટે તેની 50 વર્ષીય માતા જીતુબેન ભીલ વચ્ચે પડ્યા હતા. પુત્રને બચાવવાના પ્રયાસમાં માતા કારની આડે આવતા, ક્રૂર અપહરણકારોએ તેમના પર ફોરવીલ કાર ચડાવી દીધી હતી.</p><p></p><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/himmatnagar-accident-saasu-vahu-emotional-death-story-6158447401">હિંમતનગર અકસ્માત પછી વધુ એક દુઃખદ ઘટના : પુત્રવધુના મોતનો આઘાત સહન ન કરી શકતા સાસુનું પણ નિધન</a></p><p></p><h2><strong>નિર્દોષ માતાનું મોત</strong></h2><p>કાર નીચે કચડાવાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જીતુબેનનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રેમ પ્રકરણમાં પુત્રને બચાવવા જતાં એક નિર્દોષ માતાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.</p><p></p><h2><strong>પોલીસની કાર્યવાહી</strong></h2><p>આ મામલે પીપવાવ પોલીસ મથકમાં કુલ 9 શખ્સો સામે અપહરણ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ૩ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. </p><p></p><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gandhinagar-sant-sarovar-sabarmati-river-drowning-incident-5287480684">ગાંધીનગરના સંત સરોવર પાસે સાબરમતી નદીમાં મોટી દુર્ઘટના : 4 યુવકો ડૂબ્યા, એકનું મોત, એકની શોધખોળ ચાલુ</a></p><p></p><p>અપહરણ અને હત્યા (કલમ ૩૦૨ મુજબ)નો ગુનો નોંધાયો છે. જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રેમ પ્રકરણમાં થયેલી આ ઘાતકી હત્યાને પગલે સમગ્ર અમરેલી જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં પોલીસ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 05 May 2026 13:16:00 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/05/Amreli-News-_31f2a809-2922-4397-a7ac-6a67ec1fab49.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ મનપા આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો: મેરેજ સર્ટિફિકેટ મેળવા કરેલી અરજીમાં ભાંડો ફૂટ્યો]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-child-marriage-122-cases-marriage-certificate-rejected-7774997827</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-child-marriage-122-cases-marriage-certificate-rejected-7774997827</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-child-marriage-122-cases-marriage-certificate-rejected-7774997827" />
                <description><![CDATA[રાજકોટમાં 2025થી 122 બાળલગ્નના કેસ સામે આવ્યા. મનપાએ તમામ મેરેજ સર્ટિફિકેટ અરજીઓ નામંજૂર કરી.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/05/RMC_1a1c54dd-bfc5-4d0f-8f33-5a4e0a2dd2ba.jpg" alt="RMC" />
                  </div>
                  <p>રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં શહેરમાં બાળલગ્નના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. લગ્ન નોંધણી માટે કરાયેલી ઑનલાઇન અરજીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે 2025 થી અત્યાર સુધી કુલ 122 અરજીઓ એવી હતી, જેમાં લગ્ન સમયે વર અને કન્યાની ઉંમર કાયદેસર મર્યાદાથી ઓછી હતી. આ તમામ અરજીઓને રાજકોટ મહાનગરપાલિકાએ નામંજૂર કરી દીધી છે.<br></p><p>આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મોટી સંખ્યામાં લોકો લગ્ન સર્ટિફિકેટ મેળવવા માટે ઑનલાઇન અરજી કરવા લાગ્યા. અરજીની પ્રક્રિયા દરમિયાન ઉંમર સંબંધિત વિગતો ચકાસતા આરોગ્ય વિભાગને આ ગેરરીતિઓનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટનાએ સમાજમાં બાળલગ્ન અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા ઉભી કરી છે.<br></p><h2><strong>10,433 અરજીઓમાં 122 કેસ શંકાસ્પદ</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ માહિતી આપતા જણાવ્યું કે જાન્યુઆરી 2025થી એપ્રિલ 2026 સુધીમાં કુલ 10,433 અરજીઓ લગ્ન નોંધણી માટે પ્રાપ્ત થઈ હતી. જેમાંથી 122 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે, જ્યારે બાકીની અરજીઓ નિયમ મુજબ સ્વીકારવામાં આવી છે.<br></p><p>તેમના જણાવ્યા મુજબ, રિજેક્ટ થયેલી અરજીઓમાં મુખ્ય કારણ એ હતું કે લગ્ન સમયે વરની ઉંમર 21 વર્ષથી ઓછી અને કન્યાની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. આ કાયદેસર મર્યાદાનો ભંગ થતો હોવાથી મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવી શકતું નથી.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/gujarat-cyber-crime-53-crore-fraud-10-accused-arrested-6304183701"><strong>ગુજરાતમાં 53 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ: આંતરરાજ્ય રેકેટના 10 આરોપી ઝડપાયા</strong></a></p><h2><strong>વર્ષો જૂના લગ્ન હવે આવ્યા સામે</strong></h2><p>આ કેસોમાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે મોટાભાગના લગ્ન ઘણા વર્ષો પહેલાં થયા હતા, પરંતુ લોકો હવે વિવિધ જરૂરિયાતોને કારણે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી રહ્યા છે. અરજી વખતે જ તેમને ખબર પડી રહી છે કે તેમના લગ્ન કાયદેસર ઉંમર મર્યાદા મુજબ નહોતા.<br></p><p>આ પરિસ્થિતિમાં <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>મનપા પાસે કાયદેસર રીતે આ અરજીઓ સ્વીકારવાનો વિકલ્પ નથી, જેના કારણે તમામ 122 અરજીઓને નામંજૂર કરવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે બાળલગ્નના ઘણા કિસ્સાઓ સમય બાદ પણ બહાર આવી રહ્યા છે.<br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/gseb-ssc-result-2026-gujarat-board-result-date-1392017379"><strong>GSEB ધોરણ 10નું પરિણામ કાલે સવારે 8 વાગ્યે જાહેર થશે: Whatsapp દ્વારા પણ જોઈ શકાશે રિઝલ્ટ, જાણો કેવી રીતે</strong></a></p><h2><strong>સમાજ કલ્યાણ તંત્ર સામે પ્રશ્નચિહ્ન</strong></h2><p>આ ખુલાસા બાદ સમાજ કલ્યાણ વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. જો આ લગ્ન સમયસર નોંધાયા હોત, તો આ પ્રકારની ગેરરીતિઓને વહેલી તકે રોકી શકાય તેમ હતું. નિષ્ણાતોના મતે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જાગૃતિનો અભાવ પણ આ સમસ્યાનું એક મુખ્ય કારણ છે.<br></p><p>બાળલગ્ન પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ સામે આવવી એ ચિંતાજનક છે. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સુરક્ષાને અસર કરતી આ સમસ્યા માટે સંકલિત પ્રયાસોની જરૂરિયાત છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 05 May 2026 10:43:03 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/05/RMC_1a1c54dd-bfc5-4d0f-8f33-5a4e0a2dd2ba.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ ACB કેસમાં ચુકાદો: પૂર્વ PI ચંદુલાલ ગોસાઈને 2 વર્ષની કેદ, જાણો સમગ્ર મામલો]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-acb-case-pi-chandulal-gosai-sentence-5920717573</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-acb-case-pi-chandulal-gosai-sentence-5920717573</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-acb-case-pi-chandulal-gosai-sentence-5920717573" />
                <description><![CDATA[2009 ના સરપંચ હત્યા કેસમાં લાંચ લેતા ઝડપાયેલા પૂર્વ PI ચંદુલાલ ગોસાઈને 2 વર્ષની સજા અને દંડ ફટકારાયો.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/05/rajkot-court_60473e03-50e3-4d02-bac4-c70ab4f0cc14.jpg" alt="રાજકોટ કોર્ટ" />
                  </div>
                  <p>રાજકોટમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ના મહત્વપૂર્ણ કેસમાં ખાસ અદાલતે પૂર્વ પોલીસ અધિકારીને દોષિત ઠરાવી સજા સંભળાવી છે. વર્ષ 2010 દરમિયાન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા ચંદુલાલ પુજગર ગોસાઈ (ઉંમર 72)ને 2009 ના સરપંચ હત્યા કેસમાં લાંચ લેવાના ગુનામાં દોષિત ઠરાવવામાં આવ્યા છે. ખાસ અદાલતના જજ વી.એ. રાણા દ્વારા તેમને બે વર્ષની સખ્ત કેદ અને રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.<br></p><p>આ કેસનું મૂળ 18 નવેમ્બર 2009ના રોજ મોટા મવા ગામના સરપંચ મયુર તળશીભાઈ શિંગાળાની હત્યા સાથે જોડાયેલું છે. તપાસ દરમિયાન રમેશભાઈ રાણાભાઈ મકવાણાનું નામ સામે આવતાં, તે સમયે પીઆઈ રહેલા ગોસાઈએ તેમનું નામ કેસમાંથી ન ખોલાવવા માટે લાંચની માંગણી કરી હતી, એવી ફરિયાદ કરવામાં આવી હતી.<br></p><h2><strong>15 લાખની માંગણી, 3.50 લાખમાં ‘સેટલમેન્ટ’</strong></h2><p>ફરીયાદ મુજબ, પીઆઈ ગોસાઈએ શરૂઆતમાં રૂ.15 લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં વાતચીત દરમિયાન આ રકમ રૂ.3.50 લાખમાં નક્કી કરવામાં આવી હતી. આમાં પ્રથમ હપ્તા તરીકે રૂ.2 લાખ ફરીયાદીએ આપ્યા હતા, જ્યારે બાકી રહેલા રૂ.1.50 લાખ રાત્રી દરમિયાન પોલીસ સ્ટેશનમાં આપવા સૂચના આપવામાં આવી હતી.<br></p><p>ફરીયાદીએ આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપના દિવસે ફરીયાદીએ બાકી રહેલી રકમ પીઆઈ ગોસાઈને તેમના ચેમ્બરમાં આપી હતી. આરોપીએ આ રકમ પોતાના હાથે સ્વીકારીને ટેબલ પર રાખી દીધી હતી, જે બાદ ટ્રેપિંગ ટીમે દરોડો પાડી રૂપિયા કબ્જે કર્યા હતા.<br></p><h2><strong>ફીનોપથેલીન ટેસ્ટમાં પુરાવા મજબૂત</strong></h2><p>ટ્રેપ દરમિયાન એસીબીની ટીમે ફીનોપથેલીન પાવડરનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા. તપાસમાં આરોપીના હાથ પર આ પાવડરની હાજરી મળી આવી હતી, જે લાંચ સ્વીકારવાના પુરાવા તરીકે મહત્વપૂર્ણ ગણાય છે. આ ઉપરાંત, ટ્રેપના દિવસે આરોપીના નિવાસસ્થાને તપાસ કરતાં રૂ.3.31 લાખ રોકડ પણ મળી આવ્યા હતા.<br></p><p>આ તમામ પુરાવાઓના આધારે એસીબીએ ચાર્જશીટ દાખલ કરી હતી અને કેસ અદાલતમાં ચાલી રહ્યો હતો. કેસ દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે ફરીયાદીએ આરોપીને ફસાવવા માટે ટેબલ પર નોટો મૂકી દીધા હતા અને આરોપી તે પરત આપવા પાછળ ગયા હતા. જોકે અદાલતે આ દલીલ સ્વીકારી નહોતી.</p><p><br><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/rajkot-saradhar-minor-girl-molestation-attempt-case-7499000397"><strong>રાજકોટમાં 10 વર્ષની બાળકી સાથે 60 વર્ષીય વૃદ્ધની અશ્લીલ હરકતો!: રૂ.10ની લાલચ આપી વાડામાં લઈ ગયો વૃદ્ધ</strong></a></p><p></p><h2><strong>અદાલતમાં સરકાર પક્ષની દલીલ</strong></h2><p>સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ દલીલ કરી હતી કે કોઈપણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને પીઆઈને ખોટા લાંચ કેસમાં ફસાવે તે વ્યવહારિક રીતે શક્ય નથી. ટ્રેપની સમગ્ર પ્રક્રિયા પંચોની હાજરીમાં કરવામાં આવી હતી અને તેમાં આરોપીએ સ્વયં લાંચની રકમ સ્વીકારી હોવાનું સ્પષ્ટ થાય છે.<br></p><p>તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો આરોપી નિર્દોષ હોય તો તેણે પોતાના ઉપરના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવી જોઈએ હતી, જે આ કેસમાં કરવામાં આવી નથી. આ ઉપરાંત, વૈજ્ઞાનિક પુરાવાઓ પણ આરોપી વિરુદ્ધ મજબૂત રીતે ઉભા રહે છે.<br></p><h3><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/gseb-12th-result-rajkot-celebration-280791144"><strong>રાજકોટમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો ઉત્સાહ છલકાયો: સાયન્સમાં 93.36% અને સામાન્ય પ્રવાહમાં 93.69% પરિણામ; સ્કૂલોમાં ગરબા સાથે ઉજવણી</strong></a></h3><p></p><h2><strong>ચુકાદો અને તેની અસર</strong></h2><p>આ તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને ખાસ અદાલતે ચંદુલાલ ગોસાઈને દોષિત ઠરાવ્યા હતા. તેમની ઉંમર 72 વર્ષ હોવાને કારણે અદાલતે સજામાં સંયમ દાખવી બે વર્ષની સખ્ત કેદ અને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે.<br></p><p>આ ચુકાદો ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી માટે મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે કાયદા અમલ કરનાર અધિકારીઓ પણ જો ગેરરીતિમાં સંડોવાયેલા હોય તો કાયદાની પકડથી બચી શકતા નથી. રાજ્યમાં ACB દ્વારા ચાલતા અભિયાન માટે આ કેસ એક નમૂનાત્મક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 05 May 2026 07:29:55 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/05/rajkot-court_60473e03-50e3-4d02-bac4-c70ab4f0cc14.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો ઉત્સાહ છલકાયો: સાયન્સમાં 93.36% અને સામાન્ય પ્રવાહમાં 93.69% પરિણામ; સ્કૂલોમાં ગરબા સાથે ઉજવણી]]></title>
                <link>https://offbeatstories.in/news/gseb-12th-result-rajkot-celebration-280791144</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gseb-12th-result-rajkot-celebration-280791144</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gseb-12th-result-rajkot-celebration-280791144" />
                <description><![CDATA[ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ જાહેર, રાજકોટમાં વિદ્યાર્થીઓએ ગરબા રમી ઉજવણી કરી, સાયન્સ 93.36% પરિણામ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/04/rajkot-students_34ed4ab6-f6d8-4d62-8641-88e97168ffee.jpg" alt="ઉજવણી કરતાં વિદ્યાર્થીઓ" />
                  </div>
                  <p>ગુજરાતમાં ધોરણ 12 બોર્ડનું પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા જાહેર કરાયેલા આ પરિણામમાં સાયન્સ પ્રવાહમાં 93.36 ટકા અને સામાન્ય પ્રવાહમાં 93.69 ટકા જેટલું નોંધપાત્ર પરિણામ આવ્યું છે. રાજ્યભરમાં વિદ્યાર્થીઓના પરિશ્રમને સફળતા મળતાં અનેક સ્થળોએ ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.<br></p><p>ખાસ કરીને રાજકોટ શહેરમાં પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ પોતાના પરિણામ જાણ્યા બાદ ખુશી વ્યક્ત કરી અને મિત્રો સાથે ઉજવણી કરી. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત રીતે ગરબા રમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી, જે દ્રશ્યો સૌના ધ્યાન આકર્ષિત કરતા હતા.<br></p><h2><strong>રાજકોટમાં ઉજવણીનો માહોલ</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>ની અનેક શાળાઓમાં પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓ ઝૂમી ઊઠ્યા હતા. પરિણામના દિવસે જ વિદ્યાર્થીઓએ સ્કૂલ પરિસરમાં સંગીતના તાલે ગરબા રમ્યા હતા. સફળતાનો આનંદ મિત્રો અને શિક્ષકો સાથે વહેંચતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી.<br><img><img src="https://assests.offbeatstories.in/image/2026/05/04/rajkot-students-1_bafc882b-c8eb-40ac-9c1f-5c3e6b4bbac8.jpg"><strong>પરિણામના આંકડા અને મહત્વ</strong></p><p>આ વર્ષે જાહેર થયેલા પરિણામના આંકડા પર નજર કરીએ તો સાયન્સ અને સામાન્ય બંને પ્રવાહમાં ઊંચું પરિણામ નોંધાયું છે. સાયન્સમાં 93.36 ટકા પરિણામ દર્શાવે છે કે વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મજબૂત તૈયારી કરી છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 93.69 ટકા પરિણામ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરે છે.<br><img><img src="https://assests.offbeatstories.in/image/2026/05/04/rajkot-students-2_62dcd13c-8e35-4cbc-8ac1-1569c033b26f.jpg"><strong>આગળના પગલાં અને માર્ગદર્શન</strong></p><p>પરિણામ જાહેર થયા બાદ હવે વિદ્યાર્થીઓ માટે આગળનો માર્ગ નક્કી કરવાનો સમય છે. સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ, મેડિકલ, ફાર્મસી જેવા ક્ષેત્રોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, જ્યારે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કોમર્સ, આર્ટ્સ અને અન્ય કોર્સમાં પસંદગીના વિકલ્પો ખુલશે.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/vadodara-girls-12th-result-success-story-0065554513">વડોદરાની દીકરીઓનો કમાલ : મર્યાદિત સાધનો વચ્ચે ધોરણ-12માં મેળવી ઝળહળતી સફળતા</a></p><p></p><h2><strong>સામાજિક અને માનસિક પાસું</strong></h2><p>પરિણામના દિવસે ખુશી સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓ માટે તણાવ અને દબાણ પણ હોય છે. નિષ્ણાતો સૂચવે છે કે દરેક પરિણામને સ્વીકારી આગળ વધવું જરૂરી છે. સફળતા અને નિષ્ફળતા બંને શીખવાની પ્રક્રિયાનો ભાગ છે.<br></p><p>રાજકોટમાં જોવા મળેલી ઉજવણી દર્શાવે છે કે વિદ્યાર્થીઓ હવે પરિણામને માત્ર ગુણાંક તરીકે નહીં પરંતુ જીવનના એક મહત્વપૂર્ણ તબક્કા તરીકે સ્વીકારી રહ્યા છે અને તેની ખુશી ઉજવી રહ્યા છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 04 May 2026 08:20:10 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/04/rajkot-students_34ed4ab6-f6d8-4d62-8641-88e97168ffee.jpg" medium="image" type="image/jpg" />
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/04/rajkot-students-1_bafc882b-c8eb-40ac-9c1f-5c3e6b4bbac8.jpg" medium="image" /><media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/04/rajkot-students-2_62dcd13c-8e35-4cbc-8ac1-1569c033b26f.jpg" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં 10 વર્ષની બાળકી સાથે 60 વર્ષીય વૃદ્ધની અશ્લીલ હરકતો!: રૂ.10ની લાલચ આપી વાડામાં લઈ ગયો વૃદ્ધ]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-saradhar-minor-girl-molestation-attempt-case-7499000397</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-saradhar-minor-girl-molestation-attempt-case-7499000397</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-saradhar-minor-girl-molestation-attempt-case-7499000397" />
                <description><![CDATA[રાજકોટના સરધાર ગામ નજીક 10 વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકતો અને દુષ્કર્મના પ્રયાસના કેસમાં વૃદ્ધ આરોપીની ધરપકડ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/03/rajkot-crime_6f05654a-23a8-4ab6-a21e-7bb592ff2a5b.jpg" alt="રાજકોટ પોલીસે પકડેલા આરોપી દેવભાઈ" />
                  </div>
                  <p>રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા સરધાર ગામ નજીક 10 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ અને અશ્લીલ હરકતોનો ગંભીર બનાવ સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ મુજબ, પડોશમાં રહેતા આશરે 60 વર્ષીય વ્યક્તિએ બાળકીને રૂ.10 ની નોટની લાલચ આપી વાડામાં બોલાવી હતી અને ત્યારબાદ તેની સાથે અયોગ્ય હરકતો કરી હતી. સમગ્ર ઘટનાની જાણ બાળકીએ માતાને કરતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.<br></p><p>આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટના બાદ વિસ્તારમાં રોષ અને ચિંતા બંનેનો માહોલ જોવા મળી રહ્યો છે.<br></p><h2><strong>રૂ.10ની લાલચ આપી બાળકીને વાડામાં લઈ ગયો</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>ACP ભાવેશ જાધવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટના 1 મેના રોજ સરધાર ગામ વિસ્તારમાં બની હતી. આરોપી દેવાભાઈ મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ અનુસાર, આરોપીએ ગરીબ પરિવારમાંથી આવતી 10 વર્ષની બાળકી પાસે જઈ તેને રૂ.10 આપવાની લાલચ આપી હતી.<br></p><p>ત્યારબાદ તે બાળકીને એકાંત સ્થળે આવેલા વાડામાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને છાતીના ભાગે હાથ ફેરવ્યો હતો. પોલીસ મુજબ, આ સમગ્ર કૃત્ય દરમિયાન બાળકી ડરી ગઈ હતી.<br></p><div data-url="https://www.instagram.com/p/DX36ieliL-u/" data-instagram-embed=""></div><h2><strong>બાળકી દ્વારા માતાને થઈ જાણ</strong></h2><p>ઘટના બાદ બાળકી ઘરે પહોંચી હતી અને સમગ્ર વાત માતાને જણાવી હતી. ACP ભાવેશ જાધવે જણાવ્યું કે બાળકી દ્વારા માતાને અને પરિવારને ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ આજીડેમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.<br></p><p>પોલીસે તરત જ ફરિયાદ નોંધી આરોપી સામે BNSની કલમ 75, 276 તેમજ POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. હાલ PSI સ્તરે સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.<br></p><h2><strong>આરોપી દેવાભાઈની ધરપકડ</strong></h2><p>પોલીસે આરોપી દેવાભાઈની ઝડપી કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.<br></p><p>ACP ભાવેશ જાધવે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આરોપીનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી. જોકે, પોલીસ અન્ય કોઈ સમાન ફરિયાદ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પણ તપાસ કરી રહી છે.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-aji-dam-family-drowning-incident-9077776781">રાજકોટનાં આજીડેમમાં એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત : પરિવારના સભ્યો રિક્ષા લઈને ડેમમાં આવ્યા હતા નાહવા</a></p><p></p><h2><strong>POCSO કાયદા હેઠળ કડક કાર્યવાહી</strong></h2><p>POCSO (Protection of Children from Sexual Offences) કાયદો સગીર બાળકો સામેના યૌન ગુનાઓ માટે ખાસ બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ બાળકી સાથે અશ્લીલ હરકતો, લાલચ આપી એકાંતમાં લઈ જવું અથવા યૌન શોષણ કરવાનો પ્રયાસ કરવો ગંભીર ગુનો ગણાય છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sun, 03 May 2026 11:25:02 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/03/rajkot-crime_6f05654a-23a8-4ab6-a21e-7bb592ff2a5b.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટનાં આજીડેમમાં એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત: પરિવારના સભ્યો રિક્ષા લઈને ડેમમાં આવ્યા હતા નાહવા]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-aji-dam-family-drowning-incident-9077776781</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-aji-dam-family-drowning-incident-9077776781</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-aji-dam-family-drowning-incident-9077776781" />
                <description><![CDATA[રાજકોટ આજીડેમ ખાતે એક જ પરિવારના ચાર સભ્યો ડૂબતા મોત. ઉનાળાની ગરમીમાં નાહવા જતા બન્યો કરુણ બનાવ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/02/4-members-of-a-family-drowned_d74df3a7-9505-4048-b07c-5ed307774db5.png" alt="આજીડેમની છબી" />
                  </div>
                  <p>રાજકોટ જિલ્લામાં ફરી એક વખત ડૂબી જવાની કરુણ ઘટના સામે આવી છે. શહેર નજીક આવેલા આજીડેમ ખાતે એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત થતા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના ઉનાળાની તીવ્ર ગરમીથી બચવા માટે ડેમમાં નાહવા ગયેલા પરિવાર સાથે બની હોવાનું સામે આવ્યું છે.</p><p></p><p>આ બનાવ રાજકોટના ધાચીવાડા પાસે આવેલા નવયુગ પારા વિસ્તારમાં રહેતા પરિવાર સાથે બન્યો છે. મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દુઃખનો માહોલ સર્જ્યો છે. પરિવારના સભ્યો ગરમીથી રાહત મેળવવા માટે રિક્ષામાં આજીડેમ ખાતે ગયા હતા, પરંતુ ત્યાં નાહવા જતા જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની ગઈ.</p><p></p><h2><strong>ગરમીથી રાહત લેવા જતા બની દુર્ઘટના</strong></h2><p>ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો સામાન્ય રીતે તળાવો, ડેમ કે નદી તરફ વળે છે. આવું જ આ પરિવાર સાથે બન્યું હતું. તેઓ ડેમના પાણીમાં નાહવા ઉતર્યા, પરંતુ પાણીની ઊંડાઈ અને પ્રવાહ અંગે અજાણ હોવાને કારણે એક પછી એક સભ્યો ડૂબવા લાગ્યા.</p><div data-url="https://www.instagram.com/p/DX1rOjelNEN/" data-instagram-embed=""></div><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://www.facebook.com/reel/1969188983746264">https://www.facebook.com/reel/1969188983746264</a></p><p></p><p>સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, એક સભ્યને બચાવવા માટે બીજા સભ્યો પાણીમાં ઊતર્યા, જેના કારણે આખો પરિવાર જ પાણીમાં સપડાઈ ગયો. બચાવ માટે પ્રયત્નો થયા હોવા છતાં ચારેયને બચાવી શકાયા નહીં. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/surat-vibrant-gujarat-regional-conference-mou-2026-7608247847">સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું થયું સમાપન : રૂ.3.53 લાખ કરોડના 2792 MoU થયાં</a></p><p></p><h2><strong>તંત્રની કાર્યવાહી અને તપાસ</strong></h2><p>ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. લાંબા સમય સુધી શોધખોળ બાદ ચારેયના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ સમગ્ર બનાવ અંગે નોંધ લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તારણ મુજબ આ દુર્ઘટના અકસ્માતજન્ય હોવાનું લાગી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/ahmedabad-monkey-census-198-hotspots-urban-wildlife-5395459508">અમદાવાદીઓ સાવધાન! હવે વાંદરાઓને ખવડાવ્યું તો થશે જેલ અને દંડ : વન વિભાગની અનોખી કવાયત</a></p><p></p><h2><strong>ડેમ અને તળાવો પાસે સલામતીના પ્રશ્નો ફરી ઉઠ્યા</strong></h2><p>આ ઘટના બાદ ફરી એક વખત ડેમ અને તળાવો પાસે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઊભા થયા છે. ઘણી જગ્યાએ ચેતવણી બોર્ડ હોવા છતાં લોકો તેને અવગણે છે અને જીવલેણ જોખમ લે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં આવા બનાવોમાં વધારો થતો જોવા મળે છે. ડેમના પાણીમાં ઊંડાઈ અચાનક વધી શકે છે અને પાણીનો પ્રવાહ પણ જોખમી બની શકે છે, જે સામાન્ય લોકોને ખબર હોતી નથી. તેથી આવા સ્થળોએ નાહવું અત્યંત જોખમી બની શકે છે.</p><p></p><h2><strong>પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી</strong></h2><p>એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી નવયુગ પારા વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છે. પાડોશીઓ અને ઓળખીતાઓએ આ ઘટનાને અત્યંત દુખદ ગણાવી છે. પરિવારના અન્ય સભ્યો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સ્થાનિક લોકો દ્વારા તંત્રને વિનંતી કરવામાં આવી છે કે આવા સ્થળોએ વધુ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે અને લોકોને જાગૃત કરવા માટે કડક પગલાં લેવાં જોઈએ, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 02 May 2026 13:38:00 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/02/4-members-of-a-family-drowned_d74df3a7-9505-4048-b07c-5ed307774db5.png" medium="image" type="image/png" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[પશ્ચિમ બંગાળની 'જાલમુરી' હવે ગુજરાતના આંગણે!: મોકો જોઈને એક ગુજરાતીએ માર્યો ચોકો! માત્ર 5 રૂપિયામાં માણી શકશો જાલમુરીનો સ્વાદ]]></title>
                <link>https://offbeatstories.in/news/pm-modi-jhalmuri-trend-west-bengal-to-gujarat-2079573382</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/pm-modi-jhalmuri-trend-west-bengal-to-gujarat-2079573382</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/pm-modi-jhalmuri-trend-west-bengal-to-gujarat-2079573382" />
                <description><![CDATA[પીએમ મોદીએ ખાધી 'જાલમુરી' અને થઈ ગઈ વાયરલ! હવે ગુજરાતમાં પણ મળશે બંગાળનો આ સ્વાદ]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/02/Jhalmuri_d51ecfad-ba54-4fae-b6d3-942cddd42064.jpg" alt="pm-modi-jhalmuri-trend" />
                  </div>
                  <p><strong>Jhalmuri: </strong>પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ હંમેશા ગરમાગરમ હોય છે, પરંતુ આ વખતે આ ગરમાગરમીમાં એક ચટપટો વળાંક આવ્યો છે. ચર્ચામાં માત્ર વોટ કે બેઠકો નથી, પણ ચર્ચાના કેન્દ્રમાં છે બંગાળનો ફેમસ નાસ્તો 'જાલમુરી'. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર દરમિયાન જ્યારે આ સ્થાનિક વાનગીનો સ્વાદ માણ્યો, ત્યારથી જાલમુરી રાતોરાત નેશનલ સેન્સેશન બની ગઈ છે.</p><p></p><p><strong>PM મોદીની એક મુલાકાત અને બદલાઈ ગયું નસીબ</strong></p><p>ચૂંટણી પ્રચારના થાક વચ્ચે જ્યારે પીએમ મોદીએ જાલમુરીના સ્ટોલ પર જઈને આ સ્વાદિષ્ટ નાસ્તો ચાખ્યો, ત્યારે એ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ. સ્થાનિક જાલમુરી વેચનારાઓ માટે આ કોઈ લોટરી લાગવા જેવું હતું. એક ઉત્સાહિત વેપારીએ હસતા હસતા કહ્યું કે, "મોદીજીના મોકા પર અમે ચોકો મારી દીધો! પીએમના આ વીડિયો અને ફોટા વાયરલ થતા જ, જે જાલમુરી માત્ર બંગાળની ગલીઓ પૂરતી સીમિત હતી, તે હવે આખા દેશમાં ટ્રેન્ડ કરી રહી છે.</p><p></p><p><strong>શું છે આ 'જાલમુરી'ની ખાસિયત?</strong></p><p>જાલમુરી એટલે મુર્મુરા (મમરા) માંથી બનતી એક ચટપટી ભેળ જેવી વાનગી. પરંતુ તેની ખાસિયત તેમાં વપરાતું સરસિયું તેલ (Mustard Oil) અને ખાસ પ્રકારનો મસાલો છે. મમરા, ચણા, મગફળી, ઝીણી સેવ, ડુંગળી, ટામેટા અને લીલા મરચાં. તેમાં ઉમેરવામાં આવતા ખાસ મસાલા અને કાચા સરસિયા તેલની તીખી સુગંધ તેને સામાન્ય ભેળથી અલગ પાડે છે.</p><p></p><p><strong>હવે ગુજરાતીઓને પણ ચાખવા મળશે સ્વાદ</strong></p><p>ગુજરાતીઓ ખાવા-પીવાના શોખીન છે એ વાતમાં કોઈ બેમત નથી. પશ્ચિમ બંગાળમાં મળેલી લોકપ્રિયતા બાદ હવે આ 'મોદી ફેમસ' જાલમુરી ટૂંક સમયમાં જ ગુજરાતના મોટા શહેરોમાં પણ જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીના આ પ્રચાર બાદ ગુજરાતના અનેક ફૂડ કોર્ટ્સ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સે બંગાળી શૈલીની જાલમુરીના સ્ટોલ શરૂ કરવાનું આયોજન કર્યું છે. અમદાવાદના માણેક ચોક હોય કે સુરતની ખાઉધરી ગલી, હવે બહુ જલ્દી ત્યાં "બંગાળી જાલમુરી" ની બૂમો સંભળાશે.</p><p></p><p>રાજકારણમાં 'મોકો' શોધવો અઘરો હોય છે, પણ પશ્ચિમ બંગાળના જાલમુરી વેચનારાઓએ પીએમ મોદીના આગમનનો જે રીતે ફાયદો ઉઠાવ્યો છે, તે જોઈને લાગે છે કે આ વખતે ચૂંટણીમાં 'સ્વાદ'ની પણ જીત થઈ છે. તો તૈયાર થઈ જાવ, કારણ કે હવે ગુજરાતમાં પણ 'મોદીજીની ફેવરિટ જાલમુરી'ની લિજ્જત માણવા મળશે!</p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 02 May 2026 04:26:50 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/02/Jhalmuri_d51ecfad-ba54-4fae-b6d3-942cddd42064.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ગોંડલમાં નીલેશ રૈયાણી હત્યા કેસમાં મોટો વળાંક: જયરાજસિંહ જાડેજા પર શરતો ભંગના આરોપ]]></title>
                <link>https://offbeatstories.in/news/gondal-nilesh-rayani-murder-case-jayrajsinh-jadeja-allegations-5927405260</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gondal-nilesh-rayani-murder-case-jayrajsinh-jadeja-allegations-5927405260</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gondal-nilesh-rayani-murder-case-jayrajsinh-jadeja-allegations-5927405260" />
                <description><![CDATA[ગોંડલમાં નીલેશ રૈયાણી હત્યા કેસમાં જયરાજસિંહ જાડેજા સામે સુપ્રીમ કોર્ટની શરતો ભંગના ગંભીર આરોપ]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/01/34-years-old-murder-4_92728988-0ff4-46d6-a40e-71366f52325d.png" alt="જયરાજસિંહની છબી" />
                  </div>
                  <p>ગોંડલમાં નીલેશ રૈયાણી હત્યા કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. કેસમાં સંડોવાયેલા જયરાજસિંહ જાડેજા સામે હવે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે કે તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા મૂકવામાં આવેલી જામીનની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ફરિયાદી જગદીશ સાટોડિયાએ આ મામલે કાયદેસર પગલાં લીધા છે અને રાજ્યના કાયદા વિભાગ ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે આરોપ લગાવ્યો છે કે જયરાજસિંહ જાડેજા કોર્ટના આદેશોનું પાલન કરી રહ્યા નથી, જે ન્યાયિક પ્રક્રિયાને અસર કરી શકે છે.</p><p></p><h2><strong>પોલીસ સ્ટેશન હાજરીના નિયમમાં ગડબડનો આરોપ</strong></h2><p>સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીનની શરતો મુજબ જયરાજસિંહ જાડેજાએ દર સોમવારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજર રહી પોતાની હાજરી નોંધાવવાની ફરજ છે. પરંતુ ફરિયાદીના જણાવ્યા મુજબ આ શરતનું પાલન કરવામાં આવતું નથી.</p><p></p><p>ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જયરાજસિંહ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાના બદલે રજિસ્ટર પોતાના ઘરે મંગાવી ત્યાં જ સહી કરતા હોવાનું સામે આવ્યું છે. જો આ આરોપો સાચા સાબિત થાય, તો તે કોર્ટના આદેશની સીધી અવગણના ગણાશે અને કાયદાકીય રીતે ગંભીર પરિણામો આવી શકે છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/ahmedabad-34-year-old-murder-case-solved-vatva-4186911284">અમદાવાદમાં 34 વર્ષ પહેલાંની હત્યા મામલે થયાં ખુલાસા : 17 વર્ષની ફરજાનાની હત્યા કરનાર 4માંથી 2 વ્યક્તિ છે જીવીત</a></p><p></p><h2><strong>કેસને ઝડપી ગતિ આપવા માંગ</strong></h2><p>જગદીશ સાટોડિયાએ પોતાની અરજીમાં આ કેસને “ડે ટુ ડે” ધોરણે ચલાવવાની પણ માંગ કરી છે. તેમના મતે, લાંબા સમયથી લટકેલા કેસને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો ન્યાયમાં વિલંબ ટાળી શકાય. તેમણે આ મામલે ન્યાયિક તંત્રને વિનંતી કરી છે કે કેસની ગંભીરતા અને કોર્ટના આદેશોના સંભવિત ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.</p><p></p><h2><strong>CCTV ફૂટેજ સંગ્રહ માટે અરજી</strong></h2><p>ફરિયાદીએ વધુમાં રેન્જ આઈજીને અરજી કરીને છેલ્લા ત્રણ મહિનાના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જાળવી રાખવાની માંગ કરી છે. આ ફૂટેજ દ્વારા સત્ય બહાર આવી શકે છે કે જયરાજસિંહ ખરેખર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જતા હતા કે નહીં. તપાસમાં આ ફૂટેજ મહત્વપૂર્ણ પુરાવા તરીકે કામ કરી શકે છે, કારણ કે તે આરોપોને સાબિત કે નકારી કાઢવામાં મદદરૂપ થશે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/ahmedabad-ranip-case-wife-arrested-extramarital-affairs-dashrath-desai-2816662834">"બાળકોની હાજરીમાં જ પ્રેમીને બેડરૂમમાં બોલાવતી હતી પત્ની?" : તમને હચમચાવી દેશે પતિનો છેલ્લી 6 મિનિટનો વીડિયો</a></p><p></p><h2><strong>કાયદાકીય દ્રષ્ટિએ મામલાની ગંભીરતા</strong></h2><p>જો કોર્ટની શરતોનું ઉલ્લંઘન સાબિત થાય, તો જામીન રદ થવાની શક્યતા પણ ઊભી થઈ શકે છે. કાયદા નિષ્ણાતોના મતે, આવી પરિસ્થિતિમાં કોર્ટ કડક પગલાં લઈ શકે છે, જેમાં આરોપીને ફરી કસ્ટડીમાં લેવામાં પણ આવી શકે છે. આ કેસ હવે માત્ર હત્યા સુધી મર્યાદિત રહ્યો નથી, પરંતુ ન્યાયિક પ્રક્રિયા અને કાયદા પ્રત્યેના અનુસરણનો મુદ્દો પણ બની ગયો છે. </p><p></p><p>હાલમાં કોર્ટમાં કરવામાં આવેલી અરજીઓ અને સીસીટીવી પુરાવાની તપાસ પછી જ આગળની કાર્યવાહી સ્પષ્ટ થશે. તપાસ એજન્સીઓ અને ન્યાયિક તંત્ર આ મામલે શું નિર્ણય લે છે તે પર સૌની નજર છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 01 May 2026 11:45:33 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/01/34-years-old-murder-4_92728988-0ff4-46d6-a40e-71366f52325d.png" medium="image" type="image/png" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો: કેટલાક વેપારી સગડા પર ધંધો કરવા મજબૂર, કેટલાક વેપારીઓએ ધંધો કર્યો બંધ]]></title>
                <link>https://offbeatstories.in/news/commercial-lpg-price-hike-impact-rajkot-food-business-8061677377</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/commercial-lpg-price-hike-impact-rajkot-food-business-8061677377</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/commercial-lpg-price-hike-impact-rajkot-food-business-8061677377" />
                <description><![CDATA[ગેસના વધેલા ભાવથી રાજકોટના ખાણીપીણીના વેપારીઓ મુશ્કેલીમાં, ધંધો બંધ થવાનો ભય]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/05/01/Gas-price-hike_e41ab5ce-72c9-4ae1-94c9-804a6c2d8143.png" alt="સગડી પર વેપાર કરતા હોવાની છબી" />
                  </div>
                  <p>દેશમાં વધતી મોંઘવારી વચ્ચે ફરી એકવાર સામાન્ય લોકો અને ખાસ કરીને નાના વેપારીઓને મોટો ઝટકો લાગ્યો છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં આશરે ₹993નો વધારો થયો છે. ભાવ વધતા ખાણીપીણીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. ગેસના વધેલા ભાવથી રાજકોટના ખાણીપીણીના વેપારીઓ મુશ્કેલીમાં મુકીાયા છે. ધંધો બંધ કરવાની નોબત આવી ગઈ છે. </p><p></p><p>આ ભાવ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી અસ્થિર પરિસ્થિતિઓ ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને માનવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિના સીધા પ્રભાવ તરીકે ઈંધણના ભાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/fuel-price-stabilization-fund-india-lpg-petrol-diesel-plan-4960226744">Cylinder Price Update: શું ગેસના ભાવ ઘટશે? : પેટ્રોલ-ડીઝલમાં પણ મળશે રાહત? જાણો શું છે સરકારનો પ્લાન</a></p><p></p><h2><strong>રાજકોટમાં નાના વેપારીઓ પર સીધી અસર</strong></h2><p>રાજકોટ શહેરમાં નાની હોટલ, લારીઓ, ઢાબા અને સ્ટ્રીટ ફૂડનો વ્યવસાય કરતા વેપારીઓ પર આ ભાવ વધારાનો સૌથી મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઘણા વેપારીઓએ જણાવ્યું કે ગેસના વધેલા ખર્ચને કારણે તેમના રોજિંદા ખર્ચમાં ભારે વધારો થયો છે, જેને ગ્રાહકો પર સંપૂર્ણ રીતે ટ્રાન્સફર કરવો શક્ય નથી. પરિણામે નફો ઘટી રહ્યો છે અને કેટલાક વેપારીઓ માટે તો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે. કેટલાક વેપારીઓ હવે ગેસના બદલે સગડા અથવા અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે, જ્યારે કેટલાકે તો ધંધો બંધ કરવાની પરિસ્થિતિ પણ સર્જાઈ હોવાનું જણાવ્યું છે.</p><p></p><h2><strong>ખાણીપીણીના ભાવમાં વધારો </strong></h2><p>ગેસના વધેલા ભાવને કારણે ખાણીપીણીના ભાવોમાં વધારો થવો લગભગ અનિવાર્ય બની ગયો છે. ખાસ કરીને નાસ્તા, ચા, નાની હોટલોમાં મળતા ભોજન અને સ્ટ્રીટ ફૂડના ભાવોમાં વધારો થવાની શક્યતા છે. આનો સીધો પ્રભાવ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડશે. પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો માટે આ વધુ એક આર્થિક ભાર સાબિત થઈ શકે છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/lpg-commercial-cylinder-price-hike-may-2026-india-6074291607">LPG Cylinder Price Hike; જેની બીક હતી એ જ થયું! : ગેસના બાટલાના ભાવમાં ભડકો, જાણો કેટલામાં પડશે એક સિલિન્ડર</a></p><p></p><h2><strong>વેપારીઓની માંગ </strong></h2><p>નાના વેપારીઓએ માંગણી કરી છે કે કોમર્શિયલ ગેસના ભાવમાં રાહત આપવામાં આવે અથવા સબસિડી જેવી વ્યવસ્થા કરવામાં આવે. તેમનું કહેવું છે કે જો આ પ્રકારનો ભાવવધારો સતત ચાલુ રહેશે, તો નાના વ્યવસાય ટકાવી રાખવા મુશ્કેલ બનશે અને રોજગારી પર પણ અસર પડશે.</p><p></p><p>હાલમાં સરકાર તરફથી આ મુદ્દે કોઈ રાહતની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વધતી મોંઘવારીને લઈને ચર્ચા તેજ બની રહી છે. જો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં સ્થિરતા આવે તો ઈંધણના ભાવમાં ઘટાડો શક્ય છે. પરંતુ હાલ માટે વેપારીઓ અને ગ્રાહકો બંને માટે આ સમય પડકારજનક બની રહ્યો છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 01 May 2026 09:34:24 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/05/01/Gas-price-hike_e41ab5ce-72c9-4ae1-94c9-804a6c2d8143.png" medium="image" type="image/png" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં 20 લાખની લાંચનો ભંડાફોડ!: CGST સુપરિન્ટેન્ડન્ટ અને કન્સલ્ટન્ટ રંગેહાથ ઝડપાયા, ACBની મોટી સફળતા]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-acb-trap-20-lakh-bribe-cgst-officer-arrested-1701886630</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-acb-trap-20-lakh-bribe-cgst-officer-arrested-1701886630</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-acb-trap-20-lakh-bribe-cgst-officer-arrested-1701886630" />
                <description><![CDATA[ રાજકોટમાં ACBએ 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટને રંગેહાથ ઝડપ્યા, સંપૂર્ણ રકમ જપ્ત.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/29/Rajkot-ACB-trap_d834b139-f223-4e00-899b-8cee051033a5.jpg" alt="Rajkot ACB trap" />
                  </div>
                  <p><strong>Rajkot ACB trap: </strong>રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ગોઠવાયેલા ટ્રેપમાં 20 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કેસ માત્ર એક વ્યક્તિગત લાંચનો નથી, પરંતુ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારની ગાંઠો કેટલી ઊંડી છે તેનો જીવંત દાખલો છે.</p><h2></h2><h2><strong>ઘટનાની વિગત: કેવી રીતે ગોઠવાયો ટ્રેપ</strong></h2><p></p><p>આ સમગ્ર મામલો 28 એપ્રિલ 2026ના રોજ રાજકોટ ખાતે બહાર આવ્યો હતો. ફરિયાદી, જે એક જાગૃત નાગરિક છે, તેમના વિરુદ્ધ CGST કચેરીમાં GST ન ભરવા અને ખોટા બિલ બનાવવા અંગે અરજી થઈ હતી. આ અરજીને પતાવટ કરવા અને મોટો કેસ ન કરવાની લાલચ આપીને CGST વિભાગમાં કાર્યરત સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે શરૂઆતમાં 25 લાખ રૂપિયાની લાંચ માગી હતી.</p><p>પછીની ચર્ચાઓમાં આ રકમ 20 લાખ સુધી નક્કી થઈ અને આ રકમ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયા મારફતે આપવા સૂચના આપવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવાનો ઇનકાર કરતાં, તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો, જેના આધારે સમગ્ર ટ્રેપ ગોઠવાયો.</p><p></p><h2><strong>ટ્રેપની કામગીરી: સ્થળ અને ઝડપી કાર્યવાહી</strong></h2><p></p><p>ACB દ્વારા ગોઠવાયેલ ટ્રેપ રાજકોટના ક્રીએટીવ કોમ્પ્લેક્ષ, એસ.ટી. બસ સ્ટેશન પાછળ યોજાયો હતો. આ સ્થળે આકાશ કલોલીયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને 20 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી લીધી.</p><p>જ્યારે લાંચની રકમ હસ્તગત થઈ, ત્યારે તુરંત ACB ટીમે કાર્યવાહી કરીને બંને આરોપીઓને રંગેહાથ ઝડપ્યા. તપાસ દરમિયાન લાંચની સંપૂર્ણ રકમ પણ રીકવર કરવામાં આવી છે, જે કેસને વધુ મજબૂત બનાવે છે.</p><p></p><h2><strong>અધિકારીઓની ટીમ: સુવ્યવસ્થિત કામગીરીનું ઉદાહરણ</strong></h2><p></p><p>આ સફળ ટ્રેપમાં એ.સી.બી. રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ખોખરની આગેવાનીમાં ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. દેકાવાડિયા અને અન્ય સ્ટાફે સહકાર આપ્યો હતો.</p><p>સંપૂર્ણ કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાએ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ સંભાળ્યું હતું.</p><p></p><h2><strong>ભ્રષ્ટાચાર સામે મોટો સંદેશ</strong></h2><p></p><p>આ ઘટનાથી એક સ્પષ્ટ સંદેશ જાય છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતમાં જાગૃત નાગરિકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. જો ફરિયાદી હિંમત ન દેખાડે તો આવા કેસ બહાર આવવા મુશ્કેલ બની જાય છે.</p><p>સરકારી તંત્રમાં વિશ્વાસ જાળવવા માટે આવા કડક પગલાં જરૂરી છે. ACBની આ કામગીરી દર્શાવે છે કે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં કોઈ છૂટછાટ આપવામાં આવતી નથી.</p><p></p><h2><strong>હાલની પરિસ્થિતિ અને આગળની કાર્યવાહી</strong></h2><p></p><p>પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.<a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=ACB"> ACB </a>દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ કેસમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં.</p><p>આ કેસમાં મળેલી માહિતીના આધારે શક્ય છે કે GST વિભાગમાં અન્ય ભ્રષ્ટાચારના કેસો પણ બહાર આવે, જેને લઈને તપાસ વધુ વિસ્તરવાની સંભાવના છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/mehsana-ramesh-bhil-peon-to-corporator-story-7177952284">મહેસાણાના કમલમ કાર્યાલયના પટાવાળાની જીત : રમેશભાઈ ભીલ બની ગયા કોર્પોરેટર</a></p><p></p><h2><strong>ટેક્સ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર</strong></h2><p></p><p>આ ઘટના માત્ર એક લાંચ કેસ નથી, પરંતુ તે દર્શાવે છે કે ટેક્સ સિસ્ટમમાં ભ્રષ્ટાચાર કેવી રીતે કાર્યરત છે અને કેવી રીતે સામાન્ય નાગરિકોને તેની અસર સહન કરવી પડે છે.</p><p>આ પ્રકારની કાર્યવાહીથી નાગરિકોમાં વિશ્વાસ વધે છે કે જો તેઓ હિંમતપૂર્વક આગળ આવે તો કાયદો તેમની સાથે છે. સાથે સાથે સરકારી કર્મચારીઓ માટે પણ આ એક ચેતવણીરૂપ ઘટના છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Wed, 29 Apr 2026 03:01:45 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/29/Rajkot-ACB-trap_d834b139-f223-4e00-899b-8cee051033a5.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ મનપામાં ભાજપનો દબદબો યથાવત: 72માંથી 52 બેઠકો સાથે ફરી સત્તા]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-municipal-election-bjp-win-52-seats-3659555806</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-municipal-election-bjp-win-52-seats-3659555806</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-municipal-election-bjp-win-52-seats-3659555806" />
                <description><![CDATA[રાજકોટ મનપામાં ભાજપે 52 બેઠકો જીતી, કોંગ્રેસ માત્ર 4 પર સીમિત. જિલ્લા પંચાયતમાં પણ ભાજપ આગળ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/28/bjp-in-rajkot_8e8443ae-553b-4f05-8bac-3bf36781221e.jpg" alt="રાજકોટમાં ભાજપની જીત" />
                  </div>
                  <p>રાજકોટના સ્થાનિક રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. રાજકોટ મહાનગરપાલિકાની કુલ 72 બેઠકોમાંથી 52 બેઠકો જીતતા ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે. બીજી તરફ, કોંગ્રેસ માત્ર 4 બેઠકો સુધી સીમિત રહી છે, જે પક્ષ માટે ચિંતાજનક સંકેત માનવામાં આવે છે. આ પરિણામોએ શહેરમાં ભાજપના સંગઠન અને મતદારોમાં તેની લોકપ્રિયતાને ફરી મજબૂત બનાવી છે.<br></p><p>ચૂંટણીના પરિણામોમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વોર્ડ નંબર 2 રહ્યો, જ્યાં સામાજિક અસંતોષની ચર્ચાઓ વચ્ચે પણ ભાજપે જીત હાંસલ કરી છે. આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ હારને કારણે રાજકીય સાથે પરિવારિક પરિસ્થિતિ પણ ચર્ચામાં આવી છે, કારણ કે રિવાબા જાડેજા ભાજપ તરફથી સક્રિય રહી છે.<br></p><h2><strong>વોર્ડ નં. 2 માં ચર્ચાસ્પદ મુકાબલો</strong></h2><p>વોર્ડ નંબર 2માં રઘુવંશી અને બ્રાહ્મણ સમાજની નારાજગી હોવાની ચર્ચાઓ વચ્ચે પણ ભાજપે જીત મેળવી છે, જે પક્ષ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી નયનાબા જાડેજા મેદાનમાં હતા, જ્યારે ભાજપે પોતાના સંગઠન અને મતદાન વ્યવસ્થાપનના જોરે જીત મેળવી છે.</p><p>નણંદ-ભાભી વચ્ચેનો આ પરોક્ષ રાજકીય મુકાબલો ચૂંટણીના કેન્દ્રમાં રહ્યો હતો. રિવાબા જાડેજાએ ચૂંટણી પહેલા નયનાબાને શુભેચ્છા પાઠવી હતી, પરંતુ ભાજપની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જે અંતે સાચો સાબિત થયો છે.<br></p><h2><strong>જિલ્લા પંચાયતમાં ભાજપનો આગળિયો</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. કુલ 36 બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 26 બેઠકો કબજે કરી છે, જ્યારે હજુ 9 બેઠકોની ગણતરી ચાલુ છે. હાલના વલણો મુજબ ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યો છે.<br></p><p>આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) બંનેએ પોતાનું ખાતું ખોલવામાં સફળતા મેળવી છે. કોલકી બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે, જ્યારે મોવિયા બેઠક પર AAP એ વિજય મેળવીને ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની હાજરી નોંધાવી છે. આ પરિણામો દર્શાવે છે કે શહેરની તુલનામાં ગ્રામ્ય વિસ્તારમાં સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે.<br></p><h2><strong>ઉલટફેર અને રાજકીય સંકેતો</strong></h2><p>ચૂંટણીમાં કેટલાક ચોંકાવનારા પરિણામો પણ સામે આવ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા અને કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન રાજેશ ડાંગરની હાર થતા રાજકીય ગલિયારાઓમાં આશ્ચર્ય ફેલાયું છે. આ હાર દર્શાવે છે કે સ્થાનિક સ્તરે વ્યક્તિગત પ્રભાવ અને મતદારોના મુદ્દાઓ મહત્વ ધરાવે છે.<br></p><p>તે છતાં, એકંદરે જિલ્લા પંચાયતની બેઠકોમાં ભાજપનો દબદબો યથાવત્ છે. કોંગ્રેસ અને AAP ને મર્યાદિત સફળતા મળતાં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો, પરંતુ અંતે મતદારો ભાજપના પક્ષમાં રહ્યા હોવાનું સ્પષ્ટ થાય છે.<br></p><h2><strong>શહેર સામે ગ્રામ્ય ટ્રેન્ડ</strong></h2><p>આ ચૂંટણીના પરિણામોમાં એક મહત્વપૂર્ણ ટ્રેન્ડ સામે આવ્યો છે, શહેરમાં ભાજપનો દબદબો મજબૂત રહ્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય પક્ષો પણ પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. આ વિભાજન રાજકીય પક્ષો માટે આગામી ચૂંટણી માટે વ્યૂહરચના બનાવવામાં મહત્વપૂર્ણ બની શકે છે.<br></p><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>મહાનગરપાલિકામાં ભાજપની જીત પક્ષના સંગઠન, સ્થાનિક નેતૃત્વ અને વિકાસના મુદ્દાઓ પર આધારિત છે. બીજી તરફ, જિલ્લા પંચાયતના કેટલાક વિસ્તારોમાં વિરોધ પક્ષોની હાજરી સૂચવે છે કે તેઓ હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે.</p><p><br><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-local-body-election-2026-results-live-counting-start-9068788302">Gujarat Local Body Election 2026 Results Live : જાણો ચૂંટણીના પરિણામની પળેપળની અપડેટ</a></p><p></p><h2><strong>આગળની રાજકીય દિશા</strong></h2><p>આ પરિણામો ભાજપ માટે આત્મવિશ્વાસ વધારનાર છે, જ્યારે કોંગ્રેસ અને AAP માટે સંગઠન મજબૂત કરવાની જરૂરિયાત દર્શાવે છે. આગામી સમયમાં આ પક્ષો કેવી રીતે પોતાની વ્યૂહરચના બદલે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે.<br></p><p>રાજકોટમાં ભાજપની આ જીત રાજ્યસ્તરે પણ રાજકીય સંકેત આપે છે કે શહેરી વિસ્તારોમાં પક્ષની પકડ મજબૂત છે. સાથે સાથે, ગ્રામ્ય વિસ્તારોમાં વધતી સ્પર્ધા ભવિષ્યના રાજકીય સમીકરણોને પ્રભાવિત કરી શકે છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 28 Apr 2026 10:54:30 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/28/bjp-in-rajkot_8e8443ae-553b-4f05-8bac-3bf36781221e.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ મનપા ચૂંટણીમાં રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર: ભાજપે વોર્ડ નં. 2 માં જીત નોંધાવી]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-election-nayanaba-jadeja-loss-bjp-win-7857042113</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-election-nayanaba-jadeja-loss-bjp-win-7857042113</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-election-nayanaba-jadeja-loss-bjp-win-7857042113" />
                <description><![CDATA[રાજકોટ વોર્ડ 2માં નયનાબા જાડેજા હારી, ભાજપે જીત મેળવી. નણંદ-ભાભી રાજકીય ટક્કર ચર્ચામાં.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/28/nayana-ba-jadeja_78507806-414e-434e-8de7-49577d701d7b.jpg" alt="નયનાબા જાડેજા" />
                  </div>
                  <p>રાજકોટ મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં એક રસપ્રદ અને ચર્ચાસ્પદ રાજકીય મુકાબલો સામે આવ્યો હતો, જેમાં ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પરિવારના બે સભ્યો વચ્ચે પરોક્ષ રીતે રાજકીય ટક્કર જોવા મળી. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલ નયનાબા જાડેજાને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ભાજપે આ બેઠક પર જીત મેળવી છે. આ પરિણામ સાથે રાજકોટના સ્થાનિક રાજકારણમાં પરિવારિક સંબંધો અને રાજકીય વિચારો વચ્ચેનો તફાવત ફરી ચર્ચામાં આવ્યો છે.<br></p><p>નયનાબા જાડેજા, જે રવીન્દ્ર જાડેજાની બહેન છે, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી હતી. બીજી તરફ, રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ભાજપ સાથે સંકળાયેલા છે અને જામનગર ઉત્તરથી ધારાસભ્ય તરીકે કાર્યરત છે. આ પરિસ્થિતિએ ચૂંટણીને માત્ર રાજકીય જ નહીં પરંતુ વ્યક્તિગત અને પારિવારિક દ્રષ્ટિકોણથી પણ રસપ્રદ બનાવી દીધી હતી.<br></p><h2><strong>નણંદ-ભાભી વચ્ચે રાજકીય ટક્કર</strong></h2><p>રાજકોટના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી, પરંતુ આ બેઠક ખાસ ચર્ચામાં રહી કારણ કે અહીં નણંદ-ભાભી વચ્ચે વિચારધારાનો મુકાબલો જોવા મળ્યો. રિવાબા જાડેજા ભાજપના સક્રિય નેતા તરીકે પોતાના પક્ષના ઉમેદવારો માટે પ્રચારમાં વ્યસ્ત રહી, જ્યારે નયનાબા જાડેજા કોંગ્રેસના મંચ પરથી ચૂંટણી લડી રહ્યા હતા.<br></p><p>ચૂંટણી દરમિયાન બંને તરફથી નિવેદનબાજી અને રાજકીય ટિપ્પણીઓ પણ ચર્ચામાં રહી. જોકે, જાહેરમાં બંનેએ વ્યક્તિગત સંબંધોને લઈને સીધી ટકરાવાળી ભાષા ટાળી હતી, છતાં રાજકીય વિચારોના ભિન્નતાએ સંબંધોમાં અંતર વધ્યું હોવાનું સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાતું રહ્યું.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-local-body-election-2026-results-live-counting-start-9068788302">Gujarat Local Body Election 2026 Results Live : જાણો ચૂંટણીના પરિણામની પળેપળની અપડેટ</a></p><p></p><h2><strong>ચૂંટણી પહેલા શુભેચ્છા, પરંતુ જીત ભાજપની</strong></h2><p>ચૂંટણી પહેલા રિવાબા જાડેજાએ પોતાની નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા પાઠવી હતી, જે એક સકારાત્મક અને લોકશાહી પરંપરાનું ઉદાહરણ માનવામાં આવ્યું હતું. જોકે, તે સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વોર્ડ નંબર 2માં ભાજપના કાર્યકર્તાઓની મહેનતને કારણે પક્ષનો ભવ્ય વિજય થશે.<br></p><p>ચૂંટણી પરિણામોએ રીવાબાની આ આગાહી સાચી ઠરાવી છે. ભાજપે આ બેઠક પર જીત મેળવી છે અને કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ પરિણામે સ્થાનિક રાજકારણમાં ભાજપની પકડ મજબૂત હોવાનું પણ પ્રતિબિંબિત થયું છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 28 Apr 2026 09:18:07 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/28/nayana-ba-jadeja_78507806-414e-434e-8de7-49577d701d7b.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારના RJ આભાનો જાદુ ન ચાલ્યો: વોર્ડ નં. 10 માં ઇન્ફલ્યુએન્સરના લાખો ફોલોઅર્સ સામે ભાજપની જીત]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-ward-10-rj-abha-loss-bjp-win-6990895376</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-ward-10-rj-abha-loss-bjp-win-6990895376</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-ward-10-rj-abha-loss-bjp-win-6990895376" />
