Home Gujarat Jamnagar Laher Lake Two People Drowned

જામનગરના લહેર તળાવમાં બે વ્યક્તિ ડૂબ્યા : પિતા-પુત્રનું મોત, પરિવાર પર ફાટ્યું આભ!

જામનગરના લહેર તળાવમાં બે વ્યક્તિ ડૂબ્યા
Published by: OBS Bureau
Last Updated: Aug 31, 2025, 01:21 PM IST

જામનગર જિલ્લાના નાધેડી નજીક આવેલા લહેર તળાવના પાછળના ભાગમાં બે વ્યક્તિ ડૂબ્યાની વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ, પિતા અને તેમનો 7 વર્ષનો પુત્ર તળાવમાં ડૂબી જતા મોત થયા છે.


ડૂબી જવાથી 2ના મોત

પ્રાથમિક અનુમાન મુજબ, બાળક તળાવમાં રમતા રમતા પાણીમાં પડી ગયો હોય અને તેને બચાવવા પિતા પણ પાણીમાં કુદ્યા હોય, પરંતુ તરતા ન આવડતું હોવાથી બંને પાણીમાં ડૂબ્યાની ચર્ચા છે. જેમાં તળાવમાં ડૂબી જવાથી બંનેના ઘટના સ્થળે જ મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


પોલીસે તપાસ હાથધરી

સ્થાનિક તંત્ર અને પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા બાદ બંનેના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢી, પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ તરફથી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ચોકસાઈપૂર્વક આ સમગ્ર ઘટનાક્રમને લઈને વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.


વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી

આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિક લોકોએ દુઃખ વ્યક્ત કરતાં તળાવ અને પાણીના સ્ત્રોતો નજીક સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવાની માગ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now