Home Gujarat Ahmedabad Navnit Joins Congress After Jayraj Ahir Attack Case Gujarat

ભાજપનો સૌથી કટ્ટર વિરોધી ગણાતો નવનિત બાલધિયા કોણ છે? : ચૂંટણીમાં કેમ ગુજરાત કોંગ્રેસ માટે બની શકે છે હુકમનો એક્કો

navnit joins congress
Published by: Viral Patel
Last Updated: Apr 03, 2026, 01:05 PM IST

Navneet Baldhiya Joins Congress: ગુજરાતનું રાજકારણ હંમેશા અણધાર્યા વળાંકો માટે જાણીતું છે. તાજેતરમાં જ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સાથેના વિવાદને કારણે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા નવનીતે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નવનીતને આવકારીને તેને પક્ષમાં સ્થાન આપ્યું છે, જેના કારણે અનેક નવા રાજકીય સમીકરણો અને તર્ક-વિતર્ક શરૂ થયા છે.

કોણ છે નવનીત બાલધિયા ?

નવનીત બાલધિયા ગુજરાતના ભાવનગર જિલ્લાના નજીક આવેલા બગદાણા ગામના રહેવાસી તરીકે ઓળખાય છે. તેઓ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ કોળી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર તરીકે પણ ઓળખ ધરાવે છે. ઘણા સામાજિક કાર્યક્રમો, સમાજના મુદ્દાઓ અને સ્થાનિક સ્તરે વિકાસના પ્રશ્નોમાં તેઓ સક્રિય રહ્યા હોવાનું જણાવાય છે. બગદાણા ગામમાં તેમનું પરિવાર પણ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં જાણીતું માનવામાં આવે છે. માહિતી મુજબ તેઓ બગદાણા ગામના સરપંચના કુટુંબ સાથે સંબંધિત હોવાનું પણ કહેવાય છે, જેના કારણે સ્થાનિક સ્તરે તેમની ઓળખ વધુ મજબૂત બની છે. સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાના કારણે અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાના કારણે તેઓ કેટલાક વિસ્તારોમાં ઓળખાયેલા ચહેરા બની ગયા હતા.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા ગુજરાતનો સૌથી ચર્ચિત ચહેરો કોંગ્રેસમાં જોડાયો : બગદાણા વિવાદથી ચર્ચામાં આવેલા નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાતાની સાથે જ કર્યા ભાજપ પર પ્રહાર

શું હતો સમગ્ર વિવાદ?

થોડા સમય પહેલા કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર અને નવનીત વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ વિવાદ માત્ર વ્યક્તિગત ન રહેતા સામાજિક અને રાજકીય રંગ પકડી ગયો હતો. નવનીત પર થયેલા હુમલા બાદ તેને ન્યાય અપાવવા માટે કોળી સમાજ એકત્રિત થયો હતો. આ લડતના અંતે જયરાજ આહીરને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો હતો.

Mayabhai Ahir: ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરની તબિયત લથડી, એમ્બ્યુલન્સ મારફતે  અમદાવાદની એપેક્સ હોસ્પિટલમાં ખસેડાયા - Mayabhai Ahir Health Deteriorates  During Ongoing Dayro ...

ભાજપના મંત્રીઓનું પીઠબળ અને મધ્યસ્થી

આ આખા ઘટનાક્રમમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ભાજપ સરકારના કદાવર મંત્રીઓ અને કોળી સમાજના આગેવાનો નવનીતના પક્ષમાં ઉભા રહ્યા હતા. કોળી સમાજના મસીહા ગણાતા મંત્રી પરસોત્તમ સોલંકીએ નવનીતને સામાજિક રક્ષણ પૂરું પાડ્યું હતું. આ વિવાદમાં સમાધાન અને ન્યાય માટે હીરા સોલંકીએ મહત્વની મધ્યસ્થી કરી હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ વ્યક્તિગત મુલાકાત લઈને નવનીતના ખબર-અંતર પૂછ્યા હતા. ભાજપના આટલા દિગ્ગજ નેતાઓનો ટેકો હોવા છતાં, નવનીતનું કોંગ્રેસમાં જોડાવું એ રાજકીય પંડિતો માટે આશ્ચર્યનો વિષય બન્યો છે.

વિપક્ષની સક્રિયતા અને રાજકીય માઈલેજ

જ્યારે નવનીત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, ત્યારે માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓએ પણ તેની મુલાકાત લીધી હતી. માયાભાઈ આહીર સાથે જોડાયેલો વિવાદ હોવાથી આ મુદ્દો મીડિયા અને સોશિયલ મીડિયામાં ખૂબ ચગ્યો હતો, જેનો સીધો લાભ લેવા વિપક્ષે કોઈ કસર બાકી રાખી નહોતી.

નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીર એસઆઈટી સામે હાજર થયો | Navnit  Baladhiya Attack Case: Bhavnagar SIT Leads Investigation - Gujarati Oneindia

શા માટે નવનીતે કોંગ્રેસ પસંદ કરી?

નવનીતના કોંગ્રેસ પ્રવેશ બાદ લોકમુખે અનેક ચર્ચાઓ થઈ રહી છે. કદાચ નવનીતને ભાજપમાં મંત્રીઓના ટેકા છતાં લાંબા ગાળાનું ભવિષ્ય કે ટિકિટની ખાતરી ન દેખાઈ હોય. કોંગ્રેસ નવનીત દ્વારા કોળી સમાજના યુવા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી હોય તેવું જણાય છે. શું ભાજપના જ કોઈ જૂથે નવનીતને સાઈડલાઈન કર્યો? અથવા ભાજપમાં માયાભાઈ આહીરના પ્રભુત્વને કારણે નવનીતને ત્યાં ગૂંગળામણ થતી હતી?

નોંધપાત્ર છે કે જે નવનીતને ન્યાય અપાવવા માટે ભાજપના મંત્રીઓએ એડીચોટીનું જોર લગાવ્યું અને જયરાજ આહીરને જેલભેગો કરવામાં મદદ કરી, તે જ નવનીત હવે ભાજપની સામે કોંગ્રેસનો પંજો મજબૂત કરવા મેદાને ઉતર્યો છે. નવનીતનો કોંગ્રેસમાં પ્રવેશ એ આગામી ચૂંટણીઓ પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યો છે. એક તરફ ભાજપના કોળી નેતાઓએ તેને મદદ કરી હતી, તો બીજી તરફ તે જ સમાજની વોટબેંકને કોંગ્રેસ તરફ વાળવા માટે અમિત ચાવડાએ મોટું પત્તું ખેલ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ "ખેસ પરિવર્તન" કોંગ્રેસને કેટલો ફાયદો કરાવે છે.

માયાભાઈ આહિર વિશે શું બોલ્યા હીરા સોલંકી? બગદાણા વાળી બબાલમાં હવે આગળ શું?  વાંચો Exclusive Interview- MLA Hira Solankis shocking revelations on Koli  community Mayabhai Ahir and Bagdana ...

બગદાણા ટ્રસ્ટ મામલે કેવી રીતે શરૂ થયો વિવાદ?

નવનીત બાલધિયા છેલ્લા દિવસોમાં ખાસ કરીને બગદાણા ટ્રસ્ટને લઈને ઉભા થયેલા વિવાદને કારણે ચર્ચામાં આવ્યા. આ વિવાદ ત્યારે વધુ ચર્ચાસ્પદ બન્યો જ્યારે લોકગાયિકા માયા આહીર દ્વારા મુંબઈમાં યોજાયેલા એક ડાયરામાં બગદાણા ટ્રસ્ટ સંબંધિત મુદ્દે એક નિવેદન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ નિવેદન બાદ સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ. કહેવાય છે કે આ નિવેદનને લઈને નવનીત બાલધિયાએ માયા આહીરને ફોન કરીને મામલે માફી માંગવાની માંગણી કરી હતી. આ ફોન કોલનો એક ઓડિયો પછી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો.

વાયરલ ઓડિયો પછી વધ્યો વિવાદ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઓડિયો ક્લિપને કારણે આ મામલો વધુ ગરમાયો. ઓડિયોમાં નવનીત બાલધિયા અને માયા આહીર વચ્ચે થયેલી વાતચીત અંગે અલગ-અલગ દાવા કરવામાં આવ્યા. આ ઓડિયો સામે આવ્યા બાદ બંને પક્ષોને લઈને સમાજના અલગ-અલગ વર્ગોમાં ચર્ચા શરૂ થઈ ગઈ. કેટલાક લોકો આ ઘટનાને સમાજના સ્વાભિમાન સાથે જોડીને જોઈ રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો તેને માત્ર વ્યક્તિગત વિવાદ તરીકે પણ ગણાવી રહ્યા હતા. વાયરલ ઓડિયોના કારણે નવનીત બાલધિયાનું નામ સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચામાં આવ્યું અને ઘણા લોકો તેમના વિશે માહિતી શોધવા લાગ્યા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now