                <description><![CDATA[સોશિયલ મીડિયા લોકપ્રિયતા છતાં રાજકોટ વોર્ડ 10માં કોંગ્રેસના RJ આભાને હાર, ભાજપની પેનલ વિજેતા]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/28/rj-aabha_a51027bd-4456-4b54-a7fa-35d24b0c9301.jpg" alt="RJ આભા" />
                  </div>
                  <p>રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10 માંથી એક નોંધપાત્ર રાજકીય પરિણામ સામે આવ્યું છે. BJP ની પેનલે અહીં જીત મેળવી છે, જ્યારે Congress ના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા આર.જે. આભાને હારનો સામનો કરવો પડ્યો છે.<br></p><p>આ પરિણામ ખાસ કરીને ચર્ચામાં રહ્યું છે, કારણ કે આર.જે. આભા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય અને લોકપ્રિય ચહેરા તરીકે જાણીતા હતા. તેમણે ઇન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ લોકો ફોલો કરે છે, જેના કારણે તેમની ઉમેદવારીને લઈને રાજકીય વર્તુળોમાં અપેક્ષા પણ ઊભી થઈ હતી.<br></p><h2><strong>સોશિયલ મીડિયા લોકપ્રિયતા અને ગ્રાઉન્ડ રિયલિટી વચ્ચેનો અંતર</strong></h2><p>આ ચૂંટણી પરિણામે એક મહત્વપૂર્ણ મુદ્દો ફરી સામે લાવ્યો છે, સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતા હંમેશા મતદાનમાં રૂપાંતરિત થાય જ એ જરૂરી નથી. આર.જે. આભાની ઓનલાઇન હાજરી મજબૂત હોવા છતાં તેઓ મતદારોને પ્રત્યક્ષ રીતે પ્રભાવિત કરવામાં સફળ રહ્યા નથી.<br></p><p>સ્થાનિક ચૂંટણીમાં મતદારોનો નિર્ણય ઘણીવાર વિસ્તારના વિકાસ, વ્યક્તિગત સંપર્ક, સંગઠનબળ અને જમીનસ્તર પરના કાર્ય પર આધારિત હોય છે. આ દૃષ્ટિએ ભાજપની પેનલે વોર્ડ 10માં વધુ મજબૂત પકડ જાળવી રાખી હોવાનું પરિણામ પરથી સ્પષ્ટ થાય છે.<br></p><h2><strong>ભાજપની પેનલની જીતથી મજબૂત સંદેશ</strong></h2><p>વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારો અશ્વિન ભોરણીયા, ઘનશ્યામ હેરભા, જ્યોત્સનાબેન ટીલાળા અને નીતાબેન લાલ વિજેતા બન્યા છે. આ જીત ભાજપ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે શહેરમાં પક્ષના મજબૂત સંગઠન અને મતદારો સાથેના જોડાણને દર્શાવે છે.<br></p><p>આ જીત સાથે ભાજપે ફરી એકવાર શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં પોતાની રાજકીય પકડ મજબૂત બનાવી છે, જે આગામી ચૂંટણી માટે પણ સંકેતરૂપ બની શકે છે.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-local-body-election-2026-results-live-counting-start-9068788302">Gujarat Local Body Election 2026 Results Live : કઈ બેઠક પર કોણે મારી બાજી? જાણો ચૂંટણીના પરિણામની પળેપળની અપડેટ</a></p><p></p><h2><strong>કોંગ્રેસ માટે પડકાર અને શીખ</strong></h2><p>આર.જે. આભાની હાર કોંગ્રેસ માટે પણ વિચારવાનો મુદ્દો બની શકે છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા મહત્વપૂર્ણ સાધન બની ગયું છે, પરંતુ તે એકમાત્ર માપદંડ નથી.<br></p><p>સ્થાનિક સ્તરે મજબૂત સંગઠન, મતદારો સાથે સીધો સંપર્ક અને વિશ્વસનીયતા જેવી બાબતો હજુ પણ ચૂંટણી જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ પરિણામ કોંગ્રેસ માટે આવનારા સમયમાં વ્યૂહરચનામાં ફેરફાર કરવાની જરૂરિયાત દર્શાવે છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 28 Apr 2026 06:16:34 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/28/rj-aabha_a51027bd-4456-4b54-a7fa-35d24b0c9301.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA['સાવરણા'ના સુપડા સાફ!: સુરતમાં મનોજ સોરઠીયા અને રાજકોટમાં રાહુલ ભુવાની હાર]]></title>
                <link>https://offbeatstories.in/news/aap-leader-manoj-sorathiya-rahul-bhuva-loses-municipal-election-2026-6811870305</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/aap-leader-manoj-sorathiya-rahul-bhuva-loses-municipal-election-2026-6811870305</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/aap-leader-manoj-sorathiya-rahul-bhuva-loses-municipal-election-2026-6811870305" />
                <description><![CDATA[સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે માઠા સમાચાર આવ્યા છે, જેમાં સુરતથી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને રાજકોટથી રાહુલ ભુવાની હાર થઈ છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/28/AAP-Loss-Gujarat-Manoj-Sorathiya-Defeat-Rahul-Bhuva-Rajkot-2_a4855d0f-cc87-4a2a-bb7d-7703c84193a7.jpg" alt="AAP Loss Gujarat, Manoj Sorathiya Defeat, Rahul Bhuva Rajkot" />
                  </div>
                  <p><strong>Gujarat Local Body Election Results 2026:</strong> ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અત્યંત રોમાંચક અને આશ્ચર્યજનક રહ્યા છે. ખાસ કરીને સુરત અને રાજકોટ જેવા શહેરોમાં, જ્યાં આમ આદમી પાર્ટી (AAP) ને ખૂબ જ આશાઓ હતી, ત્યાં તેમને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને જેમના પર જીતની મોટી જવાબદારી હતી, તેવા ચહેરાઓ જ હારતા <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/local-body-election-results-2026-live-updates-surat-panchayat-nagarpalika-9560422966">AAP છાવણીમાં શોકનું મોજું</a> ફરી વળ્યું છે. સુરતમાં પ્રદેશ નેતૃત્વના અગ્રણી ચહેરાની હાર એ ગુજરાતમાં પાર્ટીના સંગઠન માટે મોટો ચિંતનનો વિષય બન્યો છે.</p><p></p><p>સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, જેને 'આપ'નો ગઢ માનવામાં આવતું હતું, ત્યાં ભાજપના વધતા પ્રભાવ સામે પાર્ટીના રણનીતિકારો ટકી શક્યા નથી. તો બીજી તરફ રાજકોટમાં પણ સૌથી મજબૂત મનાતા ઉમેદવારોને જનતાએ નકારી કાઢ્યા છે. આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના શહેરી વિસ્તારોમાં ફરી એકવાર ભાજપનું કમળ જોરશોરથી ખીલ્યું છે અને સાવરણાનો પ્રભાવ ઓછો થયો છે.</p><p></p><h3><strong>સુરતમાં મોટો ઉલટફેર: મનોજ સોરઠીયાનું કાઉન્સિલર બનવાનું સપનું રોળાયું</strong></h3><p>આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી અને સુરતના જાણીતા નેતા મનોજ સોરઠીયાની હાર આ ચૂંટણીનો સૌથી મોટો અપસેટ માનવામાં આવે છે. મનોજ સોરઠીયાએ આ વખતે સુરત મનપાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને પાર્ટીને પૂરો વિશ્વાસ હતો કે તેઓ સરળતાથી જીતી જશે. જોકે, મતદારોએ તેમને નકારી કાઢતા તેમના મ્યુનિસિપલ કાઉન્સિલર બનવાના સપના પર પાણી ફરી વળ્યું છે. સોરઠીયા જેવા કદાવર નેતાની હાર એ ગુજરાત AAP માટે માત્ર એક બેઠકની હાર નથી, પણ સંગઠનાત્મક રીતે મોટો ઝટકો છે.</p><p></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/local-body-election-results-2026-live-updates-surat-panchayat-nagarpalika-9560422966">ગુજરાતમાં કોનું ચાલશે શાસન? : 483 ઉમેદવારોના ભાવિનો ફેંસલો, ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ</a><br></p><h3><strong>રાજકોટમાં રાહુલ ભુવાની હાર: "કમળ ચાલ્યું, સાવરણો નહીં"</strong></h3><p>રાજકોટના વોર્ડ નંબર 4 માં પણ આમ આદમી પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો છે. અહીં ભાજપના ઉમેદવાર કાળુભાઈ કુંગસિયાએ વિજય મેળવ્યો છે, જ્યારે તેમની સામે મેદાનમાં રહેલા AAPના સૌથી મજબૂત ઉમેદવાર રાહુલ ભુવાની હાર થઈ છે. હાર બાદ રાહુલ ભુવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "લોકોએ કમળને પસંદ કર્યું છે અને સાવરણો ચાલ્યો નથી. તેમ છતાં અમે હાર્યા નથી, અમે લોકોના કામ કરતા રહીશું અને જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું."</p><p></p><h3><strong>પરિણામોનું તારણ અને ભવિષ્યની રણનીતિ</strong></h3><p>સુરત અને રાજકોટમાં મજબૂત ગણાતા ઉમેદવારોની હાર બાદ હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની રણનીતિ પર ફરી વિચાર કરવો પડશે. ભાજપના મજબૂત પેજ સમિતિના માળખા અને પ્રચાર સામે AAPના નેતાઓ પોતાની બેઠકો બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ પરિણામો આગામી સમયમાં ગુજરાતના સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફારો લાવે તેવી શક્યતા છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 28 Apr 2026 06:13:34 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/28/AAP-Loss-Gujarat-Manoj-Sorathiya-Defeat-Rahul-Bhuva-Rajkot-2_a4855d0f-cc87-4a2a-bb7d-7703c84193a7.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ચૂંટણી પરિણામ વચ્ચે રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર: 5 જિલ્લામાં હીટવેવ એલર્ટ, રાજકોટમાં પારો 45°C સુધી પહોંચવાની શક્યતા]]></title>
                <link>https://offbeatstories.in/news/gujarat-heatwave-alert-rajkot-45-degree-weather-update-5428992131</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gujarat-heatwave-alert-rajkot-45-degree-weather-update-5428992131</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gujarat-heatwave-alert-rajkot-45-degree-weather-update-5428992131" />
                <description><![CDATA[ચૂંટણી પરિણામના દિવસે ગુજરાતમાં ગરમીનો કહેર, 5 જિલ્લામાં હીટવેવ એલર્ટ, રાજકોટમાં 45°Cની આગાહી]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/28/heat_b9ed3b28-1da4-48c9-ba95-42d0157d9d3f.jpg" alt="ગરમી દર્શાવતું મીટર" />
                  </div>
                  <p>ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થવાના મહત્વપૂર્ણ દિવસે રાજ્યભરમાં આકરી ગરમીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ રાજકીય ઉત્સુકતા અને પરિણામોની રાહ છે, તો બીજી તરફ તાપમાનના વધતા પારાએ સામાન્ય જનજીવનને અસર કરી છે. હવામાન વિભાગ દ્વારા પાંચ જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.<br></p><p>ખાસ કરીને <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>માં આજે તાપમાન 45°C સુધી પહોંચવાની પ્રબળ શક્યતા દર્શાવવામાં આવી છે, જે આ સીઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન ગણાય છે. આ પરિસ્થિતિમાં મતગણતરી કેન્દ્રો બહાર ઉભેલા કાર્યકરો, ઉમેદવારો અને સામાન્ય લોકો માટે ગરમી મોટી પડકારરૂપ બની શકે છે.<br></p><h2><strong>5 જિલ્લામાં હીટવેવ એલર્ટ, આગામી દિવસોમાં વધશે તાપમાન</strong></h2><p>હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના અનુમાન મુજબ આજે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં હીટવેવની સ્થિતિ રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે.<br></p><p>આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ત્યારબાદ થોડો ઘટાડો થવાની સંભાવના છે. હાલ વાતાવરણ સૂકું રહેશે અને આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી, જે ગરમીને વધુ તીવ્ર બનાવે છે.<br></p><h2><strong>શહેરવાર તાપમાનનો અંદાજ</strong></h2><p>હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ રાજ્યના મોટા શહેરોમાં આજે ઊંચું તાપમાન નોંધાવાની શક્યતા છે. અમદાવાદમાં 44°C, અમરેલીમાં 44°C, ગાંધીનગરમાં 44°C, વડોદરામાં 42°C, સુરતમાં 41°C, ભાવનગરમાં 42°C, ભુજમાં 42°C અને દાહોદમાં 41°C સુધી પારો પહોંચી શકે છે.<br></p><p>દક્ષિણ <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat">ગુજરાત</a>માં દમણમાં 37°C અને ડાંગમાં 39°C તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા અને પોરબંદરમાં તાપમાન થોડું ઓછું રહેવાની શક્યતા છે.<br></p><h2><strong>અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, સ્કૂલ સમય બદલાયા</strong></h2><p>અમદાવાદમાં ગરમીની ગંભીરતા ધ્યાનમાં રાખીને 4 મે સુધી છ દિવસ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે એક દિવસ માટે યલો એલર્ટ રહેશે. આગામી સાત દિવસ દરમિયાન તાપમાન 43 થી 44°C વચ્ચે રહેવાની શક્યતા છે.<br></p><p>ગરમીને કારણે શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યો છે. શહેર-જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને બપોરે 12 વાગ્યા પહેલાં વિદ્યાર્થીઓને રજા આપવાની સલાહ આપી છે. સાથે જ વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં બેસાડવું કે બહારની પ્રવૃત્તિઓ કરાવવી ટાળવા જણાવ્યું છે.<br></p><h2><strong>આરોગ્ય પર અસર અને તંત્રની અપીલ</strong></h2><p>આકરી ગરમી અને લૂના જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને સૂર્યપ્રકાશથી બચવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને વધુ સાવચેતી રાખવાની જરૂર છે.<br></p><p>મતગણતરી જેવા પ્રસંગોએ મોટા પ્રમાણમાં લોકો બહાર રહેતા હોવાથી હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનો ખતરો વધી શકે છે. તેથી આરોગ્ય વિભાગ પણ સતર્ક છે અને જરૂરી તબીબી વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/chaitar-vasava-controversy-mansukh-vasava-reaction-2000609392">"ચૈતર વસાવા અગાઉથી જ આવી રીતે ઝઘડા કરવા માટે જાણીતા છે" : AAP MLA લાફાકાંડ પર સાંસદ મનસુખ વસવાની પ્રતિક્રિયા</a></p><p></p><h2><strong>ઐતિહાસિક ગરમીનો સંદર્ભ અને આગળની સ્થિતિ</strong></h2><p>ગુજરાતમાં ગરમીના ઐતિહાસિક રેકોર્ડની વાત કરીએ તો મે 2016માં અમદાવાદમાં 48.0°C અને કંડલામાં 48.4°C તાપમાન નોંધાયું હતું. હાલ એપ્રિલ અંતમાં જ તાપમાન 45°Cની આસપાસ પહોંચી રહ્યું હોવાથી મે મહિનામાં વધુ ગરમી વધવાની શક્યતા છે.<br></p><p>હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક દરમિયાન હીટવેવની સ્થિતિ વધુ તીવ્ર બની શકે છે. જો આ સ્થિતિ યથાવત રહે, તો તાપમાનના નવા રેકોર્ડ બનવાની શક્યતા નકારી શકાય નહીં.</p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 28 Apr 2026 05:50:32 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/28/heat_b9ed3b28-1da4-48c9-ba95-42d0157d9d3f.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[Gujarat Local Body Election Results Live Updates: કેસરિયા રંગે રંગાયું ભાજપ; અમદાવાદમાં વિજયોત્સવ; ભાજપે 15 મનપા, 34માંથી 33 જિ.પં, 76 ન.પા. અને 253 તા.પં. પર મેળવી ભવ્ય જીત]]></title>
                <link>https://offbeatstories.in/news/gujarat-local-body-election-2026-results-live-counting-start-9068788302</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gujarat-local-body-election-2026-results-live-counting-start-9068788302</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gujarat-local-body-election-2026-results-live-counting-start-9068788302" />
                <description><![CDATA[કમળ, પંજા અને ઝાડૂની લડાઈમાં કોણ મારશે બાજી? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામની પળેપળની અપડેટ માત્ર એક ક્લિકમાં. 26,196 બેઠકો પર કાઉન્ટિંગ શરૂ]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/28/Gujarat-Election-Result-new_a0a9fca4-46b1-421c-ad3a-20abadac2f03.jpg" alt="Gujarat Local Body Election Results Live" />
                  </div>
                  <p><strong>Gujarat Local Body Election 2026 Results Live Update: જાણો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પળેપળનાં પરિણામો...</strong><br><br><strong>10.00 PM</strong><br>સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. સમગ્ર રાજ્યમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. ભાજપે તમામ 15 મનપા પર પણ કબ્જો મેળવ્યો છે. 84 નગરપાલિકામાંથી 76 નગરપાલિકા અને 34માંથી 33 જિલ્લા પંચાયત ભાજપનાં ખાતામાં ગઈ છે. 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને 253 અને 7માં કોંગ્રેસ તથા આપને મળી છે.<br><br><br><strong>6.10 PM </strong><br>9981 બેઠકો માટે ચૂંટણીના જાહેર થયેલા કુલ 6876 બેઠકો માટેના પરિણામોમાં ભાજપને 5525, કોંગ્રેસને 1312, આપને 383 અને અપક્ષ કે અન્ય પક્ષોને 237 બેઠકો મળી છે. ગુજરાતમા મૃતપ્રાય કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયો છે.</p><p></p><p>260 તાલુકા પંચાયતની કુલ 552 બેઠકો પર ભાજપનો વિજય નોંધાયો છે, જ્યારે કૉંગ્રેસને 87 બેઠકો મળી છે. 84 નગરપાલિકાની 586 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસને માત્ર 57 બેઠકો મળી છે. તે ઉપરાંત 34 જિલ્લા પંચાયતની 127 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે કૉંગ્રેસને માત્ર 7 બેઠકો પર જીત મળી છે.</p><p></p><p>કચ્છના ભુજમાં વોર્ડ નંબર-1માં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ એન્ટ્રી કરી છે. ભુજ નગરપાલિકામાં AIMIM ના 3 ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના મતોમાં ગાબડું પાડ્યું છે. જ્યારે ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં સમાજવાદી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે.</p><p></p><p><strong>8:09 PM</strong></p><p><strong>ખાનપુર ખાતે આવેલી પાર્ટી ઓફિસે વિજયોત્સવ કાર્યક્રમ</strong></p><p>સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાત કેસરિયા રંગે રંગાઈ ગયું છે. આ ચૂંટણીઓમાં ભાજપે 15 મનપા, 34માંથી 33 જિ.પં, 78 ન.પા. અને 253 તા.પં. પર ભવ્ય જીત મેળવી છે. પાર્ટીએ અમદાવાદના ખાનપુર ખાતે આવેલી પાર્ટી ઓફિસે વિજયોત્સવ કાર્યક્રમ યોજ્યો છે.<br><br><strong>6:50 PM</strong></p><p><strong>અંબાજીમાં મોટો રાજકીય પલટો: ભાજપના ગઢમાં 40 વર્ષ બાદ કોંગ્રેસની જીત</strong></p><p>અંબાજીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસે તાલુકા અને જિલ્લા પંચાયતની મુખ્ય બેઠકો જીત મેળવી છે. આવું થતા ભાજપના રાજકિય ગઢમાં 40 વર્ષ બાદ ગાબડું પડ્યું છે, ખાસ પરિણામને અંબાજી કોરિડોર વિકાસથી લોકોમાં અસંતોષ હોવાનું એક કારણ મનાવાય છે.</p><p></p><p><strong>6ઃ28 PM</strong></p><h2><strong>ખાડિયામાં જીત બદલ રાહુલ ગાંધીએ ઈમરાન ખેડાવાલાને આપ્યાં અભિનંદન</strong><br>બીજી તરફ ભાજપનો ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં દાયકાઓ બાદ ભાજપના સુપડાં સાફ થયા છે. ખાડિયાની ચારેય બેઠકો પર કોંગ્રેસની પેનલ વિજયી બની છે. જેને પગલે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને જીત બદલ અભિનંદન પાઠવ્યાં છે.<br><br><strong>6:20 PM</strong><br><strong>જીતની ભવ્ય ઉજવણી</strong></h2><p>ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે, ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતાં. કમલમ અને અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલય સહિત ઠેર-ઠેર ભાજપના કાર્યાલયો પર જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિજેતા ઉમેદવારો કેસરી સાફા સાથે ખાનપુર કાર્યાલય ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં. પ્રદેશ પ્રમુખની હાજરીમાં થશે વિજયોત્સવની ઉજવણી.</p><p><br><strong>6:00 PM</strong></p><p><strong>જીત બાદ સુરતમાં ભાજપે રસ્તા પર મમરા નાંખીને ઝાડુ ફેરવ્યું</strong></p><p>સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એકતરફી જીત અને વિપક્ષના સફાયા બાદ ભાજપના કાર્યકરોએ વિજયની ઉજવણી માટે એક અનોખો અને કટાક્ષમય માર્ગ અપનાવ્યો છે. સુરતના વોર્ડ નંબર ૪ માં કાર્યકર્તાઓએ રસ્તા પર મમરા વેરીને ત્યારબાદ તેના પર ઝાડુ મારીને સફાઈ કરી હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીના ચૂંટણી ચિન્હ 'ઝાડુ' પર કટાક્ષ કરવાનો હતો. ઉત્સાહમાં આવીને કાર્યકર્તાઓએ ઝાડુની સળીઓ ઉખેડી નાખી હતી અને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે વિરોધ પક્ષના 'સૂપડા સાફ' થઈ ગયા છે. રસ્તા પર મમરા વેરીને તેને સાફ કરવાની આ સમગ્ર પ્રક્રિયા દ્વારા વિરોધ પક્ષના અસ્તિત્વને સમેટાઈ ગયેલું દર્શાવવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન ભાજપના સમર્થકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને 'ઝાડુ'ના પ્રતીકને નિશાન બનાવીને કરવામાં આવેલી આ પ્રતીકાત્મક ઉજવણી હાલ સમગ્ર સુરતમાં રાજકીય ચર્ચાનો વિષય બની છે.</p><p><br><strong>5:30 PM</strong><br><strong>અમદાવાદ મનપાનું રસપ્રદ પરિણામ</strong><br>અમદાવાદ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૧ની ચૂંટણીઓના પરિણામોની તુલના કરતા રસપ્રદ વિગતો સામે આવી છે. બંને ચૂંટણીઓમાં ૪૮ વોર્ડ અને ૧૯૨ બેઠકોનું માળખું સમાન રહ્યું છે, જેમાં ભાજપે બંને વર્ષોમાં ૧૬૦ બેઠકો સાથે પોતાનું એકહથ્થુ વર્ચસ્વ જાળવી રાખ્યું છે. જોકે, કોંગ્રેસના દેખાવમાં સુધારો જોવા મળ્યો છે; વર્ષ ૨૦૨૧માં કોંગ્રેસે ૨૪ બેઠકો મેળવી હતી, જે વધીને ૨૦૨૬માં ૩૨ બેઠક પર પહોંચી છે. બીજી તરફ, ૨૦૨૧ની ચૂંટણીમાં જોવા મળેલું AIMIMનું ૭ બેઠકોનું પ્રતિનિધિત્વ અને અપક્ષની ૧ બેઠક ૨૦૨૬ના પરિણામોમાં જોવા મળતી નથી, જે દર્શાવે છે કે આ વખતે મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જ જંગ રહ્યો હતો.<br><strong><br>4:12 PM</strong></p><h2><strong>આખા પોરબંદરમાં લહેરાયો ભાજપનો ભગવો</strong></h2><p>પોરબંદર જિલ્લો સંપૂર્ણપણે 'કેસરીયા' રંગે રંગાયો છે. નવનિર્મિત પોરબંદર મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, ભાજપે વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા છે. ખાસ કરીને પોરબંદર મનપામાં કોંગ્રેસ અને અન્ય પક્ષોનો શરમજનક પરાજય થયો છે. નવી બનેલી પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. કુલ 52 બેઠકોમાંથી તમામ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. કોંગ્રેસ અહીં એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ રહી છે.<br><br><strong>4:05 PM</strong></p><h2><strong>AAP-કોંગ્રેસના જેલમાં બંધ ઉમેદવારોની જીત</strong></h2><p>જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 12માં બે બેઠકો આમ આદમી પાર્ટી મળી અને બે બેઠકો કોંગ્રેસને મળી. જ્યારે વોર્ડ નંબર 12 શહેરમાં સૌથી ચર્ચિત વોર્ડ હતો જ્યારે બંને ટોચના આરોપી જેલમાંથી ચૂંટણી વિજેતા થયા છે જે જામનગરની ઐતિહાસિક ઘટના કહી શકાય જ્યારે બંને ઉમેદવાર ગુજસીટોકના ગુના હેઠળ જેલમાં છે ત્યારે બંને ગુજ્સીટોકના આરોપીએ જેલમાંથી ચૂંટણી જીતી. અસલમ કરીમ ખીલજી (AAP), જનમબેન ખફી (AAP ), અલ્તાફ ગફાર ખફી ( કોંગ્રેસ), સહારાબેન મકવાણા (કોંગ્રેસ) આ રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોએ આ ચૂંટણીમાં જીત હાંસલ કરી.</p><p></p><p><img src="https://assests.offbeatstories.in/image/2026/04/28/Gujarat-Election-Result-new-image-1_15ede79e-55ed-4cbd-b4cd-fe013b6d4750.jpg"><br><strong>3:45 PM</strong><br><strong>આઝાદી પછી પ્રથમવખત જામનગરના વોર્ડ નં.1માં ભાજપની જીત:ધનસુખ ભંડેરી</strong></p><p>જામનગરના ભાજપના પ્રભારી ધનસુખભાઇ ભંડેરીનું નિવેદન સામે આવ્યું. આઝાદી પછી પ્રથમવખત જામનગરના વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઇ છે. આ ઉપરાંત રાજકોટમાં પણ વોર્ડ નંબર 15માં ભાજપે ખાતું ખોલ્યું છે અને પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠીયાને ભાજપના નિલેશ હેરભાએ હાર અપાવી છે. આખા ગુજરાતમાં આજ કેસરીયું વાતાવરણ છે.</p><p><br><strong>3:35 PM</strong><br><strong>રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય: કોંગ્રેસ-આપના સુપડા સાફ</strong></p><p>રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચતા પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. નગરપાલિકાની સ્થાપના બાદ પ્રથમ વખત ભાજપે આટલી મોટી જીત હાંસલ કરી છે. કુલ ૨૮ બેઠકોમાંથી ભાજપે ૨ બેઠક બિનહરીફ અને ૨૩ બેઠકો પર વિજય મેળવી કુલ ૨૫ બેઠકો સાથે સત્તા કબજે કરી છે. આ પરિણામો રાજપીપળાના રાજકીય ઇતિહાસમાં ખૂબ મહત્વના છે, કારણ કે પ્રથમ વખત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) બંનેના સુપડા સાફ થઈ ગયા છે અને કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ ગઈ છે. નગરપાલિકાની બાકીની ૩ બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા છે. ભાજપની આ ઐતિહાસિક જીતથી પક્ષના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.<br><br><strong>3:15 PM</strong><br><strong>લઘુમતી વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો</strong></p><p>અમદાવાદ શહેરના જમાલપુર, ખાડિયા, દાણીલીમડામાં ભાજપનો કારમો પરાજય. આ તમામ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ જીતી. લઘુમતી વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો. 70 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો અભેદ કિલ્લો ગણાતા ખાડિયામાં ગાબડું પડ્યું.<br><br><strong>2:55 PM</strong></p><h2><strong>અમદાવાદમાં વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં પડ્યું ગાબડું.</strong></h2><p>ચૂંટણી પરિણામોમાં ભાજપ માટે મોટો અપસેટ સામે આવ્યો છે. અમદાવાદમાં વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં ગાબડું પડ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરના ખાડિયા વોર્ડમાં ભાજપની હાર, કોંગ્રેસની પેનલ જીતી. ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા અને સ્થાનિક ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ભાજપ નેતા અને વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ વચ્ચે સોશિયલ મીડિયામાં ભારે વાક યુદ્ધ ચાલ્યું હતું. ત્યાર બાદ આવેલાં આ પરિણામો ખુબ સુચક ગણી શકાય.<br><br><strong>2:35 PM</strong><br><strong>નર્મદામાં AAPનો દબદબો:</strong></p><p>નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટી (AAP) એ શાનદાર પ્રદર્શન કરતા જિલ્લા પંચાયતની સત્તા કબજે કરી છે. ખાસ કરીને ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારની ત્રણેય તાલુકા પંચાયતોમાં 'આપ'એ સફળતા મેળવી ભાજપને મોટો ઝટકો આપ્યો છે. આ વિજય બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "અમારી પાર્ટીની જીત એ જનતાની જીત છે. એકબાજુ ઘમંડ, સત્તા અને રૂપિયાનું જોર હતું, જ્યારે બીજી બાજુ અમારી પાસે જનતાના કામોનું સમર્થન હતું." નર્મદામાં મળેલી આ જીતથી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.<br><br><strong>2:15 PM</strong></p><h2><strong>અમદાવાદ જિલ્લામાં ભાજપનો દબદબો: ત્રણ નગરપાલિકામાં ભગવો</strong></h2><p>અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ધોળકા નગરપાલિકામાં 36 માંથી 31 બેઠકો જીતી ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે. વિરમગામ નગરપાલિકામાં પણ ભાજપે પોતાનો દબદબો જાળવી રાખતા 36 માંથી 26 બેઠકો કબજે કરી છે. બીજી તરફ, બારેજા નગરપાલિકામાં પણ ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે, જ્યાં તેને 13 બેઠકો મળી છે, જ્યારે 11 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા છે.<br><br><strong>2:10 PM</strong></p><h2><strong>મહેસાણા ભાજપ કાર્યાલયના પટાવાળા બન્યા કોર્પોરેટર</strong></h2><p>મહેસાણા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર અને કમલમમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલ સહિત આખી પેનલનો વિજય થયો છે.<br><strong><br>2:07PM</strong><br><strong>અમદાવાદ મહાનગરપાલિકા: ભાજપની સત્તા જાળવી, ભવ્ય વિજય</strong></p><p>અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ચૂંટણીના પરિણામોમાં ભાજપે ફરી એકવાર ભગવો લહેરાવી પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. બહુમતી માટે જરૂરી 96 બેઠકોનો આંકડો ભાજપે વટાવી લીધો છે. અત્યાર સુધીના પરિણામો મુજબ જોધપુર, વેજલપુર, અમરાઈવાડી, ચાંદખેડા, નિકોલ, નવા વાડજ, ઈસનપુર, ગોતા, ચાંદલોડિયા, મણિનગર, સાબરમતી, શાહીબાગ અને અસારવા જેવા મહત્વના વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે. ભાજપની આ જીત સાથે શહેરમાં ફરી ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે.</p><p></p><p><strong>1:38 PM</strong></p><h2><strong>પક્ષ પલટો કરનાર રાજુ કરપડાની જીત</strong></h2><p>સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી બેઠક પર ખેડૂત આગેવાન અને ભાજપના ઉમેદવાર રાજુ કરપડાની જીત. રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવ્યાં હતાં.</p><p></p><h2><strong>1:30 PM</strong></h2><h2><strong>રાજકોટમાં નયનાબા જાડેજાનો પરાજય</strong></h2><p>રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા જાડેજાનો પરાજય થયો છે. આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી મેદાનમાં હતા, પરંતુ તેમને મતદારોનો પૂરતો ટેકો ન મળતા તેઓ વિજયી બની શક્યા નથી. તેમના પરાજયને રાજકોટના રાજકીય વર્તુળોમાં એક મહત્વના પરિણામ તરીકે જોવામાં આવી રહ્યો છે.<br><br><strong>1:28 PM</strong></p><h2><strong>ભાભર નગરપાલિકામાં ભાજપનો વિજય: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું</strong></h2><p>બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના ગઢ ગણાતા ભાભરમાં મોટું ગાબડું પાડ્યું છે. ભાભર નગરપાલિકાની તમામ 6 વોર્ડની કુલ 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે. કોંગ્રેસના ગઢમાં ભાજપની આ એકહથ્થુ જીતથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ભાભર નગરપાલિકામાં ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે.<br><br><strong>1:20 PM</strong><br><strong>હાસ્ય કલાકારના પુત્રની ભવ્ય જીત</strong><br>હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્રનો વિજય, લોધીકા જિલ્લા પંચાયત સીટ પર દિલીપભાઈ સરવૈયા 1100 મતે વિજેતા</p><p></p><h2><strong>1:08 PM</strong></h2><p><strong>સોશિયલ મીડિયા સ્ટાર હવે બન્યા મ્યુનિસિપલ કાઉન્સીલર</strong></p><p>ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ સોશિયલ મીડિયા સ્ટારને ભાજપે વડોદરાની અત્યંત મહત્વની એવી પોર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી હતી. હાલ પ્રદેશ ભાજપ યુવા મોરચા ના ઉપાધ્યક્ષ છે સાથે જ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂકી છે. વડોદરા જિલ્લાના પોર બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપના ઉમેદવાર અને સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની જીત થઈ છે.<br></p><p><img src="https://assests.offbeatstories.in/image/2026/04/10/ankita-parmar-1_702a57da-367e-4850-9444-ef56f7b7c3cc.jpg"></p><p><strong>12:55 PM</strong><br><strong>અમદાવાદ મનપાની બેઠકોમાં ભાજપની જીતનો સિલસિલો યથાવતઃ</strong></p><p>અમદાવાદ મનપાના સરદારનગર, સૌજપુર બોઘા, નવરંગપુરા, વસ્ત્રાલ, ગોતા, જોધપુર અને થલતેજ વોર્ડમાં ભાજપની જીત થઈ છે. પૂર્વ સ્ટેડિંગ કમિટિ ચેરમેન અને ભાજપના ઉમેદવાર હિતેશ બારોટે જીત બાદ કહ્યુંકે, થલતેજ વોર્ડને દેશનો સર્વ શ્રેષ્ઠ વોર્ડ બનાવીશું.<br><strong><br>12:44 PM</strong><br><strong>પૂર્વ આઈપીએસ અધિકારીની ચૂંટણીમાં હાર</strong><br>અરવલ્લીમાં ભાજપના ઉમેદવાર પૂર્વ IPS મનોજ નિનામાની ચૂંટણીમાં હાર<br><br><strong>12:33 PM</strong></p><h2><strong>5 વર્ષે ખુલ્યું કોંગ્રેસનું ખાતુંઃ</strong></h2><p>સુરત શહેરમાં 5 વર્ષે ખુલ્યું કોંગ્રેસનું ખાતું. સુરત મનપાના વોર્ડ નં-12 કોંગ્રેસના અરશદ જરીવાલાનો વિજય. આ જીતને કારણે કોંગ્રેસમાં ચોક્કસ એક વિશ્વાસ વધ્યો હશે.<br><br><strong>12:10 PM</strong><br><strong>7 મહાનગરપાલિકામાં ભાજપની જીત</strong><br>મોરબી, સુરેન્દ્રનગર, નડિયાદ, વાપી, નવસારી, પોરબંદર અને મહેસાણા સહિત 7 મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત.<br><br><strong>11:58 AM</strong></p><h2><strong>પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના વતનમાં AAPનું ખાતું ખુલ્યું, ભાજપને ફટકો</strong></h2><h2>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોરબંદર જિલ્લામાં પ્રથમવાર સફળતા મેળવી છે. પોરબંદર તાલુકા પંચાયતની મોઢવાડા બેઠક પર 'આપ'ના શાંતિ હિતેશ મોઢવાડિયા વિજેતા બન્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ બેઠક ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનું વતન હોવાથી અહીં ભાજપ માટે આ પરિણામ એક મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.<br><br><img src="https://assests.offbeatstories.in/image/2026/04/28/junagadh_bea3c731-2e1b-42d2-ae23-13925aa5242d.jpg"><br><strong>11:52 AM</strong></h2><h2><strong>ભૂપત ભાયાણીને જનતાનો જાકારો: ભેંસાણ બેઠક પર ભાજપનો પરાજય</strong></h2><p>જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેંસાણ સીટ પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો ૧૭૦૦ મતે પરાજય થયો છે. પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા ભાયાણીને આ વખતે ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ જનતાએ તેમને નકારી દીધા છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલિયાનો ભવ્ય વિજય થયો છે, જે પક્ષપલટુ નેતાઓ માટે એક મોટો સંદેશ છે. ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પક્ષ પલટો કરીને ભાજપમાં જતા રહ્યાં હતાં.<br><br><strong>11:50 AM</strong><br><strong>માયા આહીરની પુત્રીની હાર</strong></p><p>ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકા પંચાયતની બોરડા સીટમાં કોંગ્રેસ ઉમેદવાર ઝવેર ભાલીયા 367 મતે વિજેતા. હાસ્ય કલાકાર માયાભાઈ આહીરના દિકરા જયરાજ આહીર અને નવનીત બાલધિયા વચ્ચે મારામારીને કારણે ભારે વિવાદ ઉભો થયો હતો. ત્યાર બાદ નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા હતા. એવામાં માયા આહીરના ગામમાં કોંગ્રેસની જીત સુચક છે. માયાભાઈ આહીરની પુત્રની ચૂંટણીમાં હાર થઈ છે.<br><br><strong>11:35 AM</strong></p><p><strong>પરિણામો પર સરકાર અને સંગઠનની ચાંપતી નજર</strong></p><p>સમગ્ર રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ની મતગણતરી હાલ ચાલુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા સંગઠનના રત્નાકરજી પરિણામો પર નજર રાખી રહ્યા છે.<br></p><p><img src="https://assests.offbeatstories.in/image/2026/04/28/cm-dycm_ada6128e-b717-48f8-9c8d-3cecb16fdbfc.jpeg"><br><strong>11:25 AM</strong></p><p><strong>ભાજપના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના ગઢમાં ગાબડું</strong></p><p>સુરતમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના ગઢમાં ગાબડું પડ્યું. ઝંખવાવ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ. કોંગ્રેસના ઉમેદવાર કિશોર ચૌધરીએ 171 મતથી જીત મેળવી. ભાજપના ભાવના વસાવાની હાર થઈ. બીજી તરફ અસલમ સાયકલ વાલાનો દીકરો હારી ગયો, સુરતમાં વોર્ડ નંબર 19 માં ભાજપ જીતી ગઈ.<br><br><strong>11:20 AM</strong><br><strong>રાજકોટના જંગલેશ્વરમાં ભાજપને ડિમોલિશન નડ્યું, કોંગ્રેસની આખી પેનલની જીત</strong></p><p>રાજકોટમાં મનપાના વોર્ડ નંબર 16માં ભાજપને જંગલેશ્વર ડિમોલિશન નડ્યું, કોંગ્રેસની આખી પેનલ જીતી ગઈ છે. જ્યારે વોર્ડ નંબર 7માં ભાજપની પેનલનો વિજય થયો છે. રાજકોટના જસદણમાં તાલુકા પંચાયતની આટકોટ-2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મંજુલાબેન ઝીણાભાઈ વાસાણી 7 મતે જીત્યા રાજકોટમાં કોંગ્રેસની પેનલનો વિજય.<br><br><strong>11:10 AM</strong></p><p><strong>રાજકોટમાં AAPના ઉમેદવાર રાહુલ ભુવાની હાર</strong></p><p>રાજકોટના વોર્ડ નંબર 4 માં ભાજપના ઉમેદવાર કાળુભાઈ કુંગસિયા જીત થઈ. તો સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ ભુવાની હાર થઈ. આમ આદમી પાર્ટીના સૌથી મજબૂત ઉમેદવાર રાહુલ ભુવાની હાર થતા તેઓએ કહ્યું કે, રાહુલ ભુવાએ કહ્યું અમે લોકોના કામ કરતા રહેશો અને પ્રશ્નો ઉઠાવતા રહીશું. કમળ ચાલ્યું છે સાવરણો ચાલ્યો નથી.</p><p></p><p><img src="https://assests.offbeatstories.in/image/2026/04/28/Asaduddin-Owaisi_bc01eb19-accd-4c19-a6ec-c567361e89b9.jpg"><br><strong>11:03 AM</strong><br><strong>ભુજ નગરપાલિકામાં ઔવેસીના ઉમેદવારોની જીતઃ</strong></p><p>કચ્છના ભુજ નગરપાલિકામાં AIMIMનો વિજય. વોર્ડ નંબર 1 માં AIMIMના 3 ઉમેદવારોનો વિજય થયો. સરફરાઝ 3705, મુખ્તાર 3581 અને રોશન 3370 મતથી જીત થઈ. કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો. AIMIM નો કચ્છમાં પ્રવેશ થયો. <br><br><img src="https://assests.offbeatstories.in/image/2026/04/28/image_270d7f88-34c1-4eee-913d-cc509c070406.jpg"><br><strong>10:52 AM</strong></p><h2><strong>રાજકોટમાં કોંગ્રેસના ફેમસ ફેસ RJ આભાની હાર</strong></h2><p>રાજકોટ મહાનગર પાલિકા વોર્ડ નંબર 10 ના કોંગ્રેસના ઉમેદવાર RJ આભાની હાર થઈ છે. ત્યાં ભાજપની પેનલની જીત થઈ છે. આર.જે. આભા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ હતા. તેમના ફોલોઅર્સ પણ સારા એવા હતા સોશિયલ મીડિયામાં. જોકે, તેને તેઓ મતમાં પરિવર્તિત કરી શક્યા નહીં. જેને કારણે આખરે તેમને હારનો સામનો કરવાનો વારો આવ્યો. આમ તેમનું પણ મ્યુનિસિપલ કાઉન્સીલર બનવાનું સપનું પુરું થયું નહીં.<br><br><strong>10:40 AM</strong></p><h2><strong>આમ આદમી પાર્ટી માટે મોટો અપસેટઃ</strong></h2><p>AAPના દિગ્ગજ નેતા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર થઈ છે. મનોજ સોરઠીયાએ આ વખતે સુરત મનપામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું હતું. જોકે, સોરઠીયાના મ્યુનિસિપલ કાઉન્સીલર બનવાના સપના પર પાણી ફરી વળ્યું છે. સોરઠીયાની હારથી ગુજરાત AAPને મોટો ઝટકો લાગશે.<br><br><strong>10:35 AM</strong></p><h2><strong>મહેસાણા મનપા: ભાજપની શાનદાર જીત</strong></h2><p>મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રભુત્વ જાળવી રાખ્યું છે. વોર્ડ નંબર 1, 6 અને 10 માં ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે. અત્યાર સુધીના પરિણામો મુજબ, 5 બેઠકો બિનહરીફ અને 12 બેઠકો પર સ્પષ્ટ વિજય સાથે ભાજપે કુલ 17 બેઠકો પર ભગવો લહેરાવી લીધો છે. પરિણામો સાથે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.<br><br><strong>10:30 AM</strong></p><h2><strong>અમદાવાદમાં મતગણતરીનો પ્રારંભ, તંત્ર સજ્જ</strong></h2><p>અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ગુજરાત કોલેજ સહિતના કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસીપી-ડીસીપી જેવા ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ પારદર્શક પ્રક્રિયા હાથ ધરાઈ છે. દાણીલીમડા, નિકોલ, ગોતા, જોધપુર અને ચાંદખેડા સહિતના વોર્ડના સ્ટ્રોંગ રૂમ ખૂલી ચૂક્યા છે. પ્રથમ રાઉન્ડના પરિણામો આવતા જ શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે.</p><p><br><strong>10:28 AM</strong></p><p><strong>અમદાવાદમાં મતગણતરી માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા</strong></p><p>અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માટે જેસીપી નીરજ બડગુજરે સુરક્ષાની કડક વ્યવસ્થાની જાણકારી મીડિયા સમક્ષ આપી. ગુજરાત કોલેજ અને એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રો પર ત્રણ લેયરની સુરક્ષા પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે. સમગ્ર વિસ્તાર સીસીટીવીની બાજ નજર હેઠળ રહેશે. દરેક સ્તરે કડક ચેકિંગ અને પ્રવેશ પર નિયંત્રણ રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં ચૂંટણીમાં વિજેતા થનાર ઉમેદવારોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે.<br><br><strong>10:24 AM</strong></p><h2><strong>પંચમહાલમાં ભાજપનું પ્રભુત્વ: નગરપાલિકા અને પંચાયતોમાં ભગવો</strong></h2><p>પંચમહાલમાં ગોધરા અને શહેરા નગરપાલિકા સહિત 7 તાલુકા પંચાયતોની મતગણતરીમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું છે. ગોધરા વોર્ડ 1 અને શહેરા વોર્ડ-2માં ભાજપની પેનલ વિજેતા બની છે. આ ઉપરાંત જાંબુઘોડા, હાલોલ, શહેરા અને ગોધરા તાલુકાની વિવિધ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે. કંજરી જિલ્લા પંચાયત સહિત અનેક બેઠકો કબજે કરી ભાજપે પંચમહાલમાં મજબૂત પકડ જમાવી છે.<br><br><strong>10:17 AM</strong></p><h2><strong>મહીસાગરમાં કોંગ્રેસનું જોરદાર પ્રદર્શન</strong></h2><p>મહીસાગરમાં કોંગ્રેસે મહત્વની બેઠકો પર વિજય મેળવ્યો છે. કોઠંબા તાલુકા પંચાયતની ભોજા બેઠક પર કોંગ્રેસના રાધાબેન પટેલીયાનો ૧૦૮૩ મતો સાથે વિજય થયો છે. વધુમાં, કડાણા તાલુકાની અમથાણી બેઠક પર કોંગ્રેસના મંજુલાબેન ડામોર માત્ર ૨૪ મતોની પાતળી સરસાઈથી જીત્યા છે. ધારાસભ્ય કુબેર ડિંડોરના ગઢ ગણાતા કડાણામાં કોંગ્રેસની આ જીતને રાજકીય રીતે મોટું ગાબડું માનવામાં આવી રહ્યું છે.<br></p><p><strong>10:12 AM</strong><br><strong>વિવિધ જિલ્લાઓના પરિણામો</strong></p><p>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. ખેડામાં ભાજપના સંત કૃપા હરિકૃષ્ણ બારોટ અને સોનલબેન ભરવાડ, પંચમહાલમાં વીણાબેન નાયક (કંજરી) અને ઊર્મિલાબેન બારીયા (હીરાપુર), તેમજ તાપીમાં માયાબેન ગામીત વિજયી થયા છે. નવસારીની વેસ્મા બેઠક પર ભાજપના આશિષ પટેલ ૪૫૦ મતોથી વિજેતા બન્યા છે. બીજી તરફ, બનાસકાંઠાની આસેડા બેઠક પર કોંગ્રેસના ગીતાબેન લુણી અને નવસારીની અંકલાછ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. મહીસાગરના બાલાસિનોરમાં ભાજપના રાજેન્દ્રસિંહ સોલંકીએ નોંધપાત્ર લીડ મેળવી વિજય મેળવ્યો છે. વાંસદામાં ભાજપના મહેશ રાઠોડ પણ વિજેતા જાહેર થયા છે. વિવિધ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ઉમેદવારોના ભાવિ ખુલી રહ્યા છે.<br><br><strong>10:04 AM</strong></p><h2><strong>સ્થાનિક સ્વરાજ્ય: વિવિધ બેઠકો પર 'આપ'નો વિજય</strong></h2><p>આમ આદમી પાર્ટી (AAP) એ અમરેલીની નવી હડીયાલ, જૂનાગઢની અમરાપુર, અંબાલાસ, અંકોલવાડી, બંધાળા અને બરડિયા બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. આ ઉપરાંત પોરબંદરની અલીધ્રા અને સુરેન્દ્રનગરની ચરડવા બેઠક પર પણ 'આપ'ના ઉમેદવારો વિજેતા બનતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.<br><br><strong>10:01 AM</strong><br><strong>અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ</strong></p><p>અમદાવાદમાં પશ્ચિમ, બોડકદેવ, અડાલજ, મણિનગર અને નવરંગપુરામાં ભાજપની પેનલ આગળ છે, જ્યારે દાણીલીમડામાં કોંગ્રેસ આગળ છે. બરવાળા, સાવલી અને દાંતીવાડામાં ભાજપે વિજય નોંધાવ્યો છે. રાજકોટ મનપાના વોર્ડ ૧૬માં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. રાજ્યભરમાં ભાજપનું પલડું ભારે જણાઈ રહ્યું છે.<br><br><strong>9:55 AM</strong></p><h2><strong>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપનો દબદબો</strong></h2><p>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રારંભિક વલણોમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ઉના, બહુચરાજી, પાલનપુર અને વિરમગામમાં ભાજપની પેનલ વિજયી બની છે. સાથે જ કેશોદમાં ભાજપે ખાતું ખોલાવ્યું છે. જામનગર અને મહેસાણામાં ભાજપ આગળ છે, જ્યારે સુરત અને વલસાડ મનપાના વિવિધ વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.<br><br><strong>9:45 AM</strong></p><h2><strong>સુરત મહાનગરપાલિકામાં મતગણતરીનો પ્રારંભ</strong></h2><p>સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો માટે આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરના મજુરા વિસ્તારમાં આવેલી ગાંધી એન્જિનિયરિંગ ગવર્મેન્ટ કોલેજ ખાતે તમામ 30 વોર્ડની મતગણતરી એક જ સ્થળે કરવામાં આવી રહી છે, જે પ્રથમ વખત આયોજિત કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની કુલ 120 બેઠકો માટે મેદાનમાં રહેલા 483 ઉમેદવારોના ભાવિ આજે સ્પષ્ટ થશે. આ પ્રક્રિયા માટે આશરે 2,000 જેટલો કર્મચારી સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે, જેઓ 5 થી 10 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરશે. વર્તમાન ગરમીના વાતાવરણને ધ્યાનમાં રાખીને મતગણતરીના સ્થળ પર ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં મંડપ, પીવાનું પાણી, પંખા અને કુલરની સુવિધા ઉપલબ્ધ છે. સુરક્ષાની દ્રષ્ટિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 4 ડીસીપી, 4 એસીપી, 30 પીઆઈ અને 15 પીએસઆઈ સહિત કુલ 550 પોલીસ જવાનો તૈનાત રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.</p><p></p><h2><strong>9:40 AM</strong></h2><h2><strong>ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીનો આરંભ</strong></h2><p>ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો માટે આજે સવારથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ સવારે 8:45 કલાકે સ્ટ્રોંગરૂમમાંથી પોસ્ટલ બેલેટ અને ઈવીએમ મશીનો રિલીઝ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બરાબર 9 વાગ્યાથી તમામ કેન્દ્રો પર મતગણતરીનો વિધિવત પ્રારંભ થયો હતો, જેમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટ અને બાદમાં ઈવીએમ મશીનોના મતોની ગણતરી હાથ ધરવામાં આવી છે. મતગણતરી માટે જિલ્લાભરમાં અલગ-અલગ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ગાંધીનગર જિલ્લા પંચાયત માટે સેક્ટર-15 કોલેજ ખાતે, દહેગામ નગરપાલિકા માટે મ્યુનિસિપલ બોયઝ સ્કૂલ અને તાલુકા પંચાયત માટે જી.એમ.એન.એલ. કોલેજ ખાતે મતગણતરી યોજાઈ રહી છે. તેવી જ રીતે કલોલ નગરપાલિકા માટે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, કલોલ તાલુકા પંચાયત માટે સ્વામિનારાયણ ગુરુકુલ અને માણસા તાલુકા પંચાયત માટે શેઠ એમ.ડી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે. પ્રશાસન દ્વારા તમામ સ્થળોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરિણામો જાહેર થાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.</p><p></p><p><strong>આ પણ વાંચોઃ</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/bharuch-jhagadia-factory-fire-chaitar-vasava-controversy-6689734252">ઝઘડીયા ફેક્ટરી કાંડમાં મૃતકના ભાઈ અને ચૈતર વસાવા વચ્ચે લાફાલાફી! : AAP ના MLA પર પૈસા લીધાનો આક્ષેપ!</a></p><p></p><h2><strong>Gujarat Local Body Election 2026 Results Live Update: </strong>ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ હવે પરિણામોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થતાં જ રાજ્યભરમાં રાજકીય ગરમાવો ફરી એકવાર તેજ બન્યો છે. 26 હજારથી વધુ બેઠકોના પરિણામો હવે તબક્કાવાર જાહેર થવા લાગ્યા છે. ગુજરાતની 15 મહા નગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ઈવીએમના આંકડાઓ આજે હજારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ઉલ્લેખનીય છેકે, 42 ડિગ્રી ગરમીની વચ્ચે 26 એપ્રિલ 2026ને રવિવારના રોજ આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.</h2><p></p><h2><strong>કુલ કેટલી બેઠકો પર થયું હતું મતદાન?</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95+%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80+%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%93">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ</a>ને 2027ની આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની ફાઈનલ પહેલાંની સેમિફાઈનલ માનવામાં આવે છે. એ જ કારણ છેકે, ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોની આ ચૂંટણીના પરિણામો પર બાજ નજર છે. ઉલ્લેખનીય છેકે, રાજ્યની 15 મહા નગરપાલિકામાં 49% અને 84 નગરપાલિકામાં 59% મતદાન થયું હતું, જ્યારે 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં અનુક્રમે 61 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે 24 એપ્રિલે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે, લોકસભા અને વિધાનસભાનો લિટમસ ટેસ્ટ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 732 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 28 Apr 2026 04:04:33 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/28/Gujarat-Election-Result-new_a0a9fca4-46b1-421c-ad3a-20abadac2f03.jpg" medium="image" type="image/jpg" />
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/28/Gujarat-Election-Result-new-image-1_15ede79e-55ed-4cbd-b4cd-fe013b6d4750.jpg" medium="image" /><media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/10/ankita-parmar-1_702a57da-367e-4850-9444-ef56f7b7c3cc.jpg" medium="image" /><media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/28/junagadh_bea3c731-2e1b-42d2-ae23-13925aa5242d.jpg" medium="image" /><media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/28/cm-dycm_ada6128e-b717-48f8-9c8d-3cecb16fdbfc.jpeg" medium="image" /><media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/28/Asaduddin-Owaisi_bc01eb19-accd-4c19-a6ec-c567361e89b9.jpg" medium="image" /><media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/28/image_270d7f88-34c1-4eee-913d-cc509c070406.jpg" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં મતગણતરી પહેલા જ જીતની ઉજવણી!: કાર્યકરોમાં આત્મવિશ્વાસ કે ઉતાવળ?]]></title>
                <link>https://offbeatstories.in/news/bjp-celebration-before-results-ward-7-8-9-315483135</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/bjp-celebration-before-results-ward-7-8-9-315483135</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/bjp-celebration-before-results-ward-7-8-9-315483135" />
                <description><![CDATA[વોર્ડ 7, 8, 9ના મધ્યસ્થ કાર્યાલયે ભાજપે પરિણામ પહેલા જ જીતની ઉજવણી કરી, ફટાકડા ફોડાયા.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/27/rajkot-jashn_61b80010-adc7-4910-88ec-8a1c2ef58df4.jpg" alt="જીતની ઉજવણી કરતાં ઉમેદવારો" />
                  </div>
                  <p>નગરપાલિકાના પરિણામો જાહેર થાય તે પહેલાં જ ભાજપના કાર્યકરો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વોર્ડ નંબર 7, 8 અને 9 ના મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને આનંદ વ્યક્ત કરીને જીતની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે સત્તાવાર પરિણામો હજી જાહેર થવાના બાકી હતા.<br></p><p>મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કાર્યકરો મોટી સંખ્યામાં મધ્યસ્થ કાર્યાલયે એકત્ર થયા હતા. ત્યારબાદ ફટાકડા ફોડી ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ દૃશ્યો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે સામાન્ય રીતે પરિણામોની સત્તાવાર જાહેરાત પછી જ આવી ઉજવણી જોવા મળે છે.<br></p><h2><strong>કાર્યકરોમાં આત્મવિશ્વાસ કે ઉતાવળ?</strong></h2><p>ભાજપના કાર્યકરોમાં આ પ્રકારની ઉજવણીથી સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાના પ્રદર્શન અંગે ખૂબ આત્મવિશ્વાસમાં હતા. <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95+%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF+%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80">ચૂંટણી </a>પ્રચાર દરમિયાન મળેલા પ્રતિસાદ અને મતદાનના પેટર્નના આધારે તેઓએ જીતનો દાવો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.<br></p><p>જો કે, રાજકીય નિરીક્ષકોના મતે પરિણામ પહેલાં ઉજવણી કરવી એ ઉતાવળ ગણાવી શકાય છે, કારણ કે મતગણતરી દરમિયાન પરિસ્થિતિ બદલાઈ શકે છે. આ પ્રકારની ઘટનાથી રાજકીય સંસ્કૃતિ અને આદર્શ આચારસંહિતા અંગે પણ ચર્ચા ઊભી થઈ છે.<br></p><h2><strong>નિયમો અને આચારસંહિતા અંગે પ્રશ્નો</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95+%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF+%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80">ચૂંટણી </a>પંચ દ્વારા મતદાન પૂર્ણ થયા બાદ અને પરિણામ જાહેર થાય ત્યાં સુધી કેટલાક નિયંત્રણો લાગુ હોય છે. આ દરમિયાન ફટાકડા ફોડવા અને જાહેર ઉજવણી કરવી યોગ્ય છે કે નહીં તે અંગે પ્રશ્નો ઊભા થયા છે.<br></p><p>જો કે, આ બાબતે સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગે માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દાને ઉઠાવવામાં આવી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.<br></p><h2><strong>રાજકીય પ્રતિક્રિયાઓની રાહ</strong></h2><p>આ ઘટનાને લઈને અન્ય રાજકીય પક્ષો અને નેતાઓની પ્રતિક્રિયા શું રહેશે તે જોવાનું રહેશે. ખાસ કરીને પરિણામ જાહેર થયા બાદ આ ઉજવણી યોગ્ય હતી કે નહીં તે અંગે વધુ ચર્ચા થઈ શકે છે.<br></p><p>સ્થાનિક સ્તરે આ ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. કાર્યકરોના ઉત્સાહ અને આત્મવિશ્વાસ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી હોવાનું નિષ્ણાતો માને છે.<br></p><h2><strong>આ પણ ખાસ વાંચોઃ</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-local-body-elections-record-voting-city-rural-analysis-7036213459">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો કયા પક્ષને બતાવી ગરમી? : ભાજપ કે કોંગ્રેસ કોને મળ્યાં વધારે મત? જાણો મતદાનની સંપૂર્ણ અપડેટ</a></h2><p></p><h2><strong>પરિણામો શું કહે છે તે મહત્વનું</strong></h2><p>હવે તમામની નજર મતગણતરીના પરિણામો પર છે. જો ભાજપને વોર્ડ 7, 8 અને 9માં જીત મળે છે તો આ ઉજવણીને આત્મવિશ્વાસ તરીકે જોવામાં આવશે, પરંતુ જો પરિણામ વિપરીત આવે છે તો આ ઘટના રાજકીય રીતે ચર્ચાસ્પદ બની શકે છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 27 Apr 2026 06:59:18 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/27/rajkot-jashn_61b80010-adc7-4910-88ec-8a1c2ef58df4.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[સ્થાનિક સ્વરાજ્યની છેલ્લી બે ચૂંટણીઓની સરખામણીએ આ વખતે કેવી છે સ્થિતિ?: જાણો આ વખતે મતદાનમાં કોને પડ્યો માર અને કોને ખાધો માલ]]></title>
