Home Gujarat Cold Wave Worsens In Gujarat

ગુજરતમાં વધ્યો ઠંડીનો પ્રકોપ : આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ, નલિયા શહેરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરતમાં વધ્યો ઠંડીનો પ્રકોપ
Published by: OBS Bureau
Last Updated: Nov 16, 2025, 07:36 AM IST

ગુજરતમાં શિયાળાની અસર દિવસે દિવસે વધી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટતા લોકો ઠંડીનો તીવ્ર અનુભવ કરી રહ્યા છે. સતત બીજા દિવસે પણ કચ્છનું નલિયા શહેર 14 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે.

ગુજરતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાપમાનના આંકડા મુજબ આજે અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 થી 17 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. રાજકોટમાં 14.5 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી, અમરેલીમાં 15.2 ડિગ્રી, ભાવનગર અને અમદાવાદમાં 16.6 ડિગ્રી નોંધાયું છે. અન્ય શહેરોમાં કંડલા એરપોર્ટ 14.6, કેશોદ 14.7, ડીસા 15.3, મહુવા 15.6, દીવ 15.8, પોરબંદર 16.4, સુરેન્દ્રનગર 17.0, વલ્લભ વિદ્યાનગર 17.2, જ્યારે સુરતમાં 18.6 અને વેરાવળમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

7 દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે

આગામી 7 દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર-પૂર્વ દિશાના ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રીનો વધુ ઘટાડો થઈ શકે છે. ઠંડીની આવક વધતા લોકોમાં ગરમ કપડાં અને ગરમ પીણાંની માંગ પણ વધી રહી છે. રાજ્યમાં શિયાળાની શરૂઆત જોર પકડી રહી છે અને આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધુ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