PM Modi on Gujarat tour : ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાનો પ્રારંભ થવા જઈ રહી છે. PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. હવે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે
PM મોદી આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગાંધીનગર જવા રવાના થયા છે, જ્યાં તેઓ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન થોડીવારમાં મહાત્મા મંદિર પહોંચેશે. તેમના આગમનને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં વડાપ્રધાનના સ્વાગત માટે ‘જય સોમનાથ’ના નારા ગૂંજ્યા હતા.
MLA રીટાબેન પટેલ સહિતના કાર્યકરો ગરબે ઘૂમ્યા
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિસ્તારના ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. વડાપ્રધાનના સ્વાગત માટે કાર્યકરોએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી હતી અને ગરબે ઘૂમીને આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું.
લોકોમાં ભારે ઉત્સાહ
PM મોદીને પહોંચવામાં મોડું થવાની આશંકાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક હેલોજન લાઇટ મંગાવવામાં આવી હતી, જેથી કાર્યક્રમમાં કોઈ અડચણ ન આવે. આ સમગ્ર ઘટનાક્રમથી ગાંધીનગરમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતા.




