                <link>https://offbeatstories.in/news/gujarat-local-elections-bjp-congress-analysis-2015-2021-trend-0472116465</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gujarat-local-elections-bjp-congress-analysis-2015-2021-trend-0472116465</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gujarat-local-elections-bjp-congress-analysis-2015-2021-trend-0472116465" />
                <description><![CDATA[2015થી 2021 સુધીના ટ્રેન્ડ બાદ હવે ત્રીજી મોટી કસોટી; ભાજપ ગઢ જાળવી શકશે કે કોંગ્રેસ બાજી મારશે?]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/27/Gujarat-Election-Result_8db26b98-f4c1-45f9-8dd6-6f523e6ef069.jpg" alt="Gujarat Local Body Election Analysis" />
                  </div>
                  <h2><strong>Gujarat Local Body Election Analysis:</strong> ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લઈને ભારે આતુરતા જોવા મળી રહી છે. છેલ્લા બે ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યનું રાજકારણ શહેર અને ગામડાં વચ્ચે સ્પષ્ટ રીતે વહેંચાયેલું દેખાય છે. 2015 અને 2021ની ચૂંટણીઓ માત્ર સત્તા બદલાવનો પ્રશ્ન નહોતો, પરંતુ મતદાતાઓના મનોભાવ અને રાજકીય વલણમાં આવેલા ફેરફારોનો દર્પણ પણ હતો. હવે 2026ની ચૂંટણીના પરિણામો એ જ ટ્રેન્ડ આગળ વધે છે કે નવો વળાંક લાવે છે તે જોવાનું રહ્યું.</h2><p></p><h2>2015ની ચૂંટણીમાં ભાજપે શહેરી વિસ્તારોમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર જેવી તમામ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ખાસ કરીને અમદાવાદમાં 192માંથી 142 બેઠકો અને સુરતમાં 116માંથી 80 બેઠકો જીતવી એ શહેરોમાં ભાજપની લોકપ્રિયતા દર્શાવતું હતું. જોકે રાજકોટમાં કોંગ્રેસે 34 બેઠકો મેળવીને ભાજપને ટક્કર આપી હતી, જે શહેરોમાં પણ સ્પર્ધા જીવંત હોવાનો સંકેત હતો.<br><strong><br>વર્ષ 2015ની ચૂંટણીના મતદાનના આંકડાઃ</strong></h2><p></p><table class="tiptap-table" style="min-width: 100px;"><colgroup><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"></colgroup><tbody><tr><th colspan="1" rowspan="1"><p>સંસ્થા</p></th><th colspan="1" rowspan="1"><p>પુરુષ</p></th><th colspan="1" rowspan="1"><p>મહિલા</p></th><th colspan="1" rowspan="1"><p>કુલ</p></th></tr><tr><td colspan="1" rowspan="1"><p>મહાનગરપાલિકા</p></td><td colspan="1" rowspan="1"><p>25,66,087</p></td><td colspan="1" rowspan="1"><p>18,03,700</p></td><td colspan="1" rowspan="1"><p>43,69,787</p></td></tr><tr><td colspan="1" rowspan="1"><p>જિલ્લા પંચાયત</p></td><td colspan="1" rowspan="1"><p>82,45,165</p></td><td colspan="1" rowspan="1"><p>71,47,080</p></td><td colspan="1" rowspan="1"><p>1,53,92,245</p></td></tr><tr><td colspan="1" rowspan="1"><p>તાલુકા પંચાયત</p></td><td colspan="1" rowspan="1"><p>83,71,414</p></td><td colspan="1" rowspan="1"><p>71,80,874</p></td><td colspan="1" rowspan="1"><p>1,55,62,488</p></td></tr><tr><td colspan="1" rowspan="1"><p>નગરપાલિકા</p></td><td colspan="1" rowspan="1"><p>12,38,604</p></td><td colspan="1" rowspan="1"><p>10,58,938</p></td><td colspan="1" rowspan="1"><p>22,97,542</p></td></tr></tbody></table><p></p><h2><strong>ગામડાંઓમાં 2015માં ભાજપને ઝટકો</strong></h2><p>શહેરોમાં મજબૂત પ્રદર્શન છતાં 2015ની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો હતો. જિલ્લા પંચાયતોમાં ભાજપ માત્ર 8 પર સીમિત રહ્યો, જ્યારે કોંગ્રેસે 23 જિલ્લા પંચાયતો જીતીને ગામડાંઓમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી. તાલુકા પંચાયતોમાં પણ ભાજપને નુકસાન થયું હતું અને કોંગ્રેસે 130થી વધુ તાલુકાઓમાં સત્તા મેળવી હતી. આ પરિસ્થિતિએ સ્પષ્ટ કર્યું હતું કે શહેરોમાં ભાજપનો દબદબો હોવા છતાં ગામડાંઓમાં અસંતોષ અને સ્થાનિક મુદ્દાઓએ કોંગ્રેસને મજબૂત બનાવ્યા હતા. તે સમયના રાજકીય વિશ્લેષકો માને છે કે કૃષિ, પાણી અને સ્થાનિક શાસન સંબંધિત પ્રશ્નો ભાજપ માટે પડકારરૂપ બન્યા હતા.</p><p></p><h2><strong>વર્ષ 2021ની ચૂંટણીના મતદાનના આંકડાઃ</strong></h2><p></p><table class="tiptap-table" style="min-width: 100px;"><colgroup><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"></colgroup><tbody><tr><th colspan="1" rowspan="1"><p>સંસ્થા</p></th><th colspan="1" rowspan="1"><p>પુરુષ</p></th><th colspan="1" rowspan="1"><p>મહિલા</p></th><th colspan="1" rowspan="1"><p>કુલ</p></th></tr><tr><td colspan="1" rowspan="1"><p>મહાનગરપાલિકા</p></td><td colspan="1" rowspan="1"><p>29,80,433</p></td><td colspan="1" rowspan="1"><p>23,02,976</p></td><td colspan="1" rowspan="1"><p>52,83,409</p></td></tr><tr><td colspan="1" rowspan="1"><p>જિલ્લા પંચાયત</p></td><td colspan="1" rowspan="1"><p>86,43,357</p></td><td colspan="1" rowspan="1"><p>75,84,821</p></td><td colspan="1" rowspan="1"><p>1,62,28,178</p></td></tr><tr><td colspan="1" rowspan="1"><p>તાલુકા પંચાયત</p></td><td colspan="1" rowspan="1"><p>89,32,168</p></td><td colspan="1" rowspan="1"><p>78,29,386</p></td><td colspan="1" rowspan="1"><p>1,67,61,554</p></td></tr><tr><td colspan="1" rowspan="1"><p>નગરપાલિકા</p></td><td colspan="1" rowspan="1"><p>15,09,089</p></td><td colspan="1" rowspan="1"><p>13,01,182</p></td><td colspan="1" rowspan="1"><p>28,10,271</p></td></tr></tbody></table><p></p><h2><strong>2021માં ભાજપનો પ્રચંડ કમબેક</strong></h2><p>2015ના ઝટકાથી શીખ લઈને ભાજપે ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની વ્યૂહરચના મજબૂત કરી અને 2021ની ચૂંટણીમાં તેનું પરિણામ સ્પષ્ટ જોવા મળ્યું. આ ચૂંટણી ભાજપ માટે ઐતિહાસિક સાબિત થઈ હતી, કારણ કે તેણે માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગામડાંઓમાં પણ ક્લીન સ્વીપ કર્યો હતો. </p><p></p><p>મહાનગરપાલિકાઓમાં ભાજપે ફરીથી તમામ 6 કોર્પોરેશનમાં વિજય મેળવ્યો અને કુલ 576માંથી 483 બેઠકો જીતી. બીજી તરફ કોંગ્રેસ માત્ર 55 બેઠકો સુધી સીમિત રહી. ખાસ નોંધપાત્ર બાબત એ હતી કે સુરતમાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો, જે ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવી.</p><p></p><p>જિલ્લા પંચાયતોમાં ભાજપે તમામ 31 જિલ્લા પંચાયતો જીતતા રાજકીય ઈતિહાસ રચ્યો. કુલ 980માંથી 800 બેઠકો ભાજપે જીતવી એ તેની સંગઠન ક્ષમતા અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતી પકડ દર્શાવે છે. કોંગ્રેસ માત્ર 169 બેઠકો સુધી સીમિત રહી ગઈ હતી.</p><p></p><h2><strong>તાલુકા અને નગરપાલિકાઓમાં પણ ભાજપનો દબદબો</strong></h2><p>તાલુકા પંચાયતોમાં પણ ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું. કુલ 4774 બેઠકોમાંથી ભાજપે 3351 બેઠકો જીતી અને 196 તાલુકા પંચાયતોમાં સત્તા મેળવી. કોંગ્રેસને માત્ર 1252 બેઠકો અને 33 તાલુકાઓમાં સત્તા મળી. આ આંકડાઓ દર્શાવે છે કે ગ્રામ્ય રાજકારણમાં ભાજપે 2015ની તુલનામાં મોટો ફેરફાર લાવ્યો હતો. નગરપાલિકાઓમાં પણ ભાજપે 2720માંથી 2085 બેઠકો જીતતા કોંગ્રેસને પાછળ છોડી દીધી હતી. કોંગ્રેસ 602 બેઠકો સુધી સીમિત રહી હતી, જે તેની ઘટતી રાજકીય અસર બતાવે છે.</p><p></p><h2><strong>આ પણ ખાસ વાંચોઃ</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-local-body-elections-record-voting-city-rural-analysis-7036213459">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો કયા પક્ષને બતાવી ગરમી? : ભાજપ કે કોંગ્રેસ કોને મળ્યાં વધારે મત? જાણો મતદાનની સંપૂર્ણ અપડેટ</a></h2><p></p><h2><strong>6 મનપામાં છેલ્લી 4 ચૂંટણી કરતાં વધુ મતદાનઃ</strong></h2><p></p><table class="tiptap-table" style="min-width: 150px;"><colgroup><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"></colgroup><tbody><tr><th colspan="1" rowspan="1"><p>મહાનગરપાલિકા</p></th><th colspan="1" rowspan="1"><p>2005</p></th><th colspan="1" rowspan="1"><p>2010</p></th><th colspan="1" rowspan="1"><p>2015</p></th><th colspan="1" rowspan="1"><p>2021</p></th><th colspan="1" rowspan="1"><p>2026</p></th></tr><tr><td colspan="1" rowspan="1"><p>અમદાવાદ</p></td><td colspan="1" rowspan="1"><p>30%</p></td><td colspan="1" rowspan="1"><p>44%</p></td><td colspan="1" rowspan="1"><p>47%</p></td><td colspan="1" rowspan="1"><p>43%</p></td><td colspan="1" rowspan="1"><p>46%</p></td></tr><tr><td colspan="1" rowspan="1"><p>વડોદરા</p></td><td colspan="1" rowspan="1"><p>44%</p></td><td colspan="1" rowspan="1"><p>44%</p></td><td colspan="1" rowspan="1"><p>49%</p></td><td colspan="1" rowspan="1"><p>48%</p></td><td colspan="1" rowspan="1"><p>47%</p></td></tr><tr><td colspan="1" rowspan="1"><p>ભાવનગર</p></td><td colspan="1" rowspan="1"><p>39%</p></td><td colspan="1" rowspan="1"><p>45%</p></td><td colspan="1" rowspan="1"><p>47%</p></td><td colspan="1" rowspan="1"><p>49%</p></td><td colspan="1" rowspan="1"><p>47%</p></td></tr><tr><td colspan="1" rowspan="1"><p>રાજકોટ</p></td><td colspan="1" rowspan="1"><p>40%</p></td><td colspan="1" rowspan="1"><p>41%</p></td><td colspan="1" rowspan="1"><p>50%</p></td><td colspan="1" rowspan="1"><p>51%</p></td><td colspan="1" rowspan="1"><p>47%</p></td></tr><tr><td colspan="1" rowspan="1"><p>સુરત</p></td><td colspan="1" rowspan="1"><p>40%</p></td><td colspan="1" rowspan="1"><p>42%</p></td><td colspan="1" rowspan="1"><p>40%</p></td><td colspan="1" rowspan="1"><p>45%</p></td><td colspan="1" rowspan="1"><p>55%</p></td></tr><tr><td colspan="1" rowspan="1"><p>જામનગર</p></td><td colspan="1" rowspan="1"><p>44%</p></td><td colspan="1" rowspan="1"><p>50%</p></td><td colspan="1" rowspan="1"><p>57%</p></td><td colspan="1" rowspan="1"><p>54%</p></td><td colspan="1" rowspan="1"><p>52%</p></td></tr><tr><td colspan="1" rowspan="1"><p>સેન્સેરા</p></td><td colspan="1" rowspan="1"><p>39%</p></td><td colspan="1" rowspan="1"><p>45%</p></td><td colspan="1" rowspan="1"><p>48%</p></td><td colspan="1" rowspan="1"><p>48%</p></td><td colspan="1" rowspan="1"><p>49%</p></td></tr></tbody></table><p></p><h2>ઉલ્લેખનીય છેકે, આ વખતે <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95+%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80+%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80%E0%AA%93">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ</a>માં ગુજરાતમાં સરેરાશ 44 ટકા ગરમી વચ્ચે મતદારોએ સરેરાશ 60 ટકા જેટલું મતદાન કરીને પોતાનો મિજાજ બતાવ્યો. જોકે, શહેરોમાં મતદાન પહેલાં કરતા ઘટ્યું. બીજી તરફ ગામડાંઓમાં પણ 2021ની સરખામણીએ મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે. SIR પછી ઓછું મતદાન થયું હોવાની રાડ પણ ઉભી થઈ છે. ખાસ કરીને 15 મહાનગરપાલિકામાં સૌથી ઓછું 50% જેટલું જ મતદાન થયું છે. કુલ 4.08 કરોડમાંથી 1.70 કરોડ મતદારોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું.<br><br><strong>હવે શું સંકેત આપે છે હાલની સ્થિતિ?</strong></h2><p>હાલની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે અને પરિણામોની રાહ જોવામાં આવી રહી છે. ઉમેદવારોનું ભાવિ હવે EVMમાં કેદ છે, પરંતુ છેલ્લા બે ચૂંટણીના ટ્રેન્ડ પરથી કેટલાક મહત્વપૂર્ણ સંકેતો મળે છે. શહેરોમાં ભાજપની પકડ હજુ પણ મજબૂત ગણાય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાતાઓનો મૂડ બદલાય છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, માટે આ ચૂંટણી ‘પુનરાગમન’ની તક બની શકે છે જો તેઓ સ્થાનિક મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવી શકે. સાથે જ આમ આદમી પાર્ટી જેવા નવા ખેલાડીઓ પણ ચૂંટણીના પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.</p><h2></h2><h2><strong>ચૂંટણી પરિણામોની કેવી પડશે રાજકીય અસર?</strong></h2><p>આ ચૂંટણીના પરિણામો માત્ર સત્તા કોના હાથમાં જશે તે નક્કી નહીં કરે, પરંતુ ગુજરાતના રાજકારણની આગામી દિશા પણ નક્કી કરશે. ભાજપ પોતાનો ગઢ અકબંધ રાખે છે કે નહીં, કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી મજબૂત બને છે કે નહીં, અને ત્રીજો વિકલ્પ કેટલો પ્રભાવ પેદા કરે છે- આ તમામ પ્રશ્નોના જવાબ પરિણામો સાથે સ્પષ્ટ થશે. એક વાત ચોક્કસ છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે માત્ર સ્થાનિક મુદ્દાઓ સુધી સીમિત નથી રહી, પરંતુ રાજ્યની રાજકીય દિશા અને શક્તિ સંતુલન નક્કી કરતી મહત્વપૂર્ણ કસોટી બની ગઈ છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 27 Apr 2026 06:14:36 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/27/Gujarat-Election-Result_8db26b98-f4c1-45f9-8dd6-6f523e6ef069.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ: એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-gas-cylinder-blast-hansraj-nagar-314001428</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-gas-cylinder-blast-hansraj-nagar-314001428</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-gas-cylinder-blast-hansraj-nagar-314001428" />
                <description><![CDATA[રાજકોટના હંસરાજ નગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 5 લોકો દાઝ્યા, બેની હાલત ગંભીર. તપાસ ચાલુ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/25/rajkot-lpg-blast_fcaf4df2-2509-4d58-8f2a-4837cbd9b175.jpg" alt="રાજકોટમાં LPG બ્લાસ્ટ બાદ આવેલી એમ્બ્યુલન્સ" />
                  </div>
                  <p>રાજકોટ શહેરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસે હંસરાજ નગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે આ દુર્ઘટના બની હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ઘરની ઓરડી ઉપર મૂકાયેલા પતરાં કાગળની જેમ ઉડી ગયા અને આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો ધ્રુજારો અનુભવાયો હતો.<br></p><p>ધડાકાનો મોટો અવાજ સાંભળતા જ આસપાસના લોકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાઈ ગયો હતો. લોકો તરત જ પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. સ્થળ પર ગભરાટભર્યું દૃશ્ય સર્જાયું હતું, જ્યાં આગની જ્વાળાઓ અને ધુમાડાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.<br></p><h2><strong>એક જ પરિવારના પાંચ સભ્યો દાઝ્યા</strong></h2><p>મળતી માહિતી મુજબ, હંસરાજ નગરમાં ભાડાની ઓરડીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના સતંદર ચૌહાણ (ઉ.વ.26), પરવેઝ ચૌહાણ (ઉ.વ.26), વિશાલ ચૌહાણ (ઉ.વ.23), શિવમ ચૌહાણ (ઉ.વ.23) અને રિમાબેન નિતેશભાઈ પનોજીયા (ઉ.વ.23) ઘટનાના સમયે ઘરમાં હાજર હતા. આ દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી અને તમામ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.<br></p><p>ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબી સૂત્રો મુજબ, પાંચમાંથી બે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે અન્યને પણ દાઝી જવાથી નોંધપાત્ર ઇજાઓ પહોંચી છે.<br></p><h2><strong>નવો સિલિન્ડર લીકેજ હોવાની આશંકા</strong></h2><p>પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઘટના પહેલા ગેસનો બાટલો ખાલી થઈ જતાં નવો સિલિન્ડર લગાવવામાં આવ્યો હતો. અનુમાન છે કે આ નવો સિલિન્ડર લીકેજ હોઈ શકે છે. ગેસ ચાલુ કરતા જ આગ ભભૂકી ઉઠી અને થોડી જ ક્ષણોમાં વિસ્ફોટ થયો હતો.<br></p><p>આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ગેસ સિલિન્ડરની ગુણવત્તા અને કનેક્શનની તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદ લેવામાં આવી રહી છે.<br></p><h2><strong>પરિવારજનોનો આક્રંદ, કારણ અંગે અનિશ્ચિતતા</strong></h2><p>બનાવ અંગે પરિવારજનોમાં ભારે દુઃખ અને ચિંતા જોવા મળી રહી છે. ઘટનાની માહિતી આપતા પિંકીબેન ચૌહાણે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 9:30 વાગ્યે ઘરમાં રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે અચાનક આ દુર્ઘટના બની હતી.<br></p><p>તેમણે જણાવ્યું કે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. “બે લોકોની હાલત ગંભીર છે, જ્યારે અન્યને પણ ગંભીર ઈજા પહોંચી છે. ડૉક્ટરો યોગ્ય સારવાર આપે અને તમામ ઝડપથી સ્વસ્થ થાય તે અમારી માંગ છે,” એમ તેમણે કહ્યું.<br></p><p>પિંકીબેને વધુમાં ઉમેર્યું કે આ દુર્ઘટના કેમ બની તે અંગે તેઓ પોતે પણ અજાણ છે.</p><p><br><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/paresh-goswami-quits-aap-gujarat-politics-179539756"><strong>ગુજરાતમાં AAP ને મોટો ઝટકો : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પાર્ટીનો સાથ છોડ્યો</strong></a></p><p></p><h2><strong>વિસ્તારમાં ચિંતાનો માહોલ, તપાસ ચાલુ</strong></h2><p>ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોએ ઝડપી મદદ પહોંચાડી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં સહાય કરી. હાલ સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છે અને લોકોમાં ભય વ્યાપી ગયો છે.<br></p><p>પોલીસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. FSL રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે બ્લાસ્ટનું મૂળ કારણ શું હતું? લીકેજ, ટેક્નિકલ ખામી કે અન્ય કોઈ પરિબળ.<br></p><p>આ ઘટના ફરી એકવાર ગેસ સિલિન્ડર સુરક્ષા અંગે સવાલો ઊભા કરે છે. નિષ્ણાતોનું માનવું છે કે ગેસ સિલિન્ડર વાપરતી વખતે નિયમિત ચેકિંગ, યોગ્ય કનેક્શન અને સાવચેતી જરૂરી છે જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 25 Apr 2026 10:32:23 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/25/rajkot-lpg-blast_fcaf4df2-2509-4d58-8f2a-4837cbd9b175.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ગુજરાતમાં AAP ને મોટો ઝટકો: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પાર્ટીનો સાથ છોડ્યો]]></title>
                <link>https://offbeatstories.in/news/paresh-goswami-quits-aap-gujarat-politics-179539756</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/paresh-goswami-quits-aap-gujarat-politics-179539756</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/paresh-goswami-quits-aap-gujarat-politics-179539756" />
                <description><![CDATA[હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ AAP છોડતા ખેડૂતોના હિત મુદ્દે પાર્ટી પર સવાલ ઉઠાવ્યા.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/25/paresh-goswami_6914f936-6956-4836-af70-427a9617beea.jpg" alt="પરેશ ગોસ્વામી" />
                  </div>
                  <p>ગુજરાતના રાજકીય માહોલમાં વધુ એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. હવામાન નિષ્ણાત અને આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા નેતા પરેશ ગોસ્વામીએ પાર્ટી સાથેના તમામ રાજકીય સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે. તેમની આ જાહેરાત ચૂંટણીના સંવેદનશીલ સમયગાળામાં આવી હોવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે બીજી બાજુ,  બીજા જ દિવસે એટલે કે 26-4-26 ના રોજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વોટિંગ થવાનું છે. <br></p><p>પરેશ ગોસ્વામી છેલ્લા કેટલાક વર્ષોથી <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=AAP">AAP </a>સાથે સક્રિય રીતે જોડાયેલા હતા અને ખાસ કરીને ખેડૂત મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા રહ્યા હતા. 2020 થી પાર્ટી સાથે જોડાયેલા ગોસ્વામીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે હવે તેમને પાર્ટી પર વિશ્વાસ રહ્યો નથી, ખાસ કરીને ખેડૂતોના હિત અંગે પાર્ટીની નીતિઓને લઈને તેઓ નિરાશ થયા છે.<br></p><h2><strong>‘ખેડૂતોના હિત માટે વિશ્વાસ ઊઠ્યો’</strong></h2><p>પરેશ ગોસ્વામીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ અને તેમની ટીમે ખેડૂત તરીકે પાર્ટી પર રાખેલો વિશ્વાસ હવે તૂટ્યો છે. “ખેડૂત તરીકે મને અને અમારી ટીમને દિનેશભાઈ રામાણી, નરેશભાઈ અને અશ્વિનભાઈ સહિત આ પાર્ટી ઉપરથી વિશ્વાસ ઊઠ્યો છે,” એમ તેમણે કહ્યું.<br></p><p>તેમણે ઉમેર્યું કે લાંબા સમય સુધી પાર્ટી સાથે કામ કર્યા પછી તેમને એવું લાગ્યું કે ખેડૂતોના નામે રાજકીય લાભ લેવા પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ વાસ્તવિક હિત માટે પૂરતી કામગીરી થઈ રહી નથી.<br></p><h2><strong>‘રાજકીય વિચારધારા સાથે અસહમતિ’</strong></h2><p>ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે તેમની પાસે વ્યક્તિગત સ્તરે કોઈ સાથે મતભેદ નથી, પરંતુ પાર્ટીની રાજકીય વિચારધારા અને કાર્યપદ્ધતિ સાથે તેઓ સહમત નથી. “જે રીતે પાર્ટી કામ કરી રહી છે, તે ગુજરાતના ખેડૂતોના હિતમાં નથી લાગે,” એમ તેમણે જણાવ્યું.<br></p><p>તેમણે કહ્યું કે ખેડૂતોના પ્રશ્નો ગંભીર છે અને તે માટે લાંબા ગાળાની નીતિ અને પ્રતિબદ્ધતા જરૂરી છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તે દેખાતી નથી.<br></p><h2><strong>AAP માટે ચૂંટણી પહેલાં પડકાર</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat">ગુજરાત</a>માં ચૂંટણી નજીક આવતા <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=AAP">AAP </a>માટે આ પ્રકારના રાજીનામા પડકારરૂપ બની શકે છે. પાર્ટી છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહી છે, પરંતુ આવા રાજીનામાઓ તેના માટે રાજકીય રીતે નુકસાનકારક બની શકે છે.<br></p><p>રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ચૂંટણી પહેલાં આવા નિર્ણયો મતદારો પર માનસિક અસર પાડે છે, ખાસ કરીને જ્યારે તે ખેડૂત જેવા મહત્વના વર્ગ સાથે સંકળાયેલા હોય.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/adodara-poster-war-manajalpur-election-0387830411">વડોદરાનાં માંજલપુરમાં મતદાન પૂર્વે પોસ્ટર વોર : આયાતી ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર્સ લાગતા રાજકીય હલચલ</a></p><p></p><h2><strong>‘રાઘવ ચઢ્ઢાના માર્ગે’ રાજકીય સંકેત</strong></h2><p>પરેશ ગોસ્વામીના આ નિર્ણયને કેટલાક વર્તુળોમાં “રાઘવ ચઢ્ઢાના માર્ગે ચાલ્યા” તરીકે પણ જોવામાં આવી રહ્યો છે, જેનો અર્થ રાજકીય વ્યૂહરચના અથવા વિચારધારા સાથે અસહમતિ દર્શાવવાનો પ્રયાસ તરીકે કરવામાં આવે છે. જોકે આ તુલનાને લઈને કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 25 Apr 2026 10:09:58 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/25/paresh-goswami_6914f936-6956-4836-af70-427a9617beea.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયના જામનગરમાં ધામા: ચૂંટણી પૂર્વે સંવેદનશીલ વિસ્તારોની લીધી મુલાકાત]]></title>
                <link>https://offbeatstories.in/news/jamnagar-election-ig-nirlep-ray-visit-security-review-7493029244</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/jamnagar-election-ig-nirlep-ray-visit-security-review-7493029244</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/jamnagar-election-ig-nirlep-ray-visit-security-review-7493029244" />
                <description><![CDATA[ચૂંટણી પહેલા IG નિર્લિપ્ત રાયે લીધી જામનગરની મુલાકાત, સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની કરી ચકાસણી.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/24/Investigation-in-sensitive-areas_03b7f723-9509-468a-a97e-752baa90ceca.png" alt="IG નિર્લિપ્ત રાયની છબી" />
                  </div>
                  <p>જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80">ચૂંટણી</a>ઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્ત રાય આજે ફરી જામનગર ખાતે પહોંચ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. ખાસ કરીને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં તેમની હાજરી નોંધપાત્ર રહી હતી, જેના કારણે ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે તંત્રની તત્પરતા સ્પષ્ટ થાય છે.</p><p></p><p>આ મુલાકાત દરમિયાન આઇજી નિર્લિપ્ત રાયે જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. તેઓએ શહેરના વોર્ડ નંબર 12 સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થળ પર જઈને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. મતદાન મથકોની પણ રૂબરૂ મુલાકાત લઈને પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા આયોજન અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.</p><p></p><h2><strong>સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર</strong></h2><p>જામનગરના વોર્ડ નંબર 12માં આ વખતની ચૂંટણી ખાસ ધ્યાન ખેંચી રહી છે, કારણ કે અહીં ગુજસિટોક હેઠળના કેસોમાં સંકળાયેલા બે ઉમેદવારો સામસામે ચૂંટણી લડી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વિશેષ સતર્કતા દાખવવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.</p><p></p><p>IG નિર્લિપ્ત રાયે પોતાના નિરીક્ષણ દરમિયાન સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અણછાજતી પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. પોલીસને સતત એલર્ટ રહેવા અને ઝડપથી પ્રતિસાદ આપવા માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/vadodara-election-2406-booths-21-lakh-voters-2569125399">વડોદરામાં ચૂંટણી પૂર્વ તૈયારીઓ થઈ પૂર્ણ : 2400થી વધુ મથકો પર 21 લાખ મતદાતા કરશે મતદાન</a></p><p></p><h2><strong>રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ અને કડક બંદોબસ્ત</strong></h2><p>ચૂંટણીને લઈને જામનગર શહેરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પેટ્રોલિંગમાં જામનગરના એસપી ડો. રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. પોલીસની ગાડીઓનો મોટો કાફલો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતો રહ્યો હતો, જેનાથી સામાન્ય જનતા વચ્ચે સુરક્ષાની લાગણી મજબૂત બને છે.</p><p></p><p>પોલીસ તંત્ર દ્વારા મતદાન મથકો પર સીસીટીવી, વધારાની પોલીસ ફોર્સ, અને ક્વિક રિસ્પોન્સ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત, ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા ફેલાય નહીં તે માટે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/vadodara-voter-awareness-event-controversy-585188697">વડોદરામાં જાગૃતિના નામે પીરસાયું મનોરંજન : નૃત્યાંગનાઓના ઠુમકા અને ભાજપનાં ઉમેદવારોની એન્ટ્રી</a></p><p></p><h2><strong>ચૂંટણી પ્રક્રિયામાં શાંતિ જાળવવા પ્રયાસ</strong></h2><p>જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આઇજી નિર્લિપ્ત રાયની મુલાકાત એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. તેઓએ સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરી હતી.</p><p>ચૂંટણી માત્ર રાજકીય પ્રક્રિયા નથી, પરંતુ તે લોકશાહીનો મહત્વપૂર્ણ તહેવાર છે. આવા સમયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી અત્યંત આવશ્યક બની જાય છે. જામનગરમાં પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંઓથી આશા રાખી શકાય છે કે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થશે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 24 Apr 2026 10:44:54 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/24/Investigation-in-sensitive-areas_03b7f723-9509-468a-a97e-752baa90ceca.png" medium="image" type="image/png" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA["..હું મારા ધર્મપત્નીને ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવી દઈશ": ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી ગરમાયું સૌરાષ્ટ્રનું રાજકારણ]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-gondal-jayrajsinh-jadeja-resignation-statement-politics-7207574552</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-gondal-jayrajsinh-jadeja-resignation-statement-politics-7207574552</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-gondal-jayrajsinh-jadeja-resignation-statement-politics-7207574552" />
                <description><![CDATA[ગોંડલમાં ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાનું પત્નીને MLA પદેથી રાજીનામું અપાવવાનો પડકાર, રાજકારણ ગરમાયું.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/23/jayrajsinh-jadeja_c7ba2a5b-ddac-4736-95a9-f6341cbb4676.jpg" alt="Rajkot Gondal Politics" />
                  </div>
                  <p><strong>Rajkot News: </strong>પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા જયરાજસિંહ જાડેજાના નિવેદનથી ગોંડલમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ઝડપથી ગરમાઈ રહ્યો છે. મોવિયા ગામે યોજાયેલી ભાજપની જાહેરસભા દરમિયાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આપેલા એક નિવેદનથી રાજકારણમાં નવી ચચા જગાવી છે. “જો કોઈ એક ઈંચ જમીન મારી પાસેથી કઢાવી આપે, તો હું મારા ધર્મપત્નીને ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવી દઈશ,” એમ જાહેર મંચ પરથી આપેલા પડકારને કારણે વિરોધ પક્ષો સહિત રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.</p><p></p><p>આ સભા ‘ચોરાના ચોક’ ખાતે યોજાઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. સભામાં જયરાજસિંહ જાડેજાએ પોતાના કાર્યકાળ દરમિયાન વિકાસ અને પારદર્શિતાના મુદ્દે વાત કરતાં વિરોધ પક્ષોના આક્ષેપોને સીધો જવાબ આપ્યો હતો. ખાસ કરીને ‘ગુંડાગીરી’ અને જમીન મુદ્દે લાગેલા આરોપોને તેમણે તીવ્ર શબ્દોમાં ફગાવ્યા હતા.</p><p></p><p><strong>આ પણ વાંચોઃ </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/amc-election-ahmedabad-bjp-protest-local-issues-2935233443">ચૂંટણીમાં આ વખતે ભાજપને ભારે પડશે : નદી પાર વિકાસ અને પૂર્વ વિસ્તાર સાથે ભેદભાવ, જાણો અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં છે ભાજપનો વિરોધ</a></p><p></p><h2><strong>‘ગુંડાગીરી’ના આક્ષેપો સામે પ્રતિક્રિયા</strong></h2><p>સભામાં ઉપસ્થિત સરપંચોને સંબોધતા જયરાજસિંહે સવાલ કર્યો હતો કે શું ગ્રાન્ટ માટે ક્યારેય એક રૂપિયો માંગવામાં આવ્યો છે? હાજર સરપંચોએ ‘ના’માં જવાબ આપતાં તેમણે પોતાના કાર્યકાળની પારદર્શિતાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો. જાડેજાએ વધુમાં કહ્યું કે, ગરીબોની જમીન પચાવી પાડવી એ સાચી ગુંડાગીરી છે, જ્યારે પ્રજાના હિત માટે લડવું એ પોતાનો ક્ષત્રિય ધર્મ હોવાનું તેમણે જણાવ્યું. તેમના મતે, તેઓ હંમેશા જનહિત માટે કામ કરતા આવ્યા છે અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણીના આક્ષેપો બિનઆધારભૂત છે.</p><p></p><h2><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE"><strong>રાજીનામા</strong></a><strong>ના નિવેદનથી રાજકારણમાં ચર્ચા</strong></h2><p>જમીન મુદ્દે આપેલો પડકાર આ સભાનો સૌથી વધુ ચર્ચિત મુદ્દો રહ્યો. “કોઈએ મારી પાસેથી ગેરરીતે જમીન કઢાવી બતાવે, તો હું કાલે જ મારી પત્નીને MLA પદેથી રાજીનામું અપાવી દઈશ,” એમ તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું. આ નિવેદનને લઈને વિરોધ પક્ષોએ પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી છે, જ્યારે રાજકીય વિશ્લેષકોના મત મુજબ આ પ્રકારના નિવેદનો ચૂંટણી પૂર્વે મતદારોને સંદેશ આપવા માટેનો પ્રયાસ પણ હોઈ શકે છે. તેમ છતાં, આ નિવેદન રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે.</p><p></p><h2><strong>ભાજપ-કોંગ્રેસ વચ્ચે તીવ્ર ટક્કર</strong></h2><p>એક તરફ ભાજપે મોવિયા ગામે શક્તિ પ્રદર્શન કર્યું, તો બીજી તરફ કોંગ્રેસે ગોંડલના માંડવી ચોક ખાતે સભા યોજી શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. બંને પક્ષના નેતાઓએ એકબીજા પર ગંભીર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની રહ્યો છે. જયરાજસિંહ જાડેજાએ પક્ષપલટુઓ પર પણ નિશાન સાધતા તેમને ‘ચાઈના પ્રોડક્ટ’ કહી કટાક્ષ કર્યો હતો. તેમના મતે, વિરોધ પક્ષના નેતાઓને પોતાના લોકો પર વિશ્વાસ નથી, કારણ કે તેઓ ગમે ત્યારે પક્ષ બદલી શકે છે.</p><p></p><h2><strong>ચૂંટણી પૂર્વે ગરમાયેલું રાજકીય માહોલ</strong></h2><p>સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં લેતા ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં રાજકીય ગતિશીલતા વધી રહી છે. વિકાસ, પારદર્શિતા, અને સ્થાનિક પ્રશ્નો હવે મુખ્ય ચૂંટણી મુદ્દા બની રહ્યા છે. આવા સમયમાં બંને મુખ્ય પક્ષો મતદારો સુધી પહોંચવા માટે સક્રિય બન્યા છે, જેના કારણે આગામી દિવસોમાં વધુ તીવ્ર રાજકીય પ્રચાર અને નિવેદનો સામે આવવાની શક્યતા છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Thu, 23 Apr 2026 06:53:31 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/23/jayrajsinh-jadeja_c7ba2a5b-ddac-4736-95a9-f6341cbb4676.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વજુભાઈ વાળાની એન્ટ્રી: અસંતોષ ઠારવા ભાજપે ‘ભીષ્મ પિતામહ’ને મેદાનમાં ઉતાર્યા]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-ward-11-vajubhai-vala-bjp-campaign-water-issue-4660108371</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-ward-11-vajubhai-vala-bjp-campaign-water-issue-4660108371</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-ward-11-vajubhai-vala-bjp-campaign-water-issue-4660108371" />
                <description><![CDATA[રાજકોટ વોર્ડ 11માં પાણી સમસ્યા અને સ્થાનિક અસંતોષ વચ્ચે ભાજપે વજુભાઈ વાળાને મેદાનમાં ઉતાર્યા, કાર્યકરોને આપ્યું ખાસ માર્ગદર્શન.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/22/Rajkot-Municipal_bafb32b9-e4e1-4781-bb14-d320c6a485c7.jpg" alt="Rajkot Municipal Corporation Elections" />
                  </div>
                  <p><strong>Rajkot Municipal Corporation Elections</strong>: રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે શહેરનું રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને વોર્ડ નંબર 11માં પૂર્વ કોર્પોરેટરો સામેના સ્થાનિક રોષને ખાળવા માટે ભાજપે પોતાના સૌથી અનુભવી અને કદાવર નેતા વજુભાઈ વાળાને મેદાનમાં ઉતાર્યા છે. વજુભાઈની સક્રિયતા સાથે જ ભાજપે આ વિસ્તારમાં પ્રચારનો જોર વધારી દીધો છે.</p><p></p><p><strong>સ્થાનિકોમાં રોષ: પાણીની સમસ્યા બની પડકાર</strong></p><p>વોર્ડ નંબર 11માં સમાવિષ્ટ અંબિકા ટાઉનશીપ સહિતના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવારની રજૂઆતો છતાં પૂર્વ કોર્પોરેટરોએ આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળતા મેળવી છે. આ અસંતોષને કારણે આગામી ચૂંટણીમાં ભાજપની લીડ ઘટે તેવી શક્યતા જણાતા પક્ષ હરકતમાં આવ્યો છે.</p><p></p><p>આ પણ વાંચો:<a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/amit-shah-1-lakh-jobs-west-bengal-election-2026-1886586984"><strong> </strong>'1 લાખ બેરોજગારોને મળશે સરકારી નોકરી...' : યુવાનોને અમિત શાહનું મોટું વચન; મહિલાઓને મહિને મળશે 3 હજાર</a></p><p></p><p><strong>વજુભાઈ વાળાનો કાર્યકરોને 'બોધ-પાઠ'</strong></p><p>તાજેતરમાં વજુભાઈ વાળાએ વોર્ડ નંબર 11ના કાર્યકરો અને હોદ્દેદારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે માત્ર ચૂંટણી જીતવા માટે જ નહીં, પરંતુ લોકોના દિલ જીતવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. વજુભાઈએ કાર્યકરોને ઘર-ઘર જઈને લોકો સાથે સંવાદ સાધવા જણાવ્યું છે. લોકોના રોષને શાંત કરવા માટે કઈ રીતે નમ્રતાપૂર્વક રજૂઆત કરવી અને સરકારની કામગીરી સમજાવવી, તે અંગે તેમણે કાર્યકરોને વિશેષ શિખામણ આપી હતી. પૂર્વ કોર્પોરેટરો સામેના વિરોધને પક્ષ વિરુદ્ધના મતદાનમાં ફેરવાતો અટકાવવા માટે તેમણે માઇક્રો-પ્લાનિંગ પર ભાર મૂક્યો છે.</p><p></p><p><strong>વોર્ડ-11માં ભાજપની મજબૂત લીડ માટે કવાયત</strong></p><p>ભાજપ માટે વોર્ડ નંબર 11 પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે. વજુભાઈ વાળા જેવા સિનિયર નેતાની એન્ટ્રી સૂચવે છે કે પક્ષ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકતા વજુભાઈએ સ્પષ્ટ કર્યું છે કે, ભાજપના ઉમેદવારોએ જનતાની વચ્ચે રહીને તેમની સમસ્યાઓ સાંભળવી પડશે. વજુભાઈ વાળાનો કાર્યકરોને સંદેશ આપ્યો હતો કે ચૂંટણી માત્ર પોસ્ટરોથી નથી જીતાતી, જનતાના વિશ્વાસથી જીતાય છે."</p><p></p><p>આ પણ વાંચો:<a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/amit-shah-1-lakh-jobs-west-bengal-election-2026-1886586984"><strong> </strong></a><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/ahmedabad-amc-budget-2026-slaughterhouse-controversy-962753672">મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો અમદાવાદમાં કતલખાનું બનાવવાનું વચન! : MLA ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન</a></p><p></p><p>એક તરફ પાણીની સમસ્યા અને પૂર્વ પ્રતિનિધિઓ સામેનો રોષ છે, તો બીજી તરફ વજુભાઈ વાળાનો બહોળો અનુભવ અને રણનીતિ છે. હવે જોવાનું એ રહેશે કે 'વજુભાઈ ફેક્ટર' વોર્ડ નંબર 11માં ભાજપને કેટલી મજબૂત લીડ અપાવવામાં સફળ રહે છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Wed, 22 Apr 2026 13:31:08 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/22/Rajkot-Municipal_bafb32b9-e4e1-4781-bb14-d320c6a485c7.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ચૂંટણી દરમિયાન રાજકોટમાં અનોખો પ્રચાર!: કમળ માટે વોટ લેવા 'કમળ' લઈ નીકળ્યા ઉમેદવારો]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-bjp-lotus-campaign-election-5911216292</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-bjp-lotus-campaign-election-5911216292</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-bjp-lotus-campaign-election-5911216292" />
                <description><![CDATA[રાજકોટમાં ભાજપ ઉમેદવારો કમળના ફૂલ આપી મતદારોને મતદાન માટે પ્રેરિત કરી રહ્યા છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/22/rajkot-election_4650a75a-ffef-4ed8-ac93-e461f1592ae8.jpg" alt="રાજકોટમાં કમળ સાથે ભાજપના કાર્યકરોનો પ્રચાર" />
                  </div>
                  <p>રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ દિવસોમાં પ્રચાર ઝુંબેશ વધુ તેજ બની છે. ખાસ કરીને વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારો દ્વારા અનોખી રીતે મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઇન્દિરા સર્કલ ચોક ખાતે યોજાયેલા આ પ્રચાર કાર્યક્રમમાં ઉમેદવારોએ મતદારોને કમળના ફૂલ આપી પોતાનું સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો હતો.<br></p><p>આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર ઘનશ્યામ હેરભા, અશ્વિન ભોરણીયા સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સીધો જનસંપર્ક સાધીને મતદારોને મળ્યા અને આવનારા મતદાન દિવસને ધ્યાનમાં રાખીને અપીલ કરી હતી.<br></p><h2><strong>કમળના પ્રતિક સાથે 'કમળ' લઈ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ</strong></h2><p>ભાજપના <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95+%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF+%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80">ચૂંટણી </a>ચિહ્ન ‘કમળ’ને પ્રચારમાં કેન્દ્રસ્થાને રાખીને ઉમેદવારોએ મતદારોને પ્રતિકરૂપે કમળના ફૂલ આપ્યા હતા. આ પ્રયોગ દ્વારા મતદારોને ચૂંટણી ચિહ્ન યાદ રહે અને મતદાનના દિવસે તે જ બટન દબાવવા માટે પ્રેરણા મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.<br></p><p>ઉમેદવારોએ જણાવ્યું કે આ પ્રચાર માત્ર પ્રતિકાત્મક નથી, પરંતુ મતદારો સાથે સીધો સંપર્ક સાધવાનો એક પ્રયાસ છે. લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળવી અને વિકાસ માટેના પોતાના આયોજન વિશે માહિતી આપવી પણ આ અભિયાનનો ભાગ રહ્યો હતો.<br></p><h2><strong>મતદાન માટે અપીલ અને જનસંપર્ક</strong></h2><p>પ્રચાર દરમિયાન ઉમેદવારોએ લોકોને રવિવારે યોજાનારા મતદાનમાં અવશ્ય ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે લોકશાહી પ્રણાલીમાં મતદાન એક મહત્વપૂર્ણ અધિકાર છે અને દરેક નાગરિકે તેનો ઉપયોગ કરવો જોઈએ.<br></p><p>ખાસ કરીને શહેરમાં મતદાન ટકાવારી વધારવા માટે આવા અભિયાન મહત્વપૂર્ણ ગણાય છે. ઉમેદવારોએ લોકોને સમજાવ્યું કે વિકાસ અને સ્થાનિક મુદ્દાઓના ઉકેલ માટે યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવો જરૂરી છે.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-aap-candidate-chintan-dave-unique-election-campaign-sanitizer-man-2498876294">રાજકોટમાં આપ પાર્ટીનાં ઉમેદવારનો અનોખો પ્રચાર : ટ્રાફિક વચ્ચે ‘સેનિટાઈઝર મેન’ બની આપી સેવા</a></p><p></p><h2><strong>ચૂંટણી પ્રચારમાં નવા પ્રયોગો</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>સહિત <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat">ગુજરાત</a>ના અનેક શહેરોમાં આ વખતે ચૂંટણી પ્રચારમાં નવા અને સર્જનાત્મક પ્રયોગો જોવા મળી રહ્યા છે. પરંપરાગત રેલીઓ અને સભાઓ સાથે હવે સીધો જનસંપર્ક, પ્રતિકાત્મક ભેટ અને ડિજિટલ અભિયાનનો પણ ઉપયોગ વધ્યો છે.<br></p><p>આ પ્રકારના પ્રચાર દ્વારા મતદારો સુધી ઝડપથી અને અસરકારક રીતે પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે. ખાસ કરીને અંતિમ દિવસોમાં આવા કાર્યક્રમો મતદારોના મન પર અસર પાડે છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Wed, 22 Apr 2026 11:05:20 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/22/rajkot-election_4650a75a-ffef-4ed8-ac93-e461f1592ae8.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી તેજ: સિઝનની શરૂઆત સાથે જ ભાવમાં તીવ્ર ઉછાળો, જાણો આજના તાજા ભાવ]]></title>
                <link>https://offbeatstories.in/news/gondal-keri-haraji-latest-update-3649556458</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gondal-keri-haraji-latest-update-3649556458</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gondal-keri-haraji-latest-update-3649556458" />
                <description><![CDATA[ ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી તેજ બની, ઊંચા ભાવથી ખેડૂતોમાં ખુશી. માંગ વધતા વેપારીઓ વચ્ચે સ્પર્ધા વધી રહી છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/22/Gondal-Mango_6209aa5b-e220-45df-a84f-fbd804d911b6.jpg" alt="Gondal Mango" />
                  </div>
                  <p><strong>Gondal Mango Auction: </strong>ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની સિઝન શરૂ થતાં જ હરાજીમાં ચહલપહલ જોવા મળી રહી છે. આ વર્ષે સિઝનની શરૂઆત સાથે જ ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેનાથી સ્થાનિક ખેડૂતોથી લઈને વેપારીઓ સુધી સૌમાં ઉત્સાહ છે.</p><p></p><h2><strong>ગોંડલમાં કેરીની હરાજી: સિઝનની મજબૂત શરૂઆત</strong></h2><p></p><p>ગોંડલ માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેરીની આવક ધીમે ધીમે વધી રહી છે, પરંતુ શરૂઆતથી જ ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખાસ કરીને કેસર અને હાફુસ જાતની કેરી માટે વેપારીઓ વચ્ચે ભારે માંગ જોવા મળી રહી છે. પ્રથમ લોટની હરાજીમાં જ ગુણવત્તા પ્રમાણે પ્રતિ 10 કિલો દીઠ ઊંચા દર મળ્યા હોવાનું યાર્ડ સૂત્રોએ જણાવ્યું છે.</p><p>ખેડૂતો માટે આ સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે, કારણ કે ગયા વર્ષે હવામાનના પ્રભાવને કારણે ઉત્પાદન અને ભાવ બંનેમાં અનિશ્ચિતતા જોવા મળી હતી. આ વર્ષે હવામાન અનુકૂળ રહેતાં ગુણવત્તા સારી જોવા મળી રહી છે. હાલમાં કેસર કેરીના 20,000થી વધુ બોક્સની આવક નોંધાઈ છે.</p><p></p><h2><strong>હરાજીમાં 20 કિલો કેરીનો ભાવ</strong></h2><p></p><p> કેસર કેરી-  ₹1000થી ₹3400 સુધી </p><p>હાફુસ કેરી ₹1200થી ₹6000  </p><p>બદામ કેરી ₹900થી ₹1400</p><p>તોતાપુરી કેરી - 600થી 1000</p><p></p><h2><strong>વેપારીઓમાં સ્પર્ધા વધતા ભાવમાં ઉછાળો</strong></h2><p></p><p>હરાજી દરમિયાન વેપારીઓ વચ્ચે સ્પર્ધા વધતા ભાવમાં ઉછાળો નોંધાયો છે. સ્થાનિક તેમજ બહારના રાજ્યમાંથી આવતા વેપારીઓ પણ ગોંડલ યાર્ડ તરફ આકર્ષાઈ રહ્યા છે. ખાસ કરીને મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા મોટા બજારોમાં ગોંડલની કેરીની માંગ ઊંચી હોવાથી વેપારીઓ પહેલેથી જ સ્ટોક મેળવવા ઉત્સુક છે.</p><p>એક વેપારીએ જણાવ્યું કે, “આ વર્ષે ગુણવત્તા સારી હોવાથી અમે વધુ ભાવ આપવા તૈયાર છીએ, કારણ કે બજારમાં માંગ ઊંચી છે.” આ સ્પર્ધાએ ખેડૂતોને સીધો લાભ પહોંચાડ્યો છે.</p><p></p><h2><strong>ખેડૂતોમાં ખુશીનો માહોલ, ઉત્પાદન પર વિશ્વાસ</strong></h2><p></p><p>સ્થાનિક ખેડૂતો જણાવે છે કે આ વર્ષે કેરીના બગીચામાં ફળધારણ સારું થયું છે અને હવામાન પણ અનુકૂળ રહ્યું છે. પરિણામે ગુણવત્તાવાળી કેરીનું ઉત્પાદન વધવાની આશા છે. ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં કેસર કેરી ખાસ જાણીતી છે, જે દેશભરમાં તેમજ નિકાસ બજારમાં પણ લોકપ્રિય છે.</p><p></p><h2><strong>હવે આગળ શું? બજાર પર અસર અને અપેક્ષાઓ</strong></h2><p></p><p>આગામી અઠવાડિયાઓમાં કેરીની આવક વધવાની સાથે બજારમાં વધુ ગતિવિધિ જોવા મળશે. જો હવામાન અનુકૂળ રહેશે તો ઉત્પાદન વધુ વધી શકે છે, જે ભાવ પર થોડો દબાણ પણ લાવી શકે છે. તેમ છતાં, હાલની માંગને ધ્યાનમાં લેતાં ભાવ મજબૂત રહેવાની શક્યતા છે.</p><p>નિકાસ માટે પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જે ગોંડલના ખેડૂતો માટે વધુ કમાણીના દરવાજા ખોલી શકે છે.</p><p></p><h2><strong>કેમ મહત્વપૂર્ણ?</strong></h2><p></p><p>ગોંડલમાં કેરીની હરાજી માત્ર સ્થાનિક વેપાર સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના કૃષિ બજાર પર તેનો પ્રભાવ પડે છે. કેરી ગુજરાતનું મહત્વનું ફળ હોવાથી તેની કિંમત અને માંગ રાજ્યના ખેડૂતોની આવકને સીધી અસર કરે છે. આ વર્ષે સારા ભાવ મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થવાની આશા છે, જે ગ્રામિણ અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Wed, 22 Apr 2026 10:27:34 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/22/Gondal-Mango_6209aa5b-e220-45df-a84f-fbd804d911b6.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં આપ પાર્ટીનાં ઉમેદવારનો અનોખો પ્રચાર: ટ્રાફિક વચ્ચે ‘સેનિટાઈઝર મેન’ બની આપી સેવા]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-aap-candidate-chintan-dave-unique-election-campaign-sanitizer-man-2498876294</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-aap-candidate-chintan-dave-unique-election-campaign-sanitizer-man-2498876294</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-aap-candidate-chintan-dave-unique-election-campaign-sanitizer-man-2498876294" />
                <description><![CDATA[રાજકોટમાં AAP ઉમેદવાર ચિંતન દવે ટ્રાફિક વચ્ચે ગુલાબજળ છાંટી સેવા સાથે અનોખો ચૂંટણી પ્રચાર કરતા ચર્ચામાં આવ્યા]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/22/AAP-candidates-unique-campaign_ee344e06-fe89-4be1-94cc-ea793241a977.png" alt="ઉમેદવારનાં અનોખા પ્રચારની છબી" />
                  </div>
                  <p>રંગીલા રાજકોટને હવે ચૂંટણીનો રંગ લાગ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80">ચૂંટણી</a> આવી રહી છે એટલે તમામ પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. આવા સમય આપ પાર્ટીનાં એક ઉમેદવારનો અનોખી રીતે પ્રચાર સામે આવ્યો છે. ચૂંટણી આવે એટલે સામાન્ય રીતે પોસ્ટર, રેલી અને સભાઓ જોવા મળે છે પરંતુ રાજકોટમાં એક ઉમેદવારે પરંપરાગત પ્રચારથી અલગ રસ્તો અપનાવી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સેનિટાઈઝર સાથે ટ્રાફિક વચ્ચે ઉભા રહીને ટ્રાફિક કર્યો હળવો. </p><p></p><h2><strong>ઉમેદવારને મળી ‘સેનિટાઈઝર મેન’ તરીકે ઓળખ </strong></h2><p>રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે આવા સમયમાં વોર્ડ નં. 2માંથી ઉભેલા આપ પાર્ટીનાં ઉમેદવાર ચિંતન ભરતભાઈ દવે પોતાનાં અનોખા પ્રચારના કારણે ખાસ ચર્ચામાં આવ્યા છે.</p><p></p><p>ચિંતન દવેએ ‘સેનિટાઈઝર મેન’ તરીકે ઓળખ મેળવી છે. તેઓ સેનિટાઈઝર મશીન સાથે શહેરના વ્યસ્ત ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહી લોકો વચ્ચે સેવા આપી રહ્યાં છે. ખાસ કરીને ઉનાળામાં, જ્યારે લોકો ગરમીથી પરેશાન હોય છે, ત્યારે તેઓ વાહનચાલકો પર ગુલાબજળનું પાણી છાંટી તેમને રાહત પહોંચાડે છે.</p><p></p><p>આ સાથે તેઓ પોતાની ઉમેદવારી અને પક્ષની નીતિઓ વિશે લોકો સાથે સીધી વાતચીત પણ કરે છે. આ પ્રચાર પદ્ધતિએ પરંપરાગત રાજકીય અભિગમથી અલગ છાપ ઊભી કરી છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/surat-election-harsh-mehta-bjp-protest-adajan-women-misbehavior-controversy-7487349794">સુરતમાં ચૂંટણી પ્રચારમાં બબાલ : અડાજણમાં ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાનો ઉગ્ર વિરોધ, મહિલાઓ સાથે ધક્કામુક્કી થતા માહોલ ગરમાયો</a></p><p></p><h2><strong>ટ્રાફિક સેવા સાથે મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ</strong></h2><p>ચિંતન દવે માત્ર પ્રચાર માટે જ નહીં પરંતુ સેવા ભાવના સાથે ટ્રાફિક વચ્ચે કાર્ય કરી રહ્યાં છે. ટ્રાફિક જામ દરમિયાન તેઓ વાહનચાલકોને શાંતિપૂર્ણ રીતે માર્ગદર્શન આપે છે અને સાથે સાથે ઠંડક માટે ગુલાબજળ છાંટીને રાહત આપે છે.</p><p></p><p>આ અનોખી રીતથી તેઓ મતદાતાઓ સાથે સીધો સંપર્ક સાધી રહ્યાં છે. કોઈ મોટી સભા કે મંચ વગર સામાન્ય લોકો વચ્ચે રહીને પોતાની ઓળખ બનાવવાનો આ પ્રયાસ રાજકીય રીતે અસરકારક બની શકે છે.</p><p>ગરમીમાં માનવિય અભિગમનો સંદેશ</p><p></p><p>રાજકોટમાં હાલમાં ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા લોકો માટે થોડી રાહત પણ મહત્વપૂર્ણ બની જાય છે. ચિંતન દવેએ ગુલાબજળનું પાણી છાંટવાની પહેલ માત્ર પ્રચાર નથી, પરંતુ એક માનવિય અભિગમ પણ દર્શાવે છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/alpesh-limbachiya-controversy-vadodara-election-4774135300">"એક પણ વિધર્મીને ઘૂસવા નહીં દઈએ" : ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા અલ્પેશ લીંબચિયાના વિવાદાસ્પદ સૂર</a></p><p></p><p>આ પ્રકારની સેવા લોકોને સીધી રીતે સ્પર્શે છે અને ઉમેદવાર પ્રત્યે સકારાત્મક છાપ ઉભી કરે છે. રાજકારણમાં માનવિય મૂલ્યો અને સેવા ભાવના કેટલી મહત્વપૂર્ણ છે તે પણ આ ઘટનાથી સ્પષ્ટ થાય છે.</p><p>ચૂંટણીમાં જીત માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. પક્ષની લોકપ્રિયતા, ઉમેદવારની છબી, અને પ્રચારની અસર. ચિંતન દવેનો આ અનોખો પ્રચાર ચોક્કસપણે તેમને ચર્ચામાં લાવ્યો છે પરંતુ, આ પ્રચાર મતદાનમાં કેટલો ફેરફાર લાવે છે તે પરિણામો બાદ જ સ્પષ્ટ થશે. </p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Wed, 22 Apr 2026 07:21:45 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/22/AAP-candidates-unique-campaign_ee344e06-fe89-4be1-94cc-ea793241a977.png" medium="image" type="image/png" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં ભાજપની કડક કાર્યવાહી: ઉપલેટા ઉપપ્રમુખ 6 વર્ષ માટે સસ્પેન્ડ, કેમ લીધો આ નિર્ણય?]]></title>
                <link>https://offbeatstories.in/news/upleta-bjp-leader-geetaben-kathiriya-suspension-2205730329</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/upleta-bjp-leader-geetaben-kathiriya-suspension-2205730329</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/upleta-bjp-leader-geetaben-kathiriya-suspension-2205730329" />
                <description><![CDATA[ઉપલેટા ભાજપ નેતા સસ્પેન્ડ સમાચાર]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/11/bjp_06030394-39a4-436e-a724-3007d9ef16fa.jpg" alt="ભાજપનો લોગો" />
