Home Gujarat Farmers Will Benefit Greatly After Gst Reduction

GST ઘટાડા પછી ખેડૂતોને થશે મોટો લાભ : ટ્રેક્ટર, જંતુનાશક દવાઓ તેમજ આ વસ્તુ થશે સસ્તી!, રાજ્ય સરકારે પણ આપી મોટી રાહત

GST ઘટાડા પછી ખેડૂતોને થશે મોટો લાભ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 10, 2025, 12:25 PM IST

વિધાનસભા ખાતે જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા કરાયેલા જી.એસ.ટી રીફોર્મ્સથી કૃષિ ક્ષેત્રને ખૂબ જ મોટી રાહત મળી છે. કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન એટલે ટ્રેક્ટર પર લેવામાં આવતા 12 ટકા તેમજ ટ્રેક્ટરના ટાયર્સ અને અન્ય પાર્ટ્સ પર લેવામાં આવતા 18 ટકા જીએસટી દરને ઘટાડી હવે 5 ટકા કરવામાં આવ્યો છે. જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો થશે. આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકારની રૂ. 1,00,000 સબસીડી ઉપરાંત અંદાજીત બીજા રૂ.35 થી 45 હજાર જેટલો ફાયદો થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ખેડૂતોને ટ્રેક્ટર સહિતના બીજા કૃષિ સાધનો માટે સહાય આપવામાં આવે છે. નવા જીએસટી રિફોર્મ્સથી કૃષિ યાંત્રિકીકરણના સાધનોની ખરીદી પર ખેડૂતોને મોટો લાભ થશે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા જીએસટીના નવા દર પ્રથમ નવરાત્રી એટલે કે તા. 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. જેથી રાજ્યની કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ સહાય મેળવતા મહત્તમ ખેડૂતોને જીએસટીના નવા દરનો પણ લાભ મળે તે માટે રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ખરીદીની સમય મર્યાદામાં કર્યો વધારો

નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા મંત્રી પટેલે કહ્યું હતું કે, કૃષિ યાંત્રીકીકરણ યોજનાઓ હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારો/સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે. જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનો ખરીદીની સમય મર્યાદા આગામી તા. 22 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થવામાં છે અથવા પૂર્ણ થઈ ગઈ છે. આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદાને તા. 22 સપ્ટેમ્બરથી અગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગુજરાતના અંદાજે એક લાખ જેટલા ખેડૂતોને ખરીદીની તક મળવા સાથે જીએસટી દરમાં સુધારાનો મહત્તમ ૩૫ થી ૪૫ હજાર જેટલો નાણાકીય લાભ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

જંતુનાશક દવાઓ પરના 12 ટકા જીએસટીને ઘટાડીને 5 ટકા કરાયો

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ યાંત્રિકીકરણ માટે વપરાતા વિવિધ સાધનો અને ઓજારો પર અગાઉ લેવામાં આવતો 12 ટકા જીએસટી તેમજ સિંચાઈ ક્ષેત્રે સૂક્ષ્મ પિયત પદ્ધતિ માટેના જરૂરી ડ્રીપ અને સ્પ્રિંકલર સાધનો પરના 12 ટકા જીએસટી દરને ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે કૃષિ ઓજારો અને સિંચાઈના સાધનોના ભાવોમાં ઘટાડો થશે. તેવી જ રીતે, સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જંતુનાશક દવાઓ પર પણ અગાઉ લેવામાં આવતા 12 ટકા જીએસટી દર તેમજ રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂરી એમોનિયાઅને સલ્ફ્યુરિક એસિડ પર લેવામાં આવતા 18 ટકા જીએસટી દરને પણ સુધારીને માત્ર 5 ટકા કરવામાં આવ્યો છે. જેથી ઘરઆંગણે રાસાયણિક ખાતરના ઉત્પાદનને વેગ મળશે અને ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાંખાતર ઉપલબ્ધ કરાવવામાં સરળતા પ્રાપ્ત થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો: રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો મોરચો, 35ની અટકાયત

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો
Play Video

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!: સમા-ચેતક બ્રિજ પાસે ગેસ લાઈનમાં બ્લાસ્ટ જેવો માહોલ, આકાશમાં ઉંચે સુધી જ્વાળાઓ દેખાઈ

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ: ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભાજપાની મહત્વની બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?: ગાંધીનગર: પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની સૌથી પાવરફૂલ 'કોર ગ્રુપ'ની જાહેરાત

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું': કોંગી મહિલા નેતા જેની ઠુમ્મરના ભાજપ અધ્યક્ષ પર આકરા પ્રહારો

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું'

પરિવર્તનનો શંખનાદ: ભાજપના 'ભાગલા પાડો'ની નીતિ સામે કોંગ્રેસનો હુંકાર; અનેક અગ્રણીઓ પંજા સાથે જોડાયા!

પરિવર્તનનો શંખનાદ

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ: હિંમતનગરના રાયગઢમાં ફૂડ વિભાગના દરોડા, મોટા પાયે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: મોબાઈલ ચોર ગેંગના 4 સાગરીતો ઝડપાયા, 105 ફોન રિકવર

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!
Play Video

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર: પરિવર્તનના પવન વચ્ચે ચાર ઝોનમાં નવા ચહેરાઓનો વિજય, દિગ્ગજોની હાર

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર
Play Video

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ: કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક, પણ ખેડૂતોમાં ફફડાટ

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ
Play Video

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી: લગ્ન, વારસો અને લિવ-ઈન માટે આવશે નવા કડક નિયમો!

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના ટ્રાન્સફર: જાણો કયા અધિકારીને ક્યાં મુકાયા?

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના  ટ્રાન્સફર

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!: 18 આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન, ગુંડાઓમાં ફફડાટ

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!
Play Video

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!: બનાસકાંઠાના આ ગામે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે હિંસક અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!

સમગ્ર ઘટના CCTVમાં કેદ: દિયોદરમાં ધોરણ-12ની પરીક્ષા આપી બહાર નીકળેલા વિદ્યાર્થી પર છરી વડે હિંસક હુમલો

સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ: ટ્રાફિક પોલીસ માટે 'કૂલિંગ જેકેટ્સ' ની નવી વ્યવસ્થા

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ

ગુજરાત એસ.ટી.ની જનસેવામાં નવો સુવર્ણ અધ્યાય!: CM ભૂપેન્દ્ર પટેલ અને Dy CM હર્ષ સંઘવીના હસ્તે 182 નવી બસોનું ભવ્ય લોકાર્પણ!

ગુજરાત એસ.ટી.ની જનસેવામાં નવો સુવર્ણ અધ્યાય!

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ ચૌધરી સમાજનું અલ્ટીમેટમ!: દીકરીને પરત લાવવા ઉગ્ર માંગ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ ચૌધરી સમાજનું અલ્ટીમેટમ!

AI સેક્ટરના સ્ટાર્ટઅપ્સને મળશે 1 કરોડ સુધીની સહાય: યુવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં તૈયાર કરાશે 'Sovereign AI પાર્ક'

AI સેક્ટરના સ્ટાર્ટઅપ્સને મળશે 1 કરોડ સુધીની સહાય

'ચૈત્રી નવરાત્રી' પર્વે ઉમટશે આસ્થાનો મહેરામણ: પાવાગઢમાં તંત્રની મેગા ડ્રાઈવ, વડોદરાના બહુચરાજી મંદિરે દર્શનના સમયમાં ફેરફાર

'ચૈત્રી નવરાત્રી' પર્વે ઉમટશે આસ્થાનો મહેરામણ