logo-img
Rescue Of 9 People Trapped In The River In Ratanpura Village In Sabarkantha

સાબરકાંઠામાં નદી-નાળા છલકાયા! : રતનપુરા ગામે નદીમાં ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યુ

સાબરકાંઠામાં નદી-નાળા છલકાયા!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 07, 2025, 05:27 AM IST

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળામાં આવેલા પૂરથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રતનપુરા ગામે સાબરમતી નદીમાં ફસાયેલા 9 લોકોનું NDRF દ્વારા રેસ્ક્યુ કરાયું છે.

રતનપુરા ગામે નદીમાં ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યુ

અત્રે જણાવીએ કે, સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુરા ગામે સાબરમતી નદીના મધ્યમાં કેટલાક લોકો ફસાઈ ગયા હોવાની જાણકારી સ્થાનિક વહીવટીતંત્રને મળી હતી. જે જાણકારી મળતા જ હિંમતનગર ખાતે તહેનાત 06 બટાલિયન NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે પુરની વચ્ચે ફસાયેલા કુલ 9 નાગરિકો – જેમાં 2 પુરુષ, 4 મહિલાઓ અને 3 બાળકોનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો.

સાંજના 6થી સવારના 4 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ?

કપરાડા- 10.00 ઈંચ

પોશીના- 5.79 ઈંચ

ધરમપુર- 4.88 ઈંચ

રાધનપુર-6.61 ઈંચ

ઉમરગામ-4.33 ઈંચ

ભચાઉ- 4.13 ઈંચ

સાંતલપુર- 3.70 ઈંચ

કડી- 3.58 ઈંચ

બોટાદ- 3.50 ઈંચ

સાણંદ- 3.43 ઈંચ

દાંતા-3.43 ઈંચ

પાલનપુર- 3.43 ઈંચ

પડધરી- 3.43 ઈંચ

તલોદ- 3.19 ઈંચ

પાટણ-3.11 ઈંચ

સતલાસણા- 3.7 ઈંચ

ખેડબ્રહ્મા- 3.11 ઈંચ

પ્રાંતિજ-2.99 ઈંચ

ટંકાર- 2.87 ઈંચ

સિદ્ધપુર- 2.87 ઈંચ

લાખાણી- 2.83 ઈંચ

જામકંડોરણા- 2.83 ઈંચ

મહેસાણા- 2.72 ઈંચ

ધાનેરા- 2.72 ઈંચ

પારડી- 2.68 ઈંચ

રાપર- 2.68 ઈંચ

બાયડ- 2.68 ઈંચ

ભિલોડા- 2.64 ઈંચ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now