                  </div>
                  <p>રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સ્થાનિક ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા પોતાના જ એક સક્રિય મહિલા નેતા સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. ઉપલેટા તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે કાર્યરત ગીતાબેન કથીરીયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.<br></p><p>આ પગલાંથી સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને ચૂંટણીના માહોલ વચ્ચે આ પ્રકારની આંતરિક કાર્યવાહી ભાજપ માટે સંગઠનાત્મક પડકાર તરીકે જોવામાં આવી રહી છે.<br></p><h2><strong>વ્હીપનો ભંગ અને વિરોધ પક્ષમાંથી ઉમેદવારી</strong></h2><p>મળતી માહિતી મુજબ ગીતાબેન કથીરીયાએ <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA">ભાજપ</a>ના વ્હીપ વિરુદ્ધ જઈને મોટી પાનેલી જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. આ પગલું પાર્ટી શિસ્તના ગંભીર ભંગ તરીકે માનવામાં આવ્યું છે.<br></p><p>પાર્ટીના સૂત્રો મુજબ, ચૂંટણી દરમિયાન વ્હીપનું પાલન કરવું દરેક કાર્યકર્તા અને નેતા માટે ફરજિયાત હોય છે. આવા સમયમાં વિરોધ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવી પક્ષની નીતિ અને સંગઠન માટે સીધી ચુંટણી જેવી સ્થિતિ ઊભી કરે છે.<br></p><h2><strong>જિલ્લા ભાજપ પ્રમુખનો નિર્ણય</strong></h2><p>આ મામલે જિલ્લા <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA">ભાજપ </a>પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ સત્તાવાર સસ્પેન્શન પત્ર જાહેર કર્યો છે. પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગીતાબેન કથીરીયાને પ્રાથમિક અને સક્રિય સભ્યપદ સહિત તમામ હોદ્દાઓ પરથી દૂર કરવામાં આવ્યા છે.<br></p><p>આ નિર્ણયને પક્ષમાં શિસ્ત જાળવવા માટે લેવામાં આવેલા કડક પગલાં તરીકે જોવામાં આવી રહ્યો છે. ભાજપ દ્વારા આ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારની પક્ષવિરોધી પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-gujsitoc-action-shamji-maka-gang-crime-branch-7822305653">રાજકોટ પોલીસનો મોટો સપાટો : થોરાળાની કુખ્યાત 'શામજી મકા ગેંગ' પર ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી</a></p><p></p><h2><strong>સ્થાનિક રાજકારણ પર અસર</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%89%E0%AA%AA%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE">ઉપલેટા </a>અને આસપાસના વિસ્તારોમાં આ ઘટનાનો સીધો રાજકીય પ્રભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓમાં ચર્ચા અને અસંતોષના સ્વર પણ ઉઠી રહ્યા છે, જ્યારે બીજી તરફ પક્ષના કેટલાક નેતાઓ આ પગલાને યોગ્ય ગણાવી રહ્યા છે.<br></p><p>આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણી પહેલાં પક્ષો આંતરિક શિસ્ત જાળવવા માટે વધુ કડક બન્યા છે. સાથે જ, ઉમેદવારોની પસંદગી અને પક્ષપ્રતિબદ્ધતા પણ ચર્ચાનો વિષય બની છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Wed, 22 Apr 2026 07:16:50 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/11/bjp_06030394-39a4-436e-a724-3007d9ef16fa.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ પોલીસનો મોટો સપાટો: થોરાળાની કુખ્યાત 'શામજી મકા ગેંગ' પર ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-gujsitoc-action-shamji-maka-gang-crime-branch-7822305653</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-gujsitoc-action-shamji-maka-gang-crime-branch-7822305653</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-gujsitoc-action-shamji-maka-gang-crime-branch-7822305653" />
                <description><![CDATA[રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શામજી મકા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી. 12 સામે કેસ, 8 ધરપકડ, 4 ફરાર.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/21/Rajkot-Crime-Branch_99c58f20-0bc9-410b-a780-4e3e93eff1c8.jpg" alt="Rajkot Crime Branch" />
                  </div>
                  <p><strong>Rajkot News:</strong> શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને ગુનેગારોમાં ફફડાટ પેદા કરવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક મોટું પગલું ભર્યું છે. શહેરના થોરાળા વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી કુખ્યાત 'શામજી મકા ગેંગ' વિરુદ્ધ પોલીસે ગુજસીટોક (GUJCTOC - ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.</p><p></p><h2><strong>ગેંગનો કાળો ઈતિહાસ: 10 વર્ષ અને અનેક ગુનાઓ</strong></h2><p>ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ છેલ્લા એક દાયકાથી સક્રિય હતી. આ ગેંગના સભ્યો વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં ગંભીર પ્રકારના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં મુખ્યત્વે હત્યા અને હત્યાનો પ્રયાસ, અપહરણ અને બળજબરીથી વસૂલાત. બળાત્કાર અને છેડતી, ઘાતક હથિયારો સાથે મારામારી.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/dinesh-trivedi-bangladesh-high-commissioner-modi-strategy-6976623102">Explainer: આ છે મોટી રણનીતિ : દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશના હાઈ કમિશનર બનાવીને શું હાંસલ કરવા માંગે છે ભારત?</a></p><p></p><h2><strong>12 સાગરીતો વિરુદ્ધ સકંજો: 8ની ધરપકડ, 4 ફરાર</strong></h2><p>રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના કુલ 12 સાગરીતોની યાદી તૈયાર કરી તેમની વિરુદ્ધ ગુજસીટોકનો ગાળિયો કસ્યો છે. પોલીસની વિવિધ ટીમોએ દરોડા પાડીને કુલ 12 આરોપીઓમાંથી 8 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે ગેંગના અન્ય 4 સાગરીતો હજુ પણ ફરાર છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. જે ૪ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, તેમને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવી ચક્રગતિમાન કર્યા છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/kharge-modi-terrorist-remark-controversy-tamil-nadu-election-3419473308">મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને ગણાવ્યા ‘આતંકવાદી’ : પછી કરી સ્પષ્ટતા; BJPએ કહ્યું- ‘દેશની માફી માંગો’</a></p><p></p><h2><strong>શહેરીજનોમાં રાહતની લાગણી</strong></h2><p>થોરાળા અને તેની આસપાસના વિસ્તારોમાં 'શામજી મકા ગેંગ'નો ભારે ખૌફ હતો. સ્થાનિક લોકો આ ગેંગના ત્રાસથી પરેશાન હતા. રાજકોટ પોલીસની આ કડક કાર્યવાહીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ હવે આ ગેંગની મિલકતો અને તેમના આર્થિક વ્યવહારોની પણ તપાસ કરી રહી છે જેથી આ સંગઠિત ગુનાખોરીના નેટવર્કને મૂળમાંથી ઉખાડી શકાય.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 21 Apr 2026 13:23:44 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/21/Rajkot-Crime-Branch_99c58f20-0bc9-410b-a780-4e3e93eff1c8.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રૂ. 2500 કરોડનું સાયબર ફ્રોડ: યસ બેન્ક સાયબર ફ્રોડ કેસમાં Rajkot માંથી ત્રણ અધિકારીઓની ધરપકડ]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-cyber-fraud-yes-bank-officials-arrest-2500-crore-scam-137701975</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-cyber-fraud-yes-bank-officials-arrest-2500-crore-scam-137701975</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-cyber-fraud-yes-bank-officials-arrest-2500-crore-scam-137701975" />
                <description><![CDATA[રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે યસ બેન્કના 3 અધિકારીઓને ધરપકડ કરી. 2500 કરોડ ટ્રાન્ઝેક્શન, 74 કરોડ ફ્રોડ સામે આવ્યું.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/21/RAJKOT-CYBER-CRIME_edcfd241-9c4b-432e-93ad-36831a6e262f.jpg" alt="રાજકોટમાં સાયબર ફ્રોડના પકડાયેલા આરોપી" />
                  </div>
                  <p>રાજકોટ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા દેશવ્યાપી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં યસ બેન્ક સાથે સંકળાયેલા ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મૌલિક રામજી કમાણી, કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરીયા અને અનુરાગ ચંદુભાઈ બાલધાનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ પર લીધા છે, જેથી વધુ પૂછપરછ કરીને કૌભાંડની ગહન વિગતો બહાર લાવી શકાય.<br></p><p>આ કેસમાં મૌલિક કમાણી હાલ યસ બેન્કમાં ફરજ બજાવી રહ્યો છે, જ્યારે કલ્પેશ ડાંગરીયા અને અનુરાગ બાલધા હાલ અન્ય બેન્કોમાં કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતમાં પડધરી પોલીસ મથકમાં નોંધાયેલા આ ગુનાની તપાસ બાદમાં સાયબર ક્રાઈમ શાખાને સોંપવામાં આવી હતી, જ્યાં પીઆઈ આર.જે. ગોધમના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.<br></p><h2><strong>ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધતાં તપાસમાં મોટો ફેરફાર</strong></h2><p>પ્રાથમિક તપાસ દરમિયાન જુદા જુદા એપીએમસી એકાઉન્ટમાંથી આશરે 1500 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા. જેમાંથી અંદાજે 23 કરોડ રૂપિયાની રકમ સાયબર ફ્રોડ સાથે સીધી રીતે સંકળાયેલી હોવાનું માનવામાં આવતું હતું. જોકે, વધુ તપાસ કરતા આ આંકડો નોંધપાત્ર રીતે વધી 2500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે આ કૌભાંડના વ્યાપને વધુ ગંભીર બનાવે છે.<br></p><h2><strong>ટ્રાન્ઝેક્શનનો આંકડો વધીને 2500 કરોડ </strong></h2><p>આ 2500 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન કુલ 85 અલગ અલગ બેન્ક ખાતાઓ મારફતે થયા હોવાનું ખુલ્યું છે. આ ખાતાઓમાં 74 કરોડ રૂપિયાથી વધુની રકમ <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0+%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1">સાયબર ફ્રોડ</a> મારફતે જમા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે આ આંકડો હજી વધવાની શક્યતા છે, કારણ કે નવા ખાતાઓ અને ટ્રાન્ઝેક્શન સતત સામે આવી રહ્યા છે.<br></p><h2><strong>દેશભરમાંથી 535 ફરિયાદો, તપાસ વધુ વિસ્તરે તેવી શક્યતા</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0+%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1">સાયબર ફ્રોડ</a>ની આ જાળમાં ફસાયેલા લોકોની સંખ્યા પણ મોટી છે. અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 535 જેટલી ફરિયાદો નોંધાઈ છે, જે દર્શાવે છે કે આ માત્ર સ્થાનિક નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરનો ગૂંચવણભર્યો કૌભાંડ છે. વિવિધ રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે.<br></p><p>સાયબર ક્રાઈમ પોલીસે અત્યાર સુધીમાં કુલ 17 આરોપીઓની ધરપકડ કરી છે. આ દરમિયાન પડધરી તાલુકાના મોવિયા ગામમાં આવેલી યસ બેન્ક શાખાની કામગીરી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આ શાખાના કર્મચારીઓની સંડોવણી સામે આવતા તાજેતરમાં ત્રણેય અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.<br></p><h2><strong>ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વિશેષ ઓડિટ, વધુ ખુલાસાની આશા</strong></h2><p>આ કૌભાંડની જટિલતાને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઈમ પોલીસે એક નિષ્ણાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરી છે. તેઓ દ્વારા લગભગ 35 જેટલી પેઢીઓ અને તેના સાથે સંકળાયેલા 85 બેન્ક ખાતાઓનું સઘન ઓડિટ ચાલી રહ્યું છે. આ ઓડિટ દ્વારા નાણાંની હેરફેરનો ચોક્કસ માર્ગ અને સંકળાયેલા લોકોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-adulterated-milk-seized-400-litres-gujarati-news-7452741484">Rajkot માં નકલી દૂધનો મોટો ભાંડાફોડ : પોલીસે 400 લિટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો</a></p><p></p><p>તપાસ અધિકારીઓનું માનવું છે કે આ કેસમાં હજી અનેક લોકો અને સંસ્થાઓની સંડોવણી બહાર આવી શકે છે. ખાસ કરીને ગેમિંગ અને જીએસટી ટ્રાન્ઝેક્શનના નામે થયેલા નાણાકીય પ્રવાહો પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી આવનારા દિવસોમાં વધુ ધરપકડો અને ખુલાસાઓ થવાની શક્યતા નકારી શકાય નહીં.<br></p><h2><strong>સામાન્ય નાગરિકો પર અસર અને સાવચેતીની જરૂર</strong></h2><p>આ પ્રકારના <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AC%E0%AA%B0+%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1">સાયબર ફ્રોડ</a> કિસ્સાઓ માત્ર નાણાકીય નુકસાન સુધી મર્યાદિત નથી રહેતા, પરંતુ લોકોના બેન્કિંગ સિસ્ટમ પરના વિશ્વાસને પણ ઝાંખું કરે છે. નિષ્ણાતો નાગરિકોને અજાણ્યા લિંક્સ, ફોન કોલ્સ અથવા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે.<br></p><p>આ કેસ ફરી એકવાર દર્શાવે છે કે સાયબર સુરક્ષા હવે માત્ર ટેકનિકલ મુદ્દો નહીં, પરંતુ સામાન્ય જનજીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સરકાર અને બેન્કિંગ સંસ્થાઓ માટે પણ આ ચેતવણી સમાન છે કે આંતરિક નિયંત્રણ વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવી અનિવાર્ય છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 21 Apr 2026 08:49:46 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/21/RAJKOT-CYBER-CRIME_edcfd241-9c4b-432e-93ad-36831a6e262f.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[શેરડીનો રસ પીતા બે લોકોના કરૂણ મોત: કાલાવાડ-જામનગર હાઈ-વે પર ભયાનક હિટ એન્ડ રન]]></title>
                <link>https://offbeatstories.in/news/kalawad-hit-and-run-accident-jamnagar-highway-6427818537</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/kalawad-hit-and-run-accident-jamnagar-highway-6427818537</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/kalawad-hit-and-run-accident-jamnagar-highway-6427818537" />
                <description><![CDATA[કાલાવાડ-જામનગર હાઈવે પર હિટ એન્ડ રન અકસ્માતમાં યુવાન અને મહિલાનું મોત, બે ગંભીર રીતે ઘાયલ, કારચાલક ફરાર]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/20/Rajkot-zee_465b5db7-9110-487e-b36b-4c55d842122b.jpg" alt="Kalawad accident" />
                  </div>
                  <p><strong>Kalawad accident:</strong> જામનગર જિલ્લાના કાલાવાડમાં રવિવારની સાંજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. કાલાવાડ-જામનગર હાઈવે પર પૂરપાટ ઝડપે આવતી એક બેફામ કારે શેરડીનો રસ પીતા નિર્દોષ લોકોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.</p><p></p><p><strong>ઘટનાની વિગત</strong></p><p>મળતી માહિતી મુજબ, કાલાવાડ જામનગર હાઇવે પર નવા માર્કેટિંગ યાર્ડની સામે આવેલા <strong>ક્રિષ્ના રેસ્ટોરન્ટ</strong> પાસે કેટલાક લોકો શેરડીનો રસ પી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી રસની ચીચોડી પાસે ઉભેલા લોકોમાં ઘૂસી ગઈ હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે ત્યાં ઉભેલા ચારથી વધુ લોકો હવામાં ફંગોળાયા હતા.</p><p></p><p><strong>જાનહાનિ અને ઇજાગ્રસ્તો</strong></p><p>આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ એક યુવાન અને એક મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કાલાવાડની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.</p><p></p><p><strong>પોલીસ કાર્યવાહી</strong></p><p>બનાવની જાણ થતા જ કાલાવાડ ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી મૂકી અથવા ગાડી સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈ-વે પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ટ્રાફિક વ્યવસ્થા પણ થોડો સમય ખોરવાઈ હતી.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 20 Apr 2026 12:00:43 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/20/Rajkot-zee_465b5db7-9110-487e-b36b-4c55d842122b.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ચૂંટણીના જંગમાં આ નણંદ-ભાભી સૌથી વધુ ચર્ચામાં: રીવાબા અને નયનાબા વચ્ચે એનું તો શું બન્યું જે સોશિયલ મીડિયામાં થઈ ગયું વાયરલ]]></title>
                <link>https://offbeatstories.in/news/rivaba-vs-nayanaba-jadeja-rajkot-election-family-battle-6150293495</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rivaba-vs-nayanaba-jadeja-rajkot-election-family-battle-6150293495</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rivaba-vs-nayanaba-jadeja-rajkot-election-family-battle-6150293495" />
                <description><![CDATA[રાજકોટમાં રીવાબા જાડેજા અને નયનાબા જાડેજા વચ્ચે રાજકીય ટકરાવ. રાજકોટ ચૂંટણીમાં પરિવારિક જંગ, ભાજપ-કોંગ્રેસમાં ઘર્ષણ]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/20/rivaba-jadeja_1b156680-4bc5-4dc6-ba6d-082aaab35ccf.png" alt="Rajkot Rivaba Jadeja" />
                  </div>
                  <h2><strong>Rajkot News: </strong>ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ શહેરનો એક રાજકીય મુકાબલો ખાસ ચર્ચામાં આવ્યો છે, જ્યાં પરિવારની અંદરની જ રાજકીય લડાઈ જાહેર મંચ પર આવી છે. રીવાબા જાડેજા અને તેમની નણંદ નયનાબા જાડેજા વચ્ચેનો આ ટક્કર હવે માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક અને વ્યક્તિગત સ્તરે પણ ચર્ચાનો વિષય બની ગયો છે. આ મુકાબલો ખાસ કારણોસર ચર્ચામાં છે, કારણ કે બંને એક જ પરિવારના સભ્યો છે અને બંને અલગ-અલગ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રીવાબા જાડેજા ભાજપ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પદ પર એક યુવા નેતા તરીકે ઉભરી રહ્યા છે, જ્યારે નયનાબા જાડેજા કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે.</h2><p></p><p><strong>આ પણ વાંચોઃ</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/hari-patel-nehru-gandhi-controversy-dhoraji-gujarat-5482712642">"નહેરુ મુસ્લિમના દિકરા હતા", ભાજપના નેતાના નિવેદનથી વિવાદ : રાહુલ ગાંધીના પરિવારજનોને પણ ગણાવ્યા ખ્રિસ્તી અને મુસ્લિમ!</a></p><p></p><h2><strong>નિવેદનબાજીથી ગરમાયો ચૂંટણી માહોલ</strong></h2><p>ચૂંટણી પ્રચાર દરમિયાન બંને વચ્ચે નિવેદનબાજી તીવ્ર બની ગઈ છે. રીવાબા જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે 17 એપ્રિલનો દિવસ નારી શક્તિ માટે મહત્વપૂર્ણ બની શકે તેમ હતો, પરંતુ કોંગ્રેસના વિરોધને કારણે તે દિવસ ‘કાળો દિવસ’ બની ગયો. આ દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન છે. તેમણે આ મુદ્દે દેશની મહિલાઓના અપમાનનો આરોપ લગાવ્યો અને ભાજપ માટે જનસમર્થનનો દાવો કર્યો.<br><br><strong>આ પણ વાંચોઃ</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/amit-thaker-vejalpur-controversy-ahmedabad-election-2026-6220158112">"ચંડોળા જેવી સ્થિતિ નહીં બનવા દઈએ" : વેજલપુર MLA ના નિવેદનથી અમદાવાદનું રાજકારણ ગરમાયું</a></p><p></p><p>ઉલ્લેખનીય છેકે, રીવાબા જાડેજા ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની અને હાલ ગુજરાતની વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે. બીજી તરફ કોંગ્રેસમાંથી તેમના પર આક્ષેપ કરનાર નવનાબા જાડેજા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના સગા મોટા બહેન અને રીવાબા જાડેજાના નણંદ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નણંદ અને ભાભી સોશિયલ મીડિયામાં એકબીજાની વિરુદ્ધ નિવેદનબાજી કરતા જોવા મળ્યાં. આ પરિસ્થિતિએ રાજકીય ચર્ચામાં એક નવી દિશા આપી છે, જ્યાં વ્યક્તિગત સંબંધો અને રાજકીય વિચારો વચ્ચેનો અંતર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ બંને પક્ષના સમર્થકો વચ્ચે ભારે ચર્ચા અને વિવાદ જોવા મળી રહ્યો છે.<br><br><strong>આ પણ વાંચોઃ</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/tcs-nashik-religion-conversion-case-4th-victim-revelation-3713857944"><u>Honeymoon Leave સહિત યુવતીઓના ચોંકાવનારા ખુલાસા : શું મોટી-મોટી કંપનીઓમાં મહિલા કર્મચારીઓ સાથે થાય છે આવા ધંધા?</u></a></p><p></p><h2><strong>રીવાબા જાડેજાએ નણંદને શુભેચ્છા આપીઃ</strong></h2><p>રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની અને રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા તેમના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી. રીવાબાએ કહ્યું ચૂંટણી લડનારને શુભેચ્છા પાઠવું છું. જો કે જીત ભાજપની જ થશે મને પૂરો ભરોસો છે. ભાજપના કાર્યકર્તાઓ પર મને પૂર્ણ વિશ્વાસ છે કે 26 તારીખે ભાજપની પેનલના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.</p><p></p><h2><strong>નાયનાબાએ માન્યો ભાભીનો આભારઃ</strong></h2><p>રાજકોટ શહેર વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, મને શુભેચ્છા પાઠવનાર મારા શુભેચ્છકો, મારા સમાજના લોકો મારા વિસ્તારના મતદારો અને માતાજી ભગવતીનો હું આભાર માનું છું. જીત કોની થશે એ આવનાર સમય બતાવશે કારણ કે, ભાજપના પૂર્વ નગરસેવકોએ કોઈ કામ નથી કર્યા માત્ર ભ્રષ્ટાચાર કર્યા છે. જનતા પણ હવે આ વાત જાણી ગઈ છે માટે ભાજપની હાર થશે કે જીત એ આવનાર સમય બતાવશે.</p><p></p><p>ગુજરાતની આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનેક કારણોસર ચર્ચામાં છે. વિકાસ મુદ્દાઓ કરતાં વ્યક્તિગત આક્ષેપો, નિવેદનબાજી અને રાજકીય ટકરાવ વધુ પ્રબળ બન્યા છે. વિશ્લેષકો માને છે કે આવા મુકાબલાઓ મતદારોનું ધ્યાન મૂળ મુદ્દાઓથી ભટકાવી શકે છે. જોકે, કેટલાક નિષ્ણાતો કહે છે કે આવા હાઈ-પ્રોફાઇલ મુકાબલાઓ મતદાનમાં રસ અને ભાગીદારી વધારવામાં પણ મદદરૂપ બને છે.</p><p></p><p>હવે સૌની નજર આવનારી પરિણામ તારીખ પર છે, જ્યાં નક્કી થશે કે આ પરિવારિક રાજકીય જંગમાં કોણ આગળ નીકળે છે. બંને પક્ષો પોતપોતાના દાવા કરી રહ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય મતદારોના મત પર આધારિત રહેશે. રાજકોટમાં આ મુકાબલો માત્ર એક વોર્ડની ચૂંટણી નથી, પરંતુ રાજ્યની રાજકીય પરિસ્થિતિનો પ્રતિબિંબ પણ માનવામાં આવી રહ્યો છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 20 Apr 2026 09:09:18 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/20/rivaba-jadeja_1b156680-4bc5-4dc6-ba6d-082aaab35ccf.png" medium="image" type="image/png" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA["નહેરુ મુસ્લિમના દિકરા હતા", ભાજપના નેતાના નિવેદનથી વિવાદ: રાહુલ ગાંધીના પરિવારજનોને પણ ગણાવ્યા ખ્રિસ્તી અને મુસ્લિમ!]]></title>
                <link>https://offbeatstories.in/news/hari-patel-nehru-gandhi-controversy-dhoraji-gujarat-5482712642</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/hari-patel-nehru-gandhi-controversy-dhoraji-gujarat-5482712642</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/hari-patel-nehru-gandhi-controversy-dhoraji-gujarat-5482712642" />
                <description><![CDATA[ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલના નેહરુ-ગાંધી પરિવાર અંગેના નિવેદનથી વિવાદ. કોંગ્રેસનો કડક પ્રતિસાદ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/20/congress-1_ec562031-417b-40fc-a934-bc2b2f13123e.jpg" alt="ધોરાજીમાં જાહેર સભામાં ભાષણ આપતા ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલ" />
                  </div>
                  <h2><strong>Gujarat Local Body Election 2026:</strong> આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અત્યાર સુધીની તમામ ચૂંટણીઓ કરતા અલગ છે. ક્યારેય કોઈ ચૂંટણીમાં પણ ના થાય એવી હરકતો આ ચૂંટણીમાં થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસના મુદ્દાઓ ભૂલાઈ ગયા છે. <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a> જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે પોરબંદરથી ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે આપેલાં નિવેદનથી નવો વિવાદ છેડાયો છે. ધોરાજીના સુપેડીમાં પોરબંદરના પૂર્વ સાંસદની જીભ લપસી હતી. જેમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે જવાહરલાલ નેહરુને મુસ્લિમ કહ્યા હતા. અને તેમના પરિવારજનોને ખ્રિસ્તી તથા મુસ્લિમ ગણાવ્યા ભારે વિવાદ છેડાયો છે.</h2><p></p><h2><strong>"નહેરુ મુસ્લિમના દિકરા હતા, પંડિત બની મત માંગતા હતાં": ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલ</strong></h2><p>ચૂંટણી પ્રચારમાં નીકળેલાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર પર વિવાદિત ટિપ્પણી કરતા હડકંપ મચી ગયો છે. ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યુંકે, "હિન્દુસ્તાનની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહીને, કાશ્મીરના પંડિત છે, એવી રીતે મત માંગીને મુરખ બનાવ્યાં છે. હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં. તેઓ મુસ્લિમના દિકરા હતા. મુસ્લિમ તરીકે કોઈ મત ના આપે એટલે હિન્દુની બહુમતીવાળા દેશમાં શાસન જોઈતું હોય એટલે પંડિત તરીકે મત લીધાં."</p><p></p><p><img><img src="https://assests.offbeatstories.in/image/2026/04/20/hari-patel_22d331c7-7ba3-4699-84ac-cc1d53036b32.PNG"></p><h2></h2><h2><strong>"એક પણ વ્યક્તિ ગાંધી પરિવારમાં જન્મ્યો નથી છતાં ગાંધીનું નામ ચાલે છે": ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલ</strong></h2><p>ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે ગાંધી પરિવાર પર પણ આકરા પ્રહારો કર્યા. હરિ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યુંકે, "એક પણ વ્યક્તિ ગાંધી પરિવારમાં જન્મ્યો નથી. છતાં ગાંધી પરિવારનું નામ ચાલે છે. ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. આ બધા તો ખ્રિસ્તીઓ અને મુસ્લમાનો છે. છતાં ગાંધી સરનેમ વાપરીને હિન્દુસ્તાનની પ્રજાને મુરખ બનાવે છે." આ નિવેદન બાદ ભાજપમાં ડેમેજ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યું છે. જવાબદાર નેતાઓની હાજરીમાં થયેલા આ બફાટથી પક્ષ માટે બચાવ કરવો મુશ્કેલ બની શકે તેમ છે. બીજી તરફ આ નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે તેનો વળતો જવાબ આપ્યો છે.</p><p></p><h2><strong>"ભાજપના પૂર્વ સાંસદમાં જ્ઞાન જેવું કંઈ છે જ નહીં"</strong></h2><p>ગુજરાત કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહીરે તેનો જવાબ આપતા જણાવ્યુંકે, ભાજપના માજી સાંસદને કોઈ જ્ઞાન જ નથી. એના કારણે તે ગમે તેમ બફાટ કરે છે. કોણે આવા નેતાઓને ભાજપમાં લીધાં. ભાજપમાં બધા આવા જ નેતાઓ ભર્યા છે.</p><p></p><p><img><img src="https://assests.offbeatstories.in/image/2026/04/20/hari-patel-news_bdd696e8-eb23-433b-bc0e-5f9f4042e4db.PNG"></p><p></p><h2><strong>ક્યાં આપ્યું હતું નિવેદન?</strong></h2><p>ધોરાજી તાલુકાના સુપેડી ખાતે તાલુકા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત જાહેર સભામાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે સંબોધન કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે નેહરુ-ગાંધી પરિવારે દેશની જનતાને છેતરી છે. પૂર્વ સાંસદે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને મુસ્લિમ ગણાવ્યા હતા અને સમગ્ર પરિવારના સભ્યોને ખ્રિસ્તી તથા મુસ્લિમ કહીને સંબોધતા હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.</p><p></p><p>ઉલ્લેખનીય છેકે, આ વખતની <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95+%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80+%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી</a>માં નેતાઓએ બધી જ મર્યાદાઓ નેવે મુકી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મોટા રાજનેતા અને મહાપુરુષો-વિભૂતિઓ વિશે પણ હવે લોકો ગમેતેમ બોલી રહ્યાં છે. એકબીજાને નીચા પાડવા, વિરોધ કરવો, આક્ષેપો કરવા અને નારાબાજી કરવી આ બધા કરતા પણ ખરાબ સ્થિતિ આ વખતે ઉભી થઈ છે. આ વખતે ફોર્મ પરત ખેંચવા ગયેલાં ઉમેદવારોને કિડનેપ કરી લેવામાં આવ્યાં, ધમકીઓ આપવામાં આવી, ઉમેદવારોના કપડાં ફાડી નાંખવામાં આવ્યાં. કેમેરામાં કેદ થયેલાં આ દ્રશ્યો સૌ કોઈએ જોયા છે. ગુજરાતના ઈતિહાસમાં આવી ચૂંટણી ક્યારેય થઈ નથી.</p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 20 Apr 2026 06:11:27 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/20/congress-1_ec562031-417b-40fc-a934-bc2b2f13123e.jpg" medium="image" type="image/jpg" />
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/20/hari-patel_22d331c7-7ba3-4699-84ac-cc1d53036b32.PNG" medium="image" /><media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/20/hari-patel-news_bdd696e8-eb23-433b-bc0e-5f9f4042e4db.PNG" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ જિલ્લામાં પંચાયત-પાલિકા ચૂંટણીનો જંગ: 397 EVM કમિશનિંગ બાદ સ્ટ્રોંગ રૂમમાં સીલ]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-evm-ready-panchayat-palika-election-2026-8121967359</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-evm-ready-panchayat-palika-election-2026-8121967359</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-evm-ready-panchayat-palika-election-2026-8121967359" />
                <description><![CDATA[રાજકોટ જિલ્લામાં પંચાયત-પાલિકા ચૂંટણી માટે 397 EVM તૈયાર કરી સ્ટ્રોંગ રૂમમાં સીલ. ચૂંટણી તંત્રની કડક દેખરેખ હેઠળ પ્રક્રિયા પૂર્ણ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/20/rajkot-2_00cb4a7c-b1f6-423f-ab34-2bae5c0618ef.jpg" alt="રાજકોટ EVM સ્ટ્રોંગ રૂમ" />
                  </div>
                  <p>રાજકોટ જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ ગતિએ આગળ વધી રહી છે. આ અંતર્ગત કુલ 397 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) સફળતાપૂર્વક તૈયાર કરી સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરાઈ હતી, જ્યાં છેલ્લા બે દિવસથી સતત કામગીરી ચાલી રહી હતી.<br></p><p>ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લગભગ 100 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ દિવસ-રાત મહેનત કરીને બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું ટેકનિકલ ટેસ્ટિંગ કર્યું હતું. ત્યારબાદ ઉમેદવારોના નામ અને તેમના ચૂંટણી ચિન્હો મુજબ મશીનોમાં સેટિંગ કરવામાં આવી હતી, જેથી મતદાન દરમિયાન કોઈ ટેકનિકલ ખામી ન રહે.<br></p><h2><strong>ગોંડલ નગરપાલિકા માટે ખાસ તૈયારી</strong></h2><p>ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે પણ વહીવટી મશીનરી સક્રિય બની છે. અહીં મહારાજા ભગતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે EVM તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગોંડલના કુલ 11 વોર્ડમાંથી 4 વોર્ડ બિનહરીફ જાહેર થયા છે, જે ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ઘટના ગણાય છે.<br></p><p>હવે બાકી રહેલા 7 વોર્ડ માટે મતદાન યોજાશે, જેમાં કુલ 55 મતદાન મથકો માટે EVM તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ મશીનોમાં રિઝર્વ યુનિટ્સ પણ સમાવેશ કરવામાં આવ્યા છે, જેથી મતદાન દરમિયાન કોઈ અનિશ્ચિતતા સર્જાય તો તરત વિકલ્પ ઉપલબ્ધ રહે.<br></p><h2><strong>પારદર્શિતા માટે ખાસ પગલાં</strong></h2><p>ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. EVM કમિશનિંગ અને સ્ટ્રોંગ રૂમમાં સીલિંગની પ્રક્રિયા દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ અપક્ષ ઉમેદવારોને હાજર રાખવામાં આવ્યા હતા. આ પગલાંનો મુખ્ય હેતુ સંભવિત વિવાદો અને આક્ષેપોને અટકાવવાનો છે.<br></p><p>આ ઉપરાંત, ટેકનિકલ ચકાસણી માટે નિષ્ણાત એન્જિનિયરોની પણ હાજરી રાખવામાં આવી હતી, જેમણે મશીનોની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા અંગે ખાતરી આપી હતી. ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાશે.<br></p><h2><strong>રાજ્યભરના ચૂંટણી માહોલ સાથે જોડાણ</strong></h2><p>ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાનારી છે અને 28 એપ્રિલે મતગણતરી થવાની છે. રાજ્યભરમાં લાખો મતદારો આ ચૂંટણીમાં ભાગ લેશે અને તમામ મતદાન EVM દ્વારા કરવામાં આવશે.</p><p></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-raghuvanshi-samaj-bjp-ticket-controversy-nota-protest-3571555324">રાજકોટમાં રાજકારણ ગરમાયું! : રઘુવંશી સમાજે આપી 'NOTA' ની ચીમકી, જાણો શું છે સમગ્ર મામલો</a></p><p></p><p>આ ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ સહિત હજારો બેઠકો માટે મતદાન થવાનું હોવાથી ચૂંટણી તંત્ર માટે આ મોટું આયોજન ગણાય છે. <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>જિલ્લામાં EVM તૈયારીઓ પૂર્ણ થવી એ સમગ્ર પ્રક્રિયાનો મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે.<br></p><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>સહિત સમગ્ર રાજ્યમાં ચૂંટણી માહોલ ગરમાયો છે, અને એક તરફ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ ચૂંટણી તંત્ર ટેકનિકલ અને વહીવટી સ્તરે સજ્જ થઈ રહ્યું છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 20 Apr 2026 04:08:46 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/20/rajkot-2_00cb4a7c-b1f6-423f-ab34-2bae5c0618ef.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં રાજકારણ ગરમાયું!: રઘુવંશી સમાજે આપી 'NOTA' ની ચીમકી, જાણો શું છે સમગ્ર મામલો]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-raghuvanshi-samaj-bjp-ticket-controversy-nota-protest-3571555324</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-raghuvanshi-samaj-bjp-ticket-controversy-nota-protest-3571555324</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-raghuvanshi-samaj-bjp-ticket-controversy-nota-protest-3571555324" />
                <description><![CDATA[રાજકોટ ચૂંટણીમાં રઘુવંશી સમાજે ભાજપ સામે બોયકૉટનું એલાન કરી NOTA વાપરવાની ચીમકી આપી. જાણો શું છે ધારાસભ્ય દર્શિતા શાહ સામેનો વિરોધ અને વિવાદ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/19/rajkot-1_1a2fa000-06f5-470c-8537-beb3b9bf3a65.jpg" alt="રાજકોટ રઘુવંશી વિવાદ" />
                  </div>
                  <p><strong>Rajkot: </strong>ગુજરાતમાં રાજકારણનું હબ ગણાતા રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ વખતે જંગ માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી, પરંતુ સત્તાધારી પક્ષ ભાજપ અને મજબૂત મનાતા રઘુવંશી સમાજ વચ્ચે છે. ટિકિટ ફાળવણીમાં પ્રતિનિધિત્વ ન મળતા રોષે ભરાયેલા રઘુવંશી સમાજે હવે ખુલ્લેઆમ ભાજપ સામે મોરચો માંડ્યો છે. સમાજે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ સામૂહિક રીતે 'NOTA' (None of the Above) નો ઉપયોગ કરીને સત્તાધારી પક્ષને પાઠ ભણાવશે.<br></p><h2><strong>શું છે સમગ્ર મામલો?</strong></h2><p>18 એપ્રિલના રોજ <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>માં 'રઘુવંશી યુવા શક્તિ સંઘ' દ્વારા એક વિશાળ વિરોધ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપની ટિકિટ વિતરણ પ્રક્રિયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સમાજના અગ્રણીઓનો સીધો આક્ષેપ છે કે રાજકોટ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે પોતાના અંગત હિતો અને માનીતાઓને સાચવવા માટે વોર્ડ નંબર 1, 2 અને 3માં વર્ષોથી પક્ષ માટે કામ કરતા રઘુવંશી ઉમેદવારોની ટિકિટ કાપી નાખી છે.<br></p><p>પ્રદર્શન દરમિયાન વાતાવરણ ત્યારે વધુ તંગ બન્યું જ્યારે કાર્યકરોએ હાથમાં 'ડૉ. દર્શિતા શાહ હાય હાય' અને 'જ્યાં રઘુવંશી ઉમેદવાર નહીં, ત્યાં અમારો વોટ NOTA ને' લખેલા પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કર્યા હતા. આ માત્ર એક નાનો વિરોધ નથી, પરંતુ <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>ના રાજકારણમાં આવનારા મોટા તોફાનના સંકેત સમાન છે.<br></p><h2><strong>'અમારા સ્વાભિમાન સામે કોઈ બાંધછોડ નહીં': કે. ડી. રઘુવંશી</strong></h2><p>રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કે. ડી. રઘુવંશીએ સભાને સંબોધતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "રઘુવંશી સમાજ હંમેશા ભાજપની પડખે રહ્યો છે, પરંતુ આ વખતે પક્ષે અમારી અવગણના કરીને સમાજના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે. અમે સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે આ ચૂંટણીમાં રઘુવંશી સમાજ ભાજપને મત નહીં આપે."<br></p><p>તેમણે ઉમેર્યું કે, <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>માં રઘુવંશી સમાજની વસ્તી નિર્ણાયક છે. માત્ર ત્રણ મહિલા ઉમેદવારોને ટિકિટ આપીને પક્ષે અઢી લાખની વસ્તી ધરાવતા સમાજની મજાક ઉડાવી છે. આ લડાઈ હવે માત્ર સત્તાની નથી, પણ અસ્તિત્વ અને પ્રતિનિધિત્વની છે.<br></p><h2><strong>ધારાસભ્ય સામે તીખી પ્રતિક્રિયા અને રાજકીય સમીકરણો</strong></h2><p>વિરોધનું મુખ્ય કેન્દ્રબિંદુ ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ છે. સમાજના નેતાઓ માને છે કે સ્થાનિક નેતૃત્વએ પ્રદેશ કક્ષાએ ખોટો રિપોર્ટ આપીને રઘુવંશી ઉમેદવારોના નામ યાદીમાંથી દૂર કરાવ્યા છે. કે. ડી. રઘુવંશીએ ગર્જના કરતા કહ્યું કે, "નેતાઓ યાદ રાખે કે પ્રજાએ જ તેમને ગાદી પર બેસાડ્યા છે. જો સમાજની અવગણના થશે તો અમે તમારા અહંકારના કિલ્લાને ધૂળમાં મેળવી દઈશું."<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-adulterated-milk-seized-400-litres-gujarati-news-7452741484">Rajkot માં નકલી દૂધનો મોટો ભાંડાફોડ : પોલીસે 400 લિટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો</a></p><p></p><h2><strong>શપથ અને NOTA નો શસ્ત્ર તરીકે ઉપયોગ</strong></h2><p>સભાના અંતે ઉપસ્થિત હજારો લોકોએ રઘુવંશી સમાજની શપથ પત્રિકાનું વાંચન કર્યું હતું. આ શપથમાં મુખ્ય ત્રણ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો:</p><ul><li><p>જે વોર્ડમાં રઘુવંશી ઉમેદવાર ચૂંટણી લડતા હશે, ત્યાં જ સમાજ મતદાન કરશે.</p></li><li><p>જ્યાં સમાજની અવગણના થઈ છે, ત્યાં પક્ષને પાઠ ભણાવવા NOTA બટન દબાવવામાં આવશે.</p></li><li><p>સમાજ વિરોધી માનસિકતા ધરાવતા કોઈપણ નેતાને આગામી સમયમાં ટેકો આપવામાં આવશે નહીં.<br></p></li></ul><h2><strong>ભાજપ માટે જોખમની ઘંટડી?</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ સામાજિક સમીકરણો બગડતા અહીં રમત પલટાઈ શકે છે. 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપ માટે 'લિટમસ ટેસ્ટ' સાબિત થશે. જો રઘુવંશી સમાજ પોતાની જીદ પર અડગ રહેશે, તો અનેક બેઠકો પર ભાજપના ગણિત બગડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપનું મોવડી મંડળ આ ડેમેજ કંટ્રોલ કરવા માટે કેવા પગલાં ભરે છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Sun, 19 Apr 2026 04:39:34 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/19/rajkot-1_1a2fa000-06f5-470c-8537-beb3b9bf3a65.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[Rajkot માં નકલી દૂધનો મોટો ભાંડાફોડ: પોલીસે 400 લિટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-adulterated-milk-seized-400-litres-gujarati-news-7452741484</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-adulterated-milk-seized-400-litres-gujarati-news-7452741484</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-adulterated-milk-seized-400-litres-gujarati-news-7452741484" />
                <description><![CDATA[રાજકોટ પોલીસે 400 લિટર શંકાસ્પદ નકલી દૂધ જપ્ત કરી તપાસ શરૂ કરી છે. કેમિકલયુક્ત દૂધથી આરોગ્યને જોખમ, જાણો આખી ઘટના અને સાવચેતીના ઉપાયો.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/18/milk_befa495a-273e-4fb2-88f7-6f96cad9cbb7.jpg" alt="રાજકોટમાં નકલી દૂધ" />
                  </div>
                  <p><strong>Rajkot: </strong>ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. રંગીલા રાજકોટમાં ફરી એકવાર માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું નેટવર્ક ઝડપાયું છે. રાજકોટ પોલીસે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને અંદાજે 400 લિટર જેટલું શંકાસ્પદ અને અત્યંત ઘાતક કહી શકાય તેવું ભેળસેળયુક્ત દૂધ જપ્ત કર્યું છે. આ ઘટનાએ શહેરભરમાં ચકચાર મચાવી દીધી છે અને દૂધના ગ્રાહકોમાં ફાળ પડી છે.<br></p><h2><strong>કેવી રીતે ફૂટ્યો ભંડાફોડ?</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે શહેરના એક ચોક્કસ વિસ્તારમાં દૂધના નામે સફેદ ઝેર પીરસવામાં આવી રહ્યું છે. આ માહિતીને આધારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે સ્થળ પરનું દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અસ્વચ્છ વાતાવરણમાં કેમિકલ અને અન્ય પદાર્થોના મિશ્રણથી દૂધ જેવું દેખાતું પ્રવાહી તૈયાર કરવામાં આવતું હતું.<br></p><p>પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 400 લિટર દૂધનો જથ્થો સીઝ કર્યો છે. આ દૂધ કોને સપ્લાય કરવામાં આવતું હતું અને તેમાં કયા પ્રકારના ઝેરી કેમિકલ્સનો ઉપયોગ થયો છે, તે જાણવા માટે એફએસએલ (FSL) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવામાં આવી છે. તમામ નમૂનાઓ લેબ ટેસ્ટિંગ માટે મોકલી દેવાયા છે.<br></p><h2><strong>સફેદ ઝેરનું ગણિત: દૂધમાં શું ભેળવવામાં આવે છે?</strong></h2><p>દૂધમાં ભેળસેળ માત્ર પાણી પૂરતી મર્યાદિત નથી રહી. નફાખોર વેપારીઓ દૂધને ઘટ્ટ બતાવવા અને વધુ નફો મેળવવા માટે અત્યંત જોખમી પદાર્થો વાપરે છે:</p><ul><li><p><strong>યુરિયા અને ડિટર્જન્ટ: </strong>દૂધમાં કુદરતી ફીણ અને સફેદી લાવવા માટે કપડાં ધોવાનો પાવડર અને યુરિયા વાપરવામાં આવે છે, જે સીધું લિવર પર હુમલો કરે છે.</p></li><li><p><strong>સ્ટાર્ચ અને માલ્ટોડેક્સટ્રિન: </strong>દૂધની ઘનતા (Fat) વધારવા માટે લોટ અને અન્ય પાવડર ભેળવાય છે.</p></li><li><p><strong>હાઈડ્રોજન પેરોક્સાઈડ:</strong> દૂધ લાંબો સમય બગડે નહીં તે માટે આ કેમિકલ નખાય છે, જે આંતરડાને ગંભીર નુકસાન પહોંચાડે છે.</p></li><li><p><strong>આરોગ્ય પર ખતરો: </strong>બાળકો અને વૃદ્ધો માટે જીવલેણ<br></p></li></ul><p>દૂધ એ સંપૂર્ણ આહાર ગણાય છે, જે ખાસ કરીને નવજાત બાળકો અને બીમાર લોકો લેતા હોય છે. જ્યારે આવા નકલી દૂધનું સેવન કરવામાં આવે ત્યારે તેની અસરો અત્યંત ગંભીર હોય છે. તબીબોના મતે, આ પ્રકારનું કેમિકલયુક્ત દૂધ પીવાથી કિડની ફેલ થવી, પાચનતંત્રના રોગો, ચામડીની એલર્જી અને લાંબા ગાળે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે. રાજકોટની આ ઘટના બાદ આરોગ્ય વિભાગે પણ શહેરની અન્ય ડેરીઓ પર તપાસ વધારી દીધી છે.</p><p></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-rte-admission-2026-applications-seats-crisis-9677905696">રાજકોટમાં RTE પ્રવેશમાં ભારે સ્પર્ધા : બેઠકો કરતાં ત્રણ ગણી આવી અરજીઓ</a></p><p></p><h2><strong>તંત્રની કડક કાર્યવાહી અને કાયદાકીય પાસાઓ</strong></h2><p>રાજકોટ પોલીસે આ મામલે ગુનો નોંધીને મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSAI) હેઠળ જો દોષિત ઠરશે, તો આરોપીઓને ભારે દંડ અને જેલની સજા થઈ શકે છે. પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, "લોકોના જીવન સાથે ચેડાં કરનારા કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં."<br></p><p>આ ઘટના માત્ર એક જપ્તીનો કિસ્સો નથી, પણ આપણા ખાદ્ય તંત્રની નબળાઈઓ પર એક જોરદાર પ્રહાર છે. રાજકોટ પોલીસની આ સફળતા બાદ હવે રાજ્યવ્યાપી દૂધના નમૂના લેવાની ઝુંબેશ શરૂ થાય તેવી શક્યતા છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sun, 19 Apr 2026 02:15:00 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/18/milk_befa495a-273e-4fb2-88f7-6f96cad9cbb7.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં RTE પ્રવેશમાં ભારે સ્પર્ધા: બેઠકો કરતાં ત્રણ ગણી આવી અરજીઓ]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-rte-admission-2026-applications-seats-crisis-9677905696</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-rte-admission-2026-applications-seats-crisis-9677905696</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-rte-admission-2026-applications-seats-crisis-9677905696" />
                <description><![CDATA[રાજકોટમાં RTE પ્રવેશ માટે 20 હજારથી વધુ અરજીઓ આવી. બેઠકો ઓછી હોવાથી માતા-પિતામાં ચિંતા, લોટરીથી થશે પસંદગી.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/17/RTE-1_d0b1afe9-4a56-4478-864e-77896405aeb5.jpg" alt="20 હજાર અરજીઓ, હવે કોને મળશે પ્રવેશ" />
                  </div>
                  <p>રાજકોટમાં RTE હોઠળ પ્રવેશ માટે મોટી સંખ્યામાં લોકોએ અરજીઓ કરી છે.  બેઠકો કરતાં લગભગ ત્રણ ગણી અરજીઓ આવતાં હજારો માતા-પિતાની ચિંતા વધી ગઈ છે. તેમના બાળકોને પ્રવેશ મળશે કે નહીં તે હવે પ્રશ્ન બની ગયો છે. RTE નિયમો મુજબ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં 25% બેઠકો અનામત રાખવામાં આવે છે. પરંતુ માંગ વધતાં હવે આ અનામત બેઠકો પૂરતી નથી.</p><p></p><h2><strong>બેઠકો કરતાં ત્રણગણી અરજીઓ</strong></h2><p>રાજકોટમાં RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે આ વર્ષે આશરે 20 હજારથી વધુ અરજીઓ આવી છે, જ્યારે ઉપલબ્ધ બેઠકો તેની તુલનામાં ખૂબ ઓછી છે. આથી સ્પર્ધા ખૂબ જ કઠિન બની ગઈ છે. આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવતા માતા-પિતામાં અનિશ્ચિતતા વધી છે. ઘણા માતા-પિતા આશા રાખીને ફોર્મ ભરે છે પરંતુ સીમિત બેઠકોને કારણે ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી. </p><p></p><h2><strong>કેવી રીતે થશે પસંદગી</strong></h2><p>RTE હેઠળ પ્રવેશ માટે સામાન્ય રીતે લોટરી સિસ્ટમ અપનાવવામાં આવે છે. એટલે કે, તમામ યોગ્ય અરજીઓમાંથી રેન્ડમ રીતે વિદ્યાર્થીઓની પસંદગી થાય છે. આ પ્રણાલી પારદર્શક માનવામાં આવે છે પરંતુ બેઠકો ઓછી હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓને બહાર રહેવું પડે છે.</p><p></p><h2><strong>શા માટે વધી રહી છે માંગ?</strong></h2><p>રાજકોટ સહિત ગુજરાતના શહેરોમાં RTE હેઠળ પ્રવેશ માટે માંગ વધી રહી છે. તેના મુખ્ય કારણો ખાનગી શાળાઓમાં સારી શિક્ષણ સુવિધા,  મફત શિક્ષણનો લાભ,  સરકારી શાળાઓની તુલનામાં વધુ સુવિધાઓ જેવા કારણોથી RTE માટેની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. </p><p></p><p>શિક્ષણ નિષ્ણાતો માને છે કે RTE યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેની અસરકારકતા વધારવા માટે વધુ બેઠકો ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. તે ઉપરાંત, સરકારી શાળાઓની ગુણવત્તામાં સુધારો લાવવો પણ એટલો જ મહત્વપૂર્ણ છે, જેથી તમામ વિદ્યાર્થીઓને સમાન તક મળી શકે. આ મુદ્દો માત્ર રાજકોટ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં RTE પ્રવેશની સ્થિતિ સમાન છે. વધતી માંગ અને ઓછી બેઠકો એ શિક્ષણ વ્યવસ્થાની પડકારરૂપ સ્થિતિ દર્શાવે છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 18 Apr 2026 02:30:00 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/17/RTE-1_d0b1afe9-4a56-4478-864e-77896405aeb5.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ભાજપ અને ગુજરાતની જનતા એ વિશ્વનો સૌથી મોટો સંયુક્ત પરિવાર: મોરબીમાં હર્ષ સંઘવીએ ચૂંટણી સભા ગજવી]]></title>
                <link>https://offbeatstories.in/news/morbi-amran-harsh-sanghavi-bjp-development-speech-7825543152</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/morbi-amran-harsh-sanghavi-bjp-development-speech-7825543152</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/morbi-amran-harsh-sanghavi-bjp-development-speech-7825543152" />
                <description><![CDATA[મોરબીના આમરણમાં હર્ષ સંઘવીએ ભાજપને વિશ્વનો સૌથી મોટો પરિવાર ગણાવ્યો, કોંગ્રેસ પર પ્રહાર કરી વિકાસ અને સુરક્ષાના મુદ્દાઓ ઉઠાવ્યા.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/17/Harsh-Saghavi_960692e5-ff84-40a8-8d15-65328492d1f6.jpg" alt="સભામાં હર્ષ સંઘવી મોટી જનમેદની" />
                  </div>
                  <p><strong>Morbi News: </strong>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે મોરબી જિલ્લાના આમરણ ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં જનમેદનીને સંબોધતા રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ માત્ર રાજકીય નથી, પરંતુ એક અતૂટ પારિવારિક સંબંધ છે.</p><p></p><h2><strong>જનતા સાથેનો અતૂટ સ્નેહ અને શ્રદ્ધાંજલિ</strong></h2><p>કાર્યક્રમની શરૂઆતમાં હર્ષ સંઘવીએ સ્વ. મગનભાઈ કાસુન્દ્રાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાળઝાળ ગરમીમાં પણ ઉમટી પડેલી વિશાળ જનમેદનીને જોઈ તેમણે ગદગદિત થઈ જણાવ્યું કે, "આ હાજરી સાબિત કરે છે કે ભાજપ અને આ વિસ્તારના નાગરિકો વચ્ચેનો સંબંધ આવનારા સમયમાં વધુ મજબૂત બનશે. હું અહીં ફક્ત મત માંગવા નથી આવ્યો, પરંતુ વર્ષોથી બંધાયેલા વિશ્વાસ અને સ્નેહના ભાવાત્મક સંબંધને વધુ ગાઢ કરવા આવ્યો છું." હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા તથા ભાજપા એ માત્ર દેશનો જ નહીં, પરંતુ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/sabarkantha-cm-bhupendra-patel-public-meeting-development-message-7246156327">સાબરકાંઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન : 'વિકાસની રાજનીતિ' અને સુશાસન પર ભાર</a></p><p></p><h2><strong>કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા પર ભાર</strong></h2><p>કોંગ્રેસના શાસનકાળની યાદ અપાવતા સંઘવીએ જણાવ્યું કે, અગાઉના સમયમાં માતા-બહેનોને પાણી માટે માઈલો સુધી ભટકવું પડતું અને સાંજ પછી સૌરાષ્ટ્રમાં દીકરીઓનું ઘરની બહાર નીકળવું સુરક્ષિત નહોતું. આજે સ્થિતિ બદલાઈ છે.  આજે ગુજરાતમાં માતા-બહેનો અડધી રાત્રે પણ નિર્ભય થઈને ફરી શકે છે. લુખ્ખા-ટપોરી તત્વો સામે ગુજરાત પોલીસ કડક હાથે કામ લઈ રહી છે. સરકાર ગુનાહિત તત્વોને શોધી-શોધીને જેલમાં ધકેલી કાયદો-વ્યવસ્થા મજબૂત રાખવા કટિબદ્ધ છે.</p><p></p><h2><strong>નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની હરણફાળ</strong></h2><p>સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાતને કોંગ્રેસના કુશાસનમાંથી મુક્ત કરાવી વિકાસના પથ પર લાવવાનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વને જાય છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો. </p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/amc-election-2026-ahmedabad-congress-leader-alleged-bribe-ticket-politics-6744973654">"શહેર કોંગ્રેસ પ્રમુખ ઓલા ગાડી કરીને પૈસા લેવા આવ્યાં હતાં" : ટિકિટ મુદ્દે વાળ પકડીને લાફો માર્યો હોવાનો મહિલા કાર્યકરનો આક્ષેપ</a></p><p></p><h2><strong>યુવાનોને આહવાન</strong></h2><p>તેમણે ઉપસ્થિત યુવાનોને અપીલ કરી હતી કે તેઓ વડીલો પાસેથી કોંગ્રેસના સમયના કુશાસન અને મુશ્કેલીઓની સાચી માહિતી મેળવે અને તેને સમાજના અન્ય લોકો સુધી પહોંચાડે, જેથી વિકાસની આ ગતિ અવિરત ચાલુ રહે. આ વિકાસ સંકલ્પ સભામાં જિલ્લા ભાજપા પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભાએ આગામી ચૂંટણીઓ માટે ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 17 Apr 2026 14:57:08 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/17/Harsh-Saghavi_960692e5-ff84-40a8-8d15-65328492d1f6.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ભાજપની સભામાં વાળ ખેંચ્યા, લાફા માર્યા...: રાજકોટના આનંદપરમાં મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-anandpar-bjp-meeting-women-fight-viral-video-7293965893</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-anandpar-bjp-meeting-women-fight-viral-video-7293965893</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-anandpar-bjp-meeting-women-fight-viral-video-7293965893" />
                <description><![CDATA[રાજકોટના આનંદપરમાં ભાજપ સભા દરમિયાન બે મહિલાઓ વચ્ચે ઉગ્ર મારામારી, વીડિયો વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/17/rajkot-1_c014c308-2bda-4e59-876a-8d4088b51b3a.jpg" alt="રાજકોટના આનંદપરમાં મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો" />
                  </div>
