રાજકોટમાં RTE હોઠળ પ્રવેશ માટે મોટી સંખ્યામાં લોકોએ અરજીઓ કરી છે. બેઠકો કરતાં લગભગ ત્રણ ગણી અરજીઓ આવતાં હજારો માતા-પિતાની ચિંતા વધી ગઈ છે. તેમના બાળકોને પ્રવેશ મળશે કે નહીં તે હવે પ્રશ્ન બની ગયો છે. RTE નિયમો મુજબ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં 25% બેઠકો અનામત રાખવામાં આવે છે. પરંતુ માંગ વધતાં હવે આ અનામત બેઠકો પૂરતી નથી.
બેઠકો કરતાં ત્રણગણી અરજીઓ
રાજકોટમાં RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે આ વર્ષે આશરે 20 હજારથી વધુ અરજીઓ આવી છે, જ્યારે ઉપલબ્ધ બેઠકો તેની તુલનામાં ખૂબ ઓછી છે. આથી સ્પર્ધા ખૂબ જ કઠિન બની ગઈ છે. આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવતા માતા-પિતામાં અનિશ્ચિતતા વધી છે. ઘણા માતા-પિતા આશા રાખીને ફોર્મ ભરે છે પરંતુ સીમિત બેઠકોને કારણે ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી.
કેવી રીતે થશે પસંદગી
RTE હેઠળ પ્રવેશ માટે સામાન્ય રીતે લોટરી સિસ્ટમ અપનાવવામાં આવે છે. એટલે કે, તમામ યોગ્ય અરજીઓમાંથી રેન્ડમ રીતે વિદ્યાર્થીઓની પસંદગી થાય છે. આ પ્રણાલી પારદર્શક માનવામાં આવે છે પરંતુ બેઠકો ઓછી હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓને બહાર રહેવું પડે છે.
શા માટે વધી રહી છે માંગ?
રાજકોટ સહિત ગુજરાતના શહેરોમાં RTE હેઠળ પ્રવેશ માટે માંગ વધી રહી છે. તેના મુખ્ય કારણો ખાનગી શાળાઓમાં સારી શિક્ષણ સુવિધા, મફત શિક્ષણનો લાભ, સરકારી શાળાઓની તુલનામાં વધુ સુવિધાઓ જેવા કારણોથી RTE માટેની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.
શિક્ષણ નિષ્ણાતો માને છે કે RTE યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેની અસરકારકતા વધારવા માટે વધુ બેઠકો ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. તે ઉપરાંત, સરકારી શાળાઓની ગુણવત્તામાં સુધારો લાવવો પણ એટલો જ મહત્વપૂર્ણ છે, જેથી તમામ વિદ્યાર્થીઓને સમાન તક મળી શકે. આ મુદ્દો માત્ર રાજકોટ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં RTE પ્રવેશની સ્થિતિ સમાન છે. વધતી માંગ અને ઓછી બેઠકો એ શિક્ષણ વ્યવસ્થાની પડકારરૂપ સ્થિતિ દર્શાવે છે.





