Home Gujarat Spokesperson Minister Jitu Vaghani Gave Information About The Celebration Of Vande Mataram150

‘વંદે માતરમ@150’ ઉજવણી કરાશે' : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી વિગતે માહિતી

‘વંદે માતરમ@150’ ઉજવણી કરાશે'
Published by: OBS Bureau
Last Updated: Nov 05, 2025, 12:37 PM IST

ગુજરાત સરકાર તરફથી ‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતાં જણાવ્યું કે, આ ઐતિહાસિક અવસરને ધ્યાનમાં રાખીને 7 નવેમ્બરથી રાજ્યભરમાં વિશેષ કાર્યક્રમો યોજાશે.

સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો

વાઘાણીએ જણાવ્યું કે 7 નવેમ્બરનાં રોજ સવારે 9:30 કલાકે મુખ્યમંત્રી વિધાનસભામાં ઉપસ્થિત રહી ‘વંદે માતરમ’ ગીતનું મૂળરૂપે ગાન કરશે. મુખ્યમંત્રી સચિવાલય ખાતેથી કાર્યક્રમમાં જોડાશે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં મંત્રીઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

‘વંદે માતરમ@150’ ઉજવણી કરાશે

પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે 7 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી રાજ્યભરના શાળા અને કોલેજોમાં ‘વંદે માતરમ@150’ ઉજવણી યોજાશે. આ કાર્યક્રમો દ્વારા યુવાનોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય અને રાષ્ટ્રગીત પ્રત્યે ગૌરવભાવ વિકસે તે હેતુ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર મુજબ, આ કાર્યક્રમો માત્ર એક ઉજવણી નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપનાર મહોત્સવ રહેશે, જેમાં સમાજના તમામ વર્ગોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