                  <p>રાજકોટના રાજકારણમાં હંમેશા ગરમાવો જોવા મળતો હોય છે, પરંતુ રવિવારે રાત્રે આનંદપર (નવાગામ-2) વિસ્તારમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેણે શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપની છબી પર અનેક સવાલો ઉભા કર્યા છે. ભાજપ દ્વારા આયોજિત એક જાહેર સભા દરમિયાન અચાનક જ બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં છુટ્ટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનાને કારણે સભામાં હાજર લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને કાર્યક્રમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.<br></p><h2><strong>સભામાં અચાનક ભભૂક્યો વિવાદ</strong></h2><p>મળતી માહિતી અનુસાર, આગામી <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95+%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF+%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80">ચૂંટણી</a>ઓના પ્રચાર અર્થે આનંદપર વિસ્તારમાં ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંચ પરથી નેતાઓ સંબોધન કરી રહ્યા હતા અને નીચે લોકો બેઠા હતા. આ દરમિયાન બે મહિલાઓ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. શરૂઆતમાં બાજુમાં બેઠેલા લોકોએ તેને સામાન્ય ગણીને અવગણ્યું હતું, પરંતુ વિવાદ એટલો વકર્યો કે બંને મહિલાઓ એકબીજાને ભયાનક ગાળો આપવા લાગી હતી.<br></p><h2><strong>જાહેરમાં મર્યાદા નેવે મુકાઈ: વાળ પકડીને મારામારી</strong></h2><p>આ વિવાદ માત્ર શબ્દો સુધી મર્યાદિત ન રહ્યો. બંને મહિલાઓ એકબીજા પર તૂટી પડી હતી. જાહેરમાં એકબીજાના વાળ ખેંચીને તેમણે મારામારી શરૂ કરી દીધી હતી. સભાના મધ્યમાં જ આ રીતે મહિલાઓને લડતી જોઈને મંચ પર હાજર નેતાઓ પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલાઓ વચ્ચેની આ હાથાપાઈ એટલી ઉગ્ર હતી કે આસપાસની અન્ય મહિલાઓ અને પુરૂષ કાર્યકરોએ વચ્ચે પડવાની ફરજ પડી હતી. તેમ છતાં, ઉશ્કેરાયેલી મહિલાઓ એકબીજાને છોડવા તૈયાર નહોતી.<br></p><h2><strong>કાર્યકરોમાં મચી અફરાતફરી, પોલીસ બોલાવવાની નોબત</strong></h2><p>ઘટનાને પગલે સભામાં અવ્યવસ્થા સર્જાઈ હતી. જે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાનો હતો, ત્યાં અચાનક 'ચોર-પોલીસ' જેવા દ્રશ્યો સર્જાયા હતા. ભાજપના શિસ્તબદ્ધ મહિલા મોરચાના કાર્યકરોએ તાત્કાલિક બંને મહિલાઓને અલગ કરવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન સભામાં હાજર રહેલા અન્ય લોકો પણ ઊભા થઈ જતાં ધક્કામુક્કી થઈ હતી. ભારે જહેમત બાદ બંને પક્ષોને શાંત પાડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં સભાની ગરિમાને મોટું નુકસાન પહોંચી ચૂક્યું હતું.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/vasavad-aap-campaign-kajalben-muliya-gondal-election-4366533805">વાસાવડમાં AAPનો પ્રચાર પ્રચંડ : કાજલ મૂળિયા માટે વોટ માંગવા નીકળ્યા જિગીષા પટેલ</a></p><p></p><h2><strong>શું આ વ્યક્તિગત અદાવત હતી કે રાજકીય અસંતોષ?</strong></h2><p>આ ઝઘડો શા માટે થયો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી. સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ બંને મહિલાઓ વચ્ચે જૂની અંગત અદાવત ચાલી રહી હતી, જે સભાના ગરમાવામાં બહાર આવી ગઈ. જોકે, બીજી તરફ એવી પણ અટકળો છે કે ટિકિટ વિતરણ અથવા પક્ષમાં સ્થાનિક હોદ્દાની વહેંચણીને લઈને ચાલી રહેલા આંતરિક અસંતોષને કારણે આ બખેડો ઊભો થયો હોઈ શકે છે. ભાજપના ઉચ્ચ હોદ્દેદારોએ આ મામલે તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.<br></p><h2><strong>સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, વિપક્ષને મળ્યો મુદ્દો</strong></h2><p>આ આખી ઘટના ત્યાં હાજર રહેલા કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. ટૂંકા સમયમાં જ આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ ગયો છે. વીડિયો વાયરલ થતાં જ વિરોધ પક્ષોએ ભાજપ પર પ્રહારો શરૂ કર્યા છે. </p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 17 Apr 2026 06:28:18 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/17/rajkot-1_c014c308-2bda-4e59-876a-8d4088b51b3a.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ગુજરાતમાં તાપમાનનો પારો 40ને પાર: સૌથી ગરમ શહેરમાં હાલત ખરાબ, જાણો કઈ તારીખે મળશે ગરમીથી રાહત]]></title>
                <link>https://offbeatstories.in/news/gujarat-heatwave-rain-forecast-april-2026-weather-update-4885292486</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gujarat-heatwave-rain-forecast-april-2026-weather-update-4885292486</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gujarat-heatwave-rain-forecast-april-2026-weather-update-4885292486" />
                <description><![CDATA[ગુજરાતમાં તાપમાનનો પારો 40ને પાર, સૌથી ગરમ શહેરમાં હાલત ખરાબ, જાણો કઈ તારીખે મળશે ગરમીથી રાહત]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/17/weather-update-1_7b6cc1ed-632d-4c83-97bf-36a0b3b142d7.jpg" alt="Gujarat Weather Update Rajkot Heat Wave" />
                  </div>
                  <h2><strong>Gujarat Heat Wave Alert: </strong>ગુજરાતમાં ઉનાળાએ તીવ્ર રૂપ ધારણ કર્યું છે અને અનેક શહેરોમાં તાપમાન 40°Cને પાર પહોંચી ગયું છે. ખાસ કરીને Rajkot 41.9°C સાથે સૌથી ગરમ શહેર તરીકે સામે આવ્યું છે. જોકે આ કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. આવતા બે દિવસમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.</h2><p></p><h2><strong>રાજ્યના શહેરોમાં ગરમીનો પ્રકોપ</strong></h2><p>ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી સતત વધી રહી છે. ગુરુવારે રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં તાપમાન 40°Cથી વધુ નોંધાયું હતું.</p><p>Rajkot – 41.9°C (સૌથી વધુ)</p><p>Surendranagar – 41°C</p><p>Ahmedabad – 40.4°C</p><p>Amreli – 40.3°C</p><h2>આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી અસહ્ય બની રહી છે. બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે અને લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે.<br><br><strong>આ પણ વાંચોઃ </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/india-heatwave-snowfall-alert-gujarat-weather-update-6034622199">ગુજરાત સહિત દેશના 8 રાજ્યોમાં લૂનો કહેર : ઉત્તર ભારતમાં હિમવર્ષાનું એલર્ટ! હવામાનમાં આ વિપરીત ફેરફાર કેમ?</a></h2><p><br><strong>બે દિવસમાં ક્યાં પડશે વરસાદ?</strong></p><p>હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ટૂંક સમયમાં ફેરફાર જોવા મળશે.</p><p><strong>19 એપ્રિલે વરસાદની શક્યતા:</strong></p><p>Amreli</p><p>Bhavnagar</p><p>Aravalli</p><p>Mahisagar</p><p>Dahod</p><p></p><p><strong>20 એપ્રિલે વરસાદની શક્યતા:</strong></p><p>Amreli</p><p>Bhavnagar</p><p>Tapi</p><p>Dang</p><p>આ માવઠા રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાત્કાલિક રાહત આપી શકે છે, ખાસ કરીને ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ બની શકે છે.</p><p></p><h2><strong>બે દિવસ પછી ગરમીમાં આવશે ઘટાડો</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8+%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97">હવામાન વિભાગ</a> અનુસાર, આગામી બે દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર જોવા નહીં મળે. તાપમાન 40થી 42°C વચ્ચે જ રહેશે. પરંતુ ત્યારબાદ 2થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. આથી લોકો માટે થોડી રાહત અનુભવાશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ પવનો ફૂંકાતા ભેજવાળું વાતાવરણ રહેશે, જેના કારણે ગરમી સાથે બફારો પણ અનુભવાશે.</p><p></p><h2><strong>દેશભરમાં ગરમીની સ્થિતિ યથાવત</strong></h2><p>ગુજરાત જ નહીં, પરંતુ દેશના અનેક રાજ્યોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી લૂની સ્થિતિ છે. <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=India+Meteorological+Department">India Meteorological Department</a> (IMD) મુજબ 20 એપ્રિલ સુધી આ વિસ્તારોમાં ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે. તાપમાન 40થી 44°C વચ્ચે રહેવાની આગાહી છે.</p><p></p><p>ગુજરાતમાં વધી રહેલી ગરમી આરોગ્ય માટે જોખમી બની શકે છે. હીટસ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને થાક જેવી સમસ્યાઓ વધી રહી છે. માવઠાની આગાહી ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આ વરસાદ પાક માટે ફાયદાકારક બની શકે છે. પરંતુ સાથે જ અચાનક હવામાન ફેરફાર ખેતી પર પ્રતિકૂળ અસર પણ પાડી શકે છે. આ ઉપરાંત, તાપમાનમાં આવનારો ઘટાડો સામાન્ય લોકો માટે રાહત લાવશે, પરંતુ લાંબા ગાળે વધતી ગરમી ક્લાઇમેટ બદલાવની ચિંતા પણ ઉભી કરે છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 17 Apr 2026 05:48:08 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/17/weather-update-1_7b6cc1ed-632d-4c83-97bf-36a0b3b142d7.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[વાસાવડમાં AAPનો પ્રચાર પ્રચંડ: કાજલ મૂળિયા માટે વોટ માંગવા નીકળ્યા જિગીષા પટેલ]]></title>
                <link>https://offbeatstories.in/news/vasavad-aap-campaign-kajalben-muliya-gondal-election-4366533805</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/vasavad-aap-campaign-kajalben-muliya-gondal-election-4366533805</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/vasavad-aap-campaign-kajalben-muliya-gondal-election-4366533805" />
                <description><![CDATA[ગોંડલના વાસાવડમાં AAPનો પ્રચાર તેજ, તાલુકા પંચાયત બેઠક માટે કાજલબેન મૂળિયા મેદાને; જિગીષા પટેલે સમર્થન માંગ્યું.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/17/rajkot_4cf70984-3a96-48e0-8bce-3e2ec4cf18da.jpg" alt="પ્રચાર માટે પહોંચેલા જિગીષા પટેલ" />
                  </div>
                  <p>રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઐતિહાસિક અને રાજકીય રીતે મહત્વના ગણાતા વાસાવડ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ (AAP) અહીં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ખાસ કરીને વાસાવડ તાલુકા પંચાયત બેઠક માટે કાજલબેન વિશાલભાઈ મૂળિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ, પક્ષે પ્રચાર અભિયાનમાં આક્રમકતા અને ભાવનાત્મક જોડાણ બંનેનો સમન્વય સાધ્યો છે.<br><img src="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/17/b4eaec53-ca84-4549-b466-2ab5619c764c_1776352094962.jpg"><strong>વાસાવડમાં 'ઝાડુ' નો પ્રભાવ વધારવા AAPની એન્ટ્રી</strong></p><p>ગોંડલ તાલુકામાં અત્યાર સુધી મુખ્યત્વે બે પક્ષો વચ્ચે જ જંગ જોવા મળતો હતો, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ વાસાવડમાં વહેલી તકે ઉમેદવાર જાહેર કરીને અન્ય પક્ષોને ચોંકાવી દીધા છે. કાજલબેન મૂળિયાના નામની જાહેરાત સાથે જ કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા માટે AAPના પ્રદેશ સ્તરના નેતા જિગીષા પટેલ ખાસ વાસાવડ દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિક કાર્યકરો સાથે બેઠક યોજી અને ત્યારબાદ સીધા જ જનસંપર્ક અભિયાનમાં જોડાયા હતા.<br><img src="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/17/ed8098c7-7d77-4d2c-8489-492b7fce6dde_1776352094968.jpg"><strong>“ગામની દીકરી”ના કાર્ડ સાથે ભાવનાત્મક પ્રચાર</strong></p><p>પ્રચાર દરમિયાન જિગીષા પટેલે ખૂબ જ ચતુર વ્યૂહરચના અપનાવી છે. તેમણે કાજલબેન મૂળિયાને માત્ર એક પક્ષના ઉમેદવાર તરીકે જ નહીં, પરંતુ “વાસાવડની દીકરી” તરીકે રજૂ કર્યા છે. કાજલબેન હંમેશા વાસાવડની જનતાના કામો માટે ઉપલબ્ધ રહેશે. તેમણે <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95+%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF+%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી</a>માં ગામની દીકરીને જંગી બહુમતીથી જીતાડવા ગ્રામજનોને વિનંતી કરી હતી.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/lalit-vasoya-controversy-rajkot-local-election-gujarat-4243703814">ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ભાજપ પર આકરા પ્રહાર : ચૂંટણી પંચને ગણાવ્યું 'ભાજપનું પાલતુ શ્વાન'</a><br><br><img src="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/17/acbb851c-ed3d-4efa-ae3b-4d9244b8dd29_1776352094969.jpg">આ ભાવનાત્મક અપીલ ખાસ કરીને મહિલા મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે કોઈ સ્થાનિક ચહેરો ચૂંટણી લડે છે, ત્યારે જ્ઞાતિ-જાતિના સમીકરણો કરતાં 'સ્થાનિકતા'નો મુદ્દો વધુ પ્રભાવી બનતો હોય છે, જેનો લાભ લેવા AAP સજ્જ જણાય છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 17 Apr 2026 05:39:42 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/17/rajkot_4cf70984-3a96-48e0-8bce-3e2ec4cf18da.jpg" medium="image" type="image/jpg" />
                <media:content url="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/17/b4eaec53-ca84-4549-b466-2ab5619c764c_1776352094962.jpg" medium="image" /><media:content url="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/17/ed8098c7-7d77-4d2c-8489-492b7fce6dde_1776352094968.jpg" medium="image" /><media:content url="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/17/acbb851c-ed3d-4efa-ae3b-4d9244b8dd29_1776352094969.jpg" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[અમદાવાદના પોશ વિસ્તારમાં ANTFનો મેગા દરોડો: MD ડ્રગ્સ અને કોકેઈન સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો]]></title>
                <link>https://offbeatstories.in/news/ahmedabad-bopal-drugs-raid-antf-2026-2542602300</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/ahmedabad-bopal-drugs-raid-antf-2026-2542602300</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/ahmedabad-bopal-drugs-raid-antf-2026-2542602300" />
                <description><![CDATA[અમદાવાદના બોપલમાં ANTF એ દરોડો પાડી રૂ. 18 લાખનું MD ડ્રગ્સ, કોકેઈન અને હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો છે. મુખ્ય આરોપી ધનરાજ સોલંકીની ધરપકડ કરી તપાસ તેજ કરાઈ છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/16/ahmedabad-_640ca7e2-2cee-48fe-88c0-e334280ab184.jpg" alt="અમદાવાદ ANTF દરોડામાં જપ્ત કરાયેલ MD ડ્રગ્સ અને પોલીસ કાર્યવાહી" />
                  </div>
                  <p>ગુજરાતમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી છે. આ અંતર્ગત અમદાવાદના બોપલ જેવા પોશ વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. એક ગુપ્ત ઓપરેશન દરમિયાન કરોડોની કિંમતના વિવિધ ડ્રગ્સ અને વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ દરોડાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ડ્રગ માફિયાઓ હવે રહેણાંક સોસાયટીઓને પોતાના અડ્ડા બનાવી રહ્યા છે.<br></p><h2><strong>આરોહી વિવિયાના ફ્લેટમાં કાર્યવાહી</strong></h2><p>CID ક્રાઇમ હેઠળની ANTF ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બોપલ વિસ્તારમાં આવેલા 'આરોહી વિવિયાના' ફ્લેટના એક યુનિટમાં પ્રતિબંધિત માદક પદાર્થોનો સંગ્રહ અને વેચાણ થઈ રહ્યું છે. તા. 16 એપ્રિલ 2026ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એન. આદરેજીયા અને તેમની ટીમે વ્યૂહાત્મક રીતે આ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ત્યાં માત્ર એક પ્રકારનું નહીં પણ 'મલ્ટી-ડ્રગ્સ' નેટવર્ક કાર્યરત હતું.<br></p><h2><strong>જપ્ત કરાયેલ મુદ્દામાલ અને તેની કિંમત</strong></h2><p>પોલીસે સ્થળ પરથી હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં વપરાતા મોંઘા ડ્રગ્સ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગત નીચે મુજબ છે:</p><ul><li><p>મેથામ્ફેટામાઇન (MD ડ્રગ્સ): 102.59 ગ્રામ</p></li><li><p>હાઈબ્રિડ ગાંજો: 46.64 ગ્રામ (જે સામાન્ય ગાંજા કરતા અનેકગણો મોંઘો હોય છે)</p></li><li><p>કોકેઇન: 8.88 ગ્રામ</p></li><li><p>વિદેશી દારૂ: 6 બોટલ અને બિયરના 24 ટીન</p></li><li><p>ડિજિટલ પુરાવા: 4 મોંઘા મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો</p></li></ul><p>આ તમામ મુદ્દામાલની અંદાજીત બજાર કિંમત રૂ. 18.01 લાખ આંકવામાં આવી છે. નિષ્ણાતોના મતે, આ ડ્રગ્સની છૂટક બજારમાં કિંમત આનાથી પણ વધુ હોઈ શકે છે.<br></p><h2><strong>રાજકોટથી અમદાવાદ સુધીના તાર</strong></h2><p>પોલીસે સ્થળ પરથી ધનરાજ ભનભાઈ સોલંકી (ઉંમર 42) ને ઝડપી લીધો છે. તપાસમાં બહાર આવ્યું છે કે ધનરાજ મૂળ <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>નો વતની છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/ahmedabad">અમદાવાદ</a>ના બોપલ વિસ્તારમાં ભાડે કે સ્વતંત્ર રીતે રહીને આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતો હતો. તેની પૂછપરછમાં અન્ય કેટલાક નામો પણ ખુલ્યા છે, જેમના તાર અડાલજ (ગાંધીનગર) અને દેશની રાજધાની દિલ્હી સુધી જોડાયેલા છે. હાલમાં અન્ય સહ-આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.<br></p><h2><strong>NDPS એક્ટની કડક કલમો</strong></h2><p>આરોપી વિરુદ્ધ બોપલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની સામે NDPS Act, 1985 હેઠળ અત્યંત કડક કલમો લગાવાઈ છે:</p><ul><li><p>કલમ 8(C): માદક પદાર્થોની હેરાફેરી અને સંગ્રહ પર પ્રતિબંધ.</p></li><li><p>કલમ 21(B) અને 22(C): કોકેઈન અને MD જેવા કેમિકલ ડ્રગ્સ રાખવા બદલ.</p></li><li><p>કલમ 29: ગુનાહિત કાવતરામાં સામેલ હોવા બદલ.</p></li></ul><p>આ ઉપરાંત, ગુજરાતમાં દારૂબંધી હોવાથી તેની પાસે રાખેલા વિદેશી દારૂના જથ્થા બદલ 'ગુજરાત પ્રોહિબિશન એક્ટ' હેઠળ અલગથી કાર્યવાહી કરવામાં આવી છે.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-gramya-liquor-raid-makhavad-farmhouse-8393933582">ચૂંટણી પૂર્વે ગુજરાત પોલીસ એક્શન મોડમાં : રાજકોટ ગ્રામ્યમાં SMCનો સપાટો, 11.56 લાખનો દારૂ જપ્ત</a></p><p></p><h2><strong>હાઈબ્રિડ ગાંજો અને દિલ્હી કનેક્શન</strong></h2><p>આ કેસમાં સૌથી ચિંતાજનક બાબત 'હાઈબ્રિડ ગાંજો' છે. સામાન્ય રીતે આ પ્રકારનો ગાંજો વિદેશથી અથવા ડાર્ક વેબના માધ્યમથી મંગાવવામાં આવતો હોય છે. ANTF હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ ડ્રગ્સ દિલ્હીથી વાયા અડાલજ થઈને <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/ahmedabad">અમદાવાદ </a>પહોંચાડવામાં આવતું હતું? પોલીસ આરોપીના મોબાઈલ કોલ ડિટેલ્સ (CDR) અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે જેથી આ આખા સપ્લાય ચેઈનનો પર્દાફાશ થઈ શકે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Thu, 16 Apr 2026 06:55:49 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/16/ahmedabad-_640ca7e2-2cee-48fe-88c0-e334280ab184.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ચૂંટણી પૂર્વે ગુજરાત પોલીસ એક્શન મોડમાં: રાજકોટ ગ્રામ્યમાં SMCનો સપાટો, 11.56 લાખનો દારૂ જપ્ત]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-gramya-liquor-raid-makhavad-farmhouse-8393933582</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-gramya-liquor-raid-makhavad-farmhouse-8393933582</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-gramya-liquor-raid-makhavad-farmhouse-8393933582" />
                <description><![CDATA[રાજકોટના માખાવડ ગામે ફાર્મહાઉસ પર SMCનો દરોડો. ચૂંટણી પૂર્વે 11.56 લાખનો વિદેશી દારૂ જપ્ત. જાણો આ મોટા ઓપરેશનની વિગતો.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/16/rajkot_4819c3a6-a010-4898-97d0-a998104da053.jpg" alt="ધોલિકા પોલીસ સ્ટેશન" />
                  </div>
                  <p>ગુજરાતમાં આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને 'ડ્રાય સ્ટેટ' કહેવાતા ગુજરાતમાં ચૂંટણી સમયે દારૂની હેરાફેરી વધતી હોય છે, જેને ડામવા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ કમર કસી છે. આ કડીમાં રાજકોટ ગ્રામ્યના લોધિકા તાલુકાના માખાવડ ગામે SMC એ ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.<br></p><h2><strong>ફાર્મહાઉસ પર મધરાતે દરોડો</strong></h2><p>ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લોધિકાના માખાવડ ગામની સીમમાં આવેલા એક ફાર્મહાઉસ પર ત્રાટકી હતી. પોલીસને માહિતી મળી હતી કે ચૂંટણીના ઓથા હેઠળ અહીં મોટા પાયે દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ફાર્મહાઉસના પરિસરમાં અત્યંત વ્યવસ્થિત રીતે વિદેશી દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, જપ્ત કરાયેલા દારૂની કિંમત 11,56,000 રૂપિયા થી વધુ આંકવામાં આવી છે.<br></p><h2><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot"><strong>રાજકોટ</strong></a><strong>ના કુખ્યાત બુટલેગરની સંડોવણી</strong></h2><p>આ સમગ્ર મામલે પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ જપ્ત કરી <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>શહેરના એક જાણીતા બુટલેગરની ધરપકડ કરી છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બુટલેગર લાંબા સમયથી નેટવર્ક ચલાવી રહ્યો હતો અને ચૂંટણી દરમિયાન આ જથ્થો છૂટક વેચાણ માટે અથવા ચોક્કસ રાજકીય હેતુઓ માટે સપ્લાય કરવાનો હોવાની આશંકા છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આમાં અન્ય કેટલા મોટા માથાઓ સામેલ છે.<br></p><h2><strong>IG નિર્લિપ્ત રાયની કડક સૂચના</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>રેન્જના નવનિયુક્ત IG નિર્લિપ્ત રાયે પદભાર સંભાળતાની સાથે જ અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>ગ્રામ્ય, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કડક પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે. આ દરોડો SMC દ્વારા પાડવામાં આવ્યો હોવા છતાં, સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે પણ સવાલો ઉભા થયા છે. શું સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ આટલો મોટો જથ્થો ઉતર્યો હતો? તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન થયા છે.<br></p><h2><strong>ચૂંટણી અને દારૂનું દૂષણ</strong></h2><p>ભારતીય લોકશાહીમાં ચૂંટણી સમયે મતદારોને રિઝવવા માટે દારૂ અને અન્ય લાલચો આપવાની પ્રથા એક કલંક સમાન છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવાના પ્રયાસો વધી જાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ચેકપોસ્ટ પર તપાસ વધુ સઘન બનાવવામાં આવશે અને શંકાસ્પદ વાહનોનું 'ડિજિટલ ટ્રેકિંગ' પણ કરવામાં આવશે.</p><p></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/women-pelt-stones-at-goons-who-threatened-them-with-knives-in-mada-dungar-rajkot-6010660999">રાજકોટમાં રણચંડી બની મહિલાઓ : માડા ડુંગરમાં 'ગુંડાતત્વો' પર ભારે પડી નારીશક્તિ; છરી બતાવી ધમકાવનારાઓને પથ્થર મારી ભગાડ્યા</a></p><p></p><h2><strong>તપાસનો વ્યાપ વધ્યો</strong></h2><p>માખાવડ ગામેથી ઝડપાયેલા આ જથ્થાના મૂળ શોધવા માટે પોલીસે મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ્સની તપાસ શરૂ કરી છે. દારૂ કયા રાજ્યમાંથી આવ્યો હતો અને કયા માર્ગે <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>સુધી પહોંચ્યો તે જાણવું પોલીસ માટે પડકારજનક છે. આ કેસમાં હજુ વધુ ધરપકડો થવાની શક્યતા સેવાઈ રહી છે. લોધિકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Thu, 16 Apr 2026 05:46:36 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/16/rajkot_4819c3a6-a010-4898-97d0-a998104da053.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ભાજપ પર આકરા પ્રહાર: ચૂંટણી પંચને ગણાવ્યું 'ભાજપનું પાલતુ શ્વાન']]></title>
                <link>https://offbeatstories.in/news/lalit-vasoya-controversy-rajkot-local-election-gujarat-4243703814</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/lalit-vasoya-controversy-rajkot-local-election-gujarat-4243703814</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/lalit-vasoya-controversy-rajkot-local-election-gujarat-4243703814" />
                <description><![CDATA[લલિત વસોયાએ ભાજપ, પોલીસ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યા. સ્થાનિક ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકીય તણાવ વધ્યો.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/15/Lalit_aba284b9-9a6e-40db-bacf-20a0a8145bf8.jpg" alt="લલિત વસોયા પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ" />
                  </div>
                  <p><strong>Rajkot News: </strong>રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ રાજ્યના ચૂંટણી પંચ, સરકારી તંત્ર અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કરીને ખળભળાટ મચાવી દીધો છે. વસોયાએ આકરા શબ્દોમાં ભાજપ પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે.</p><p></p><p><strong>ભાજપ હારના ડરથી ભયભીત: લલિત વસોયા</strong></p><p>પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપને હવે પોતાની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે. હારના ભયથી ડરેલી ભાજપ સરકાર હવે લોકશાહીના મૂલ્યોને નેવે મૂકીને સત્તા ટકાવી રાખવા માટે તમામ હદ વટાવી રહી છે. </p><p></p><p><strong>પોલીસ અને તંત્રનો દુરુપયોગ</strong></p><p>વસોયાએ આક્ષેપ કર્યો છે કે, ભાજપના ઈશારે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારોને સતત ધમકાવવામાં આવી રહ્યા છે. તેમના મતે, જે ઉમેદવારો મજબૂત છે, તેમને પોલીસ દ્વારા ડરાવી-ધમકાવીને ચૂંટણી મેદાનમાંથી ફોર્મ પાછા ખેંચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે તેમને 'સેફ હાઉસ' (સેલગાહ) માં મોકલવા પડ્યા છે.</p><p></p><p><strong>લાલચ, બૂટલેગરો અને ભૂમાફિયાઓનો દબદબો</strong></p><p>લલિત વસોયાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, ભાજપ દ્વારા હરીફ ઉમેદવારોને લાખો રૂપિયાની લાલચ આપીને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સત્તા મેળવવા માટે ભાજપે હવે સમાજના અસામાજિક તત્વો, જેમ કે બૂટલેગરો અને ભૂમાફિયાઓને મેદાનમાં ઉતાર્યા છે, જે લોકશાહી માટે અત્યંત ચિંતાજનક બાબત છે.</p><p></p><p><strong>ચૂંટણી પંચ પર સીધા પ્રહાર</strong></p><p>સૌથી વધુ આકરા શબ્દોમાં લલિત વસોયાએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. તેમણે ચૂંટણી પંચને સીધું જ "ભાજપનું પાલતુ શ્વાન" ગણાવીને ગંભીર આક્ષેપ કર્યો હતો કે, પંચ સંપૂર્ણપણે ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે. તટસ્થ રહેવાને બદલે ચૂંટણી પંચ ભાજપની સહાયક સંસ્થા બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે, જેના કારણે ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી રહ્યા છે.</p><p></p><p>સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓમાં લલિત વસોયાના આ નિવેદને રાજકીય ગરમાવો વધારી દીધો છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ કે સત્તાધારી પક્ષ આ ગંભીર આક્ષેપો અંગે શું પ્રતિક્રિયા આપે છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Wed, 15 Apr 2026 11:58:01 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/15/Lalit_aba284b9-9a6e-40db-bacf-20a0a8145bf8.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં રણચંડી બની મહિલાઓ: માડા ડુંગરમાં 'ગુંડાતત્વો' પર ભારે પડી નારીશક્તિ; છરી બતાવી ધમકાવનારાઓને પથ્થર મારી ભગાડ્યા]]></title>
                <link>https://offbeatstories.in/news/women-pelt-stones-at-goons-who-threatened-them-with-knives-in-mada-dungar-rajkot-6010660999</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/women-pelt-stones-at-goons-who-threatened-them-with-knives-in-mada-dungar-rajkot-6010660999</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/women-pelt-stones-at-goons-who-threatened-them-with-knives-in-mada-dungar-rajkot-6010660999" />
                <description><![CDATA[રાજકોટના માડા ડુંગર વિસ્તારમાં સ્ટંટબાજ આવારા તત્વોએ હિંસક આતંક મચાવતા વાતાવરણ તંગ બન્યું હતું. જેમને પથ્થર મારી મહિલાઓએ ભગાડ્યા હતા.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/15/Rajkot-Mada-Dungar_941802a1-cb2a-48a2-8ba1-1f080b3a30f4.jpg" alt="Rajkot Mada Dungar Gunda WOMENS" />
                  </div>
                  <p><strong>રાજકોટ:</strong> રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. શહેરના માડા ડુંગર વિસ્તારમાં આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં ગુંડાતત્વોના આતંકની હચમચાવનારી ઘટના સામે આવી છે. રહેણાંક વિસ્તારમાં બાઇક પર સ્ટંટ કરીને લોકોની શાંતિ હણતા આવારા તત્વોને જ્યારે સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ તત્વોએ સુધરવાને બદલે હિંસક વલણ અખત્યાર કર્યું હતું. છરી જેવા ધારદાર હથિયારો સાથે હુમલો કરવા આવેલા <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/bootleggers-active-before-elections-uttaran-police-arrest-garage-worker-with-beer-5046414554">ગુંડા</a>ઓ સામે સોસાયટીની મહિલાઓએ જે હિંમત દાખવી છે, તેની અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચા થઈ રહી છે.</p><p></p><p>ઘટનાની વિગતો મુજબ, હરસિદ્ધિ સોસાયટી શેરી નંબર 4 માં કેટલાક શખ્સો ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા હતા. જ્યારે સોસાયટીના રહીશોએ આ અસામાજિક તત્વોને ટોક્યા, ત્યારે તેમને ખોટું લાગી ગયું હતું અને તેઓ ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. ગુંડાઓએ મહિલાઓ સાથે ગેરવર્તન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા મામલો બિચક્યો હતો. જોકે, ગભરાવાને બદલે મહિલાઓએ પથ્થરમારો શરૂ કરતા ગુંડાઓને ત્યાંથી પૂંછડી દબાવીને ભાગવું પડ્યું હતું.</p><p></p><h2><strong>સ્ટંટ કરતા રોક્યા તો હથિયારો લઈને ધસી આવ્યા</strong></h2><p>મળતી માહિતી મુજબ, આ અસામાજિક તત્વો વિસ્તારમાં પૂરપાટ ઝડપે વાહનો ચલાવીને સ્ટંટ કરી રહ્યા હતા, જેનાથી બાળકો અને વૃદ્ધોના જીવનું જોખમ હતું. સોસાયટીના લોકોએ જ્યારે તેમને સમજાવવા પ્રયાસ કર્યો ત્યારે આ તત્વોએ ઉશ્કેરાઈ જઈને છરીઓ કાઢી હતી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ તત્વો અવારનવાર વિસ્તારમાં આતંક મચાવે છે, પરંતુ આ વખતે મામલો હુમલા સુધી પહોંચી ગયો હતો</p><p></p><p><strong>આ પણ વાંચો:</strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/bootleggers-active-before-elections-uttaran-police-arrest-garage-worker-with-beer-5046414554"><strong> </strong>ગેરેજમાં કાર રિપેરિંગના બહાને બિયરની હેરાફેરી! : સુરત પોલીસે રૂ.3.39 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત</a><br></p><h2><strong>મહિલાઓએ રણચંડી બની ગુંડાતત્વોને ખદેડ્યા</strong></h2><p>જ્યારે ગુંડાતત્વો મહિલાઓ પર હુમલો કરવા અને અપશબ્દો બોલવા લાગ્યા, ત્યારે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. આ સમયે મહિલાઓએ પોતાની સુરક્ષા માટે હિંમત એકઠી કરી અને જે હાથમાં આવ્યું તે પથ્થરોનો મારો ચલાવ્યો હતો. મહિલાઓના આ આક્રમક મિજાજને જોઈને છરીઓ લઈને આવેલા ગુંડાઓ હેબતાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે મેદાન છોડી ભાગી ગયા હતા. નારી શક્તિના આ પરાક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.</p><p></p><h2><strong>આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, લોકોમાં રોષ</strong></h2><p>આ ઘટનાને પગલે સમગ્ર હરસિદ્ધિ સોસાયટીમાં ભયની સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ તાત્કાલિક આજી ડેમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે અને આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે આવા તત્વો સામે કાયમી ધોરણે પગલાં લેવામાં આવે જેથી વિસ્તારની શાંતિ જળવાઈ રહે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Wed, 15 Apr 2026 06:53:34 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/15/Rajkot-Mada-Dungar_941802a1-cb2a-48a2-8ba1-1f080b3a30f4.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA["કોંગ્રેસે વર્ષો સુધી જનતાનું લોહી ચૂસીને ભ્રષ્ટાચારના કિલ્લા ચણ્યા": દેવભૂમિ દ્વારકામાં જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર]]></title>
                <link>https://offbeatstories.in/news/dwarka-bjp-jagdish-vishwakarma-speech-congress-attack-gujarat-9519974834</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/dwarka-bjp-jagdish-vishwakarma-speech-congress-attack-gujarat-9519974834</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/dwarka-bjp-jagdish-vishwakarma-speech-congress-attack-gujarat-9519974834" />
                <description><![CDATA[દેવભૂમિ દ્વારકામાં ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર સાથે વિકાસ કાર્યો અને મોદી સરકારની યોજનાઓનું વર્ણન કર્યું.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/14/Jagadish-_5a88b5c4-42af-490a-b231-96dee4789d58.jpg" alt="ભાજપાની સભામાં જગદીશ વિશ્વકર્મા જનમેદનીને સંબોધન" />
                  </div>
                  <p><strong>Local Body Election 2026:</strong> સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાટિયા ખાતે જાહેરસભા સંબોધી હતી. 'જય દ્વારકાધીશ'ના નાદ સાથે પ્રવચનનો પ્રારંભ કરી તેમણે બંધારણના શિલ્પી ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આઝાદી પછી વર્ષો સુધી કોંગ્રેસે સંવિધાન અને તેના શિલ્પીઓનો અનાદર કર્યો, જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હાથીની અંબાડી પર સંવિધાનની યાત્રા કાઢીને બાબાસાહેબને સાચું સન્માન આપ્યું હતું. </p><p></p><p><img><img><img><img src="https://assests.offbeatstories.in/image/2026/04/14/b305b632-27c9-4379-8947-b08a0c5a8bcd_e4b5a345-f406-46c5-b194-1da4f88c64d5.jfif"></p><p></p><p>તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 140  કરોડ નાગરિકો માટે રાતદિવસ કામ કરી રહ્યા છે, દેશની સુરક્ષા વધારવાનું કામ કરી રહ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ સતત ગુજરાતની જનતાની ચિંતા કરે છે, અને ભાજપાના કાર્યકર્તા ઓ સેવા અને સમર્પણના ભાવ સાથે સતત સેવા કરવા પ્રજાની વચ્ચે ટેવાયેલ કાર્યકર્તા છે ત્યારે દ્વારકાધીશના આશીર્વાદથી ભાજપનો વિજયરથ પ્રચંડ જનાદેશ સાથે આગળ વધશે.</p><p></p><p> વિશ્વકર્માએ વિકાસકાર્યોની વિગતો આપતા જણાવ્યું કે, ભાજપ એક એવી પાર્ટી છે જે કામનો હિસાબ આપે છે, જ્યારે કોંગ્રેસના શાસનમાં માત્ર 'ગુંડા રાજ' અને 'ટેન્કર રાજ' જોવા મળતું હતું. તેમણે ઉમેર્યું કે, આજની નવી પેઢીને કર્ફ્યુ શું છે તેની ખબર નથી, ભાજપે ગુજરાતને કર્ફ્યુમુક્ત, ટેન્કરમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત બનાવ્યું છે. દ્વારકાના વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, દ્વારકાધીશ કોરિડોર, સુદર્શન બ્રિજ, શિવરાજપુર બીચનો વિકાસ અને મેડિકલ કોલેજની જાહેરાત એ ભાજપની વિકાસની રાજનીતિનું પરિણામ છે. જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ભાજપ કરે છે, તેનું લોકાર્પણ પણ ભાજપ જ કરે છે.</p><p></p><p><img src="https://assests.offbeatstories.in/image/2026/04/14/7b1be9de-46f7-438d-af7a-393f0e65e2ea_f8133d1a-03e8-4727-8176-6bba5229ddc7.jfif"></p><p></p><p>સરદાર સરોવર ડેમ વિશે બોલતા તેમણે કહ્યું કે, સરદાર સાહેબનું સપનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું છે. આજે ૭૫,૦૦૦ કિમીના નર્મદા નેટવર્ક અને 'નળ સે જળ' યોજનાથી ઘરે-ઘરે પાણી પહોંચ્યું છે. વિરોધ પક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી સોનાની ચમચી સાથે જન્મ્યા છે અને કોંગ્રેસે વર્ષો સુધી જનતાનું લોહી ચૂસીને ભ્રષ્ટાચારના કિલ્લા ચણ્યા છે, પરંતુ હવે તે કિલ્લાના કાંકરા ખરવા માંડ્યા છે. કોંગ્રેસ પાસે આજે અનેક બેઠકો પર ઉમેદવારો પણ નથી અને જે છે તેમને પણ સંતાડી તિજોરીમાં બંધ કરવા પડ્યા છે.</p><p></p><p>જિલ્લાની તમામ ૧૬૨ બેઠકો સહિત રાજ્યમાં તમામ જગ્યાએ કમળ ખીલવીને દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરવા તેમણે કાર્યકર્તાઓને હાકલ કરી હતી. કોંગ્રેસની જાતિવાદ અને વિવાદની રાજનીતિ સામે પ્રધાનમંત્રી મોદીએ ૧૪૦ કરોડ દેશવાસીઓને વિકાસની રાજનીતિ અને વિશ્વમાં સ્વમાન અપાવ્યું છે અને આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે સૌ કાર્યકરોને ભાજપાની કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી સાથે પ્રજા વચ્ચે જવા આહ્વાન કર્યું હતું.</p><p></p><p><img src="https://assests.offbeatstories.in/image/2026/04/14/23ccfcda-9f2a-4bd9-bddf-5d5e73135f2f_29d11d2f-addb-4575-baf8-b18142c45b5e.jfif"></p><p></p><p>આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમ, જિલ્લા પ્રમુખ મયુર ગઢવી, પ્રભારી પુનિત શર્મા, ધારાસભ્યઓ જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ, ભાજપાના ઉમેદવારો સહિત સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 14 Apr 2026 12:25:22 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/14/Jagadish-_5a88b5c4-42af-490a-b231-96dee4789d58.jpg" medium="image" type="image/jpg" />
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/14/b305b632-27c9-4379-8947-b08a0c5a8bcd_e4b5a345-f406-46c5-b194-1da4f88c64d5.jfif" medium="image" /><media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/14/7b1be9de-46f7-438d-af7a-393f0e65e2ea_f8133d1a-03e8-4727-8176-6bba5229ddc7.jfif" medium="image" /><media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/14/23ccfcda-9f2a-4bd9-bddf-5d5e73135f2f_29d11d2f-addb-4575-baf8-b18142c45b5e.jfif" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ચૂંટણી પહેલા AAPમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ!: ખેડૂત નેતા રાજુ કરપડા બાદ હવે આ દિગ્ગજ નેતા કરી શકે છે કેસરીયા!]]></title>
                <link>https://offbeatstories.in/news/surendranagar-aap-satish-gamara-resignation-bjp-joining-news-6855598673</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/surendranagar-aap-satish-gamara-resignation-bjp-joining-news-6855598673</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/surendranagar-aap-satish-gamara-resignation-bjp-joining-news-6855598673" />
                <description><![CDATA[સુરેન્દ્રનગરમાં ચૂંટણી પહેલા AAPના જોઇન્ટ સેક્રેટરી સતીષ ગમારાએ રાજીનામું આપ્યું. ભાજપમાં જોડાવાની અટકળોથી રાજકારણ ગરમાયું.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/14/gUJARAT-AAP-_63241be9-e01e-4094-bded-f0f4382a0892.jpg" alt="સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના નેતા સતીષ ગમારા" />
                  </div>
                  <p><strong>Surendranagar News: </strong>ગુજરાતના રાજકારણમાં અત્યારે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ગુજરાત રાજ્યના જોઇન્ટ સેક્રેટરી સતીષ ગમારાએ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.</p><p></p><h2><strong>લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા હતા સતીષ ગમારા</strong></h2><p>સતીષ ગમારા આમ આદમી પાર્ટીના એક પાયાના કાર્યકર્તા અને જવાબદાર હોદ્દેદાર તરીકે જાણીતા હતા. તેઓ ઘણા લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા હતા અને ગુજરાત રાજ્યના જોઇન્ટ સેક્રેટરી જેવી મહત્વની જવાબદારી નિભાવી રહ્યા હતા. તેમના રાજીનામાથી જિલ્લામાં પાર્ટીના સંગઠનને મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.</p><p></p><p>આ પણ વાંચો:<a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/former-bjp-mla-drops-big-political-bombshell-after-joining-congress-2614724168"><strong> </strong>કોંગ્રેસમાં જોડાતા જ ભાજપના પૂર્વ MLAએ ફોડ્યો બોમ્બ : પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે કરી હતી હકાલપટ્ટી</a></p><p></p><h2><strong>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો</strong></h2><p>હાલમાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આવા મહત્વના સમયે સતીષ ગમારા દ્વારા રાજીનામું આપવાની ઘટનાએ સુરેન્દ્રનગરના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારના રાજીનામાને કારણે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.</p><p></p><h2><strong>શું તેઓ ભાજપમાં જોડાશે?</strong></h2><p>રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના ભાજપમાં પ્રવેશ બાદ હવે સતીષ ગમારા પણ ભાજપમાં જોડાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જો સતીષ ગમારા ભાજપમાં જોડાય છે, તો તે આમ આદમી પાર્ટી માટે એક મોટો ફટકો સાબિત થઈ શકે છે અને ભાજપને સ્થાનિક સ્તરે વધુ મજબૂતી મળી શકે છે. આ ઘટના બાદ હવે આગામી દિવસોમાં સુરેન્દ્રનગરના રાજકીય સમીકરણો કેવા બદલાય છે, તે જોવું રસપ્રદ રહેશે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/vadodara-election-2026-congress-internal-rift-ward-1-ami-rawat-independent-candidate-political-controversy-0250341802">વડોદરા કોંગ્રેસમાં ભડકો : વોર્ડ-1માં મતદાન પહેલા જ પેનલમાં ગાબડું? મહિલા ઉમેદવારો અપક્ષ સાથે દેખાતા અનેક તર્ક-વિતર્ક</a></p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 14 Apr 2026 11:40:57 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/14/gUJARAT-AAP-_63241be9-e01e-4094-bded-f0f4382a0892.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[લીંબડીના રામનગરમાં 40 વર્ષની ઉપેક્ષા સામે બળવો: રહેવાસીઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કર્યો બહિષ્કાર]]></title>
                <link>https://offbeatstories.in/news/limbdi-ramnagar-election-boycott-40-years-no-basic-facilities-0951271337</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/limbdi-ramnagar-election-boycott-40-years-no-basic-facilities-0951271337</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/limbdi-ramnagar-election-boycott-40-years-no-basic-facilities-0951271337" />
                <description><![CDATA[સુરેન્દ્રનગરના લીંબડી રામનગર વિસ્તારમાં 40 વર્ષથી રસ્તા અને ગટર સુવિધા ન મળતા લોકોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કર્યો.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/13/Limbdi-News_c1d4b364-9078-4837-992f-c60f8bf8af12.jpg" alt="લીંબડીના રામનગર વિસ્તારમાં રહેવાસીઓ ચૂંટણી બહિષ્કારના બેનર સાથે વિરોધ" />
                  </div>
                  <h2><strong>Limbdi News:</strong> સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલ રામનગર વિસ્તારના રહીશોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. છેલ્લા ચાર દાયકાથી પાયાની સુવિધાઓથી વંચિત રહેલા સ્થાનિકોએ આકરા પાણીએ આવીને વિરોધ પ્રદર્શન કર્યું છે.</h2><p></p><h2><strong>40 વર્ષથી સમસ્યાઓનું ગ્રહણ</strong></h2><p>સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા 40 વર્ષથી આ વિસ્તાર વિકાસથી સંપૂર્ણપણે અલિપ્ત રહ્યો છે. મુખ્ય સમસ્યાઓમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે. વર્ષોથી અહીંના રસ્તાઓ કાચા અને ખાડાટેકરાવાળા છે, જેના કારણે ચોમાસામાં અહીંથી પસાર થવું દુષ્કર બની જાય છે. વિસ્તારમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોવાથી ગંદા પાણીનો નિકાલ થતો નથી, જે રોગચાળાને આમંત્રણ આપે છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/geniben-thakor-election-controversy-banaskantha-0276299957">બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના આકરા તેવર.... : "અધિકારીઓ લોકશાહીનું હનન કરવાનું બંધ કરે"</a></p><p></p><h2><strong>વિરોધના વંટોળ સાથે ચૂંટણી બહિષ્કાર</strong></h2><p>પોતાની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ પૂરી ન થતા, રોષે ભરાયેલા રહીશોએ એકત્ર થઈને વિસ્તારમાં 'ચૂંટણી બહિષ્કાર'ના બેનરો લગાવ્યા છે. આ બેનરો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી પાકા રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓ નહીં મળે, ત્યાં સુધી તેઓ મતદાનમાં ભાગ લેશે નહીં.</p><p></p><h2><strong>લેખિત જાણ કરવામાં આવી</strong></h2><p>સ્થાનિકોએ માત્ર સૂત્રોચ્ચાર કે બેનરો સુધી સીમિત ન રહેતા, આ અંગેની લેખિત જાણ લીંબડી ચૂંટણી અધિકારીને પણ કરી દીધી છે. વિસ્તારના લોકોનું કહેવું છે કે, "વિકાસ વગર અમારો મત નહીં." હવે જોવાનું એ રહે છે કે આ આંદોલન બાદ તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવે છે કે કેમ.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/tharad-election-controversy-thakarshi-rabari-geniben-thakor-highcourt-9246649829">અધિકારીઓની મનમાની સામે ઠાકરશી રબારી આકરા પાણીએ : 'થરાદની ધરતી પર હવે યુદ્ધ ખેલાશે'</a></p><p><br></p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 13 Apr 2026 14:35:54 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/13/Limbdi-News_c1d4b364-9078-4837-992f-c60f8bf8af12.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ACમાં શોર્ટ સર્કિટ બાદ જોરદાર બ્લાસ્ટ: રાજકોટના કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગતા ફર્નિચર-દસ્તાવેજો સ્વાહા]]></title>
                <link>https://offbeatstories.in/news/short-circuit-and-blast-in-ac-in-commercial-building-in-rajkot-furniture-and-documents-caught-fire-0842179499</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/short-circuit-and-blast-in-ac-in-commercial-building-in-rajkot-furniture-and-documents-caught-fire-0842179499</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/short-circuit-and-blast-in-ac-in-commercial-building-in-rajkot-furniture-and-documents-caught-fire-0842179499" />
                <description><![CDATA[રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા 'ધ ગાર્ડન' કોમ્પ્લેક્સમાં એસી બ્લાસ્ટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/13/Rajkot-Commercial-building-Fire_6b2acdb9-4058-4844-9d6a-f71906eec26b.jpg" alt="Rajkot Commercial building Fire" />
                  </div>
                  <p><strong>રાજકોટ:</strong> શહેરમાં આગની ઘટનાઓનો સિલસિલો યથાવત હોય તેમ આજે સાધુ વાસવાણી રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં સાધુ વાસવાણી સ્કૂલની સામે આવેલા<a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/surat-congress-ward-no-10-candidates-form-cancelled-serious-allegations-against-city-president-907306765"> ‘ધ ગાર્ડન’ </a>નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી એક ખાનગી ઓફિસમાં એકાએક આગ લાગી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.</p><p></p><h3><strong>ઓફિસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું</strong></h3><p>પ્રાપ્ત વિગતો અનુસાર, કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી ‘પરિશ્રમ અર્થ મૂવર્સ’ નામની ઓફિસમાં આગ લાગી હતી. આ ઓફિસમાં જેસીબી અને ક્રેન ભાડે આપવાનું કામકાજ ચાલે છે. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં ઓફિસમાં રહેલો તમામ માલસામાન, ફર્નિચર અને અન્ય દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગે 4 જેટલા ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.</p><p></p><h3><strong>8 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ: ફાયર વિભાગની સતર્કતા</strong></h3><p>જ્યારે બીજા માળે આગ લાગી ત્યારે ધુમાડો ઉપરના માળ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે ત્રીજા અને ચોથા માળે કામ કરતા 7 થી 8 જેટલા વ્યક્તિઓ ત્યાં ફસાઈ ગયા હતા. આગનું સ્વરૂપ જોતા આ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે, ફાયર વિભાગના જવાનોએ જીવના જોખમે આ તમામ લોકોને સહીસલામત રીતે નીચે ઉતારી તેમનું રેસ્ક્યુ કર્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.</p><p></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/surat-congress-ward-no-10-candidates-form-cancelled-serious-allegations-against-city-president-907306765">સુરત કોંગ્રેસમાં આંતરિક વિસ્ફોટ : ઉમેદવારનું ફોર્મ રદ થતા પ્રમુખ પર ‘પૈસા ખાઈને ભાજપને જીતાડવાના’ આક્ષેપ</a></p><p></p><h3><strong>AC માં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન</strong></h3><p>ચીફ ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે લોબીના ભાગમાં એસી (AC) ના બ્લોઅર મૂકવામાં આવ્યા હતા. એસીમાં બ્લાસ્ટ અથવા શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ (FSL) ની ટીમને પણ બોલાવવામાં આવી છે. એફએસએલના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આગ પાછળનું મુખ્ય કારણ શું હતું.</p><p></p><h3><strong>સ્થળ પર પોલીસનો કાફલો અને તપાસ તેજ</strong></h3><p>આગની ઘટના બાદ સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 13 Apr 2026 11:47:25 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/13/Rajkot-Commercial-building-Fire_6b2acdb9-4058-4844-9d6a-f71906eec26b.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ ભાજપમાં ટિકિટ વિવાદે ઊભો કર્યો અસંતોષ: પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જાતે મેદાનમાં ઉતરી નારાજગી શાંત કરવાની કોશિશ]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-bjp-ticket-controversy-workers-discontent-meeting-999464447</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-bjp-ticket-controversy-workers-discontent-meeting-999464447</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-bjp-ticket-controversy-workers-discontent-meeting-999464447" />
                <description><![CDATA[રાજકોટ ભાજપમાં ટિકિટ વિતરણ બાદ અસંતોષ વધ્યો. પ્રદેશ પ્રમુખે નારાજ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી સંગઠન એકતા જાળવવાનો સંદેશ આપ્યો.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/12/rajkot-3_70f15c3e-a907-4c40-bbb8-6c609ab207d1.jpg" alt="જગદીશ વિશ્વકર્મા" />
                  </div>
                  <p>રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટિકિટ વિતરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અપેક્ષા મુજબના નામો ન આવતા કાર્યકર્તાઓમાં ફાટી નીકળેલો અસંતોષ હવે હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવ્યા છે.<br></p><h2><strong>ટિકિટ વિતરણ બાદ ભભૂકતો આંતરિક રોષ</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>શહેર ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જ સંગઠનમાં ભંગાણ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વોર્ડ નંબર 7 અને 13માં ટિકિટ ફાળવણીમાં થયેલા ફેરફારોએ કાર્યકર્તાઓને ચોંકાવી દીધા છે. વોર્ડ નંબર 7માં પક્ષના વફાદાર અને શિક્ષણ જગતમાં મોટું નામ ધરાવતા શૈલેષ જાનીનું નામ લગભગ નક્કી માનવામાં આવતું હતું. પરંતુ અંતિમ ક્ષણે હાઈકમાન્ડ દ્વારા પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલાને મેન્ડેટ આપતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.<br></p><p>આ નિર્ણયને પગલે માત્ર શૈલેષ જાની જ નહીં, પરંતુ તેમની સાથે જોડાયેલા સેંકડો સમર્થકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે પક્ષ માટે રાત-દિવસ એક કરનાર પાયાના માણસોને અવગણીને અંતિમ ઘડીએ લેવાયેલા આવા નિર્ણયો પક્ષની આંતરિક લોકશાહી સામે સવાલ ઉભા કરે છે.<br></p><h2><strong>પ્રદેશ પ્રમુખની ‘ડેમેજ કંટ્રોલ’ કવાયત: ‘ચાય પર ચર્ચા’</strong></h2><p>મામલો વણસતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શનિવારે મોડી રાત્રે રાજકોટમાં ધામા નાખ્યા હતા. તેમણે શહેર પ્રમુખ ડો. માધવ દવેના નિવાસસ્થાને નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠકમાં શૈલેષ જાની ઉપરાંત હેમુ પરમાર, નીતિન રામાણી, શૈલેષ ડાંગર અને સુરેન્દ્રસિંહ વાળા જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.<br></p><p>બેઠકમાં કાર્યકર્તાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, પક્ષમાં આંતરિક સર્વેના નામે જે પ્રક્રિયા કરવામાં આવી તે માત્ર દેખાવ પૂરતી હતી, જ્યારે ટિકિટોની વહેંચણીમાં જૂથવાદ અને અંગત પસંદગીને મહત્વ અપાયું છે. જગદીશ વિશ્વકર્માએ અત્યંત શાંતિથી દરેક કાર્યકર્તાની રજૂઆત સાંભળી હતી અને તેમને ખાતરી આપી હતી કે ભાજપ એક પરિવાર છે અને પરિવારમાં મનદુઃખ હોઈ શકે, પણ મતભેદ ન હોવો જોઈએ.<br></p><h2><strong>વોર્ડ 13: વંશવાદ અને સ્થાનિક મુદ્દે વિરોધ</strong></h2><p>વોર્ડ નંબર 13માં પણ સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોય તેવું જણાય છે. પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી અને સુરેન્દ્રસિંહ વાળાએ તેમને ટિકિટ ન મળતા ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો છે. બીજી તરફ શૈલેષ ડાંગરે એવો આક્ષેપ કર્યો છે કે કેટલાક વોર્ડમાં એવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેઓ સ્થાનિક ભૌગોલિક સ્થિતિ કે પ્રશ્નોથી અજાણ છે. તેમણે ઉમેર્યું કે, "મારા માતા-પિતાએ પક્ષ માટે આજીવન સેવા આપી છે, તેમ છતાં નવા નિશાળિયાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું તે દુખદ છે."<br></p><h2><strong>“વ્યક્તિ નહીં, કમળ જ સર્વોપરી”: જગદીશ વિશ્વકર્માનો મંત્ર</strong></h2><p>તમામ નારાજગી વચ્ચે પ્રદેશ પ્રમુખે એક જ વાત પર ભાર મૂક્યો હતો કે, "આપણો ઉમેદવાર કોઈ વ્યક્તિ નથી, પણ સાક્ષાત્ 'કમળ' છે." તેમણે કાર્યકર્તાઓને ભાવુક અપીલ કરતા કહ્યું કે, ટિકિટ તો કોઈ એકને જ મળી શકે, પરંતુ પક્ષનો વિજય એ હજારો કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ હોય છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે જેમને આ વખતે તક નથી મળી, તેમને આગામી સમયમાં સંગઠન અથવા સરકારમાં મોટી જવાબદારીઓ સોંપવામાં આવશે.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-bjp-ticket-change-ward-7-nehal-shukla-635093117">ભાજપમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર! : એકની ટિકિટ રદ્દ કરી બીજાને આપી, રાજકોટમાં રાજકારણ ગરમાયું</a></p><p></p><h2><strong>ચૂંટણી પરિણામો પર જોખમની લટકતી તલવાર?</strong></h2><p>રાજકીય વિશ્લેષકો માને છે કે જો આ નારાજગી સમયસર દૂર કરવામાં નહીં આવે, તો ભાજપને 'ભીતરમાંથી ઘા' પડી શકે છે. રાજકોટ ભાજપનો ગઢ મનાય છે, પરંતુ પૂર્વ પદાધિકારીઓની નિષ્ક્રિયતા મતદાનની ટકાવારી ઘટાડી શકે છે. ખાસ કરીને વોર્ડ નંબર 7 અને 13 માં જો કાર્યકર્તાઓ ઘરે બેસી જશે, તો વિપક્ષ માટે રસ્તો સાવ મોકળો થઈ શકે છે.<br></p><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>ની આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે ભાજપ જેવી શિસ્તબદ્ધ પાર્ટીમાં પણ ટિકિટ વિતરણ હંમેશા પડકારજનક રહ્યું છે. પ્રદેશ પ્રમુખની મધ્યસ્થીથી હાલતુરત તો મામલો થાળે પડતો દેખાય છે, પરંતુ કાર્યકર્તાઓના મનમાં લાગેલી આ આગ શાંત થાય છે કે પછી મતદાનના દિવસે જ્વાળામુખી બનીને ફાટે છે, તે જોવું રસપ્રદ રહેશે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Sun, 12 Apr 2026 10:33:18 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/12/rajkot-3_70f15c3e-a907-4c40-bbb8-6c609ab207d1.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ભાજપમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર!: એકની ટિકિટ રદ્દ કરી બીજાને આપી, રાજકોટમાં રાજકારણ ગરમાયું]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-bjp-ticket-change-ward-7-nehal-shukla-635093117</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-bjp-ticket-change-ward-7-nehal-shukla-635093117</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-bjp-ticket-change-ward-7-nehal-shukla-635093117" />
