મહેસાણા જિલ્લામાં આજે એક મોટો અકસ્માત ટળી ગયો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા પોતાના સુરક્ષા કાફલા સાથે પાનલપુરથી અમદાવાદ જઇ રહ્યા હતા. આ દરમિયાન નંદાસણ નજીક તેમની બુલેટ પ્રૂફ સ્કોર્પિયો કારનું અચાનક ટાયર ફાટી ગયું હતું.
સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ અને ડૉ. પ્રવીણ તોગડિયા સંપૂર્ણ સલામત રહ્યા. ઘટનાની જાણ થતાં જ નંદાસણ પોલીસે ઘટના સ્થળે કાફલો તૈનાત કર્યો અને ગાડીને સુરક્ષા પૂરી પાડી. ટાયર ફાટ્યા બાદ તોગડિયાને તરત જ બીજી એસ્કોર્ટ ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા, જેથી તેઓ સુરક્ષા કાફલા સાથે અમદાવાદ માટે રવાના થયા. મોટી દુર્ઘટનાથી એક મોટો ખતરો ટળતા, સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
ભાજપનો સૌથી કટ્ટર વિરોધી ગણાતો નવનિત બાલધિયા કોણ છે?: ચૂંટણીમાં કેમ ગુજરાત કોંગ્રેસ માટે બની શકે છે હુકમનો એક્કો






