PM on Gujarat tour : PM નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિરાસર ઍરપોર્ટ હેલિકોપ્ટર મારફતે સીધા સોમનાથ જવા રવાના થયા છે. ઍરપોર્ટ પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને મેયર નયનાબેન પેઠડિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. PM મોદી સોમનાથમાં ઓમકાર જાપમાં ભાગ લેશે. PM મોદી સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે. સાથો સાથ તારીખ 11 અને 12 જાન્યુઆરીએ ગાંધીનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. PM મોદી 5.5 કિમીના મેટ્રો ફેજને લીલી ઝંડી આપશે જેથી ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાને કાર્યરત કરશે.
હિરાસર ઍરપોર્ટ પર કરાવ્યું ભવ્ય સ્વાગત
ગીર સોમનાથ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા. 08થી તા. 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાંPM નરેન્દ્રભાઈ મોદી સહભાગી થનારા છે. જે નિમિત્તે તા. 10ના રોજ હીરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર PM નરેન્દ્રભાઈ મોદીનું આગમન થતાં તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રી વરજી બાવળિયા, મેયર નયનાબેન પેઢડીયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઇન્ચાર્જ ડી.જી.પી. ડો. કે. લક્ષ્મીનારાયણ રાવ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, કલેક્ટર ડો. ઓમપ્રકાશ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથ જવા રવાના થયા હતાં.
11 જાન્યુઆરીના કાર્યક્રમ
સવારે 9.45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે
સવારે 10.15 કલાકે દર્શન-પૂજા
સવારે 11 વાગ્યે સ્વાભિમાન પર્વ
બપોરે 1.30 કલાકે રાજકોટ પહોંચશે
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું કરશે ઉદ્ધાટન
11 જાન્યુઆરી સાંજે 5.15 કલાકે અમદાવાદ પહોંચશે
12 જાન્યુઆરીના કાર્યક્રમ
મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ફેઝ-2 ઉદ્ધાટન કરશે
12 જાન્યુઆરી સવારે 9.30 કલાકે જર્મન ચાન્સેલરને મળશે
સાબરમતી આશ્રમની મુલાકાત લેશે વડાપ્રધાન
12 જાન્યુઆરી સવારે 10 વાગ્યે કાઈટ ફેસ્ટિવલ રિવરફ્રન્ટ
12 જાન્યુઆરીએ સવારે 11.15 કલાકે દ્વિપક્ષીય બેઠક
મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક





