                <description><![CDATA[રાજકોટમાં ભાજપે વોર્ડ 7 માટે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નેહલ શુક્લને ટિકિટ આપી, શૈલેષ જાની ડમી ઉમેદવાર બન્યા]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/11/RAJKOT-1_3f461a80-ebc4-406c-961b-e6bbdd22799f.jpg" alt="રાજકોટમાં ભાજપના ઉમેદવારો" />
                  </div>
                  <p>રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ વિતરણને લઈને ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. વોર્ડ નંબર 7 માટે જાહેર કરાયેલ ઉમેદવાર શૈલેષ જાનીની ટિકિટ છેલ્લી ઘડીએ બદલીને નેહલ શુક્લને આપવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. આ અચાનક ફેરફારથી પાર્ટીની આંતરિક વ્યૂહરચના પર સવાલો ઊભા થયા છે.<br></p><h2><strong>છેલ્લી ઘડીએ બદલાયો નિર્ણય</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>શહેર ભાજપ દ્વારા ગત રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 7 માટે શૈલેષ જાનીને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ બીજા જ દિવસે બપોરે આશરે 12 વાગ્યે પાર્ટીએ અચાનક નિર્ણય બદલી નાખ્યો અને શૈલેષ જાનીની જગ્યાએ નેહલ શુક્લને ઉમેદવાર જાહેર કર્યો. આ બદલાવ રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે.<br></p><h2><strong>નેહલ શુક્લે ભર્યું ઉમેદવારી ફોર્મ</strong></h2><p>ટિકિટ મળ્યા બાદ નેહલ શુક્લ રાજકોટ કમલમ ખાતે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પાર્ટી કાર્યકરો અને સમર્થકોની હાજરી પણ જોવા મળી હતી, જે દર્શાવે છે કે પાર્ટી હવે નેહલ શુક્લને મુખ્ય ઉમેદવાર તરીકે આગળ ધપાવી રહી છે.<br></p><h2><strong>શૈલેષ જાની બન્યા ડમી ઉમેદવાર</strong></h2><p>આ બદલાવ વચ્ચે શૈલેષ જાની પણ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા, પરંતુ હવે તેઓ મુખ્ય ઉમેદવાર નહીં રહીને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે પાર્ટી અંદરથી અંતિમ ક્ષણે વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે, જેના કારણે કાર્યકરોમાં ચર્ચા તેજ બની છે.<br><br><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-bjp-ticket-controversy-rmc-election-3512142260">રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં બળવો : 12 વર્ષ બાદ કાર્યકરોમાં ઉગ્ર નારાજગી, ટિકિટ વિતરણ પર વિવાદ</a><br></p><h2><strong>“પાર્ટી લાઈન સર્વોપરી” - શૈલેષ જાની</strong></h2><p>ટિકિટ બદલાવ બાદ શૈલેષ જાનીએ જણાવ્યું હતું કે પાર્ટીનો નિર્ણય તેમના માટે સર્વોપરી છે. તેમણે કહ્યું કે હાઈકમાન્ડનો આદેશ તેઓ માટે શિરોમણિ સમાન છે અને તેઓ પાર્ટી લાઈનનું પાલન કરશે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ પાર્ટી પ્રત્યે વફાદારી જાળવી રાખશે.<br></p><h2><strong>રાજકીય અર્થ અને ચર્ચા</strong></h2><p>વોર્ડ નંબર 7માં આ છેલ્લી ઘડીએ થયેલા ફેરફારને લઈને રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. આ નિર્ણય પાછળ શું કારણ હોઈ શકે તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ આંતરિક સમીકરણો અને ચૂંટણી વ્યૂહરચના આ બદલાવનું કારણ હોઈ શકે છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 11 Apr 2026 11:19:14 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/11/RAJKOT-1_3f461a80-ebc4-406c-961b-e6bbdd22799f.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં બળવો: 12 વર્ષ બાદ કાર્યકરોમાં ઉગ્ર નારાજગી, ટિકિટ વિતરણ પર વિવાદ]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-bjp-ticket-controversy-rmc-election-3512142260</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-bjp-ticket-controversy-rmc-election-3512142260</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-bjp-ticket-controversy-rmc-election-3512142260" />
                <description><![CDATA[રાજકોટમાં ભાજપની ઉમેદવાર યાદી બાદ નારાજગી ફાટી નીકળી, સવર્ણ અને સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ વધ્યો]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/11/rajkot_5620c692-7470-4eae-8792-ee39fa7022ce.jpg" alt="રાજકોટ ચૂંટણી પહેલા ભાજપમાં બળવો" />
                  </div>
                  <p>રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતાં જ શહેરના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સામાન્ય રીતે શિસ્તબદ્ધ અને સંગઠિત પાર્ટી તરીકે ઓળખાતી ભાજપમાં આ વખતે ખુલ્લેઆમ અસંતોષ ફાટી નીકળ્યો છે. 12 વર્ષ બાદ પહેલીવાર કાર્યકરો રસ્તા પર આવી વિરોધ નોંધાવતા જોવા મળ્યા છે.<br></p><h2><strong>ઉમેદવારોની યાદી બાદ તરત જ ભડકો</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટે ભાજપે મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. યાદી જાહેર થતાં જ અનેક વોર્ડમાં કાર્યકરોમાં નારાજગી ફાટી નીકળી હતી. વોર્ડ નં. 13, 3 અને 18માં કાર્યકરો પોતાના નેતાઓના સમર્થનમાં એકત્ર થયા હતા અને “ટિકિટ નહીં તો વોર્ડ હારશે” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.<br></p><p>2014 માં ભાજપ કાર્યાલય પર થયેલી તાળાબંધી બાદ પ્રથમ વખત આટલો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે, જે પાર્ટીની આંતરિક સ્થિતિ પર પ્રશ્નો ઉભા કરે છે.<br></p><h2><strong>ઉમેદવારી પ્રક્રિયા અને પાર્ટીનો એકતા દર્શાવવાનો પ્રયાસ</strong></h2><p>કાર્યકરોના વિરોધ વચ્ચે ભાજપે પોતાના તમામ 72 ઉમેદવારોને ઉમેદવારી નોંધાવવા માટે તૈયાર કર્યા છે. બહુમાળી ભવન ચોક ખાતે “વિજય વિશ્વાસ સંમેલન” યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉમેદવારો હાજર રહ્યા હતા.<br></p><h2><strong>નેતૃત્વનો દાવો: “કોઈ કાર્યકર નારાજ નથી”</strong></h2><p>શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ દાવો કર્યો છે કે પાર્ટીમાં કોઈ નારાજગી નથી. તેમના જણાવ્યા મુજબ કાર્યકરો માત્ર પોતાની રજૂઆત કરવા માટે આવ્યા હતા.<br></p><p>તેમણે જણાવ્યું કે ટિકિટ ફાળવણીમાં તમામ જ્ઞાતિઓને આવરી લેવામાં આવી છે અને મતદારોની સંખ્યાના આધારે ટિકિટ આપવામાં આવી છે. ખાસ કરીને 8 સામાન્ય બેઠકો પર OBC ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.<br></p><p>પૂર્વ ઉપાધ્યક્ષ ડો. ભરત બોધરાએ પણ જણાવ્યું કે ભાજપમાં લોકશાહી છે અને કાર્યકરો પોતાની વાત રજૂ કરી શકે છે, તેથી આ આંતરિક પ્રક્રિયા છે.<br></p><h2><strong>સવર્ણ સમાજમાં વધતી નારાજગી</strong></h2><p>આ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો સવર્ણ સમાજની નારાજગી બની રહ્યો છે. સામાન્ય રીતે ભાજપનો મજબૂત આધાર ગણાતા સવર્ણ મતદારોમાં અસંતોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.<br></p><p>8 સામાન્ય બેઠકો પર OBC ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સવર્ણ સમાજના અનેક દાવેદારોની ટિકિટ કપાઈ ગઈ છે. જેના કારણે સવર્ણ કાર્યકરોમાં અસંતોષ વધ્યો છે અને તે ચૂંટણીમાં અસરકારક બની શકે છે.<br></p><h2><strong>કયા વોર્ડમાં વધુ અસંતોષ?</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>ના વોર્ડ નં. 1 અને 3 માં ખાસ કરીને નારાજગી જોવા મળી છે. અહીં એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેમના પર સ્થાનિક સ્તરે સક્રિય ન હોવાનો આક્ષેપ છે. આહીર, સતવારા અને બ્રહ્મ સમાજના વર્ષોથી કાર્યરત કાર્યકરોને અવગણવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે.<br></p><p>શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ નં. 4, 5, 6 અને 15 માં ભાજપે મોટા પ્રમાણમાં પ્રયોગો કર્યા છે. આ વોર્ડોમાં સામાન્ય બેઠકો હોવા છતાં અનામત વર્ગના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક સ્તરે અસંતોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને વોર્ડ નં. 15 માં બે સામાન્ય બેઠકો પર OBC અને SC ઉમેદવારો ઉતારાતા ભારે ગણગણાટ શરૂ થયો છે.</p><p></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/ahmedabad-amc-election-2026-bjp-candidate-list-no-repeat-theory-123569513">અમદાવાદ મનપામાં ભાજપનું મોટું ઓપરેશન : મેયર સહિત કોના-કોના પત્તા કપાયા? જાણો કયા ચહેરા છે અમદાવાદ ભાજપના ત્રણ એક્કા</a></p><p></p><h2><strong>દક્ષિણ વિસ્તારમાં પણ વિરોધ</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>ના દક્ષિણ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 13 અને 18 માં પણ ભારે નારાજગી જોવા મળી છે. વોર્ડ નં. 13 ના પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી પોતાના સમર્થકો સાથે પાર્ટી કાર્યાલય ખાતે પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોનો આક્ષેપ છે કે ટિકિટ ફાળવણીમાં સ્થાનિક સક્રિય કાર્યકરોને અવગણવામાં આવ્યા છે.<br></p><h2><strong>સમાજ આધારિત અસંતોષ: જૈન, સતવારા અને પ્રજાપતિ સમાજ</strong></h2><h2><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>માં વિવિધ સમાજોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જૈન સમાજે પુરુષ ઉમેદવારની માંગણી કરી હતી, પરંતુ માત્ર એક જ ટિકિટ મળતા અસંતોષ છે. સતવારા સમાજને એક પણ ટિકિટ ન મળતા તેઓએ બેઠક કરી અને AAP ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પ્રજાપતિ સમાજમાં પણ આંતરિક અસંતોષ છે, કારણ કે એક જ ઉપસમાજને ટિકિટ આપવામાં આવતા અન્ય ઉપસમાજોમાં નારાજગી ફાટી નીકળી છે.</h2>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 11 Apr 2026 08:08:53 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/11/rajkot_5620c692-7470-4eae-8792-ee39fa7022ce.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના નિયમોના લીરેલીરા: શું નિયમો ફક્ત સામાન્ય કાર્યકર્તાઓ માટે જ?]]></title>
                <link>https://offbeatstories.in/news/chuda-2-ticket-controversy-surendranagar-bjp-2026-772320560</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/chuda-2-ticket-controversy-surendranagar-bjp-2026-772320560</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/chuda-2-ticket-controversy-surendranagar-bjp-2026-772320560" />
                <description><![CDATA[સુરેન્દ્રનગરની ચુડા-૨ બેઠક પર સતત પાંચમી ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં વિવાદ, નિયમોના ઉલ્લંઘનના ગંભીર આક્ષેપો ઉઠ્યા.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/11/Suredranagar-BJP_da9f8839-640c-46e5-8ace-76d360dd3ce0.jpg" alt="Surendranagar BJP Meeting" />
                  </div>
                  <p>રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા હેઠળ આવતી ચુડા બેઠક પર ટિકિટ ફાળવણીને લઈને મોટો વિવાદ છેડાયો છે. ભાજપના જ સનિષ્ઠ કાર્યકર્તા પ્રભાતસિંહ મનુસિંહ વાઘેલાએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે કે પક્ષ દ્વારા જાહેર કરાયેલા કડક નિયમોનું ઉલ્લંઘન કરીને માનીતાઓને ટિકિટ આપવામાં આવી છે.</p><p></p><p><strong>શું છે મુખ્ય વિવાદ?</strong></p><p>પક્ષ દ્વારા જાહેરમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે 50 વર્ષથી ઉપરના કાર્યકર્તાઓને ટિકિટ નહીં મળે. ત્રણ વખત ચૂંટણી લડનાર કે તેમના પરિવારને ટિકિટ આપવામાં આવશે નહીં. પરંતુ, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાની ચુડા-૨ સીટ પર આ તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. અહીં  જશુભાઈ વિરસંગભાઈ સોલંકી (ઉર્ફે જશુભા/જયવિરસિંહ) અને તેમના પત્ની જયાબા સોલંકીને સતત પાંચમી વખત ટિકિટ જાહેર કરવામાં આવી છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/vadodara-bjp-family-politics-ticket-controversy-6411662945">વડોદરા ભાજપમાં ‘પરિવારવાદ’નો જબરદસ્ત દબદબો : પૂર્વ ધારાસભ્યો અને કોર્પોરેટરોના સંતાનોને મળી ટિકિટ</a></p><p></p><p><strong>કપટ અને નામ બદલવાનો ખેલ?</strong></p><p>પત્રમાં જણાવ્યા અનુસાર, ઉમેદવારે પક્ષના હોદ્દેદારો સાથે મળીને ‘કપટ’ કર્યું છે. ડોક્યુમેન્ટ્સમાં ક્યાંક જશુભાઈ તો ક્યાંક જયવિરસિંહ નામ લખીને એક જ વ્યક્તિ અને પરિવારને 2005થી લઈને અત્યાર સુધી સતત પાંચ ટર્મથી ટિકિટ અપાઈ રહી છે.</p><p></p><p><strong>સ્થાનિક નેતૃત્વ સામે સવાલો</strong></p><p>આ અન્યાય પાછળ પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રમુખ હાર્દિક ટમાલીયા સાથેના ‘ઘરોબા’ જવાબદાર હોવાનું પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે. પાયાના કાર્યકર્તાઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, "શું ભાજપના આદર્શ નિયમો ફક્ત સામાન્ય અને સંનિષ્ઠ કાર્યકર્તાઓને ઘેર બેસાડવા માટે જ છે? જો નેતાઓ સાથે ઓળખાણ હોય તો નિયમો લાગુ નથી પડતા?"</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/mehsana-bjp-ramesh-bhil-ticket-ward-13-5628027932">ચાવાળા બાદ હવે પટાવાળાને ટિકિટ: મહેસાણા ભાજપનો મોટો નિર્ણય : 28 વર્ષથી ફરજ બજાવતા રમેશ ભીલને ભાજપની ટિકિટ</a></p><p></p><h2><strong>ઉમેદવારનો અત્યાર સુધીનો ઈતિહાસ</strong></h2><ul><li><p> ૨૦૦૫ થી ૨૦૧૦: ચુડા તાલુકા પંચાયત (જશુભાઈ સોલંકી)</p></li><li><p> ૨૦૧૦ થી ૨૦૧૫: ચુડા તાલુકા પંચાયત (જશુભાઈ સોલંકી)</p></li><li><p> ૨૦૧૫ થી ૨૦૨૦: ચુડા-૨ જિલ્લા પંચાયત (જયાબા સોલંકી - પત્ની)</p></li><li><p> ૨૦૨૧ થી ૨૦૨૬: ચુડા-૨ જિલ્લા પંચાયત (જશુભાઈ સોલંકી)</p></li><li><p>2026 (વર્તમાન): ફરી ચુડા-2 જિલ્લા પંચાયત માટે ટિકિટ જાહેર.</p></li></ul><p>કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ‘ચાવવાના અને દેખાડવાના દાંત અલગ’ રાખવાની નીતિ બંધ નહીં થાય અને તાત્કાલિક ધોરણે આ ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે, તો સનિષ્ઠ કાર્યકર્તાઓ વચ્ચે ભારે અસંતોષ ફેલાશે. પક્ષ નેતૃત્વ પાસે આ મામલે ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના રાજકારણમાં એક નવો "જાદુ" જોવા મળ્યો છે! એક બાજુ સ્ટેજ પરથી ગળું ફાડીને કહેવામાં આવે છે કે 50 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં. ત્રણ ટર્મ લડ્યા હોય એને ટિકિટ નહીં. પરિવારવાદને કોઈ સ્થાન નહીં. પણ લીંબડી વિધાનસભાની ચુડા-૨ સીટ પર તો કંઈક અલગ જ ગણિત ચાલે છે. જશુભાઈ ઉર્ફે જશુભા ઉર્ફે જયવિરસિંહ સોલંકી... નામ ભલે બદલાય, પણ વ્યક્તિ અને તેમનો પરિવાર એ જ છે! સતત 5મી વખત ટિકિટ? શું આને જ "પારદર્શકતા" કહેવાય?</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/ahmedabad-local-body-election-nomination-last-day-2026-4869069224">સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ : ઢોલ-નગારા સાથે રેલી કાઢી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા, ગુજરાતના મુખ્ય શહેરોમાં રાજકીય ગરમાવો</a></p><p></p><h2><strong>શું નિયમો ફક્ત 'સામાન્ય કાર્યકર્તાઓ' માટે જ છે?</strong></h2><p>"હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ!" સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬માં નિયમોનો ઢોલ તો ખૂબ ટીપાયો, પણ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ અને પ્રદેશના નેતાઓએ મળીને લીંબડીના ચુડામાં એ ઢોલ ફોડી નાખ્યો છે! મોટા હોદ્દેદારો સાથેના 'ઘરોબા' અને ધારાસભ્યના 'ખાસ' હોવાને કારણે શું બધા નિયમો નેવે મૂકી દેવાના? પક્ષના પાયાના કાર્યકર્તાઓ સાથ અન્યાય</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 11 Apr 2026 06:09:06 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/11/Suredranagar-BJP_da9f8839-640c-46e5-8ace-76d360dd3ce0.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ મનપા ચૂંટણીમાં કોંગ્રેસે ખેલ્યો માસ્ટરસ્ટ્રોક: જાણીતા RJ આભાને આપી ટિકિટ]]></title>
                <link>https://offbeatstories.in/news/rj-abha-rajkot-congress-candidate-ward-10-0204538506</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rj-abha-rajkot-congress-candidate-ward-10-0204538506</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rj-abha-rajkot-congress-candidate-ward-10-0204538506" />
                <description><![CDATA[રાજકોટ મનપા ચૂંટણીમાં કોંગ્રેસે RJ આભાને વોર્ડ 10થી ટિકિટ આપી. યુવા મતદારોને આકર્ષવા પાર્ટીનો મોટો દાવ, જાણો કોણ છે RJ આભા.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/11/RJ-Aabha-_a9a77532-f482-4811-8958-2808916d78c6.jpg" alt="RJ Aabha" />
                  </div>
                  <p><strong>Rajkot News: </strong>આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસે એક મોટો દાવપેચ ખેલ્યો છે. કોંગ્રેસે રાજકોટના જાણીતા રેડિયો જોકી (RJ) આભાને વોર્ડ નંબર 10 માંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ જાહેરાત સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે.</p><p></p><p><strong>કોણ છે RJ આભા?</strong></p><p>RJ આભા રાજકોટમાં એક જાણીતો ચહેરો છે. રેડિયોની દુનિયામાં પોતાની આગવી શૈલી અને અવાજથી તેમણે યુવા વર્ગમાં ખાસ લોકપ્રિયતા મેળવી છે. માત્ર એક મીડિયા પર્સનાલિટી જ નહીં, પરંતુ તેઓ એક શિક્ષિત અને જાગૃત યુવા તરીકે પણ ઓળખાય છે. સામાજિક મુદ્દાઓ અને યુવાનોના પ્રશ્નો પર અવાજ ઉઠાવનારા આભાનું નામ હવે રાજકારણના મેદાનમાં ગુંજતું થયું છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-palika-panchayat-election-bjp-candidates-announcement-2026-454323083">રાજકોટ મહાનગર પાલિકા અને પોરબંદર-આણંદ જિલ્લા પંચાયતની યાદી જાહેર : જાણો કોને મળી ટિકીટ, કોના કપાયા પત્તા, ભાજપ-કોંગ્રેસમાં 'ટેલિફોનિક' ખેલ શરૂ</a></p><p></p><p><strong>કોંગ્રેસનો યુવા અને શિક્ષિત ચહેરા પર દાવ</strong></p><p>રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે આ વખતે ‘યુવા અને શિક્ષિત’ ઉમેદવારોને પ્રાધાન્ય આપવાની રણનીતિ અપનાવી છે. આભા જેવા લોકપ્રિય યુવાને ટિકિટ આપીને કોંગ્રેસે સંકેત આપ્યો છે કે તેઓ પરંપરાગત રાજકારણથી ઉપર ઉઠીને નવા અને પ્રભાવશાળી વ્યક્તિત્વોને રાજકારણમાં લાવવા માંગે છે.</p><p></p><p><strong>વોર્ડ નંબર 10 માં જંગ જામશે</strong></p><p>વોર્ડ નંબર 10 માં RJ આભાની ઉમેદવારીથી સ્પર્ધા રસપ્રદ બની છે. યુવા મતદારોમાં તેમનું વર્ચસ્વ જોતા, અન્ય પક્ષોએ પણ હવે પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડી શકે છે. શું રેડિયોના માઈક્રોફોન પરથી લોકોને મંત્રમુગ્ધ કરનારા આભા, ચૂંટણીના મેદાનમાં મતદારોનું દિલ જીતી શકશે? તે જોવું રહ્યું. રાજકારણમાં નવા નિશાળિયા ગણાતા RJ આભાનું આ પગલું તેમને કેટલી સફળતા અપાવે છે, તે તો આવનાર સમય જ કહેશે, પરંતુ હાલ તો રાજકોટના રાજકીય માહોલમાં RJ આભાનું નામ ચર્ચાના કેન્દ્રમાં છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/veraval-patan-nagarpalika-election-nomination-suspense-6242106795">44 બેઠકો સામે માત્ર 7 ફોર્મ: 'આપ' મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ મૌન : વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં સસ્પેન્સ ચરમસીમાએ, અંતિમ દિવસે રાજકીય ગરમાવો</a></p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 11 Apr 2026 04:03:26 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/11/RJ-Aabha-_a9a77532-f482-4811-8958-2808916d78c6.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ મહાનગર પાલિકા અને પોરબંદર-આણંદ જિલ્લા પંચાયતની યાદી જાહેર: જાણો કોને મળી ટિકીટ, કોના કપાયા પત્તા, ભાજપ-કોંગ્રેસમાં 'ટેલિફોનિક' ખેલ શરૂ]]></title>
                <link>https://offbeatstories.in/news/gujarat-palika-panchayat-election-bjp-candidates-announcement-2026-454323083</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gujarat-palika-panchayat-election-bjp-candidates-announcement-2026-454323083</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gujarat-palika-panchayat-election-bjp-candidates-announcement-2026-454323083" />
                <description><![CDATA[ગુજરાત પાલિકા અને પંચાયત ચૂંટણી પહેલા ભાજપે ઉમેદવારો જાહેર કરવાનું શરૂ કર્યું છે, પરંતુ અનેક બેઠકો પર હજુ અનિશ્ચિતતા અને રાજકીય ગરમી વધતી જાય છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/10/Rajkot-_87458ea7-a729-44ef-b39c-a38f98a7a4a1.jpg" alt="Gujarat Local Body Election 2026" />
                  </div>
                  <p><strong>Gujarat Local Body Election 2026: </strong>રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની પાલિકા અને પંચાયતની ચૂંટણીઓને લઈ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જોકે, આ પ્રક્રિયામાં પણ ભારે સાવચેતી રાખવામાં આવી રહી છે.</p><p></p><p><strong>છેલ્લી ઘડીએ જાહેરાત અને વિરોધનો ડર</strong></p><p>આવતીકાલે એટલે કે 11 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આમ છતાં, હજુ પણ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં મોટી સંખ્યામાં બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. પક્ષના આંતરિક સૂત્રો મુજબ, નારાજગી અને વિરોધ વંટોળ ઉભો ન થાય તે માટે બંને પક્ષો દ્વારા એક ખાસ રણનીતિ અપનાવવામાં આવી છે. કેટલીક સંવેદનશીલ બેઠકો અને મહાનગરપાલિકાઓમાં જાહેર યાદી પ્રસિદ્ધ કરવાને બદલે ઉમેદવારોને સીધો ફોન કરીને ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી રહી છે. જાહેરમાં નામ આવવાથી અન્ય દાવેદારો બળવો ન કરે તે હેતુથી આ પ્રકારની 'ગુપ્તતા' જાળવવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.</p><p></p><p><strong>રાજકોટ, પોરબંદર અને આણંદની યાદી જાહેર</strong></p><p>ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં નીચે મુજબની વિગતો સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકા ભાજપે રાજકોટના ઉમેદવારોના નામ સ્પષ્ટ કરી દીધા છે. પોરબંદર અને આણંદ: આ બંને જિલ્લાઓની જિલ્લા પંચાયત માટે પણ ઉમેદવારોના નામની સત્તાવાર યાદી બહાર પાડી દેવામાં આવી છે.</p><p></p><p><strong>આવતીકાલે ફોર્મ ભરવાનો ધસારો</strong></p><p>આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારોને ફોન દ્વારા લીલી ઝંડી મળી ગઈ છે, તેઓ આવતીકાલે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. હવે જોવાનું એ રહેશે કે છેલ્લી ઘડીએ જાહેર થયેલા નામો બાદ પક્ષમાં કોઈ આંતરિક વિખવાદ સામે આવે છે કે કેમ.</p><p></p><p><strong><br>રાજકોટ મહાનગરપાલિકા ભાજપના ઉમેદવાર</strong></p><p><img src="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/10/rajkotmnpdeclare2026page-0001_1775834047.jpg" alt=""></p><p><img src="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/10/rajkotmnpdeclare2026page-0002_1775834047.jpg" alt=""></p><p><img src="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/10/rajkotmnpdeclare2026page-0003_1775834047.jpg" alt=""></p><p><img src="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/10/rajkotmnpdeclare2026page-0004_1775834047.jpg" alt=""></p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 10 Apr 2026 15:22:24 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/10/Rajkot-_87458ea7-a729-44ef-b39c-a38f98a7a4a1.jpg" medium="image" type="image/jpg" />
                <media:content url="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/10/rajkotmnpdeclare2026page-0001_1775834047.jpg" medium="image" /><media:content url="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/10/rajkotmnpdeclare2026page-0002_1775834047.jpg" medium="image" /><media:content url="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/10/rajkotmnpdeclare2026page-0003_1775834047.jpg" medium="image" /><media:content url="https://images.bhaskarassets.com/web2images/960/2026/04/10/rajkotmnpdeclare2026page-0004_1775834047.jpg" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[44 બેઠકો સામે માત્ર 7 ફોર્મ: 'આપ' મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ મૌન: વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં સસ્પેન્સ ચરમસીમાએ, અંતિમ દિવસે રાજકીય ગરમાવો]]></title>
                <link>https://offbeatstories.in/news/veraval-patan-nagarpalika-election-nomination-suspense-6242106795</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/veraval-patan-nagarpalika-election-nomination-suspense-6242106795</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/veraval-patan-nagarpalika-election-nomination-suspense-6242106795" />
                <description><![CDATA[વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં અત્યાર સુધી માત્ર 7 ઉમેદવારી ફોર્મ નોંધાયા. ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ ખેંચતાણ, અંતિમ દિવસે ભીડ શક્ય.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/10/Partan-_e2ac889d-2717-45ca-9687-8590f41408b1.jpg" alt="Veraval election" />
                  </div>
                  <h2><strong>Gujarat Election 2026:</strong> ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ-પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં જબરદસ્ત સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. 44 બેઠકો માટે યોજાનારી આ જંગમાં અત્યાર સુધી જે આંકડાઓ સામે આવ્યા છે, તેણે સૌને ચોંકાવી દીધા છે.</h2><p></p><h2><strong> 44 બેઠકો સામે માત્ર 7 ફોર્મ: 'આપ' મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ મૌન</strong></h2><p>નગરપાલિકાની કુલ 44 બેઠકો માટે અત્યાર સુધીમાં માત્ર 7 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. નોંધવા જેવી વાત એ છે કે આ તમામ 7 ફોર્મ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભરવામાં આવ્યા છે. બીજી તરફ, સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસે હજુ સુધી પોતાના એકપણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, જેને કારણે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/chandkheda-ward-ticket-controversy-letter-viral-3369206734">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ચાંદખેડામાં 'લેટર બોમ્બ' : વોર્ડ પ્રમુખે પેરાશૂટ ઉમેદવારો સામે બાયો ચડાવી</a></p><p></p><h2><strong>પક્ષોમાં આંતરિક ખેંચતાણ અને નવી વ્યૂહરચના</strong></h2><p>બંને મુખ્ય પક્ષોમાં ટિકિટ વિતરણને લઈને ભારે કશ્મકશ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ આ વખતે સંપૂર્ણપણે નવા અને યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવા જઈ રહી છે. જૂના જોગીઓને પડતા મૂકીને નવી પેઢી પર દાવ ખેલવાની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. સંગઠન સ્તરે નામો નક્કી કરવા માટે મોડી રાત સુધી મંથન ચાલી રહ્યું છે, જેના કારણે સત્તાવાર યાદીમાં વિલંબ થઈ રહ્યો છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/raju-karpada-bjp-ticket-muli-02-surendranagar-2305387256">ભાજપનો માસ્ટરસ્ટ્રોક! : પાર્ટીમાં જોડાયાના બીજા જ દિવસે ખેડૂત નેતા રાજુ કરપડાને આ બેઠક પરથી મળી ટિકીટ</a></p><p></p><h2><strong>આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ</strong></h2><p>11 એપ્રિલ એ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. અત્યાર સુધી શાંત જણાતી પ્રાંત કચેરી ખાતે આવતીકાલે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનો મોટો ધસારો રહેવાની શક્યતા છે. શહેરમાં હાલ માત્ર એક જ ચર્ચા છે કે, "કોની કપાશે અને કોને લાગશે લોટરી?" આવતીકાલે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે વેરાવળ-પાટણના આ રાજકીય જંગમાં ખરાખરીનો જંગ કોની વચ્ચે જામશે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 10 Apr 2026 13:04:03 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/10/Partan-_e2ac889d-2717-45ca-9687-8590f41408b1.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રોટેશને રમણભમણ કર્યું રાજકોટ ભાજપના નેતાઓનું ગણિત: લોબિંગ કરનારા પણ લટક્યા! ડખે ચઢી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-rmc-election-2026-new-reservation-rotation-impact-7284237672</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-rmc-election-2026-new-reservation-rotation-impact-7284237672</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-rmc-election-2026-new-reservation-rotation-impact-7284237672" />
                <description><![CDATA[રાજકોટમાં રાજકીય ભૂકંપ! અનામતના નવા રોટેશને અનેક દિગ્ગજોની બેઠકો છીનવી લીધી. શું છે નવું ગણિત? વાંચો વિગતવા]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/10/rajkot-bjp_9e0502b4-7f58-4aa8-933c-18002b80b061.jpg" alt="Rajkot Municipal Corporation Election News" />
                  </div>
                  <h2><strong>Rajkot Local Body Election 2026:</strong> રાજકોટ મહાનગરપાલિકા (RMC) ની વર્ષ ૨૦૨૬માં યોજાનારી સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આગામી ૨૬ એપ્રિલે મતદાન અને ૧૧ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો ભરવાની તારીખો નક્કી થતાં જ રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે. જોકે, આ વખતનો જંગ અગાઉની તમામ ચૂંટણીઓ કરતાં સાવ અલગ અને ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે અનામતની નવી રોટેશન સિસ્ટમ! ઝવેરી પંચની ભલામણોના આધારે લાગુ થયેલા અનામત વર્ગીકરણના નવા નિયમોએ રાજકોટના સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. </h2><p></p><p>ઉલ્લેખનીય છેકે, તમામ ૧૮ વોર્ડની ૭૨ બેઠકો પર રાજકીય સમીકરણો એવી રીતે બદલાયા છે કે દાયકાઓથી પોતાના વોર્ડમાં એકહથ્થુ શાસન ચલાવતા દિગ્ગજ નેતાઓના પાયા હચમચી ગયા છે. ગુજરાત સરકારે ઝવેરી પંચની ભલામણો સ્વીકારીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ (OBC) માટેની અનામત ૧૦ ટકાથી વધારીને સીધી ૨૭ ટકા કરી દીધી છે. આ ઐતિહાસિક નિર્ણયની સૌથી મોટી અસર રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકન અને બેઠકોના રોટેશન પર પડી રહી છે. નવી રોટેશન પ્રક્રિયા અમલમાં આવતાં સામાજિક સમીકરણો અને જાતિગત આંકડાઓનું રાજકીય ગણિત સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.<br><br><strong>આ પણ વાંચોઃ </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/ankita-parmar-social-media-star-bjp-candidate-1-m-followers-9931697219">ચૂંટણીમાં ભાજપે જે સુંદર ચહેરાને ટિકિટ આપી એ કોણ છે? : જાણો કેમ instagram પર ભાજપના આ ઉમેદવારને લાખો લોકો કરે છે ફોલો</a></p><p></p><h2><strong>આ નિર્ણય પાછળ શું કારણ છે?</strong></h2><p>વોર્ડ પ્રમાણે આંકડાકીય વિશ્લેષણ કરીએ તો… અનામત રોટેશને ભારે આશ્ચર્યજનક સ્થિતિ ઊભી કરી છે. વોર્ડ નંબર ૧માં અત્યાર સુધી અનુસૂચિત જાતિ (SC) માટે અનામત રહેલી બેઠક હવે સીધી OBCના ફાળે ગઈ છે, જ્યારે વોર્ડ નંબર ૨ની સામાન્ય (General) બેઠકને SC અનામતમાં ફેરવી દેવાઈ છે. આ જ સિલસિલો આગળ વધારતા, વોર્ડ નંબર ૫ની ત્રીજી બેઠક OBC કેટેગરીમાં જતી રહી છે. વોર્ડ ૬ અને ૭ની સ્થિતિ તો વળી અલગ જ પ્રકારની છે; વોર્ડ ૬ની પ્રથમ બેઠક SC અને ત્રીજી બેઠક OBC માટે અનામત રખાઈ છે, જ્યારે વોર્ડ ૭માં તેનાથી બિલકુલ વિપરીત પ્રથમ બેઠક OBC અને ત્રીજી બેઠક SC માટે અનામત જાહેર થઈ છે. વધુમાં, વોર્ડ નંબર ૧૦માં જે બેઠક પહેલાં OBC હતી તે હવે સામાન્યમાં અને સામાન્ય બેઠક OBCમાં પરિવર્તિત થઈ છે.<br><br><strong>આ પણ વાંચોઃ</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/ankita-parmar-bjp-vadodara-district-panchayat-por-seat-candidate-7247433638">1 M Followers ધરાવતી Social Media Star ને ભાજપે આપી ટિકિટ : શું ચૂંટણીમાં મતદારો પર ચાલશે Influencer અંકિતા પરમારનો જાદુ?</a></p><p></p><p>આ ઉપરાંત, વોર્ડ ૧૪ અને ૧૫માં અગાઉની SC બેઠકો હવે OBCને ફાળવવામાં આવી છે. આ આંકડાકીય અને માળખાગત ફેરફારો સ્પષ્ટ ઈશારો કરી રહ્યા છે કે જૂના જોગીઓ માટે હવે પોતાના ગઢ સાચવવા લગભગ અશક્ય બની ગયા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે.. અનામત બેઠકોના આ ભૌગોલિક અને જ્ઞાતિગત પરિવર્તનને કારણે રાજકોટના સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વર્ષોથી પોતાના હોમ વોર્ડમાં ચૂંટાતા વર્તમાન કોર્પોરેટરો અને સિનિયર નેતાઓ રાતોરાત પોતાની પરંપરાગત બેઠકો ગુમાવી બેઠા છે.</p><h2></h2><h2><strong>રાજકીય અસ્તિત્વ બચાવવા લોબિંગ અને ભાઈ-ભત્રીજાવાદ</strong></h2><p>બેઠકનું સ્ટેટસ બદલાતા ઘણા કદાવર નેતાઓના પત્તા આપોઆપ કપાઈ ગયા છે. પોતાના રાજકીય અસ્તિત્વને બચાવવા માટે આ નેતાઓએ અત્યારથી જ ગાંધીનગરના આંટાફેરા શરૂ કરી દેશ્યા છે. પોતાના માટે કોઈ નવો અને સુરક્ષિત વોર્ડ શોધવા અથવા તો પોતાના કોઈ વફાદાર વ્યક્તિને ટિકિટ અપાવવા માટે ભયંકર લોબિંગ અને દબાણની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે.<br><br><strong>આ પણ વાંચોઃ</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/bjp-por-seat-nayanaben-parmar-announces-to-contest-as-independent-after-not-getting-ticket-7504593541">આ સુંદર ચહેરા માટે ભાજપે વર્ષો જૂના કાર્યકરનું પત્તું કાપ્યું : ટિકિટ ના આપી તો નયનાબેન ભાજપને હરાવવા અપક્ષ ચૂંટણી લડશે, 34માંથી 32 નવા ચહેરા!</a></p><p></p><p>પરંતુ વાત અહીં અટકતી નથી… પોતાના રાજકીય વારસાને જીવંત રાખવા માટે 'ભાઈ-ભત્રીજાવાદ' પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. જે નેતાઓ અનામત રોટેશનના કારણે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠર્યા છે અથવા જેમની બેઠક અન્ય જ્ઞાતિ માટે રિઝર્વ થઈ ગઈ છે, તેઓ હવે બેક-ડોર એન્ટ્રી માટે પોતાના પત્ની, પુત્ર, ભાઈ કે અન્ય સગાસંબંધીઓ માટે ટિકિટની માંગ કરી રહ્યા છે.</p><p></p><p>પક્ષના પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ આવા દબાણો એટલા વધી રહ્યા છે કે આગામી દિવસોમાં તે મોવડી મંડળ માટે બહુ મોટા માથાના દુખાવા સમાન બની રહેશે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માત્ર અનામતના બદલાયેલા માળખા પર જ નહીં, પરંતુ રાજકોટના હૈયે હજુ તાજી એવી ગોઝારી ઘટનાઓના પડછાયા હેઠળ પણ લડાશે.</p><p></p><h2><strong>TRP અગ્નિકાંડ અને નો-રિપીટ થિયરી</strong></h2><p>TRP ગેમ ઝેન અગ્નિકાંડની હચમચાવી દેનારી દુર્ઘટના અને તેમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છતી થતાં સત્તાધારી પક્ષ ભાજપની છબીને બહુ મોટો ફટકો પડ્યો છે. પ્રજાના મનમાં પ્રવર્તતો રોષ અને નારાજગી શાંત કરવા માટે ભાજપ હાઈકમાન્ડ અત્યંત સતર્ક બની ગયું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે.. આ અગ્નિકાંડ અને અન્ય વિવાદોમાં સંડોવાયેલા અથવા જેમની કામગીરી શંકાના ગીરામાં રહી છે, તેવા તમામ વિવાદાસ્પદ નેતાઓને આ વખતે સંપૂર્ણપણે સાઇડલાઇન કરી દેવાય તેવી પ્રબળ શક્યતા છે.</p><p></p><p>ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં આકરી 'નો-રિપીટ' થિયરી અપનાવી શકે છે. પક્ષનું મુખ્ય ફોકસ હવે 'સ્વચ્છ છબી' ધરાવતા અને 'ફ્રેશ ફેસ' (નવા ચહેરાઓ) ને મેદાનમાં ઉતારવા પર છે. ખાસ કરીને યુવાનો, શિક્ષિત ઉમેદવારો અને સમાજમાં સારું પ્રભુત્વ ધરાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને ટિકિટ આપીને મતદારોનું ધ્યાન ખેંચવાની નવી રણનીતિ ઘડાઈ રહી છે.</p><p></p><h2><strong>સત્તાનું રોટેશન અને ત્રિપાંખિયો જંગ</strong></h2><p>રાજકોટ મહાનગરપાલિકાના ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય પર નજર કરીએ તો, મેયર અને અન્ય પદાધિકારીઓ માટે અઢી-અઢી (૨.૫) વર્ષની ટર્મનું રોટેશન વર્ષોથી અસ્તિત્વમાં છે. આ સિસ્ટમ મુજબ, પાંચ વર્ષની સંપૂર્ણ ટર્મ દરમિયાન બે અલગ-અલગ જ્ઞાતિ અથવા વર્ગના ઉમેદવારોને મેયર પદની જવાબદારી સોંપવામાં આવે છે.</p><p></p><p>પરંતુ, ઝવેરી પંચના નવા અનામત માળખા બાદ મેયર પદનું આ રોટેશન પણ નવેસરથી નક્કી થશે, જેના પર રાજકીય નિષ્ણાતોની બાજ નજર મંડાયેલી છે. કોને પ્રથમ અઢી વર્ષ મળશે અને કોને બાકીના, તે સત્તાની વહેંચણીનું મુખ્ય કેન્દ્ર બનશે. આ વખતની ચૂંટણીમાં મુકાબલો માત્ર બે પક્ષો પૂરતો સીમિત રહ્યો નથી.</p><p></p><p>પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાતા આ રાજકીય જંગમાં હવે આમ આદમી પાર્ટી (AAP) એ પણ સક્રિય રીતે ઝંપલાવ્યું છે. શું ભાજપ પોતાના અસંતુષ્ટ નેતાઓને મનાવીને '<a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%9F">નો-રિપીટ</a>' થિયરીનો સફળતાપૂર્વક અમલ કરી શકશે? બીજી તરફ વિપક્ષો પણ એન્ટી-ઇન્કમ્બન્સી અને TRP અગ્નિકાંડ જેવા મુદ્દાઓને ઢાલ બનાવી રહ્યા છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 10 Apr 2026 07:48:07 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/10/rajkot-bjp_9e0502b4-7f58-4aa8-933c-18002b80b061.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટના જંગલેશ્વરમાં 'જંગલ રાજ'!: 19 કિલો ગાંજાની રખેવાળી માટે આટલા નીચે પડ્યા માફિયાઓ!]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-jangleshwar-drugs-case-minor-girl-used-as-shield-7472529141</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-jangleshwar-drugs-case-minor-girl-used-as-shield-7472529141</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-jangleshwar-drugs-case-minor-girl-used-as-shield-7472529141" />
                <description><![CDATA[રાજકોટના જંગલેશ્વરમાં SOGના દરોડામાં 19 કિલો ગાંજો ઝડપાયો. ડ્રગ માફિયાઓએ કાયદાથી બચવા સગીર બાળકીને બનાવી રક્ષક. જાણો શું છે આખો કિસ્સો.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/09/rajkot-sog-1_0c293ce9-c7b8-4ee2-9bef-42d19d2900e5.jpg" alt="ગાંજો પકડતી રાજકોટ sog ની ટીમ" />
                  </div>
                  <p>રાજકોટના ગલી-કૂંચીઓમાં ચાલતો ડ્રગ્સનો કાળો કારોબાર હવે એટલી હદે નીચે ઊતરી ગયો છે કે સાંભળીને પણ રુંવાડા ઊભા થઈ જાય. શહેરમાં માદક પદાર્થોની હેરાફેરીનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે માત્ર પોલીસને જ નહીં પણ સમગ્ર સભ્ય સમાજને હચમચાવી દીધો છે. ડ્રગ્સના સોદાગરો હવે કાયદાના સકંજામાંથી બચવા માટે નિર્દોષ અને સગીર વયના બાળકોનો ઉપયોગ કરતા અચકાતા નથી.<br></p><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>ના જંગલેશ્વર વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 19 કિલો ગાંજો પકડાયો છે, પણ આ આંકડા કરતાં પણ વધુ ભયાનક વાત એ છે કે આ જથ્થાની ચોકીદારી એક સગીર બાળકી પાસે કરાવવામાં આવતી હતી.<br></p><h2><strong>SOGની ગુપ્ત રેડ અને કાળજા કંપી જાય તેવી વાસ્તવિકતા</strong></h2><p>રાજકોટ પોલીસની SOG ટીમને એક સચોટ બાતમી મળી હતી કે જંગલેશ્વરના વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં કોઈ મોટું ‘કન્સાઈનમેન્ટ’ છુપાવવામાં આવ્યું છે. આ માહિતીના આધારે ટીમે રણનીતિ બનાવી અને ઓચિંતા દરોડા પાડયા.<br></p><p>તપાસ દરમિયાન રહેણાંક મકાનમાંથી કુલ 19.06 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત આશરે 9.53 લાખ રૂપિયા જેટલી થાય છે. પરંતુ જ્યારે પોલીસે આ જથ્થા સાથે એક નાની બાળકીને કસ્ટડીમાં લીધી, ત્યારે તપાસ અધિકારીઓ પણ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.<br></p><p><strong>આ પણ વાંચો : </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-aap-leaders-police-case-banner-controversy-7779678642">સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી પહેલા રાજકોટમાં AAP ની મુશ્કેલી વધી : 2 નેતાઓ સામે પોલીસ ફરિયાદ; જાણો શું છે વિવાદ?</a></p><p></p><p>આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધાર જંગલેશ્વરના રહેવાસી શોએબ તૈલી અને તેની પત્ની ઝૈબા તૈલી નીકળ્યા. આ દંપતીએ પોલીસને ચકમો આપવા માટે એક અત્યંત નિર્દય માર્ગ પસંદ કર્યો હતો. તેમને લાગ્યું કે જો ડ્રગ્સનો જથ્થો કોઈ સગીરાના ઘરમાં હશે, તો પોલીસ ક્યારેય ત્યાં તપાસ કરવા નહીં આવે.<br></p><p>આમ, તેમણે એ માસૂમ બાળકીને ગાંજાની ‘સેફ-કીપર’ બનાવી દીધી. હાલ પોલીસે બાળકીને ડીટેઈન કરી ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરને સોંપી છે, જ્યારે ફરાર થઈ ગયેલા શોએબ અને ઝૈબાને પકડવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડી છે. પોલીસને આશંકા છે કે આ જથ્થો ઓડિશા કે આંધ્રપ્રદેશના રૂટ પરથી અહીં પહોંચાડવામાં આવ્યો હતો.</p>
                ]]></content:encoded>
                <pubDate>Thu, 09 Apr 2026 09:37:56 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/09/rajkot-sog-1_0c293ce9-c7b8-4ee2-9bef-42d19d2900e5.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[સૌરાષ્ટ્રમાં મોટો રાજકીય ધડાકો: એક સમયે રૂપાલા સામે રણશિંગુ ફૂંકનાર પદ્મિનીબા વાળા હવે ‘ઝાડુ’ સાથે!]]></title>
                <link>https://offbeatstories.in/news/padminiba-vala-joins-aap-rajkot-politics-news-7219737822</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/padminiba-vala-joins-aap-rajkot-politics-news-7219737822</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/padminiba-vala-joins-aap-rajkot-politics-news-7219737822" />
                <description><![CDATA[2024ની લોકસભા ચૂંટણી વખતે પરષોત્તમ રૂપાલા સામે બાંયો ચઢાવનાર  પદ્મિનીબા વાળાએ હવે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) નો કેસરિયો ખેસ ઉતારી ‘ઝાડુ’ પકડ્યું છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/08/Padminiba-Vala-Join-AAP-Gujarat_2c831762-f7dc-42b2-b6f8-fdeba575f928.jpg" alt="Padminiba Vala Join AAP Gujarat" />
                  </div>
                  <h2><strong>AAP Gujarat:</strong> ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ સૌરાષ્ટ્રની વાત આવે ત્યારે ગરમાવો હોવો સ્વાભાવિક છે, પરંતુ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે તેણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવા જ સમીકરણો રચ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી વખતે ભાજપના દિગ્ગજ નેતા પરષોત્તમ રૂપાલા સામે બાંયો ચઢાવનાર અને ક્ષત્રિય આંદોલનનો સૌથી મજબૂત મહિલા ચહેરો ગણાતા પદ્મિનીબા વાળાએ હવે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) નો કેસરિયો ખેસ ઉતારી ‘ઝાડુ’ પકડ્યું છે. રવિવારે રાજકોટમાં એક ભવ્ય કાર્યક્રમમાં AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-aap-leaders-police-case-banner-controversy-7779678642">પદ્મિનીબા</a> અને તેમના પતિ ગિરિરાજસિંહ વાળાને પાર્ટીમાં આવકાર્યા હતા. આ ઘટનાક્રમે ભાજપની છાવણીમાં ચિંતા અને ‘આપ’ના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરી દીધો છે.</h2><p></p><h2><strong>આંદોલનની આગથી સક્રિય રાજકારણના આંગણ સુધી </strong></h2><p>પદ્મિનીબા વાળાનું નામ આજે ગુજરાતના ઘરેઘરે જાણીતું છે, અને તેની પાછળનું કારણ છે તેમનો લડાયક સ્વભાવ. ગયા વર્ષે જ્યારે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણીથી વિવાદ વકર્યો, ત્યારે રાજકોટમાં આ વિરોધનું કેન્દ્રબિંદુ પદ્મિનીબા રહ્યા હતા. તેમણે રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે સળંગ ૧૪ દિવસ સુધી ભૂખ હડતાળ કરીને સરકારને હચમચાવી દીધી હતી. આ માત્ર આંદોલન નહોતું, આત્મસન્માનની લડાઈ હતી, જેમાં તેમણે ‘જૌહર’ (આત્મવિલોપન) કરવાની પણ તૈયારી દાખવી હતી. આ જ મક્કમતાને કારણે તેઓ ક્ષત્રિય સમાજમાં એક લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. પરંતુ વાત અહીં અટકતી નથી. પદ્મિનીબા માત્ર આંદોલન પૂરતા મર્યાદિત નથી.</p><p></p><p>તેઓ છેલ્લા 10 વર્ષથી ‘રાજ શક્તિ મહિલા મંડળ’ના અધ્યક્ષ તરીકે સામાજિક સેવામાં જોડાયેલા છે અને ‘ગુજરાત રાજપૂત મહિલા કરણી સેના’ના પ્રમુખ તરીકે પણ બહેનોનું નેતૃત્વ કરી રહ્યા છે. મૂળ ગધેથડ પાસેના તણસવા ગામના વતની પદ્મિનીબા છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં રહીને ગરીબ અને મધ્યમ વર્ગના પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે, જેનો સીધો ફાયદો હવે આમ આદમી પાર્ટીને મળી શકે છે.</p><p></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-aap-leaders-police-case-banner-controversy-7779678642">સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી પહેલા રાજકોટમાં AAP ની મુશ્કેલી વધી : 2 નેતાઓ સામે પોલીસ ફરિયાદ; જાણો શું છે વિવાદ?</a></p><p></p><h2><strong> ભાજપ સાથેનો નાતો અને વિખવાદની કહાની</strong></h2><p>રાજકારણના ચોકઠા તપાસીએ તો એક ચોંકાવનારી હકીકત સામે આવે છે. પદ્મિનીબાએ ફેબ્રુઆરી 2024માં જ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. તો પછી એવું તે શું થયું કે ગણતરીના મહિનાઓમાં જ તેમણે છેડો ફાડવો પડ્યો? વિશ્લેષણ કરીએ તો સમજાય છે કે, રૂપાલા વિવાદ વખતે પક્ષે સમાજની લાગણી દુભાતા જે વલણ અપનાવ્યું, તે પદ્મિનીબાને અસહ્ય લાગ્યું હતું. આજે ‘આપ’માં જોડાતી વખતે તેમણે હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, "અન્ય પક્ષો માત્ર ચૂંટણી સમયે વચનો આપે છે, પણ આમ આદમી પાર્ટી કામમાં માને છે. હું વર્ષોથી બહેનો-દીકરીઓ માટે લડત ચલાવું છું અને મને AAPની વિચારધારામાં સામાન્ય માણસનો અવાજ દેખાયો છે." ખાસ કરીને પંજાબ સરકારની મહિલાલક્ષી યોજનાઓથી પ્રભાવિત થઈને તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.</p><p></p><h2><strong>શું 2026માં ભાજપ માટે મુશ્કેલી વધશે? </strong></h2><p>અહીં પ્રશ્ન ઊભો થાય છે કે, શું પદ્મિનીબાના આવવાથી આવનારી ચૂંટણીઓમાં કોઈ મોટો ફેરફાર થશે? એપ્રિલ 2026માં ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ અને 84 નગરપાલિકાઓ સહિત જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે. રાજકોટમાં ક્ષત્રિય મતોનું પ્રભુત્વ નિર્ણાયક હોય છે. રૂપાલા વિવાદથી જે આક્રોશ જન્મો હતો, તે હજુ પણ શાંત થયો નથી. જો પદ્મિનીબા સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતરે તો ભાજપના પરંપરાગત વોટબેંકમાં ગાબડું પડવાની પૂરેપૂરી સંભાવના છે. પદ્મિનીબાના પતિ ગિરિરાજસિંહ વાળા બિઝનેસમેન છે અને હવે તેઓ પણ સક્રિય રાજકારણમાં ખભેખભા મિલાવીને ચાલશે. જોકે, પદ્મિનીબાના જાહેર જીવનમાં કેટલાક વિવાદોએ પણ દસ્તક આપી હતી. 2024 અને 2025માં તેમના પર થયેલા કાયદાકીય કેસોને તેમણે હંમેશા ‘રાજકીય ષડયંત્ર’ ગણાવ્યા છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Wed, 08 Apr 2026 11:20:21 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/08/Padminiba-Vala-Join-AAP-Gujarat_2c831762-f7dc-42b2-b6f8-fdeba575f928.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી પહેલા રાજકોટમાં AAP ની મુશ્કેલી વધી: 2 નેતાઓ સામે પોલીસ ફરિયાદ; જાણો શું છે વિવાદ?]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-aap-leaders-police-case-banner-controversy-7779678642</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-aap-leaders-police-case-banner-controversy-7779678642</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-aap-leaders-police-case-banner-controversy-7779678642" />
                <description><![CDATA[રાજકોટમાં બેનર હટાવતાં વિવાદમાં AAPના બે નેતાઓ સામે કેસ. મનપા કામગીરીમાં અવરોધનો આરોપ, તપાસ શરૂ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/07/rajkot-aap_1ad036f0-b025-40ae-bed4-ddcc7439b038.jpg" alt="રાજકોટના બેનર સાથે ઉભેલા AAP કાર્યકર્તાઓ" />
                  </div>
                  <p>રાજકોટમાં સ્થાનિક ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીના બે નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય તણાવ વધ્યો છે. રાહુલ ભુવા અને હાર્દિક રાબડીયા સામે ફરજમાં અડચણ ઊભી કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.<br></p><h2><strong>બેનર ઉતરતા કર્મચારીઓ સાથે બોલાચાલી</strong></h2><p>ફરિયાદ મુજબ, <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>મનપાની દબાણ હટાવ શાખાના કર્મચારી દિગ્વિજયસિંહ જાડેજા પોતાની ટીમ સાથે શહેરના વિવિધ વોર્ડોમાં બેનર-પોસ્ટર હટાવવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન કુવાડવા રોડ વિસ્તારમાં ઇલેક્ટ્રિક થાંભલાઓ પર લગાવવામાં આવેલા આમ આદમી પાર્ટીના બેનરો ઉતારવામાં આવ્યા હતા. આ દરમ્યાન બંને નેતાઓ સ્થળ પર પહોંચી બેનર ઉતારવાનું રોકવાનો પ્રયાસ કર્યો હતો અને કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો.<br></p><h2><strong>પોલીસ ફરિયાદ </strong></h2><p>પોલીસે આ મામલે BNSની કલમ 221, 121(1) અને 3(5) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.<br></p><h2><strong>"મનપાના અધિકારીઓ પાસે બેનર હટાવવાનો કોઈ લેખિત ઓર્ડર નહોતો" રાહુલ ભૂવા</strong></h2><h2>બીજી તરફ, આ આરોપોને લઈને રાહુલ ભુવાએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે વાયરલ વીડિયો 31 માર્ચનો છે, જ્યારે જાહેર રજા હતી અને તે દિવસે કોઈ <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/achar-sanhita-election-rules-india-explained-8325785443">આચારસંહિતા </a>લાગુ નહોતી. તેમના અનુસાર, મનપાના અધિકારીઓ પાસે બેનર હટાવવાનો કોઈ લેખિત ઓર્ડર નહોતો અને તેઓએ સ્થાનિક લોકોના ઘરોમાં લગાવેલા બેનરો પણ દૂર કર્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.<br></h2><h2><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-municipal-election-congress-candidates-list-2026-3603496112">દેવુબેન જાદવ કોંગ્રેસમાં જોડાતા રાજકોટનું રાજકારણ ગરમાયું : કોંગ્રેસે 20 ઉમેદવારોના નામ કર્યા નક્કી, નયનાબા જાડેજા ફરી મેદાનમાં!</a></h2><p></p><h2><strong>"અધિકારીઓ રાજકીય દબાવ હેઠળ કામ કરે છે" રાહુલ ભૂવા</strong></h2><p>રાહુલ ભુવાએ વધુમાં આક્ષેપ કર્યો કે મનપાની કાર્યવાહી પક્ષપાતપૂર્ણ છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના બેનરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય પક્ષોના બેનરો યથાવત રાખવામાં આવે છે. તેમણે દાવો કર્યો કે અધિકારીઓ કોઈ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 07 Apr 2026 04:56:23 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/07/rajkot-aap_1ad036f0-b025-40ae-bed4-ddcc7439b038.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[સ્કૂલ-કોર્ટ બાદ હવે RTO નિશાના પર: ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવ્યા બોમ્બની ધમકીભર્યા ઈમેલ]]></title>
                <link>https://offbeatstories.in/news/ahmedabad-rto-bomb-threat-police-3233647249</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/ahmedabad-rto-bomb-threat-police-3233647249</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/ahmedabad-rto-bomb-threat-police-3233647249" />
                <description><![CDATA[સ્કૂલ-કોર્ટ બાદ હવે અમદાવાદ-રાજકોટ RTO નિશાના પર, બોમ્બ સ્ક્વોડ તૈનાત.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/06/bomb-disposal-squad_da83591e-ab8e-472a-b8ab-5db71ebf903e.jpg" alt="bomb disposal squad ની બસ" />
