ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), જેને સૌથી મજબૂત દળ માનવામાં આવે છે, એણે 2200 કરોડથી વધુના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી લીધો છે. આ ઓપરેશન DIG નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું.
કેવી રીતે પકડાયો હર્ષિત જૈન?
હર્ષિત સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ જાહેર હતી.
દુબઈ પોલીસે તેને લોકેટ કર્યા બાદ SMC સાથે સંકલન કરીને ભારત ડિપોર્ટ કર્યો.
હવે કોના પર સકંજો?
હર્ષિત જૈન પકડાતા હવે સૌરભ ચંદ્રાકર અને અમિત મજેઠિયા સુધી પોલીસે સકંજાનો ઘેરાવો શરૂ કર્યો છે.
અન્ય બુકીઓ પર પણ કડક કાર્યવાહી થવાની સંભાવના.
મોટાભાગના બુકીઓ વિદેશમાં વસે છે અને રાજકીય તથા IPS અધિકારીઓ સાથેના ઘરોબાના કારણે અત્યાર સુધી બચી જતા હતા.
શું છે માધુપુરા સટ્ટાકાંડ?
તારીખ : 28 માર્ચ 2023
સ્થળ : માધુપુરા, અમદાવાદ – સુમિલ કોમ્પ્લેક્સ
2200 કરોડથી વધુના ક્રિકેટ સટ્ટાનો ભાંડાફોડ અમદાવાદ પીસીબીએ કર્યો હતો.
દરોડા દરમ્યાન કબજે કરાયેલ મુદ્દામાલ :
7 મોબાઇલ, 3 લેપટોપ
536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ
14 POS મશીન, 193 સિમકાર્ડ
7 પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા
20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ
રોકડ : ₹3.38 લાખ
કેવી રીતે રમાતો હતો સટ્ટો?
વેલોસિટી સર્વર અને મેટાટ્રેડર એપ દ્વારા ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું.
એજન્ટોની ચેનલ બનાવીને નવી આઈડી સર્જાતી અને લોકો જોડાતા.
આખી ચેનલમાંથી કરોડોના વ્યવહાર થતા.
માસ્ટરમાઇન્ડ દીપક ઠક્કરને પણ SMCએ સપ્ટેમ્બર 2024માં દુબઈથી ઝડપ્યો હતો.
આ ઓપરેશન બાદ ગુજરાત પોલીસે દાવો કર્યો છે કે હવે બાકીના બુકીઓ પણ કાયદાની જાળમાં આવશે.