Earthquake : કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાઓ આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સવારે રાપર તાલુકાના ધોળાવીરા વિસ્તારમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં થોડી ક્ષણ માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના ઘરોમાં ઘરમાં ખખડ્યા હતા
2.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો
પ્રાપ્ત માહિતી મુજબ, ધોળાવીરાથી આશરે 41 કિલોમીટર દૂર 2.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરા ફોલ્ટ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે. આ આંચકો આજે વહેલી સવારે 3.05 કલાકે ગાંધીનગર સ્થિત સીસમોલોજી યંત્ર પર નોંધાયો હતો.
લોકોમાં ડરનો માહોલ
ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી. જોકે, વહેલી સવારે આંચકો અનુભવાતા કેટલાક લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. કચ્છ વિસ્તારમાં અગાઉ પણ ભૂકંપના આંચકા આવતાં રહ્યા હોવાથી સીસમોલોજી વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ધરતીકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.





