                  </div>
                  <p><strong>Gujarat Bomb Threat : </strong>ગુજરાતના મુખ્ય શહેરોમાં સુરક્ષાને લઈને ચિંતા વધારતી ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં અમદાવાદ, સુરત અને રાજકોટની RTO કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળતા તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું છે. ધમકી મળતા જ RTO અધિકારીઓએ પોલીસને જાણ કરી, જેના પગલે ત્રણેય શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.<br></p><h2><strong>અમદાવાદ RTO ને આવ્યો ઈમેલ</strong></h2><p>અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી RTO <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/ahmedabad">Ahmedabad </a>કચેરીને સાવચેતીના ભાગરૂપે તરત ખાલી કરાવવામાં આવી હતી. તે સમયે ટ્રેક ટેસ્ટ માટે આવેલા અરજદારોને પણ પરત મોકલી દેવાયા હતા. પોલીસ સાથે બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તરત કાર્યવાહી થઈ શકે.<br></p><h2><strong>સુરતમાં પણ મળી ધમકી</strong></h2><p>સુરતમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી. RTO <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/surat">Surat </a>ને ઈમેલ મારફતે બોમ્બ ધમકી મળતા તાત્કાલિક કચેરી ખાલી કરાવવામાં આવી હતી. ટ્રેક ટેસ્ટ સહિતની કામગીરી અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી છે. અહીં પણ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.<br></p><h2><strong>રાજકોટ RTO ને આવ્યો ઈમેલ</strong></h2><h2>રાજકોટમાં આવેલી RTO <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">Rajkot </a>કચેરીને પણ આવી જ ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું. કચેરી ખાલી કરાવી દેવામાં આવી અને સુરક્ષા એજન્સીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.<br></h2><p><strong>અન્ય શહેરોના RTO ને મળી બોમ્બની ધમકી</strong></p><p>અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, કચ્છ બાદ હવે જામનગરની RTO કચેરીને બોમ્બનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલ મળતા જ પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. અરજદારોમાં અફરાતફરી મચી અને લોકોની સલામતીના ભાગરૂપે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી છે.</p><h2><br><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/kharge-gujarati-comment-controversy-2026-5096144515">"ગુજરાતીઓ અભણ..." કોંગ્રેસના નેતા ખડગેનું નિવેદન : ગુજરાતીઓમાં ભભૂક્યો રોષ, "જો માફી નહીં માંગે તો...!"</a><br><br><br><strong>અગાઉ પણ મળી ચૂકી છે ધમકી</strong></h2><p>ઉલ્લેખનીય છે કે, આ પહેલા 12 માર્ચ, 2026ના રોજ અમદાવાદની Ahmedabad Metropolitan Court ને પણ બોમ્બ ધમકી મળી હતી. તે સમયે પણ સંપૂર્ણ બિલ્ડિંગ ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, પરંતુ કોઈ ખતરનાક વસ્તુ મળી નહોતી.<br></p><p>આવી સતત મળતી ધમકીઓને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. જાહેર સ્થળોએ નજર રાખવામાં વધારો કરવામાં આવ્યો છે અને દરેક ધમકીને ગંભીરતાથી લઈ તપાસ કરવામાં આવી રહી છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 06 Apr 2026 05:27:17 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/06/bomb-disposal-squad_da83591e-ab8e-472a-b8ab-5db71ebf903e.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટના સોની વેપારી સાથે બિહારમાં 25 કરોડની દિલધડક લૂંટ: કસ્ટમ અધિકારી બની ત્રાટકેલા લૂંટારુઓએ ફિલ્મી ઢબે સોનું પડાવ્યું]]></title>
                <link>https://offbeatstories.in/news/bihar-danapur-fake-customs-officers-rob-17kg-gold-rajkot-trader-5642150197</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/bihar-danapur-fake-customs-officers-rob-17kg-gold-rajkot-trader-5642150197</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/bihar-danapur-fake-customs-officers-rob-17kg-gold-rajkot-trader-5642150197" />
                <description><![CDATA[બિહારના દાનાપુર નજીક ખોટા કસ્ટમ્સ અધિકારી બની ગેંગે રાજકોટના વેપારીના કર્મચારીઓ પાસેથી 17 કિલો સોનું લૂંટી લીધું, કિંમત અંદાજે 25 કરોડ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/06/Rajkot-News_6eb6868b-8283-45ec-bee2-94183b84226e.jpg" alt="fake customs officers robbery" />
                  </div>
                  <p><strong>Rajkot News: </strong>સોનાના વેપાર માટે દેશભરમાં જાણીતા રાજકોટના સોની બજારમાં આઘાતની લહેર પ્રસરી ગઈ છે. રાજકોટની એક પ્રતિષ્ઠિત પેઢીના કર્મચારીઓ જ્યારે બિહારમાં સોનાની ડિલિવરી આપવા ગયા હતા, ત્યારે તેમની સાથે ₹25 કરોડની લૂંટની ઘટના બની છે. લૂંટારુઓએ અત્યંત ચાલાકીપૂર્વક 'કસ્ટમ અધિકારી'નો સ્વાંગ રચીને આ ગુનાને અંજામ આપ્યો હતો.</p><p></p><p><strong>શું હતી સમગ્ર ઘટના?</strong></p><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>ની જાણીતી પેઢી કે.વી. એન્ડ સન્સના બે વિશ્વાસુ કર્મચારીઓ, મહેશ મામતોરા અને પ્રિન્સ રાણપારીયા, <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE+%E0%AA%A6%E0%AA%BE%E0%AA%97%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE">સોનાના દાગીના</a>નો મોટો જથ્થો લઈને બિહાર પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓ જે સ્થળે સોનું પહોંચાડવાનું હતું ત્યાં જવા માટે રેલવે સ્ટેશન પર ઉતર્યા કે તરત જ લૂંટારુઓ સક્રિય થઈ ગયા હતા.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-weather-updates-disaster-rain-with-wind-forecast-in-these-districts-for-the-next-48-hours-0611083308">Gujarat Weather Update : ગુજરાતમાં માવઠાની આફત! આગામી 48 કલાક આ જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી</a></p><p></p><p><strong>તપાસના બહાને અપહરણ અને લૂંટ</strong></p><p>સ્ટેશનની બહાર નીકળતા જ બાઈક અને કારમાં સવાર થઈને આવેલા અંદાજે 8 જેટલા શખ્સોએ કર્મચારીઓને આંતર્યા હતા. આ લૂંટારુઓએ પોતાની ઓળખ કસ્ટમ વિભાગના અધિકારી તરીકે આપી હતી. તેમણે કર્મચારીઓને એવું કહીને ડરાવ્યા હતા કે તેમની પાસે રહેલું સોનું શંકાસ્પદ છે અને તેની તપાસ કરવી પડશે. </p><p></p><p>તપાસના બહાને બંને કર્મચારીઓને જબરદસ્તીથી કારમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ લૂંટારુઓ તેમને કોઈ અવાવરું અને નિર્જન સ્થળે લઈ ગયા હતા, જ્યાં ડરાવી-ધમકાવીને ₹25 કરોડની કિંમતનું સોનું આંચકી લીધું હતું અને કર્મચારીઓને રસ્તામાં ઉતારી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.</p><p></p><p><strong>પોલીસ એક્શન મોડમાં</strong></p><p>આ ઘટનાની જાણ થતાં જ બિહાર પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. કર્મચારીઓએ આપેલી વિગતોના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે તપાસ દરમિયાન લૂંટમાં વપરાયેલી કારને શોધી કાઢી છે અને તેને કબ્જે કરી છે. લૂંટારુઓની ઓળખ કરવા માટે રેલવે સ્ટેશન અને આસપાસના રૂટના CCTV ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા રાજકોટથી પણ પોલીસની એક ટીમ બિહાર રવાના થવાની શક્યતા છે, જેથી પેઢીના માલિક અને કર્મચારીઓની વધુ પૂછપરછ કરી શકાય.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/ahmedabad-civil-hospital-liquor-permit-scam-9918737931">Gujarat Liquor Permit Scam : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલતા દારૂ પરમિટ કૌભાંડનો પર્દાફાશ, જાણો કેવી રીતે લગાડવામાં આવતો હતો લાખોનો ચૂનો</a></p><p></p><p><strong>વેપારી આલમમાં ફફડાટ</strong></p><p>રાજકોટ સોની બજારના વેપારીઓમાં આ ઘટનાને પગલે ભારે ચિંતા જોવા મળી રહી છે. આટલી મોટી રકમનું સોનું લૂંટાયું હોવાથી વેપારી સુરક્ષાના પ્રશ્નો ફરી એકવાર સપાટી પર આવ્યા છે. હાલમાં બિહાર પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી 8 લૂંટારુઓની ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 06 Apr 2026 05:07:22 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/06/Rajkot-News_6eb6868b-8283-45ec-bee2-94183b84226e.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ગૃહિણીઓનું બજેટ ખોરવાયું!: દોઢ મહિનામાં સિંગતેલ અને કપાસિયાના ભાવમાં તોતિંગ વધારો, જાણો 1 ડબ્બાનો કેટલો વધ્યો ભાવ]]></title>
                <link>https://offbeatstories.in/news/prices-of-castor-oil-and-cottonseed-have-increased-sharply-in-one-and-half-months--9113162864</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/prices-of-castor-oil-and-cottonseed-have-increased-sharply-in-one-and-half-months--9113162864</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/prices-of-castor-oil-and-cottonseed-have-increased-sharply-in-one-and-half-months--9113162864" />
                <description><![CDATA[મોંઘવારીનો વધુ એક ડામ: છેલ્લા દોઢ મહિનામાં જ સિંગતેલના ભાવમાં ₹150 અને કપાસિયા તેલમાં ₹240નો તોતિંગ વધારો ઝીંકાયો છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/06/Rajkot-Oil-Market-Oil-Price-Hike_0534e680-d5be-4d5c-8014-328b671b99a4.jpg" alt="Rajkot Oil Market Oil Price Hike" />
                  </div>
                  <p><strong>રાજકોટ:</strong> ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં લાગેલી આગ અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા દોઢ મહિનાથી <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/-donald-trump-iran-vs-usa-global-tensions-at-peak-after-attacks-on-irans-gulf-refineries-and-us-warning-436826798">ખાદ્યતેલના ભાવ</a>માં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો અને ગૃહિણીઓના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટના તેલ બજારમાં સિંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન<a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/edible-oil-prices-rise-sorghum-oil-crosses-rs-3000-cottonseed-and-palm-oil-prices-also-surge-688336096"> તેલના ભાવ</a>માં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. માત્ર 45 દિવસના ટૂંકા ગાળામાં જ તેલના ડબ્બાના ભાવ આસમાને પહોંચતા ગ્રાહકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.</p><p></p><p>વૈશ્વિક પરિસ્થિતિઓ અને યુદ્ધના માહોલ વચ્ચે ખાદ્યતેલની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. વિદેશથી થતી સપ્લાય ખોરવાતા સ્થાનિક બજારમાં તેલની અછત જેવી સ્થિતિ સર્જાઈ છે, જેની સીધી અસર છૂટક અને જથ્થાબંધ ભાવ પર પડી રહી છે. રાજકોટ માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ, માંગની સામે પુરવઠો ઓછો હોવાથી આગામી દિવસોમાં પણ ભાવમાં નરમાઈ આવવાના સંકેતો ઓછા દેખાઈ રહ્યા છે.</p><p></p><h3><strong>સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઉછાળો</strong></h3><p>બજારમાં મળતી લેટેસ્ટ માહિતી અનુસાર, સિંગતેલના એક ડબ્બાની કિંમતમાં અંદાજે ₹150 જેટલો વધારો ઝીંકાયો છે. અગાઉ જે ડબ્બો ₹2950 આસપાસ મળતો હતો, તેનો ભાવ હવે વધીને ₹3100 સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ અસર કપાસિયા તેલમાં જોવા મળી રહી છે. અગાઉ ₹2320માં મળતો કપાસિયા તેલનો ડબ્બો હવે ₹2560 સુધી પહોંચી ગયો છે, એટલે કે તેમાં સીધો ₹240નો વધારો થયો છે. પામોલિન તેલ પણ આ મોંઘવારીથી બાકાત નથી, જેમાં ₹2220થી વધીને ભાવ ₹2500ની સપાટીએ પહોંચ્યો છે.</p><p></p><p><strong>આ પણ વાંચો:</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-local-election-2026-congress-candidate-list-6137931144">પાલિકા-પંચાયતની ચૂંટણી માટે આજે મૂરતિયા જાહેર કરશે કોંગ્રેસ : સામે આવ્યું સંભવિત ઉમેદવારોનું સીક્રેટ લીસ્ટ! જાણો રીવાબા જાડેજાના નણંદ ક્યાંથી લડશે ચૂંટણી</a></p><p></p><p><strong>શા માટે વધી રહ્યા છે તેલના ભાવ?</strong></p><p>ખાદ્યતેલના ભાવ વધવા પાછળ મુખ્યત્વે નીચેના કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે:</p><ul><li><p><strong>વૈશ્વિક યુદ્ધની સ્થિતિ:</strong> રશિયા-યુક્રેન કે અન્ય ભૌગોલિક તણાવને કારણે વિદેશથી આવતા તેલની આયાત (Import) માં મોટો ઘટાડો થયો છે.</p></li><li><p><strong>સપ્લાય ચેઈનમાં અવરોધ:</strong> આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ઓછી થવાને કારણે સ્થાનિક બજારમાં જરૂરિયાત મુજબનું તેલ ઉપલબ્ધ નથી.</p></li><li><p><strong>માંગમાં વધારો:</strong> તહેવારો અને લગ્નસરાની સીઝનને કારણે બજારમાં ખાદ્યતેલની માંગ સતત વધી રહી છે, જેની સામે પુરવઠો મર્યાદિત છે.</p></li></ul><h3><strong>સામાન્ય જનતા પર આર્થિક બોજ</strong></h3><p>ખાદ્યતેલ એ દરેક પરિવારની પ્રાથમિક જરૂરિયાત છે. દોઢ મહિનામાં ₹150 થી ₹240 જેવો મોટો વધારો મધ્યમ વર્ગના ખિસ્સા પર સીધો પ્રહાર છે. ગૃહિણીઓનું કહેવું છે કે ગેસ સિલિન્ડર અને શાકભાજી બાદ હવે તેલના ભાવ વધતા ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જો સરકાર દ્વારા આયાત શુલ્ક કે સપ્લાય બાબતે</p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 06 Apr 2026 04:18:35 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/06/Rajkot-Oil-Market-Oil-Price-Hike_0534e680-d5be-4d5c-8014-328b671b99a4.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[પાલિકા-પંચાયતની ચૂંટણી માટે આજે મૂરતિયા જાહેર કરશે કોંગ્રેસ: સામે આવ્યું સંભવિત ઉમેદવારોનું સીક્રેટ લીસ્ટ! જાણો રીવાબા જાડેજાના નણંદ ક્યાંથી લડશે ચૂંટણી]]></title>
                <link>https://offbeatstories.in/news/gujarat-local-election-2026-congress-candidate-list-6137931144</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gujarat-local-election-2026-congress-candidate-list-6137931144</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gujarat-local-election-2026-congress-candidate-list-6137931144" />
                <description><![CDATA[ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી. યુવાનોને 50% ટિકિટ, ભાજપ સામે કડક ટક્કરની તૈયારી]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/05/Gujarat-Congress-Candidate-List_0fbe0678-fcd8-4488-b188-2779695fbdf4.jpg" alt="ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન ક્યાંથી લડશે ચૂંટણી" />
                  </div>
                  <h2><strong>Gujarat Local Body Election 2026: </strong>રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોત પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કરી લીધી છે. હાલ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોનું સીક્રેટ લીસ્ટ સામે આવતા હડકંપ મચ્યો છે.</h2><p></p><p>આ યાદીમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન અને રાજ્ય સરકારના મંત્રી રીવાબા જાડેજાના નણંદ નયના બા જાડેજાનું નામ પણ સામેલ હોવાનું ચર્ચામાં આવ્યું છે. હાલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર ઉમેદવારોની પસંદગીને લઈને મોવડી મંડળ દ્વારા બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસે આ વખતે મોટાભાગની બેઠકો પર યુવા ચહેરાઓને તક આપવાનું નક્કી કર્યું છે.</p><p></p><p>ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં લાગી છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોની બે યાદી જાહેર કરી ચૂકી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાયા બાદ આજે 15 મહાનગરપાલિકા માટે પોતાના મૂરતિયાના નામની જાહેરાત કરશે.</p><p></p><p>રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છેકે, રાજ્યની 6 જૂની મહાનગરપાલિકામાં કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટરો છે તેમાંના મોટાભાગના રિપિટ થઈ શકે છે. બીજી તરફ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન અને ગુજરાત સરકારના મંત્રી રીવાબા જાડેજાના નણંદ નયનાબા જાડ઼ેજા આ વખતે રાજકોટ <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE">મહાનગરપાલિકા</a>ના વોર્ડ નંબર 2માંથી ચૂંટણી લડે તેવી પુરી સંભાવના છે. રાજકોટ અને સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસના કેટલાક સંભવિતોના નામ પણ સામે આવી ચૂક્યા છે. જેની આજે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.</p><p></p><p>ગુજરાતમાં આવનારી <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95+%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80+%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી</a> પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે. મતદાન પહેલા મુખ્ય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરવામાં વ્યસ્ત છે, ત્યારે કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરીને ચૂંટણી જંગમાં પ્રવેશ કર્યો છે. ખાસ વાત એ છે કે પાર્ટીએ આ વખતે યુવા નેતાઓ અને નવા ચહેરાઓને મહત્વ આપીને રાજકીય સમીકરણ બદલવાનો પ્રયાસ કર્યો છે.</p><p></p><p>ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે પરિણામ જાહેર થવાનું છે. રાજ્યમાં કુલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. લગભગ 4.19 કરોડ મતદારો આ ચૂંટણીમાં ભાગ લેશે, જે રાજ્યના રાજકીય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ચૂંટણીને “સેમિફાઇનલ” તરીકે પણ જોવામાં આવી રહી છે, કારણ કે આગામી વિધાનસભા ચૂંટણી માટે આ પરિણામો રાજકીય દિશા નક્કી કરશે.</p><p></p><p><strong>આ પણ વાંચોઃ</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/achar-sanhita-election-rules-india-explained-8325785443">ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ : જાણો શું છે આચાર સંહિતા, જાહેરાતોથી લઈને રેલી સુધી શું કરી શકાય અને શું નહીં?</a></p><p></p><h2><strong>કોંગ્રેસની ઉમેદવાર યાદીમાં શું છે ખાસ?</strong></h2><p>કોંગ્રેસે પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે, જેમાં વિવિધ નગરપાલિકા અને પંચાયત બેઠકો માટે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ આ વખતે પરંપરાગત નેતાઓ સાથે નવા અને યુવા ચહેરાઓને પણ તક આપી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસે લગભગ 50 ટકા ટિકિટ યુવાનોને આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પાર્ટીમાં નવી ઉર્જા લાવવાનો અને મતદારોમાં નવી છબી ઉભી કરવાનો છે.</p><p>યાદીમાં સ્થાનિક સ્તરે સક્રિય રહેલા કાર્યકરો, સામાજિક કાર્યકરો અને યુવા નેતાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ઉમેદવાર પસંદગી પાછળની વ્યૂહરચના એવી છેકે, કોંગ્રેસ આ વખતે યુવા નેતાઓ પર ફોકસ કરવા માંગે છે. જેને કારણે કોંગ્રેસના મોવડી મંડળે સ્પષ્ટ રીતે યુવાનોને આગળ લાવવા પર ભાર મૂક્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં પાર્ટી નવી પેઢીને તક આપી રહી છે જેથી લાંબા ગાળે સંગઠન મજબૂત બને.</p><p></p><h2><strong>સ્થાનિક કનેક્શનને મહત્વ</strong></h2><p>ઉમેદવાર પસંદ કરતી વખતે સ્થાનિક સ્તરે કામ કરેલા અને લોકો સાથે સીધો સંપર્ક ધરાવતા ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે. આથી ચૂંટણીમાં ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત પ્રભાવ ઉભો કરવાનું લક્ષ્ય છે.</p><h2></h2><h2><strong>નવા ચહેરાઓ સામે જૂના નેતાઓ</strong></h2><p>ઘણા વિસ્તારોમાં જૂના અને અનુભવી નેતાઓને બદલે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ નિર્ણયથી પક્ષ અંદર નવી સ્પર્ધા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.</p><p></p><h2><strong>ભાજપ અને અન્ય પક્ષો સાથે ટક્કર</strong></h2><p>આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય ટક્કર જોવા મળશે. ભાજપ હાલમાં રાજ્યના મોટા ભાગના સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં સત્તામાં છે, તેથી કોંગ્રેસ માટે આ ચૂંટણી પડકારજનક રહેશે.</p><p>2021ની ચૂંટણીમાં ભાજપે લગભગ તમામ કોર્પોરેશન અને મોટા ભાગની નગરપાલિકા અને પંચાયતોમાં જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને ભારે નુકસાન થયું હતું. આ વખતે કોંગ્રેસ નવા ચહેરાઓ અને યુવાનોના સહારે પરિણામોમાં ફેરફાર લાવવા પ્રયત્ન કરી રહી છે.</p><p></p><p><strong>આ પણ વાંચોઃ</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/sense-process-before-election-candidate-selection-gujarat-local-body-election-2026-145684814">શું હોય છે સેન્સ લેવાની પ્રક્રિયા? : દર વખતે ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો કેમ કરે છે Sense Process?</a></p><p></p><h2><strong>ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ કયા રહેશે?</strong></h2><h2><strong>1) વિકાસ અને સ્થાનિક સમસ્યાઓ</strong></h2><p>શહેરોમાં રસ્તા, પાણી, ડ્રેનેજ અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ મહત્વના રહેશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ, પાણી અને રોજગાર મુખ્ય મુદ્દા રહેશે.</p><h2><strong>2) OBC આરક્ષણનો અસર</strong></h2><p>આ વખતે 27% OBC આરક્ષણનો અમલ પણ મહત્વનો ફેક્ટર બની શકે છે, જે મતદાન પેટર્નને અસર કરી શકે છે.</p><h2><strong>3) યુવા મતદારોનો રોલ</strong></h2><p>યુવાનોને વધુ ટિકિટ આપવાના કારણે યુવા મતદારો પર કોંગ્રેસની ખાસ નજર છે.<br><br><strong>આ પણ વાંચોઃ</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-bjp-candidate-selection-12-panel-strategy-2794045231">ચૂંટણીમાં ભાજપ વોર્ડ દીઠ તૈયાર કરશે 12 નામોની પેનલ : જાણો 12 માંથી કેવી રીતે નક્કી કરવામાં આવશે 4-4 નામો</a><br><br>કોંગ્રેસ આજે પોતાના મુરતિયા જાહેર કરશે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા રાજકોટના વોર્ડ નંબર 2 થી ચૂંટણી લડી શકે છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા 19 સંભવિત ઉમેદવારને ટેલિફોનિક જાણ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેઓના નામની આજે સત્તાવાર જાહેરાત કરાશે.</p><p></p><p>ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાજ્યના રાજકીય માહોલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ચૂંટણીના પરિણામો આગામી વિધાનસભા ચૂંટણી માટે ટ્રેન્ડ સેટ કરશે. કોંગ્રેસ માટે આ ચૂંટણી પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવાની તક છે, જ્યારે ભાજપ માટે પોતાની સત્તા જાળવી રાખવાનો પડકાર છે. આ સાથે, નવી પાર્ટીઓ અને સ્વતંત્ર ઉમેદવારો પણ કેટલાક વિસ્તારોમાં પરિણામોને પ્રભાવિત કરી શકે છે. કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરીને ચૂંટણીમાં સક્રિય એન્ટ્રી કરી છે. યુવાનો અને નવા ચહેરાઓને આગળ રાખવાની વ્યૂહરચના સફળ થાય છે કે નહીં, તે હવે મતદારો નક્કી કરશે. આ ચૂંટણી માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ સમગ્ર ગુજરાતની રાજકીય દિશા માટે મહત્વપૂર્ણ સાબિત થવાની છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sun, 05 Apr 2026 05:15:41 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/05/Gujarat-Congress-Candidate-List_0fbe0678-fcd8-4488-b188-2779695fbdf4.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[દેવુબેન જાદવ કોંગ્રેસમાં જોડાતા રાજકોટનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસે 20 ઉમેદવારોના નામ કર્યા નક્કી, નયનાબા જાડેજા ફરી મેદાનમાં!]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-municipal-election-congress-candidates-list-2026-3603496112</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-municipal-election-congress-candidates-list-2026-3603496112</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-municipal-election-congress-candidates-list-2026-3603496112" />
                <description><![CDATA[રાજકોટ ચૂંટણી માટે કોંગ્રેસે 20 ઉમેદવારો જાહેર કર્યા. નયનાબા જાડેજાને ફરી તક, વોર્ડ 15માં આંતરિક વિવાદ ચર્ચામાં.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/04/rajkot-policits-1_2cfa84e9-25c2-4c4a-8f44-03df0ce95c34.jpg" alt="આંબેડકર ભવન રાજકોટનું દ્રશ્ય" />
                  </div>
                  <p>ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરીને ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. પક્ષ દ્વારા લગભગ 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને તમામને ફોન કરીને ટિકિટની જાણ કરવામાં આવી છે.<br></p><h2><strong>નયનાબા જાડેજા ફરી મેદાનમાં</strong></h2><p>આ લિસ્ટમાં સૌથી ચર્ચાસ્પદ નામ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાનું છે. અગાઉ તેઓ વિધાનસભા ચૂંટણીમાં રિવાબા જાડેજા સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા હતા, પરંતુ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હવે કોંગ્રેસે તેમને ફરી એક તક આપીને કોર્પોરેટર ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.<br></p><h2><strong>અનુભવી ચહેરાઓ પર ભાર</strong></h2><p>કોંગ્રેસે આ વખતે અનુભવી અને જૂના નેતાઓ પર દાવ લગાવ્યો છે. જાહેર કરાયેલા ઉમેદવારોમાં રમેશ જુંજા, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, ઠાકરશી ગજેરા, શૈલેષ સાકરીયા, ગિરીશ ઘરસણિયા, કેતન તાળા, સંજય અજુડિયા, કમલેશ કોઠીવાલા, જાગૃતિ ડાંગર, રાજુ ચાવડિયા, સુરેશ ગેરૈયા, રસિક ભટ્ટ અને નિલેશ મારૂ સહિતના નામોનો સમાવેશ થાય છે.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/umreth-byelection-2026-congress-candidate-bhrugurajsinh-chauhan-6846375126">કોણ છે ઉમરેઠ પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ભ્રુગુરાજસિંહ ચૌહાણ? : જાણો રાજકીય કરિયર વિશે, કેમ મહત્વપૂર્ણ છે આ પેટાચૂંટણી?</a></p><p></p><h2><strong>વોર્ડ નં. 15માં આંતરિક વિવાદ</strong></h2><p>કોંગ્રેસમાં વોર્ડ નંબર 15ને લઈને આંતરિક ખેંચતાણ પણ સામે આવી છે. પૂર્વ કોર્પોરેટર ભાનુ સોરાણી અને તેમના પતિ પ્રવિણ સોરાણીની દાવેદારીને લઈને મતભેદ સર્જાયા છે. પ્રવિણ સોરાણી ભાજપ સાથે સંપર્કમાં હોવાના દાવાઓ વચ્ચે તેમની ટિકિટ કાપવા ચર્ચા ચાલી રહી છે.<br></p><h2><strong>ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા નેતા</strong></h2><p>ચૂંટણી પહેલા રાજકીય પલટા પણ જોવા મળી રહ્યા છે. <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ</a>માં ભાજપના નેતા દેવુબેન જાદવે કોંગ્રેસમાં જોડાઈને ચકચાર મચાવી છે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે તેમના સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવતું નથી અને ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, સ્થાનિક મતદારોના સમર્થનથી તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 04 Apr 2026 09:08:18 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/04/rajkot-policits-1_2cfa84e9-25c2-4c4a-8f44-03df0ce95c34.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ હત્યા કેસમાં મોટો ખુલાસો: મુખ્ય આરોપી હમીર જોગરાણાને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો, પોલીસ તપાસમાં મોટા ખુલાસા]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-m-a-r-der-case-hamir-jograna-arrest-7774657996</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-m-a-r-der-case-hamir-jograna-arrest-7774657996</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-m-a-r-der-case-hamir-jograna-arrest-7774657996" />
                <description><![CDATA[રાજકોટ દલિત યુવક હત્યા કેસમાં મુખ્ય આરોપી હમીર જોગરાણા ઝડપાયો. સમાધાનના બહાને અપહરણ બાદ હત્યાનો ખુલાસો.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/04/rajkot-crime-_23b9f29b-26bc-4974-a5fd-f97532e746d9.jpg" alt="રાજકોટ હત્યાના આરોપીનો ફોટો" />
                  </div>
                  <p>રાજકોટ શહેરમાં 16 માર્ચ, 2026ના રોજ બનેલી દલિત યુવકની હત્યાના ચકચારી કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય આરોપી હમીર જોગરાણાને પોલીસે અંકલેશ્વરથી ઝડપી પાડ્યો છે. અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે હવે મુખ્ય આરોપીની ધરપકડ બાદ તપાસને વધુ વેગ મળ્યો છે.</p><p></p><h2><strong>સમાધાનના બહાને અપહરણ કરીને હત્યા</strong></h2><p>પોલીસ તપાસ મુજબ, મૃતક ભાવેશ વણવી અને આરોપી હમીર જોગરાણા એક યુવતીના પરિચયમાં હતા. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર વિવાદ થતો હતો. અંતે મામલો ઉગ્ર બનતા સમાધાન માટે બોલાવવામાં આવ્યો, પરંતુ ત્યાંથી ઘટનાએ વળાંક લીધો. આરોપીઓએ ભાવેશનું અપહરણ કરી તેની પર હુમલો કરીને હત્યા કરી દીધી હતી.</p><p></p><h2><strong>રૂપિયા 5 લાખની માંગણી બની કારણ</strong></h2><p>પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક દ્વારા આરોપી પાસે રૂપિયા 5 લાખની માંગણી કરવામાં આવી હતી. જેના કારણે આરોપીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને અંતે આ ગંભીર ઘટના બની હતી.</p><p></p><h2><strong>અગાઉ ત્રણ આરોપીઓ ઝડપાયા</strong></h2><p>આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને પહેલા જ ત્રણ આરોપીઓ રવિ જોગરાણા, ગોપાલ જોગરાણા અને સાગર જોગરાણાની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી હમીર જોગરાણા છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતો, જેને ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢીને અંકલેશ્વરથી પકડી પાડ્યો છે.</p><p></p><h2><strong>તપાસ હવે SC/ST સેલને સોંપાશે</strong></h2><p><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>શહેરના એસીપી ક્રાઈમ ભરત બસિયાના જણાવ્યા મુજબ, આ કેસની આગળની તપાસ DySP SC/ST સેલને સોંપવામાં આવી શકે છે. હાલમાં પોલીસે અન્ય બે ફરાર આરોપીઓને પકડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે.</p><p></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/rajkot-minor-girl-theft-10-lakh-jewelry-case-8933687107">રાજકોટમાં ચોંકાવનારી ચોરી : રૂ. 10.80 લાખના દાગીના ઉઠાવ્યા, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા</a></p><p></p><h2><strong>આરોપી અને મૃતક બંનેનો ગુનાહિત ઇતિહાસ</strong></h2><p>પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી હમીર જોગરાણા સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયા છે. જ્યારે મૃતક ભાવેશ સામે પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં આશરે 7 જેટલા ગુના નોંધાયેલા હતા. પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ હતી. પાસામાંથી છૂટ્યા બાદ થોડા જ સમયમાં આ હત્યાની ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 04 Apr 2026 07:29:47 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/04/rajkot-crime-_23b9f29b-26bc-4974-a5fd-f97532e746d9.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં ચોંકાવનારી ચોરી: રૂ. 10.80 લાખના દાગીના ઉઠાવ્યા, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-minor-girl-theft-10-lakh-jewelry-case-8933687107</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-minor-girl-theft-10-lakh-jewelry-case-8933687107</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-minor-girl-theft-10-lakh-jewelry-case-8933687107" />
                <description><![CDATA[રાજકોટમાં 13 વર્ષની સગીરાએ 9 તોલા સોનાની ચોરી કરી. પોલીસએ તમામ દાગીના રિકવર કર્યા, ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/04/ajidem-police-station-rajkot_ed649fc7-db27-4011-a8aa-2a2e10595f88.jpg" alt="ajidem police station rajkot" />
                  </div>
                  <h2>રાજકોટ શહેરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લાખો રૂપિયાના દાગીનાની ચોરી પાછળ કોઈ રીઢો ગુનેગાર નહીં, પરંતુ એક 13 વર્ષની સગીરાનું નામ સામે આવ્યું છે. આ બનાવ રોલેક્સ રોડ નજીક સરદાર ચોક પાછળ આવેલા સત્યમપાર્ક શેરી નંબર-2 વિસ્તારમાં બન્યો હતો.<br><br><strong>કેવી રીતે બની ઘટના?</strong></h2><p>મળતી માહિતી મુજબ, ઘનશ્યામભાઈ અરવિંદભાઈ ડોબરીયા (ઉંમર 37), જે સાબુનો વેપાર કરીને ગુજરાન ચલાવે છે, તે 1 એપ્રિલના રોજ બપોરે કામ માટે બહાર ગયા હતા. સાંજે ઘરે પરત ફરતા તેમની પત્ની પારૂલબેને જણાવ્યું કે બપોરથી સાંજ સુધી ઘરના દરવાજા ખુલ્લા રહ્યા હતા. તે દરમિયાન ઘરમાં રાખેલું પર્સ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.<br></p><h2>ઘરમાં તપાસ કરતાં ખબર પડી કે પર્સમાં રાખેલા દાગીના ગાયબ હતા. તેમાં અંદાજે ચાર તોલાનો સોનાનો હાર, બે તોલાનું મંગળસૂત્ર, બે તોલાનો પોચો, બે સોનાની બુટી અને એક સોનાનો ટીકો સામેલ હતા. કુલ મળીને આશરે 9 તોલા સોનાના દાગીના, જેની કિંમત લગભગ ₹10.80 લાખ થાય છે, ચોરી થઈ ગયા હતા. આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.<br><br><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/bjp-gujarat-laghumati-morcha-new-team-announcement-2026-7991046745">ગુજરાત ભાજપના લઘુમતી મોર્ચાની નવી ટીમ તૈયાર : ચૂંટણી પહેલા BJPએ વસિમ શેખ, મોહમ્મદ મલેક સહિત અનેક મુસ્લિમ આગેવાનોની આપી મોટી જવાબદારી</a></h2><p><br><strong>પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા</strong></p><p>પોલીસ તપાસ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસો થયો કે આ ચોરી કોઈ વ્યાવસાયિક ચોરે નહીં, પરંતુ નજીકમાં રહેતી 13 વર્ષની સગીરાએ કરી હતી. માહિતી અનુસાર, ફરિયાદીના ઘરે નજીકમાં જ એક દંપતી છેલ્લા 15 દિવસથી ભાડે રહેવા આવ્યું હતું. તેમની પુત્રીને ઘરના દરવાજા ખુલ્લા જોઈ તક મળી અને તેણે પર્સ લઈને ફરાર થઈ ગઈ હતી.<br></p><p>પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને પાડોશી પાસેથી ચોરી ગયેલા તમામ દાગીના રિકવર કરી લીધા છે. હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવે શહેરમાં સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાઓ ઉભી કરી છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 04 Apr 2026 05:02:17 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/04/ajidem-police-station-rajkot_ed649fc7-db27-4011-a8aa-2a2e10595f88.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[કોણ છે ઉમરેઠ પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ભ્રુગુરાજસિંહ ચૌહાણ?: જાણો રાજકીય કરિયર વિશે, કેમ મહત્વપૂર્ણ છે આ પેટાચૂંટણી?]]></title>
                <link>https://offbeatstories.in/news/umreth-byelection-2026-congress-candidate-bhrugurajsinh-chauhan-6846375126</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/umreth-byelection-2026-congress-candidate-bhrugurajsinh-chauhan-6846375126</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/umreth-byelection-2026-congress-candidate-bhrugurajsinh-chauhan-6846375126" />
                <description><![CDATA[ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી 2026 માટે કોંગ્રેસે ભ્રુગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કર્યો. જાણો તેમનો રાજકીય અનુભવ અને પૃષ્ઠભૂમિ]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/03/_Bhrigurajsinh-Chauhan_ef235d80-c07b-4fdb-997f-90064131380a.jpg" alt="Bhrigurajsinh Chauhan Announced" />
                  </div>
                  <p><strong>Gujarat politics:</strong> ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ઉમરેઠ વિધાનસભા બેઠક કેન્દ્રમાં આવી છે. આવનારી 2026ની ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પ્રેસ રિલીઝ અનુસાર ભ્રુગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણને ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમની ઉમેદવારીને મંજૂરી આપી છે. 3 એપ્રિલ 2026ના રોજ જાહેર થયેલી આ જાહેરાત સાથે ઉમરેઠ વિસ્તારની રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. સ્થાનિક રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા ભ્રુગુરાજસિંહ ચૌહાણને પાર્ટીએ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.</p><p></p><h2><strong>કોંગ્રેસની સત્તાવાર જાહેરાત અને રાજકીય સંકેત</strong></h2><p>AICCના પ્રેસ નોટ અનુસાર, કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલે જણાવ્યું છે કે ઉમરેઠ બેઠક માટે આવનારી પેટાચૂંટણીમાં પાર્ટી તરફથી ભ્રુગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ નિર્ણય કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસ માટે રાજકીય પડકારો વધ્યા છે. આવી પરિસ્થિતિમાં સ્થાનિક સ્તરે મજબૂત સંગઠન અને અનુભવ ધરાવતા નેતાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય પાર્ટી માટે મહત્વપૂર્ણ ગણાય છે. ઉમરેઠ વિસ્તાર historically રાજકીય રીતે સ્પર્ધાત્મક રહ્યો છે. અહીં વિવિધ ચૂંટણીમાં પક્ષો વચ્ચે કટોકટીનો મુકાબલો જોવા મળ્યો છે. તેથી આ પેટાચૂંટણીમાં ઉમેદવારની પસંદગી કોંગ્રેસ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/navnit-joins-congress-after-jayraj-ahir-attack-case-gujarat-0640853879">ભાજપનો સૌથી કટ્ટર વિરોધી ગણાતો નવનિત બાલધિયા કોણ છે? : ચૂંટણીમાં કેમ ગુજરાત કોંગ્રેસ માટે બની શકે છે હુકમનો એક્કો</a></p><p></p><h2><strong>કેમ મહત્વપૂર્ણ છે આ પેટાચૂંટણી?</strong></h2><p>ગુજરાતમાં આવનારી ઉમરેઠ પેટાચૂંટણી માત્ર એક બેઠક માટેની ચૂંટણી નથી. તે રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને પાર્ટીઓની જમીન પરની શક્તિનું પણ પરીક્ષણ બની શકે છે. કોંગ્રેસ માટે આ ચૂંટણી સંગઠનને ફરી મજબૂત બનાવવાની તક તરીકે જોવામાં આવી રહી છે. સ્થાનિક નેતૃત્વ, મતદારો સાથેનો સંપર્ક અને વિસ્તારના વિકાસ મુદ્દાઓ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ બની શકે છે. જો કોંગ્રેસ આ બેઠક જીતવામાં સફળ થાય તો તે પાર્ટી માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ સંદેશ આપી શકે છે. બીજી તરફ, અન્ય પક્ષો પણ આ બેઠક જીતવા માટે સંપૂર્ણ શક્તિ લગાવશે.</p><p></p><p><img><img src="https://assests.offbeatstories.in/image/2026/04/03/9e8606ee-2392-4cab-a82a-40da2ba798d7_6ac55e67-25ff-4f88-bcc1-04f197bd326d.jfif"></p><p></p><h2><strong>ઉમરેઠ બેઠકનું રાજકીય મહત્વ</strong></h2><p>ઉમરેઠ વિધાનસભા બેઠક આનંદ જિલ્લામાં આવેલ મહત્વપૂર્ણ રાજકીય વિસ્તાર છે. અહીં ગ્રામ્ય અને અર્ધશહેરી મતદારોનું મિશ્રણ છે. કૃષિ, સહકારી સંસ્થાઓ અને સ્થાનિક વિકાસના મુદ્દાઓ અહીંના મતદારો માટે મહત્વપૂર્ણ ગણાય છે. પેટાચૂંટણીમાં સામાન્ય રીતે મતદારોનો મત પક્ષની રાજ્ય સ્તરની રાજનીતિ ઉપરાંત સ્થાનિક નેતૃત્વ પર પણ આધારિત હોય છે. તેથી કોંગ્રેસે સ્થાનિક રીતે ઓળખ ધરાવતા નેતાને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. ભ્રુગુરાજસિંહ ચૌહાણનો લાંબા સમયનો સ્થાનિક અનુભવ અને સંગઠન સાથેનો સંબંધ તેમને આ ચૂંટણીમાં મજબૂત દાવેદાર બનાવી શકે છે.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/navneet-baladhiya-join-congress-bagdana-controversy-gujarat-local-election-8877485593">ચૂંટણી પહેલા ગુજરાતનો સૌથી ચર્ચિત ચહેરો કોંગ્રેસમાં જોડાયો : બગદાણા વિવાદથી ચર્ચામાં આવેલા નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાતાની સાથે જ કર્યા ભાજપ પર પ્રહાર</a></p><p></p><h2><strong>ભ્રુગુરાજસિંહ ચૌહાણનો રાજકીય અને સામાજિક અનુભવ</strong></h2><p>ભ્રુગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ લાંબા સમયથી રાજકારણ અને સામાજિક ક્ષેત્રે સક્રિય રહ્યા છે. તેઓ મૂળ આનંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અહીમા ગામના નિવાસી છે અને સ્થાનિક રાજકારણમાં મજબૂત ઓળખ ધરાવે છે. તેઓએ શૈક્ષણિક રીતે M.A. અને M.Ed. સુધી અભ્યાસ કર્યો છે. તેમના રાજકીય જીવનની શરૂઆત સ્થાનિક સ્વરાજ સંસ્થાઓથી થઈ હતી અને સમય જતાં તેઓ કોંગ્રેસ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સુધી પહોંચ્યા. તેમણે સતત ત્રણ વખત ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 2000 થી 2005, 2005 થી 2010 અને 2010 થી 2015. આ લાંબી કામગીરી દરમિયાન તેમણે ગ્રામ વિકાસ, સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે.</p><p></p><h2><strong>કોંગ્રેસ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ</strong></h2><p>ભ્રુગુરાજસિંહ ચૌહાણ કોંગ્રેસ પાર્ટીના સંગઠનાત્મક માળખામાં પણ સક્રિય રહ્યા છે. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં વિવિધ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. તેમની મુખ્ય જવાબદારીઓમાં નીચેના પદોનો સમાવેશ થાય છે. જીપીસીસી પ્રદેશ પ્રતિનિધિ (2020 થી 2025), જીપીસીસી સેન્ટ્રલ ઝોન કો-ઓર્ડિનેટર (2025થી આગળ), નડિયાદ, મહુધા, ઠાસરા અને ગળતેશ્વર વિધાનસભા માટે PCC ઇનચાર્જ, મોરવાહડફ વિધાનસભા પેટાચૂંટણી (2020) માટે PCC ઇનચાર્જ, કરજણ વિધાનસભા પેટાચૂંટણી (2019) માટે PCC ઇનચાર્જ. આ સિવાય તેઓ મહી કઠા વિકાસ મંચ, આનંદના પ્રમુખ તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. સાથે સાથે તેઓ અખિલ ગુજરાત ક્ષત્રિય મંચના સચિવ અને અહીમા સેવા સહકારી મંડળીના અધ્યક્ષ તરીકે પણ જોડાયેલા રહ્યા છે. આ તમામ અનુભવ તેમને સ્થાનિક તેમજ પ્રાદેશિક રાજકારણમાં મજબૂત સ્થાન આપે છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 03 Apr 2026 14:34:40 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/03/_Bhrigurajsinh-Chauhan_ef235d80-c07b-4fdb-997f-90064131380a.jpg" medium="image" type="image/jpg" />
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/03/9e8606ee-2392-4cab-a82a-40da2ba798d7_6ac55e67-25ff-4f88-bcc1-04f197bd326d.jfif" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ જિલ્લા ભાજપમાં સેન્સ લેવાનો બીજો દિવસ: લોધિકા બેઠક માટે આ હાસ્ય કલાકારના પુત્રએ નોંધાવી દાવેદારી]]></title>
                <link>https://offbeatstories.in/news/comedian-dhirubhai-saravaiyas-son-dilip-saravaiya-has-filed-candidacy-for-lodhika-seat-rajkot-9413397636</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/comedian-dhirubhai-saravaiyas-son-dilip-saravaiya-has-filed-candidacy-for-lodhika-seat-rajkot-9413397636</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/comedian-dhirubhai-saravaiyas-son-dilip-saravaiya-has-filed-candidacy-for-lodhika-seat-rajkot-9413397636" />
                <description><![CDATA[રાજકોટ જિલ્લા ભાજપમાં સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ લોધિકા બેઠક પરથી દાવેદારી નોંધાવી છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/03/Rajkot-BJP-Sense-Dhirubhai-Sarvaiya-Dilip-Sarvaiya-Lodhika-seat_63d0a088-097c-46c1-8296-47d6277ace6b.jpg" alt="Rajkot BJP Sense Dhirubhai Sarvaiya Dilip Sarvaiya Lodhika seat" />
                  </div>
                  <h2><strong>Rajkot BJP Sense Process:</strong>ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ ભારે રસાકસીભર્યો રહ્યો હતો. આજના દિવસે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર લોકપ્રિય <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/congress-local-body-election-candidates-announcement-rajkot-7867345316">હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા</a>ના પુત્ર દિલીપ સરવૈયા રહ્યા હતા. દિલીપ સરવૈયાએ આજે લોધિકા તાલુકા પંચાયતની બેઠક માટે નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી છે. પિતાની જેમ જ લોકચાહના ધરાવતા પરિવારમાંથી આવતા દિલીપ સરવૈયાની રાજકારણમાં એન્ટ્રીને લઈને જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.</h2><p></p><p>રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકોની ટીમ દરેક તાલુકા દીઠ સંભવિત ઉમેદવારોને સાંભળી રહી છે. આજે બીજા દિવસે પણ ભાજપના કાર્યકરો અને દાવેદારોની મોટી ભીડ કાર્યાલય ખાતે જોવા મળી હતી. દિલીપ સરવૈયાએ જણાવ્યું હતું કે, તેઓ પક્ષની વિચારધારા સાથે વર્ષોથી જોડાયેલા છે અને જો પક્ષ તેમને તક આપશે તો તેઓ લોધિકા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે કટિબદ્ધ છે.</p><p></p><h3><strong>ધીરુભાઈ સરવૈયાના પુત્રની દાવેદારી: લોધિકાનું રાજકારણ ગરમાયું</strong></h3><p>ગુજરાતના ઘરે-ઘરે જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ જ્યારે લોધિકા બેઠક પરથી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી, ત્યારે ભાજપના જ અન્ય દાવેદારોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. લોધિકા તાલુકા પંચાયતની બેઠક પરથી ચૂંટણી લડવા માટે તેઓ ઉત્સુક છે. દિલીપ સરવૈયા સામાજિક રીતે સક્રિય હોવાની સાથે પક્ષના પાયાના કામોમાં પણ રસ ધરાવે છે. હવે જોવાનું એ રહેશે કે, પક્ષ હાસ્યના શહેનશાહના પુત્ર પર ચૂંટણીના મેદાનમાં પસંદગી ઉતારે છે કે નહીં.</p><p><strong>આ પણ વાંચો:</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/congress-local-body-election-candidates-announcement-rajkot-7867345316">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને મોટા સમાચાર : ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં, ઉમેદવારોની પસંદગી માટે તૈયાર કરી બ્લુપ્રિન્ટ, જાણો કોને આપશે ટિકીટ</a></p><p></p><h3><strong>સેન્સનો બીજો દિવસ: દિગ્ગજો અને યુવા ચહેરાઓની લાંબી કતાર</strong></h3><p>રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો દ્વારા તાલુકા વાઈઝ સેન્સ લેવામાં આવી રહી છે. ગત રોજ પ્રથમ દિવસે અનેક દાવેદારોને સાંભળ્યા બાદ આજે બીજા દિવસે પણ લોધિકા સહિતના અન્ય તાલુકાઓ માટે દાવેદારોનો ધસારો રહ્યો હતો. નિરીક્ષકો દરેક દાવેદારની શૈક્ષણિક લાયકાત, પક્ષમાં તેમની કામગીરી અને જ્ઞાતિના સમીકરણોની વિગતો ચકાસી રહ્યા છે. પક્ષના ગઢ ગણાતા રાજકોટ જિલ્લામાં ટિકિટ મેળવવા માટે જૂના જોગીઓ અને નવા ચહેરાઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.</p><p></p><p><strong>આ પણ વાંચો:</strong> <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/2-25-kg-of-hybrid-marijuana-brought-from-bangkok-seized-at-ahmedabad-airport-2-arrested-0709237790">અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો : બેંગકોકથી લવાયેલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, 2ની ધરપકડ</a></p><p></p><h3><strong>હવે પાર્લામેન્ટ્રી બોર્ડ લેશે આખરી નિર્ણય</strong></h3><p>સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોની યાદી અને તેમનો અભિપ્રાય પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા દરેક બેઠક માટે ઉમેદવારના નામની આખરી મહોર મારવામાં આવશે. લોધિકા બેઠક પર દિલીપ સરવૈયાની દાવેદારી બાદ હવે આ બેઠક હાઈપ્રોફાઈલ બની ગઈ છે. આગામી દિવસોમાં જ્યારે ઉમેદવારોના નામ જાહેર થશે, ત્યારે ખબર પડશે કે કલા જગતમાંથી આવેલા આ યુવા ચહેરાને પક્ષ કેટલી મહત્વની જવાબદારી સોંપે છે.</p><p></p><p></p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 03 Apr 2026 10:17:26 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/03/Rajkot-BJP-Sense-Dhirubhai-Sarvaiya-Dilip-Sarvaiya-Lodhika-seat_63d0a088-097c-46c1-8296-47d6277ace6b.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[પોરબંદર બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી: 11 હજાર યુનિટ રક્તદાનનો સર્જાયો વિશ્વ રેકોર્ડ]]></title>
                <link>https://offbeatstories.in/news/porbandar-bala-hanuman-temple-hanuman-jayanti-blood-donation-world-record-9803024891</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/porbandar-bala-hanuman-temple-hanuman-jayanti-blood-donation-world-record-9803024891</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/porbandar-bala-hanuman-temple-hanuman-jayanti-blood-donation-world-record-9803024891" />
                <description><![CDATA[પોરબંદરના બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતિએ ભવ્ય કાર્યક્રમ, 11 હજાર યુનિટ રક્તદાન સાથે વિશ્વ રેકોર્ડ; ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/02/Porbander-_5c2e1b8e-8aed-47a3-a558-bad52b8f321b.jpg" alt="બાલા હનુમાન મંદિર" />
                  </div>
                  <p>પોરબંદરના ઐતિહાસિક સુદામા ચોક સ્થિત શ્રી બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિના પાવન અવસરે 'દિવ્ય વંદના મહોત્સવ' અને 'મહા રક્તદાન કેમ્પ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી અને સમાજસેવાની આ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.</p><p></p><h2><strong>આજનું ભારત એટલે 'નવું હિન્દુસ્તાન'</strong></h2><p>કાર્યક્રમ દરમિયાન એક બાળક સાથેના નિખાલસ સંવાદમાં જગદીશએ આજના બદલાતા ભારતનું ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજનું ભારત એટલે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત અને વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બનવાના માર્ગ પર આગળ વધતું ભારત. દેશને આત્મનિર્ભર બનાવવાના આ અભિયાનમાં <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8+%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0+%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80">વડાપ્રધાન નરેન્દ્ર મોદી</a>નો સૌથી મોટો સિંહફાળો રહ્યો છે."</p><p></p><h2><strong>'હું હિન્દુ છું' કહેવામાં આજે ગર્વની અનુભૂતિ</strong></h2><p>પ્રદેશ અધ્યક્ષએ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની શક્તિ વિશે વાત કરતા કહ્યું કે, આજે દેશના કરોડો નાગરિકોને પોતાની ઓળખ આપતા ગર્વ થાય છે. તેમણે સોમનાથ મંદિરનું ઉદાહરણ આપતા બાળકોને પ્રેરણા આપી હતી કે, ૧૭ વખત હુમલા થયા બાદ પણ સોમનાથ મંદિર અડીખમ છે, તેમ જીવનની કોઈપણ મુશ્કેલીમાં આપણે અડગ રહેવું જોઈએ. <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8">વડાપ્રધાન</a>ના નેતૃત્વમાં 550 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરને તેમણે રાષ્ટ્રના ગૌરવ સમાન ગણાવ્યું હતું.</p><p></p><p>આ પણ વાંચો: <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/karnavati-bjp-uttar-zone-meeting-jagdish-vishwakarma-booth-victory-call-7538288613"><strong>'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ઉત્તર ઝોનમાં મહત્વની બેઠક</strong></a></p><p></p><h2><strong>સેવાના ક્ષેત્રે વિશ્વ રેકોર્ડ</strong></h2><p>વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સેવાના અનેક કીર્તિમાન સ્થાપિત થયા હતા. એક જ સ્થળે 11 હજારથી વધુ યુનિટ રક્તદાનનો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે 51 હજાર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિ નિમિત્તે 40 હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.</p><p></p><h2><strong>મહાનુભાવોની ઉપસ્થિતિ</strong></h2><p>આ ગરિમામય કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા, વિવિધ સામાજિક આગેવાનો, અગ્રણીઓ, સમાજશ્રેષ્ઠીઓ અને પોરબંદરની ધર્મપ્રેમી જનતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ ભવ્ય આયોજન બદલ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન અને તમામ સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Thu, 02 Apr 2026 14:23:23 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/02/Porbander-_5c2e1b8e-8aed-47a3-a558-bad52b8f321b.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને મોટા સમાચાર: ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં, ઉમેદવારોની પસંદગી માટે તૈયાર  કરી બ્લુપ્રિન્ટ, જાણો કોને આપશે ટિકીટ]]></title>
                <link>https://offbeatstories.in/news/congress-local-body-election-candidates-announcement-rajkot-7867345316</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/congress-local-body-election-candidates-announcement-rajkot-7867345316</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/congress-local-body-election-candidates-announcement-rajkot-7867345316" />
                <description><![CDATA[રાજકોટ બેઠકમાં કોંગ્રેસની મોટી જાહેરાત. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ૫ એપ્રિલથી તબક્કાવાર ઉમેદવારો જાહેર થશે, ૫૦% ટિકિટ યુવાનોને મળશે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/02/Gujarat-Congress_90ac7262-e59c-498a-9c45-6505f4101705.jpg" alt="Gujarat Congress" />
                  </div>
