Ahmedabad Traffic : અમદાવાદમાં શહેરમાં વધતા ટ્રાફિક ભારણ વચ્ચે એક મહત્વના અને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. શાહીબાગ અંડરબ્રિજ 12 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય હમણાં મોકુફ રખાયો છે.
શાહીબાગ અંડરબ્રિજ નિયમિત રીતે ચાલુ રહેશે
ભારત સરકારના હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં આવેલા શાહીબાગ અંડરબ્રિજ ખાતે તૈયાર કરાયેલા પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી હાથ ધરવાની હતી. આ કામગીરીના કારણે શાહીબાગ અંડરબ્રિજ પર તા.12/01/2026 દરમિયાન વાહન વ્યવહાર બંધ રાખવાની જાણકારી અગાઉ પ્રેસનોટ દ્વારા જાહેર જનતાને આપવામાં આવી હતી. પરંતુ અગમ્ય કારણોસર હાલ આ કામગીરી અસ્થાયી રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે શાહીબાગ અંડરબ્રિજ પર વાહન વ્યવહાર અગાઉની જેમ નિયમિત રીતે ચાલુ રહેશે.
કોઈપણ પ્રકારનો ટ્રાફિક પ્રતિબંધ લાગુ રહેશે નહીં
અમદાવાદવાસીઓને ટ્રાફિકમાંથી થોડી રહાત મળી છે. મહત્વનું છે કે હાલ શાહીબાગ અંડરબ્રિજ પર કોઈપણ પ્રકારનો ટ્રાફિક પ્રતિબંધ લાગુ રહેશે નહીં અને સામાન્ય રીતે અવર-જવર કરી શકાશે.




















