Home Gujarat Sapteshwar Mahadev Temple In Gujarat Mystery

સપ્તર્ષિ તારાઓની જેમ ગોઠવણી ધરાવતું મંદિર! : જાણો ગુજરાતના આ અનોખા મંદિર વિશે

સપ્તર્ષિ તારાઓની જેમ ગોઠવણી ધરાવતું મંદિર!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Sep 18, 2025, 06:27 AM IST

શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું શિવ મંદિર છે. જ્યાં સાત શિવલિંગ આકાશના સપ્તર્ષિ તારાઓની જેમ ગોઠવાયેલા છે? આ વાત છે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં અરસોડિયા ગામ નજીક આવેલા શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિરની!

આ ઐતિહાસિક શિવાલય ત્રેતાયુગ સાથે જોડાયેલું છે, જ્યાં કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર સહિત સાત ઋષિઓએ તપસ્યા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી. ડેભોલ અને સાબરમતી નદીના સંગમ પર આવેલું આ મંદિર ધાર્મિક અને ખગોળીય મહત્વ ધરાવે છે, જ્યાં ગૌમુખમાંથી સતત નદીના પાણીની જળધારા શિવલિંગ પર વહે છે. દર્શન માટે ભક્તોને પાણીમાં ડૂબીને જવું પડે છે, જે આ સ્થળને અનોખું બનાવે છે. અમદાવાદથી માત્ર 100 કિલોમીટર દૂર આ રહસ્યમય સ્થળ પર્યટકો અને ભક્તોને આકર્ષે છે. આજે પણ શિવલિંગ પર સતત જળાભિષેક કરતું પાણી ક્યાંથી આવે છે એ મોટા-મોટા વૈજ્ઞાનિકો નથી જાણી શક્યા!

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now