                  <p><strong>Rajkot News: </strong>ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો તેજ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠકમાં કોંગ્રેસ દ્વારા રણનીતિની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઉમેદવારોની પસંદગી અને જાહેરાતને લઈ મહત્વની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી.</p><p></p><h2><strong>5 એપ્રિલથી ઉમેદવારોના નામ જાહેર થશે</strong></h2><p>કોંગ્રેસ દ્વારા મળેલી માહિતી મુજબ, ઉમેદવારોની જાહેરાત તબક્કાવાર કરવામાં આવશે. 4 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન ચૂંટણી સમિતીની બેઠકોનો દોર ચાલશે, જેમાં નામો પર આખરી મહોર મારવામાં આવશે. સૌથી પહેલા <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE">મહાનગરપાલિકા</a>ના ઉમેદવારોના નામ જાહેર થશે. ત્યારબાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા 5 એપ્રિલથી શરૂ કરી દેવામાં આવશે.</p><p></p><h2><strong>નવા ચહેરા અને યુવાનો પર દાવ</strong></h2><p>આ વખતે <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8">કોંગ્રેસે</a> ટિકિટ ફાળવણીમાં 'યુવા શક્તિ' પર ભરોસો મૂકવાનો નિર્ણય કર્યો છે. પક્ષના જણાવ્યા અનુસાર 50 ટકા ટિકિટ યુવા ઉમેદવારોને આપવામાં આવશે, જેથી સંગઠનમાં નવી ઊર્જા લાવી શકાય. સ્થાનિક આગેવાનોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે, જેથી જમીની સ્તરના પ્રશ્નો સમજતા નેતાઓ મેદાનમાં ઉતારી શકાય. <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%85%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4+%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A1%E0%AA%BE">અમિત ચાવડા</a>એ ઉમેર્યું હતું કે અમે આ વખતે એવા મજબૂત ઉમેદવારો પસંદ કરી રહ્યા છીએ જે જનતાના અવાજને વાચા આપી શકે. ખાસ કરીને ૫૦ ટકા યુવાનોને તક આપીને અમે રાજકારણમાં પરિવર્તન લાવવા માંગીએ છીએ."</p><p></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" class="main-news blog-page-image-container" href="https://offbeatstories.in/news/chief-minister-presented-the-ucc-bill-in-the-gujarat-vidhansabha-3263462665"><strong>જીતુ વાઘાણી અને અમિત ચાવડા વચ્ચે શાબ્દિક ટપાટપી: CMએ કહ્યું હોત કે જય શ્રીરામ બોલો તો હું બોલું પણ જીતુભાઈએ કહ્યું એટલે નહીં બોલું: અમિત ચાવડા</strong></a></p><p></p><h2><strong>'ઓપરેશન લોટસ' સામે સુરક્ષા કવચ</strong></h2><p>ચૂંટણી પહેલા ઉમેદવારોને તોડવાના કે ડરાવવાના રાજકારણને રોકવા માટે પણ કોંગ્રેસે આક્રમક પ્લાન બનાવ્યો છે. અમિત ચાવડાએ સ્પષ્ટ કર્યું હતું કે, ચૂંટણી પહેલા કોઈ પણ ઉમેદવારને ડરાવી, લલચાવી કે ફોસલાવી ન શકાય તે માટે પક્ષ દ્વારા મજબૂત વ્યવસ્થા કરવામાં આવશે. ઉમેદવારોના મનોબળને ટકાવી રાખવા અને પક્ષ પ્રત્યેની વફાદારી જાળવી રાખવા માટે ખાસ દેખરેખ રાખવામાં આવશે.</p><p></p><p>રાજકોટમાં મળેલી આ બેઠક બાદ હવે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે 5 એપ્રિલના રોજ જાહેર થનારી પ્રથમ યાદીમાં કયા દિગ્ગજોના પત્તા કપાય છે અને કેટલા નવા ચહેરાઓને તક મળે છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Thu, 02 Apr 2026 13:51:09 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/02/Gujarat-Congress_90ac7262-e59c-498a-9c45-6505f4101705.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[ભાજપની નવી 'ડિજિટલ' શરત: હવે ચૂંટણી માટે ટિકિટ મેળવવા ફોર્મમાં જે વિગતો માંગી છે તે જાણી ઉડી ગયા ભલભલાના હોંશ!]]></title>
                <link>https://offbeatstories.in/news/bjp-election-ticket-social-media-followers-rule-gen-z-gujarat-1900386543</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/bjp-election-ticket-social-media-followers-rule-gen-z-gujarat-1900386543</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/bjp-election-ticket-social-media-followers-rule-gen-z-gujarat-1900386543" />
                <description><![CDATA[ગુજરાતમાં ભાજપે ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે નવું નિયમ બનાવ્યું છે. હવે ફોર્મમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ફોલોઅર્સની વિગતો આપવી ફરજિયાત રહેશે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/02/Rajkot-BJP_63fc3a76-7459-4a04-8627-8ada383baf7c.jpg" alt="BJP Gujarat election rule" />
                  </div>
                  <p>રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે એક નવો અને આધુનિક માપદંડ અપનાવ્યો છે. જો તમારે ભાજપમાંથી ચૂંટણી લડવી હોય, તો હવે માત્ર જમીની સ્તરનું કામ જ નહીં, પણ સોશિયલ મીડિયા પર તમારી લોકપ્રિયતા કેટલી છે તે પણ સાબિત કરવું પડશે.</p><p></p><p><strong>સેન્સ પ્રક્રિયામાં સોશિયલ મીડિયાનો દબદબો</strong></p><p>રાજકોટ, વડોદરા અને સુરતમાં આજથી શરૂ થયેલી સેન્સ પ્રક્રિયામાં ભાજપે ઉમેદવારી ફોર્મમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે. દાવેદારોએ હવે તેમના પરિચય પત્રમાં નીચેની વિગતો આપવી ફરજિયાત છે. જેમાં  ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ (ટ્વિટર) ના એકાઉન્ટ લિંક. દરેક પ્લેટફોર્મ પર ફોલોઅર્સની ચોક્કસ સંખ્યા, સોશિયલ મીડિયા પર ઉમેદવારની સક્રિયતાનો ગ્રાફ.</p><p></p><p><strong>નિશાના પર છે 'Gen Z' અને યુવા મતદારો</strong></p><p>આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ 'Gen Z' (ઝેડ જનરેશન) અને યુવા મતદારો છે. ભાજપનું માનવું છે કે આજનો યુવા મતદાર પરંપરાગત પ્રચાર કરતા <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B2+%E0%AA%AE%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE">સોશિયલ મીડિયા </a>પર વધુ સક્રિય છે. <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95+%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80+%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80">સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી</a>માં યુવા મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. તેમને આકર્ષવા માટે સોશિયલ મીડિયા એ સૌથી પ્રભાવશાળી શસ્ત્ર છે." </p><p></p><p><strong>જૂની પેઢીના નેતાઓ માટે જોખમની ઘંટડી?</strong></p><p>આ નવા નિયમથી પૂર્વ કોર્પોરેટરો અને જૂની પેઢીના નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાં તાજેતરમાં મળેલી બેઠકમાં પ્રભારી અનિરુદ્ધ દવેએ તમામ કોર્પોરેટરોને વિકાસ કાર્યોની 'રીલ્સ' બનાવી અપલોડ કરવા સૂચના આપી હતી, પરંતુ મોટાભાગના નેતાઓ તેમાં નિષ્ફળ રહ્યા છે. અનેક પૂર્વ કોર્પોરેટરો ટેકનો-સેવી નથી, જેનો સીધો ફાયદો યુવા કાર્યકરોને મળી શકે છે. આ વખતે સમર્થકોના ટોળા લાવીને શક્તિ પ્રદર્શન કરવાને બદલે 'ડિજિટલ ઇમ્પેક્ટ' પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.</p><p></p><p><strong>સરલ અને નમો એપ: ઉમેદવારનું ડિજિટલ રિપોર્ટ કાર્ડ</strong></p><p>ભાજપે સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારના મોબાઈલમાં સરલ (Saral) અને નમો (NaMo) એપ હોવી અનિવાર્ય છે. પ્રદેશ ભાજપ દ્વારા આ એપના ડેટાના આધારે ઉમેદવારના બુથ લેવલના કામ અને ડિજિટલ સક્રિયતાની ચકાસણી કરવામાં આવશે.  ભાજપનો આ નવો પ્રયોગ સૂચવે છે કે આગામી દિવસોમાં ચૂંટણી મેદાનમાં માત્ર નારાઓ જ નહીં, પણ હેશટેગ્સ અને વાયરલ વીડિયો પણ ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે. હવે જોવાનું એ રહેશે કે 'લાઈક્સ' અને 'ફોલોઅર્સ' ના આધારે ટિકિટ મેળવનારા ઉમેદવારો જમીની સ્તરે મતદારોનું કેટલું દિલ જીતી શકે છે!</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Thu, 02 Apr 2026 12:11:49 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/02/Rajkot-BJP_63fc3a76-7459-4a04-8627-8ada383baf7c.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[નરેન્દ્ર ડવનો એક નિર્ણય અને રાજકોટનું રાજકારણ ગરમ!: વોર્ડ નં. 16 ના કોર્પોરેટરે ચૂંટણી લડવા બાબતે આપ્યું મોટું નિવેદન]]></title>
                <link>https://offbeatstories.in/news/narendra-dave-rajkot-election-decision-jangleshwar-demolition-9283028874</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/narendra-dave-rajkot-election-decision-jangleshwar-demolition-9283028874</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/narendra-dave-rajkot-election-decision-jangleshwar-demolition-9283028874" />
                <description><![CDATA[રાજકોટના વોર્ડ 16ના કોર્પોરેટર નરેન્દ્ર ડવએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો. ડિમોલિશન વિવાદ અને આરોપો વચ્ચે રાજકીય ચર્ચા તેજ બની.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/02/rajkot-election_e755be1c-1099-48aa-8b1a-33eb8be8b0cd.jpg" alt="કોર્પોરેટર નરેન્દ્ર ડવનો ચુંટણી ન લડવા માટેનો પત્ર" />
                  </div>
                  <h2>રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 23 ફેબ્રુઆરીના રોજ જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલેશનના વિરોધથી ચર્ચામાં આવેલા રાજકોટ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તા નરેન્દ્ર ડવના એક નિર્ણયથી રાજકારણ ગરમાયું છે. <br><br>"<strong>હું ચુંટણી લડવા માંગતો નથી" : નરેન્દ્ર ડવ</strong></h2><p>તાજેતરમાં જ નરેન્દ્ર ડવએ <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95+%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF+%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80">સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી</a> ન લડવાનો નિર્ણય લીધો છે. આ મામલે મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, 10/11-3-2026 એ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર તરીકે મારી મુદ્દત પૂરી થઈ છે. અને આ વખતે હું ચુંટણી લડવા માંગતો નથી. તે બાબતે હું નિરીક્ષકને મારો પત્ર આપવા માટે આવ્યો છું.<br><img><img src="https://assests.offbeatstories.in/image/2026/04/02/narendr-dav_d10c3181-b790-4c6a-9167-e99e09d9cef6.jpg"><strong>"ત્રણ ટર્મ પાર્ટીએ મને ટિકિટ આપી છે" : નરેન્દ્ર ડવ</strong></p><p>વધુમાં વોર્ડ નં.16 ના પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું, "સ્વેચ્છા એ હું ઇલેક્શન લડવા માંગતો નથી." તેમણે ચુંટણી ન લડવાનું કારણ જણાવતા કહ્યું કે, હું અગાઉ 2 ટર્મ લડ્યો છું, (2005-2010 અને 2010-2015) વચ્ચે એક ટર્મ નહતો લડ્યો અને 2021 થી 2025 ઇલેક્શન લાડેલો છું એટલે ત્રણ ટર્મ પાર્ટીએ મને ટિકિટ આપી છે, તો મને સંતોષ છે. હવે જેને ટિકિટ આપશે તેની માટે હું પાર્ટીનું કામ કરીશ. <br><br><strong>વધુ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/bjp-ready-for-local-body-elections-jagadish-vishwakarma-gives-victory-mantra-to-worker-2826102594">બૂથ કાર્યકર્તા પક્ષનો સૌથી મજબૂત પાયો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપા સજ્જ: જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને આપ્યો વિજય મંત્ર</a><br></p><h2><strong>અગાઉ ભ્રષ્ટાચારના લાગ્યા હતા આરોપ</strong></h2><p>તમને જણાવી દઈએ કે <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>જંગલેશ્વરના ડિમોલેશન સમયે નરેન્દ્ર ડવ પર ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. તે સમયે તેમણે ડિમોલિશનનો વિરોધ કર્યો હતો, ત્યારે બાદ તેમની જ પાર્ટી(ભાજપ)ના કાર્યકર્તા દ્વારા તેમના બાંધકામ ન તોડવા માટે 4 લાખ રૂપીયા લીધા હોવાના આરોપ લગાવ્યા હતા. </p>
                ]]></content:encoded>
                <pubDate>Thu, 02 Apr 2026 11:28:05 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/02/rajkot-election_e755be1c-1099-48aa-8b1a-33eb8be8b0cd.jpg" medium="image" type="image/jpg" />
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/02/narendr-dav_d10c3181-b790-4c6a-9167-e99e09d9cef6.jpg" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં તો ગજબની ચોરી!: તિજોરી ન તૂટી તો આ શું લઈને ભાગ્યા ચોર? 6 આરોપી ઝડપાયા]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-jewellers-theft-attempt-6-accused-arrested-6282603547</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-jewellers-theft-attempt-6-accused-arrested-6282603547</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-jewellers-theft-attempt-6-accused-arrested-6282603547" />
                <description><![CDATA[રાજકોટમાં જવેલર્સમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ, CCTVથી 6 તસ્કરો ઝડપાયા. તિજોરીમાં ₹10 લાખના દાગીના બચ્યા.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/04/01/rajkot-chori_f0f4030b-f68d-4f32-aff1-a978db63ba62.jpg" alt="રાજકોટ કોટમાં ચોરી બાદ પકડાયેલા 6 આરોપીઓનું દ્રશ્ય" />
                  </div>
                  <p>રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાં આવેલા અમિત જવેલર્સમાં પરોઢિયે તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવા નાકા રોડ પર આવેલી આ પેઢીમાં ઘૂસેલા ચોરોએ તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળતાં નોટ ગણવાના બે મશીન લઈ ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે CCTV ફૂટેજના આધારે ઝડપી કાર્યવાહી કરીને આ કેસમાં સામેલ છ આરોપીઓને પકડી પાડ્યા છે.<br></p><h2><strong>શું છે સમગ્ર ઘટના?</strong></h2><p>મળતી માહિતી મુજબ, પેઢીના માલિક મનિષભાઈ રાણપરાને સવારે લગભગ છ વાગ્યે ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક દુકાને પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા જ તેમણે જોયું કે મુખ્ય લાકડાના દરવાજાના તમામ તાળા તૂટેલા હતા. દુકાનની તિજોરી તોડવાનો પ્રયાસ કરાયો હતો અને અંદરના બે CCTV કેમેરા પણ તોડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ દુકાનમાંથી નોટ ગણવાના બે મશીન લઈને ભાગી ગયા હતા.<br></p><p>આ અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા PSI એસ.એમ. રાણા અને LCB ની ટીમે તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી અને છ સભ્યોની ટોળકીને ઝડપી લીધી હતી. ઝડપાયેલા આરોપીઓમાં શુભમ સોની (મુંબઈ), ભાવીક સીતાપરા, જયદીપ કાકડિયા, મિલન ગોંડલિયા, ધવલ સુરેલા અને રાકેશ બોરસણિયા સામેલ છે.<br></p><p>પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી શુભમ અગાઉ મુંબઈની આર્થર રોડ જેલમાં સોનાની ચોરીના ગુનામાં બંધ હતો. ત્યાં તેની ઓળખ અન્ય આરોપીઓ સાથે થઈ હતી. બાદમાં તમામે મળીને ચોરીની યોજના ઘડી હતી. પૈસાની તંગીને કારણે આરોપીઓએ આ ગુનાને અંજામ આપવાનો નિર્ણય લીધો હતો અને ખાસ કરીને શુભમને મુંબઈથી <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>બોલાવવામાં આવ્યો હતો.<br></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/gujarat-weather-rain-forecast-for-next-5-days-as-western-disturbance-activates-3031366684">એપ્રિલની શરૂઆતમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે! : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી</a></p><p></p><p>ચોરી પહેલાં આરોપીઓએ બે દિવસ સુધી વિસ્તારની રેકી કરી હતી. દુકાનનો દરવાજો લાકડાનો હોવાથી તેમાં સરળતાથી પ્રવેશ કરી શકાય તેવું જણાતા તેમણે આ પેઢીને નિશાન બનાવી હતી. જોકે તિજોરી ન તૂટતાં તેઓ મોટી રકમ લઈ જઈ શક્યા નહોતા. પોલીસના જણાવ્યા અનુસાર તિજોરીમાં આશરે 10 લાખ રૂપિયાના સોનાના દાગીના રાખેલા હતા.<br></p><p>હાલ પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. </p>
                ]]></content:encoded>
                <pubDate>Wed, 01 Apr 2026 06:51:25 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/04/01/rajkot-chori_f0f4030b-f68d-4f32-aff1-a978db63ba62.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો: 9 મહિનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે કરતો હતો ચેડાં]]></title>
                <link>https://offbeatstories.in/news/surendranagar-fake-mbbs-doctor-arrested-dhrangadhra-0399497617</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/surendranagar-fake-mbbs-doctor-arrested-dhrangadhra-0399497617</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/surendranagar-fake-mbbs-doctor-arrested-dhrangadhra-0399497617" />
                <description><![CDATA[સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) પોલીસે બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે દરોડો પાડી એક નકલી MBBS ડોક્ટરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/03/31/MBBS_e18c3ca4-870b-4c34-8210-ee3c4ecd8b86.jpg" alt="Surendranagar MBBS" />
                  </div>
                  <p><strong>Surendranagar News:</strong> જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે રમત રમતા લેભાગુ તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) પોલીસે બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે દરોડો પાડી એક નકલી MBBS ડોક્ટરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.</p><p></p><h2><strong>ભાડાના મકાનમાં ચલાવતો હતો 'મોતની ફેક્ટરી'</strong></h2><p>મળતી માહિતી મુજબ, હરેશ પોપટભાઈ ઠાકોર નામનો શખ્સ ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામે એક ભાડાનું મકાન રાખીને છેલ્લા 9 મહિનાથી ગેરકાયદેસર રીતે હોસ્પિટલ ચલાવતો હતો. તેની પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેનું કોઈ માન્ય ડિગ્રી સર્ટિફિકેટ નહોતું, તેમ છતાં તે પોતાની જાતને MBBS ડોક્ટર ગણાવીને ભોળા ગ્રામજનોને એલોપેથિક દવાઓ આપી તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો હતો.</p><p></p><h2><strong>પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ</strong></h2><p>સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે આ સ્થળ પર ઓચિંતો દરોડો પાડી હરેશ ઠાકોરને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ત્યાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન અને તબીબી સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ <strong>રૂપિયા ૧૮,૩૮૧ની કિંમતની દવાઓ</strong> જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પાસે કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તે નકલી ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો હતો. આ મામલે વધુ તપાસ ચાલુ છે</p><p></p><h2><strong>અન્ય ગામોમાં પણ નકલી ડોક્ટરોનો રાફડો</strong></h2><p>વિરેન્દ્રગઢમાં તો આ શખ્સ ઝડપાઈ ગયો, પરંતુ સ્થાનિકોમાં ચર્ચા છે કે ધ્રાંગધ્રા તાલુકાના અનેક ગામોમાં હજુ પણ આવા નકલી ડોક્ટરો સક્રિય છે. ખાસ કરીને કંકાવટી, જેસડા અને ભરાડા આ અને આસપાસના વિસ્તારોમાં ડિગ્રી વગરના અનેક 'ઝોલાછાપ' ડોક્ટરો હાટડીઓ ખોલીને બેઠા છે. ગ્રામીણ વિસ્તારના લોકો સસ્તી સારવારની લાલચમાં આવા નકલી ડોક્ટરો પાસે જઈ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.</p><p></p><h2><strong>શું એસ.ઓ.જી. પોલીસ વધુ કાર્યવાહી કરશે?</strong></h2><p>સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે એક નકલી ડોક્ટરને પકડીને સરાહનીય કામગીરી કરી છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે અન્ય ગામોમાં ધમધમતી આ ગેરકાયદે હોસ્પિટલો અને નકલી ડોક્ટરો પર પોલીસ ક્યારે ત્રાટકે છે. શું તંત્ર આ બાબતે કડક ઝુંબેશ ચલાવીને નિર્દોષ લોકોના જીવ બચાવશે? તે એક મોટો પ્રશ્ન છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 31 Mar 2026 15:20:12 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/31/MBBS_e18c3ca4-870b-4c34-8210-ee3c4ecd8b86.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ: જાણો શું કહ્યું ACP ભાવેશ જાદવે]]></title>
                <link>https://offbeatstories.in/news/acp-bhavesh-jadhavs-statement-on-the-entire-matter-of-firing-by-psi-nk-pandya-3629597620</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/acp-bhavesh-jadhavs-statement-on-the-entire-matter-of-firing-by-psi-nk-pandya-3629597620</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/acp-bhavesh-jadhavs-statement-on-the-entire-matter-of-firing-by-psi-nk-pandya-3629597620" />
                <description><![CDATA[શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં સોમવારે મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/03/31/Rajkot_008436f6-c2df-4ed5-b98c-ae9525f8e21c.jpg" alt="Rajkot News" />
                  </div>
                  <p><strong>Rajkot News:</strong> શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં સોમવારે મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એન. કે. પંડ્યાની રિવોલ્વરમાંથી અચાનક ફાયરિંગ થતા ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં PSI પોતે અને તેમની સાથે હાજર એક પરિણીત મહિલા મિત્ર ઈજાગ્રસ્ત થયા છે.</p><p></p><h2><strong>શું છે સમગ્ર ઘટના?</strong></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, યુનિવર્સિટી રોડ પર ઉમા પાર્ક શેરી નં-3માં આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-404માં PSI પંડ્યા છેલ્લા બે વર્ષથી ભાડેથી રહે છે. સોમવારે રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ તેમના ફ્લેટમાં ફાયરિંગ થયું હતું. રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી PSIના હાથમાં વાગ્યા બાદ સાથે રહેલી પૂજા નામની મહિલાના પડખામાં ધસી ગઈ હતી. ઘટના બાદ તુરંત જ બંનેને સારવાર અર્થે રાજકોટની ખાનગી ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે PSI પંડ્યાના હાથમાં ફ્રેક્ચર થયું છે.</p><p></p><h2><strong>ગંભીર સવાલો અને પોલીસની તપાસ</strong></h2><p>આ મામલે એસીપી ભાવેશ જાદવના જણાવ્યા અનુસાર, PSI પંડ્યા 2022-23 બેચના ડાયરેક્ટ રિક્રુટ ઓફિસર છે. તેઓ છેલ્લા 15 દિવસથી જ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે PSI રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે અચાનક મિસફાયર થયું હતું. જોકે, આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. જેમાં જો PSI રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, તો હથિયાર લોડ કેમ હતું? તાલીમબદ્ધ અધિકારી હોવા છતાં સર્વિસિંગ વખતે આટલી મોટી લાપરવાહી કેવી રીતે થઈ? મધરાત્રે મહિલા મિત્રની હાજરી અને ત્યારબાદ ફ્લેટને તાળું મારી દેવાની ઘટના પાછળનું રહસ્ય શું?</p><p></p><h2><strong>ખાતાકીય તપાસના આદેશ</strong></h2><p>પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હથિયાર સાફ કરવાની ખાસ તાલીમ આપવામાં આવતી હોય છે, જેમાં હથિયાર ખાલી હોવું અનિવાર્ય છે. આ કિસ્સામાં પ્રથમ દ્રષ્ટિએ ગંભીર બેદરકારી જ જણાય છે. એસીપીએ વધુમાં ઉમેર્યું કે જો તપાસમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સક્ષમ અધિકારી દ્વારા તેમની વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી (ખાતાકીય તપાસ) પણ શરૂ કરવામાં આવશે. હાલમાં યુનિવર્સિટી રોડ પોલીસ આ મામલે એફએસએલ (FSL)ની મદદ લઈને વધુ તપાસ ચલાવી રહી છે કે આ ખરેખર અકસ્માત હતો કે અન્ય કોઈ કારણ.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 31 Mar 2026 13:27:12 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/31/Rajkot_008436f6-c2df-4ed5-b98c-ae9525f8e21c.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટમાં PSI ના ઘરે મોડી રાત્રે ફાયરિંગ: મહિલા સહિત બે ઇજાગ્રસ્ત]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-psi-misfire-university-road-firing-incident-4232308204</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-psi-misfire-university-road-firing-incident-4232308204</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-psi-misfire-university-road-firing-incident-4232308204" />
                <description><![CDATA[રાજકોટના યુનિવર્સિટી રોડ પર PSI ની રિવોલ્વરમાંથી મિસફાયર થતા મહિલા સહિત બે ઇજાગ્રસ્ત. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/03/31/rajkot-psi-firing-_c3ac0d5a-30a8-4921-84cb-5ee499489047.jpg" alt="ગુજરાતના પોલીસ ઓફિસર ચાલીને આવે છે અને 404 નંબરનો દરવાજો" />
                  </div>
                  <p><strong>Rajkot</strong> શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ સમન્વય શુલ્ક એપાર્ટમેન્ટમાં 30 માર્ચની મોડી રાત્રે ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવમાં <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/category/gujarat/rajkot">રાજકોટ </a>પોલીસમાં ફરજ બજાવતા PSI એન. કે. પંડ્યાની રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટતા તેઓ પોતે અને તેમની સાથે હાજર એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે બન્નેને તાત્કાલિક સારવાર માટે શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.<br></p><h2><strong>PSI પંડ્યાની રિવોલ્વરમાંથી અચાનક મિસફાયર</strong></h2><p>મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર PSI પંડ્યા તેમના ઘરે રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મિસફાયર થવાથી ગોળી છૂટ્યાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, હકીકતમાં ઘટના કેવી રીતે બની તેની સચોટ વિગતો જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.<br></p><p>ફાયરિંગ દરમિયાન ગોળી PSI પંડ્યાના હાથમાં વાગી હતી, જ્યારે તેમની સાથે રહેલી મહિલાને કમરના ભાગે ઇજા પહોંચી હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે.<br></p><h2><strong>ઘટનાના બાદ ફ્લેટને મારવામાં આવ્યું તાળું </strong></h2><p>મળતી માહિતી મુજબ, PSI પંડ્યા છેલ્લા બે વર્ષથી આ એપાર્ટમેન્ટમાં રહે છે. ઘટનાના બાદ ફ્લેટને તાળું મારી દેવામાં આવ્યું હતું. પંડ્યાએ પડોશીઓને જણાવ્યું હતું કે આ મિસફાયરનો બનાવ છે અને આ ઘટનામાં તેમની સાથે રહેલી મહિલા તેમની મિત્ર છે.</p><p><br><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/bjp-ready-for-local-body-elections-jagadish-vishwakarma-gives-victory-mantra-to-worker-2826102594">બૂથ કાર્યકર્તા પક્ષનો સૌથી મજબૂત પાયો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપા સજ્જ: જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને આપ્યો વિજય મંત્ર</a></p><p></p><p>આ બનાવ બાદ યુનિવર્સિટી પોલીસ મથકના અધિકારીઓ પણ સક્રિય થયા હતા. ડી-સ્ટાફના PSI વિક્રમ ડોડિયાને પણ ફોન દ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે સત્ય પરિસ્થિતિ બહાર લાવવા પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ ચાલુ રાખવામાં આવી છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Tue, 31 Mar 2026 05:17:15 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/31/rajkot-psi-firing-_c3ac0d5a-30a8-4921-84cb-5ee499489047.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા: સોપાન હાઈટ્સના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ-બહેનના મોત]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-pool-accident-on-siblings-drown-at-sopaan-heights-6571616812</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-pool-accident-on-siblings-drown-at-sopaan-heights-6571616812</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-pool-accident-on-siblings-drown-at-sopaan-heights-6571616812" />
                <description><![CDATA[રાજકોટ શહેરમાં રૈયા ધાર વિસ્તાર પાસે આવેલી એક બહુમાળી ઈમારતમાં આજે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/03/30/Rajkot_c1a7d421-9589-481f-94ea-f22323465440.jpg" alt="Rajkot Pool Accident" />
                  </div>
                  <p><strong>Rajkot News: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F+%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0">રાજકોટ શહેર</a>માં રૈયા ધાર વિસ્તાર પાસે આવેલી એક બહુમાળી ઈમારતમાં આજે એક અત્યંત <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/search?tag=%E0%AA%95%E0%AA%B0%E0%AB%82%E0%AA%A3+%E0%AA%98%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE">કરૂણ ઘટના</a> સામે આવી છે. 'સોપાન હાઈટ્સ' બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં રમતા-રમતા ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતે માત્ર બિલ્ડિંગના રહીશો જ નહીં પરંતુ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે.</p><p></p><h2><strong>શું છે ઘટનાની વિગત: રમતા-રમતા મોત આંબી ગયું</strong></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના રૈયા ધાર વિસ્તારમાં ડ્રિમ સિટીની સામે આવેલી સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં બપોરે 2.30 થી 3.30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. અહીં કામ કરતા એક નેપાળી પરિવારના બે સંતાનો દીપેશ (7 વર્ષ) અને તેની નાની બહેન દેપસીકા (5 વર્ષ) સ્વિમિંગ પૂલ નજીક રમી રહ્યા હતા.  રમતા-રમતા અચાનક બંને બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબા સમય સુધી બાળકો ન દેખાતા અને શોધખોળ કરતા બંને સ્વિમિંગ પૂલમાંથી મળી આવ્યા હતા.</p><p></p><h2><strong>14 દિવસ પહેલા જ નેપાળથી કામ અર્થે આવ્યા હતા</strong></h2><p>આ ઘટનામાં સૌથી વધુ દુઃખદ પાસું એ છે કે, આ માસૂમ બાળકોનો પરિવાર મૂળ નેપાળનો વતની છે અને માત્ર 14 દિવસ પહેલા જ રાજકોટમાં આ બિલ્ડિંગમાં સફાઈ કામ માટે જોડાયો હતો. રોજીરોટીની શોધમાં આવેલા આ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. બાળકોના માતા-પિતા બિલ્ડિંગમાં સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી. 108 મારફતે બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા."</p><p></p><h2><strong>પોલીસ કાર્યવાહી અને તપાસ</strong></h2><p>ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. બન્ને બાળકોના નામ દીપેશ કરણભાઈ ભંડારી (7 વર્ષ) અને દેપસીકા કરણભાઈ ભંડારી (5 વર્ષ) છે. જેઓ સોપાન હાઈટ્સ, રૈયા ધાર રોડ, રાજકોટ ખાતે રહે છે. તેઓ સ્વિમિંગ પૂલ પાસે સુરક્ષાના સાધનો કે ગાર્ડ હતા કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.</p><p></p><h2><strong>પરિવારમાં કલ્પાંત</strong></h2><p>પોતાના બે-બે વ્હાલસોયા સંતાનોને ગુમાવનાર માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. હજુ તો રાજકોટમાં સ્થાયી થવાના સપના જોઈ રહેલા પરિવાર માટે આ આઘાત જીરવવો મુશ્કેલ બની ગયો છે. આ ઘટના ફરી એકવાર બહુમાળી ઈમારતોમાં આવેલા સ્વિમિંગ પૂલની સુરક્ષા અને બાળકો પ્રત્યે રાખવામાં આવતી સાવચેતી સામે ગંભીર સવાલો ઉભા કરી રહી છે.</p><p></p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 30 Mar 2026 13:16:13 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/30/Rajkot_c1a7d421-9589-481f-94ea-f22323465440.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[બૂથ કાર્યકર્તા પક્ષનો સૌથી મજબૂત પાયો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપા સજ્જ: જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને આપ્યો વિજય મંત્ર]]></title>
                <link>https://offbeatstories.in/news/bjp-ready-for-local-body-elections-jagadish-vishwakarma-gives-victory-mantra-to-worker-2826102594</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/bjp-ready-for-local-body-elections-jagadish-vishwakarma-gives-victory-mantra-to-worker-2826102594</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/bjp-ready-for-local-body-elections-jagadish-vishwakarma-gives-victory-mantra-to-worker-2826102594" />
                <description><![CDATA[રાજકોટ ખાતે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. ]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/03/30/Jagdish-_24d395e7-ba20-4d5b-9e68-26312b23e69f.jpg" alt="Jagadish Vishwakarma" />
                  </div>
                  <p><strong>Rajkot News: </strong>ગુજરાત પ્રદેશ ભાજપા સંગઠન આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સજ્જ બન્યું છે. રાજકોટ ખાતે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવા અને સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.</p><p></p><p><strong>બૂથ કાર્યકર્તા પક્ષનો સૌથી મજબૂત પાયો</strong></p><p>બેઠકને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની તાકાત તેના સમર્પિત કાર્યકર્તાઓ છે. તેમણે "પેજ સમિતિ" અને "બૂથ સ્તર" પર અત્યંત ઝીણવટભર્યું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા તેમણે ઉમેર્યું કે, દરેક બૂથ પર સંગઠન એટલું શક્તિશાળી હોવું જોઈએ કે વિપક્ષના ભ્રામક પ્રચારની કોઈ અસર ન થાય.</p><p></p><p><strong>લોકસંપર્ક અને વ્યૂહરચના પર ભાર</strong></p><p>આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સંદર્ભમાં આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે. જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું. જેમાં છેવાડાના માનવી સુધી પહોંચીને તેમની સમસ્યાઓ સમજવી અને ઉકેલ લાવવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવી. વિપક્ષ દ્વારા કરવામાં આવતા ભ્રામક અપપ્રચાર સામે સત્ય હકીકતો અને વિકાસના કાર્યો દ્વારા પ્રભાવી રીતે લડત આપવી.</p><p></p><p>આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોના પદાધિકારીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને ચૂંટણી સંચાલન સમિતિના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. રાજકોટની આ બેઠકથી સૌરાષ્ટ્રના ભાજપા કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ આગામી ચૂંટણીઓમાં ભાજપ 'વિકાસવાદ'ના મુદ્દા સાથે મેદાનમાં ઉતરવા માટે પૂરી રીતે તૈયાર દેખાઈ રહ્યું છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Mon, 30 Mar 2026 12:13:49 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/30/Jagdish-_24d395e7-ba20-4d5b-9e68-26312b23e69f.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ મારવાડી શેરબજારની હેડ ઓફિસ ભડકે બળી: ધુમાડા અને અફરાતફરી વચ્ચે ફાયર બ્રિગેડ ટીમનો સંઘર્ષ]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-marwari-stock-exchange-head-office-burns-down-5-firefighters-take-over-7414193230</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-marwari-stock-exchange-head-office-burns-down-5-firefighters-take-over-7414193230</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-marwari-stock-exchange-head-office-burns-down-5-firefighters-take-over-7414193230" />
                <description><![CDATA[રાજકોટના નાના મોવા રોડ પર આવેલી જાણીતી મારવાડી શેરબજારની હેડ ઓફિસના ચોથા અને પાંચમા માળે આજે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/03/28/RAJKOT-STOCK-MARKET-HEAD-OFFICE-FIRE_360d1669-807b-4a49-bb03-be963d81451a.jpg" alt="Rajkot Stock Market Marwadi Head Office Fire" />
                  </div>
                  <h2><strong>રાજકોટ:</strong> સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં આજે સવારના સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના ધમધમતા નાના મોવા રોડ પર આવેલી જાણીતી 'મારવાડી શેરબજાર' (Marwadi Shares and Finance Limited) ની મુખ્ય હેડ ઓફિસમાં અચાનક ભીષણ<a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/vadodara-crime-news-doctor-atrocity-act-5424185577"><strong> આગ</strong></a> ફાટી નીકળી હતી. બિલ્ડિંગના ઉપરના માળેથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના લોકો અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.</h2><p></p><h2><strong>ચોથા અને પાંચમા માળે આગનું રૌદ્ર સ્વરૂપ</strong></h2><p>પ્રાપ્ત વિગતો અનુસાર, આગની શરૂઆત મારવાડી બિલ્ડિંગના ચોથા અને પાંચમા માળે થઈ હતી. ઓફિસમાં નિયમિત કામકાજ ચાલુ હતું તે દરમિયાન અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. શેરબજારની ઓફિસ હોવાથી અંદર મોટા પ્રમાણમાં કોમ્પ્યુટર સિસ્ટમ્સ, વાયરિંગ અને ફર્નિચર હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. બિલ્ડિંગમાં હાજર કર્મચારીઓ જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.</p><p><img><img src="https://assests.offbeatstories.in/image/2026/03/28/_---2026-03-28T112452828_1492f069-3c86-4f05-a100-5dc01e366cd1.jpg"></p><h2><strong>5 ફાયર ફાઈટરોની જહેમત બાદ આગ કાબૂમાં</strong></h2><p>રાજકોટ ફાયર બ્રિગેડને જાણ થતા જ તાત્કાલિક 5 ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર જવાનોએ હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઉપરના માળ સુધી પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજે એકથી દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. સદનસીબે આ ભીષણ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે. તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.</p><p></p><p><strong>આ પણ વાંચો:</strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/vadodara-crime-news-doctor-atrocity-act-5424185577"><strong> વડોદરાના ડોક્ટરની કાળી કરતૂત : સારવાર લેવા આવેલી યુવતીનું કર્યું શારીરિક શોષણ, એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ</strong></a></p><p></p><h2><strong>કુલિંગ પ્રક્રિયા અને તપાસ તેજ</strong></h2><p>આગ પર કાબૂ મેળવ્યા બાદ હાલ ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગમાં 'કુલિંગ' (Cooling process) ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી ફરીથી ક્યાંય સ્પાર્ક ન થાય. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ ફાયર ઓફિસરો દ્વારા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Sat, 28 Mar 2026 05:56:56 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/28/RAJKOT-STOCK-MARKET-HEAD-OFFICE-FIRE_360d1669-807b-4a49-bb03-be963d81451a.jpg" medium="image" type="image/jpg" />
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/28/_---2026-03-28T112452828_1492f069-3c86-4f05-a100-5dc01e366cd1.jpg" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટની સાધના સોસાયટીમાં પ્રચંડ ધડાકો: ગેસ સિલિન્ડર ફાટતા મકાનના ફૂરચા ઉડ્યા, એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી]]></title>
                <link>https://offbeatstories.in/news/gas-cylinder-blast-in-rajkots-sadhana-society-one-person-injured-096325662</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/gas-cylinder-blast-in-rajkots-sadhana-society-one-person-injured-096325662</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/gas-cylinder-blast-in-rajkots-sadhana-society-one-person-injured-096325662" />
                <description><![CDATA[રાજકોટની સાધના સોસાયટીમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પ્રચંડ વિસ્ફોટ સાથે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/03/27/RAJKOT-Gas-Cylinder-Explosion_e94e6a6a-fd4e-4aab-97ab-a9621448b630.jpg" alt="RAJKOT Gas Cylinder Explosion" />
                  </div>
                  <p><strong>રાજકોટ:</strong> શહેરના રહેણાંક વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક દુર્ઘટના ઘટતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટની સાધના સોસાયટીમાં આવેલ એક મકાનમાં અચાનક <a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/ahmedabad-mercedes-car-dead-body-lj-college-sarkhej-202980087"><strong>ગેસ સિલિન્ડર બ્લાસ્ટ</strong></a> થતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના અવાજથી આખી સોસાયટી ધણધણી ઉઠી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે.</p><p></p><h3><strong>બ્લાસ્ટની તીવ્રતાથી મકાનને ભારે નુકસાન, અફરાતફરીનો માહોલ</strong></h3><p>ઘટનાની વિગતો મુજબ, સાધના સોસાયટીમાં જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. બ્લાસ્ટને કારણે મકાનની દીવાલો અને માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની અને અન્ય ગેસના બાટલાઓને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.</p><p><img><img src="https://assests.offbeatstories.in/image/2026/03/27/_---2026-03-27T165942060_c6ace12b-d188-4cce-848c-9dbb3b442b9d.jpg"></p><p><strong>આ પણ વાંચો: </strong><a target="_blank" rel="noopener noreferrer nofollow" href="https://offbeatstories.in/news/ahmedabad-mercedes-car-dead-body-lj-college-sarkhej-202980087"><strong>અમદાવાદમાં મર્સિડીઝમાંથી મળ્યો મૃતદેહ : L.J.કોલેજ પાસે કોહવાયેલી હાલતમાં લાશ મળી, કેટલાંય મહિનાઓથી બંધ હાલતમાં પડી હતી ગાડી</strong></a></p><p></p><h3><strong>મકાનમાં જ્વલનશીલ પદાર્થો અને ડીઝલનો જથ્થો હોવાનો ચોંકાવનારો દાવો</strong></h3><p>આ ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી રહી છે કે, જે મકાનમાં વિસ્ફોટ થયો ત્યાં મોટા પ્રમાણમાં ડીઝલનો જથ્થો અને અન્ય જ્વલનશીલ પદાર્થો સંગ્રહિત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે જોખમી પદાર્થો રાખવાને કારણે જ બ્લાસ્ટની તીવ્રતા વધી હોવાની શક્યતા છે. જો આ જ્વલનશીલ પદાર્થોમાં આગ વધુ પ્રસરી હોત તો મોટી જાનહાની થઈ શકી હોત, પરંતુ સદનસીબે મોટી હોનારત ટળી છે.</p><p><img><img src="https://assests.offbeatstories.in/image/2026/03/27/_---2026-03-27T165947462_515429e6-ddb1-4c69-b96e-a227708133d0.jpg"></p><h3><strong>પોલીસ અને એફએસએલ (FSL) દ્વારા તપાસનો ધમધમાટ</strong></h3><p>ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો છે. મકાનમાં આટલી મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થો ક્યાંથી આવ્યા અને તેનો ઉપયોગ શું હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આગામી સમયમાં એફએસએલની ટીમની મદદ લેવામાં આવશે જેથી વિસ્ફોટનું સચોટ કારણ જાણી શકાય. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્તની હાલત પર તબીબો દેખરેખ રાખી રહ્યા છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 27 Mar 2026 11:29:26 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/27/RAJKOT-Gas-Cylinder-Explosion_e94e6a6a-fd4e-4aab-97ab-a9621448b630.jpg" medium="image" type="image/jpg" />
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/27/_---2026-03-27T165942060_c6ace12b-d188-4cce-848c-9dbb3b442b9d.jpg" medium="image" /><media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/27/_---2026-03-27T165947462_515429e6-ddb1-4c69-b96e-a227708133d0.jpg" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ]]></title>
                <link>https://offbeatstories.in/news/customers-outraged-after-seeing-a-cockroach-crawling-on-a-sandwich-at-rajkot-inox-canteen-6117377129</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/customers-outraged-after-seeing-a-cockroach-crawling-on-a-sandwich-at-rajkot-inox-canteen-6117377129</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/customers-outraged-after-seeing-a-cockroach-crawling-on-a-sandwich-at-rajkot-inox-canteen-6117377129" />
                <description><![CDATA[ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/03/20/NIRALI---2026-03-20T165821077_c70592b8-628a-4230-a181-dbd6b6a6322f.jpg" alt="રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!" />
                  </div>
                  <p><strong>રાજકોટ:</strong> શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકોટના જાણીતા આર વર્લ્ડ (R-World) INOX સિનેમાની કેન્ટીનમાં ખાદ્ય પદાર્થો પર જીવજંતુઓ ફરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાએ મલ્ટીપ્લેક્સમાં મળતા મોંઘા નાસ્તાની સ્વચ્છતા સામે સવાલો ઉઠાવ્યા છે. ગ્રાહકો દ્વારા પકડી પાડવામાં આવેલી આ બેદરકારી બાદ પણ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલો 'લૂલો બચાવ' અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.</p><p></p><h3><strong>શું છે સમગ્ર ઘટના?</strong></h3><p>ગઈકાલે ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે અંદાજે ૭:૧૫ વાગ્યાના શોમાં 'ધુરંધર' ફિલ્મ જોવા ગયેલા એક જાગૃત નાગરિક જ્યારે ઇન્ટરવેલ દરમિયાન નાસ્તો કરવા કેન્ટીન પાસે પહોંચ્યા, ત્યારે તેઓ ચોંકી ગયા હતા. કેન્ટીનના કાઉન્ટર પર રાખવામાં આવેલી સેન્ડવીચ પર એક મોટો વંદો ખુલ્લેઆમ આંટા મારી રહ્યો હતો. ગ્રાહકે તાત્કાલિક પોતાનો મોબાઈલ કાઢી આ દ્રશ્ય કેદ કરી લીધું હતું. પ્રીમિયમ ટિકિટ અને મોંઘા ભાવનો નાસ્તો વેચતા સિનેમા હોલમાં આવી ગંદકી જોઈને અન્ય મુસાફરોમાં પણ ફાળ પડી હતી.</p><p></p><h3><strong>'આ તો માત્ર ડિસ્પ્લે છે' – મેનેજરનો વિચિત્ર તર્ક</strong></h3><p>જ્યારે ગ્રાહકે આ બાબતે કેન્ટીન સ્ટાફ અને મેનેજરનું ધ્યાન દોર્યું, ત્યારે પરિસ્થિતિ સુધારવાને બદલે મેનેજમેન્ટે વિચિત્ર બચાવ કર્યો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટાફ કહી રહ્યો છે કે, "આ સેન્ડવીચ માત્ર ડિસ્પ્લે (પ્રદર્શન) માટે રાખવામાં આવી છે, અમે ગ્રાહકોને આ પીરસતા નથી." જોકે, ગ્રાહકે વળતો સવાલ કર્યો હતો કે જો ડિસ્પ્લેમાં રાખેલી વસ્તુ પર વંદા ફરતા હોય, તો તેની બાજુમાં રાખેલા અન્ય ખાદ્ય પદાર્થો કેટલા સુરક્ષિત હશે? ભારે દલીલો બાદ સ્ટાફે ત્યાંથી સેન્ડવીચ હટાવી લીધી હતી.</p><p></p><h3><strong>મનપાના ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલો</strong></h3><p>રાજકોટ મહાનગરપાલિકા (RMC) નું ફૂડ વિભાગ નાની લારીઓ પર દરોડા પાડવા માટે જાણીતું છે, પરંતુ મોટા મોલ અને મલ્ટીપ્લેક્સમાં ચાલતી આવી ગંભીર બેદરકારી સામે હજુ સુધી કોઈ કડક પગલાં લેવાયા નથી. વીડિયો વાયરલ થયાના કલાકો બાદ પણ ફૂડ વિભાગ દ્વારા કોઈ તપાસ કે સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.</p><p></p><h3><strong>નિયમિત ચેકિંગની ઉઠી માંગ</strong></h3><p>શહેરના સિનેમા હોલ્સમાં પોપકોર્ન, સેન્ડવીચ અને કોલ્ડ ડ્રિંક્સ બજાર કરતા અનેકગણા ઊંચા ભાવે વેચાય છે. ગ્રાહકો પ્રીમિયમ સર્વિસના નામે મોટી રકમ ચૂકવે છે, તેમ છતાં સ્વાસ્થ્ય સાથે થતા આવા ચેડાં ચલાવી શકાય નહીં. જાગૃત નાગરિકો હવે માગ કરી રહ્યા છે કે આરોગ્ય વિભાગ માત્ર કાગળ પર નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જઈને આ તમામ મલ્ટીપ્લેક્સની કેન્ટીનનું નિયમિત સરપ્રાઈઝ ચેકિંગ કરે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 20 Mar 2026 11:28:40 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/20/NIRALI---2026-03-20T165821077_c70592b8-628a-4230-a181-dbd6b6a6322f.jpg" medium="image" type="image/jpg" />
                
                
              </item>
            
              <item>
                <title><![CDATA[કાર, પીકઅપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત: રાજકોટ-લીંબડી નેશનલ હાઈવે પર કારનો કચ્ચરઘાણ નીકળ્યો, 2 ના મોત અને 2ની હાલત ગંભીર]]></title>
                <link>https://offbeatstories.in/news/triple-accident-between-car-pickup-and-truck-on-the-rajkot-limbdi-national-highway-resulted-in-pileup-of-cars--642705332</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/triple-accident-between-car-pickup-and-truck-on-the-rajkot-limbdi-national-highway-resulted-in-pileup-of-cars--642705332</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/triple-accident-between-car-pickup-and-truck-on-the-rajkot-limbdi-national-highway-resulted-in-pileup-of-cars--642705332" />
                <description><![CDATA[રાજકોટ-લીંબડી નેશનલ હાઈવે પર આજે કાળમુખો અકસ્માત સર્જાયો]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/03/20/NIRALI-98_f597d224-6f00-444d-bd7c-76933a4cdcd2.jpg" alt="કાર, પીકઅપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત" />
                  </div>
                  <p><strong>સુરેન્દ્રનગર:</strong> સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન રાજકોટ-લીંબડી નેશનલ હાઈવે પર આજે કાળમુખો અકસ્માત સર્જાયો છે. ચોટીલા નજીક ત્રણ વાહનો વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે સર્જાયેલી આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને હાલમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</p><p></p><p>અકસ્માતની જાણ થતા જ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા પણ સેવાઈ રહી છે.</p><p><img><img src="https://assests.offbeatstories.in/image/2026/03/20/NIRALI-99_d8c83821-0836-4523-9fd0-98e41b0f0704.jpg"></p><h3><strong>ભયાનક ટક્કર: કારના પતરા ચીરીને મૃતદેહો બહાર કઢાયા</strong></h3><p>પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ-લીંબડી હાઈવે પર ચોટીલા પાસે કાર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં પાછળથી આવતી ટ્રક પણ ધડાકાભેર અથડાઈ હતી. આ ટ્રિપલ અકસ્માતમાં કારની હાલત એવી થઈ ગઈ હતી કે તે ઓળખી પણ ન શકાય. કારમાં સવાર બે મુસાફરો ગાડીના પતરા વચ્ચે દબાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.</p><p></p><h3><strong>પોલીસ કાફલો ઘટનાસ્થળે: તપાસનો ધમધમાટ શરૂ</strong></h3><p>ઘટનાની જાણ થતા જ ચોટીલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ક્રેન અને સ્થાનિકોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધીને અકસ્માત કયા કારણોસર સર્જાયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરટેક અથવા પૂરઝડપે વાહન ચલાવવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Fri, 20 Mar 2026 06:00:30 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/20/NIRALI-98_f597d224-6f00-444d-bd7c-76933a4cdcd2.jpg" medium="image" type="image/jpg" />
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/20/NIRALI-99_d8c83821-0836-4523-9fd0-98e41b0f0704.jpg" medium="image" />
                
              </item>
            
              <item>
                <title><![CDATA[રાજકોટ બેડી યાર્ડમાં 150 ગુણી મગફળી તણાઈ: કમોસમી વરસાદથી ધરતીપુત્રો અને વેપારીઓ ભારે ચિંતામાં]]></title>
                <link>https://offbeatstories.in/news/rajkot-marketing-yard-rain-unseasonal-peanut-loss-saurashtra-2035071459</link>
                <guid isPermaLink="true">https://offbeatstories.in/news/rajkot-marketing-yard-rain-unseasonal-peanut-loss-saurashtra-2035071459</guid>
                <atom:link href="https://offbeatstories.in/news/rajkot-marketing-yard-rain-unseasonal-peanut-loss-saurashtra-2035071459" />
                <description><![CDATA[કમોસમી વરસાદથી ધરતીપુત્રો અને વેપારીઓ ભારે ચિંતામાં]]></description>
                <content:encoded><![CDATA[
                  <div>
                    <img class="type:primaryImage" src="https://assests.offbeatstories.in/image/2026/03/19/RAJKOT-MAGFALI_86df0d28-221e-4467-97f9-aca7e77f0242.png" alt="રાજકોટ બેડી યાર્ડમાં 150 ગુણી મગફળી તણાઈ" />
                  </div>
                  <p>હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજકોટ શહેરમાં સાંજે 5 વાગ્યાના અરસામાં અચાનક અંધારપટ છવાઈ ગયો હતો અને કરા સાથે ભારે પવન ફૂંકાયો હતો. માત્ર બે કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વિઝિબિલિટી એટલી ઘટી ગઈ હતી કે વાહનચાલકોએ દિવસે પણ લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. આ અચાનક આવેલા કુદરતી પ્રકોપના કારણે માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલી ખેતપેદાશોને મોટું નુકસાન પહોંચ્યું છે. <br><br><strong>બેડી યાર્ડમાં મગફળીનું ભારે ધોવાણ</strong><br><br>રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં પ્લેટફોર્મ પર સુરક્ષિત રાખવામાં આવેલી વેપારીઓની જણસી વરસાદી પાણીમાં વહી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આશરે 150 ગુણી મગફળી પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે યાર્ડ પ્રશાસન દ્વારા અગાઉથી જ ખેડૂતોને જણસી ન લાવવા અને ખુલ્લામાં માલ ન રાખવા સૂચના આપવામાં આવી હતી, છતાં વેપારીઓની મગફળી પલળી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.<br><br><strong>સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસની આગાહી</strong><br><br>હવામાન વિભાગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવેલા આ પલટાથી ખેતરોમાં ઉભેલા પાકને પણ વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે જ કુદરત રૂઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ માર્કેટિંગ યાર્ડને એલર્ટ પર રહેવા અને ખેડૂતોને સાવચેતી રાખવા કડક સૂચના આપવામાં આવી છે.</p>
                ]]></content:encoded>
                <pubDate>Thu, 19 Mar 2026 17:40:41 GMT</pubDate>
                <media:content url="https://assests.offbeatstories.in/image/2026/03/19/RAJKOT-MAGFALI_86df0d28-221e-4467-97f9-aca7e77f0242.png" medium="image" type="image/png" />
                
                
              </item>
            
      </channel>
    </rss>