Home Gujarat Girl Child M Case In Raipur Gandhinagar

ગાંધીનગરના રાયપુરમાં બાળકી હત્યા કેસ : પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર,

ગાંધીનગરના રાયપુરમાં બાળકી હત્યા કેસ
Published by: OBS Bureau
Last Updated: Nov 15, 2025, 02:51 PM IST

Gandhinagar Crime News : ગાંધીનગરના રાયપુર વિસ્તારમાં બનેલા બાળકી હત્યા કેસમાં પોલીસે આરોપી અનિલ દંતાણીને સાથે રાખીને ઘટનાનું વિગતવાર રિકન્સ્ટ્રક્શન કર્યું છે. પોલીસ તપાસ મુજબ, રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ બાળકીનું અપહરણ કેવી રીતે કર્યું, ત્યારબાદ તેની હત્યા કેવી રીતે નિપજાવી અને આરોપ મુજબ ઘટનાના પછી તેણે શું પગલાં લીધા તે સંબંધિત મહત્વની વિગતો બહાર આવી છે.

અનિલ દંતાણીને લઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

પોલીસે આરોપીને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ સમજવાની કોશિશ કરી કે બાળકીનું અપહરણ થયા બાદ તેણે કઈ રીતે આગળની ચાલ ચલાવી. આરોપ મુજબ, ઘટનાને અંજામ આપ્યા પછી તેણે થોડો સમય રાહ જોઈ અને ત્યારબાદ લાશને ઠેકાણે લગાવવાનો પ્રયાસ કર્યો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે એ પણ જાણ્યું કે બાળકીની લાશ ઘરની બાજુમાં આવેલી ઓસરીમાં કેમ મૂકી, તે અંગે આરોપીની પાસેથી માહિતી મેળવી.

આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસે રિકન્સ્ટ્રક્શન પૂર્ણ કર્યા બાદ આરોપી અનિલ દંતાણીને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતા. પોલીસે કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેથી વધુ વિગત મેળવી શકાય અને ઘટના પાછળની પૂરતી કડી બહાર આવી શકે. કોર્ટએ પોલીસની માંગના પગલે ૩ દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે. હવે આગામી ત્રણ દિવસ દરમિયાન પોલીસે કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી બાળકીની હત્યા પાછળનાં તમામ કારણો, પરિસ્થિતિઓ અને સંભવિત પુરાવાઓ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