logo-img
Ganesh Visarjan Program At Lakshmi Vilas Palace

સાદગી સાથે, શાહી ઠાઠમાં ગણેશ વિસર્જનનું આયોજન : મહારાણીએ શીશ ઝુકાવી નમન કરી બાપ્પાને આપી વિદાય

સાદગી સાથે, શાહી ઠાઠમાં ગણેશ વિસર્જનનું આયોજન
Published by: Offbeat Team
| Last Updated: Sep 08, 2025, 08:08 AM IST

વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણપતિ બાપ્પાનું શાહી વિસર્જન કરવામાં આવ્યું. વિશ્વના સૌથી મોટા રહેણાંક મહેલ માનવામાં આવતા આ પેલેસમાં ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા પરંપરા અને ભવ્યતા સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી.

શાહી ધામધૂમ સાથે વિદાય

ગણપતિ બાપ્પાને ઢોલ-નગારા સાથે પાલખીમાં લાવવામાં આવ્યા બાદ, મહેલની અંદર આવેલા તળાવમાં સોનાના દિવાલોની વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું. રાજા, રાણી, રાજમાતા અને રાજકુમારીઓએ પરંપરાગત દેશી વસ્ત્રોમાં હાજરી આપી અને શાહી રીતરિવાજ મુજબ બાપ્પાની આરતી કરીને આગામી વર્ષે પુનઃ આગમન માટે પ્રાર્થના કરી.

રાજવી પરિવારનો દેશી લુક

  • મહારાણી રાધિકારાજે ગાયકવાડ ગુલાબી રેશમી સાડીમાં પરંપરાગત અંદાજ સાથે જોવા મળી.

  • રાજમાતા શુભાંગી રાજે જાંબલી રંગની સોનાની કિનારીવાળી સાડીમાં શાનદાર લાગી.

  • રાજકુમારી પદ્મજા આછા વાદળી રંગના ચિકનકારી કુર્તા અને દુપટ્ટા સાથે સાદગીભર્યા લુકમાં જોવા મળી.

  • મહારાજ સમરજીતસિંહ ગાયકવાડ બેન્ડગાલા વાદળી જેકેટ અને સફેદ ટ્રાઉઝરમાં શાહી દેખાયા.

સાદગીમાં શાહી અંદાજ

ગાયકવાડ પરિવારે પોતાના લુકમાં વધારાની ઝલક ઉમેર્યા વિના સાદગી પર ભાર મૂક્યો. માત્ર બંગડીઓ, બિંદી અને હળવી જ્વેલરી સાથે સૌએ પરંપરાગત સૌંદર્યને ઉજાગર કર્યું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now
Ganesh Visarjan Program At Lakshmi Vilas Palace | સાદગી સાથે, શાહી ઠાઠમાં ગણેશ વિસર્જનનું આયોજન : મહારાણીએ શીશ ઝુકાવી નમન કરી બાપ્પાને આપી વિદાય | Offbeat stories