Home Gujarat Pm Narendra Modi Loudly Proclaims Invincible Indian Cultural Values At Somnath Swabhiman Parv

સોમનાથમાં અજેય ભારતનો જયઘોષ : PM મોદીએ શૌર્ય યાત્રા અને 1000 વર્ષની અડગ આસ્થાનું કર્યું ગૌરવગાન

સોમનાથમાં અજેય ભારતનો જયઘોષ
Published by: Offbeat Team
| Last Updated: Jan 11, 2026, 10:42 AM IST

Somnath Swabhiman Parva: PM નરેન્દ્ર મોદીએ અરબી સમુદ્ર કિનારે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિર પર વિધર્મી આક્રાંતાઓ થયેલા હુમલાને એક હજાર વર્ષ અનુસંધાને યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઇ અજેય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો જયઘોષ કર્યો હતો. તેમણે શૌર્યસભામાં બુલંદ સ્વરે જણાવ્યું છે કે, પાછલા એક હજાર વર્ષ આગામી દશકો સુધી ભારતનું ભવિષ્ય ઘડવાની શીખ આપે છે. સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક કેન્દ્ર નથી, પરંતુ ભારતની અડગ આસ્થા, સ્વાભિમાન અને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે. સોમનાથનો ઇતિહાસ ભૂલવાનો પ્રયાસ થયો હતો. તેનો ઇતિહાસ વિનાશ અને પરાજયનો ઇતિહાસ નથી, પરંતુ વિજય અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે.

PM કહ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા હુમલાથી બોધ મળે છે કે તલવારની ધાર ઉપર કોઈના હૃદય જીતી શકાતા નથી. જો સભ્યતા બીજાને કચડીને આગળ વધવા માંગતી હોય તો તે પોતે જ સમયના કાળખંડમાં ખોવાઈ જાય છે. સર્જનનો માર્ગ લાંબો હોય છે પણ ચિરકાલીન હોય છે એમ કહીને PM એ જણાવ્યું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ વિનાશના સ્મરણ માટે નહીં, પરંતુ હજારો વર્ષની અડગ યાત્રા અને પુનર્નિર્માણની પરંપરાનો ઉત્સવ છે. જેમ સોમનાથ પર વારંવાર આક્રમણો થયા, તેમ ભારત પર પણ વિદેશી આક્રમણકારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા, છતાં ન તો સોમનાથ નષ્ટ થયું અને ન તો ભારત, કારણ કે ભારતની આત્મા અને તેની આસ્થાના કેન્દ્રો અવિનાશી છે.

ભગવાન સોમનાથ સમક્ષ વિધિવિધાન પૂર્વક પૂજા-અર્ચના કરી

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પોતાના પ્રવાસના દ્વિતીય દિને PM નરેન્દ્ર મોદીએ ભગવાન સોમનાથ સમક્ષ વિધિવિધાન પૂર્વક પૂજા-અર્ચના કરી હતી. તે પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જીતુભાઇ વાઘાણી સાથે શૌર્ય યાત્રા યોજી હતી. 108 અશ્વો અને કેસરી સાફાધારી અસવારોની કૂચ સાથે નીકળેલી શૌર્ય યાત્રા દરમિયાન PM સહિતના મહાનુભાવોએ ભાવિકોનું અભિવાન ઝીલ્યું હતું.

સોમનાથ મંદિરના રક્ષણ માટે શહીદી વ્હોરનારા વીર હમીરજી

દેશની અસ્મિતાના પ્રતીક સમા સોમનાથ મંદિરના રક્ષણ માટે શહીદી વ્હોરનારા વીર હમીરજી અને ભગ્ન મંદિરના પુનરોત્થાન કરાવનારા સરદાર પટેલને પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સોમનાથનો ઈતિહાસ પરાજયનો નહીં પરંતુ વિજય, ધૈર્ય, ત્યાગ અને પુનર્નિર્માણનો ઈતિહાસ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આટલી સદીઓની અડગ આસ્થા અને સંસ્કૃતિ પર વિશ્વના ઈતિહાસમાં વિરલ ઉદાહરણો જ મળે છે અને આવનારી પેઢીઓએ આ વિરાસતને ગૌરવ સાથે આગળ વધારવી એ આપણું કર્તવ્ય છે.

સોમનાથ મંદિર પર ગઝનવીથી લઈને ઔરંગઝેબ સુધી અનેક આક્રમણકારોએ હુમલા કર્યા, પરંતુ તેઓ સનાતન પરંપરાની મૂળ આત્માને સમજી શક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે ‘સોમનાથ’ નામમાં જ ‘સોમ’ એટલે અમૃતનો ભાવ સમાવાયેલો છે અને અહીં સ્થિત મહાદેવ ચૈતન્ય, કલ્યાણકારી તથા અવિનાશી શક્તિનું પ્રતિક છે.

PM એ જણાવ્યું હતું કે સોમનાથમાં વિરાજમાન ભગવાન શિવ ‘મૃત્યુંજય’ છે, જેમણે મૃત્યુને જીત્યું છે અને જે સમગ્ર સૃષ્ટિના સર્જન, પાલન અને લયના આધાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતની આસ્થા એવી છે કે અહીં કણ-કણમાં શિવનું દર્શન થાય છે, તેથી કોઈપણ આક્રમણ આ આધ્યાત્મિક ચેતનાને નષ્ટ કરી શક્યું નથી.

સમયચક્ર સાક્ષી છે કે જે તાકાતો સોમનાથને નષ્ટ કરવાની મનોવૃત્તિ સાથે આવી હતી, તે આજે ઇતિહાસના પાનાઓમાં સીમિત રહી ગઈ છે, જ્યારે સોમનાથ મંદિર આજે પણ સમુદ્ર કિનારે ગગનચુંબી ધર્મધ્વજા સાથે અડગ ઊભું છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર ભૂતકાળના ગૌરવનો ઉત્સવ નહીં

PM એ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર ભૂતકાળના ગૌરવનો ઉત્સવ નહીં, પરંતુ તીર્થ પરંપરાને ભવિષ્ય માટે જીવંત રાખવાનો અવસર છે.

PM એ આઝાદી બાદના સમયગાળાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સોમનાથના પુનર્નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલો સંકલ્પ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક હતો. તેમણે જણાવ્યું હતું કે1951માં મંદિરના પુનર્નિર્માણ સમયે અનેક અવરોધો ઊભા કરાયા હતા, છતાં જામ સાહેબ મહારાજા દિગ્વિજયસિંહજી જેવા મહાનુભાવોએ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

PM એ ચેતવણી આપી હતી કે આજે પણ દેશવિરોધી અને વિભાજનકારી તાકાતો નવા સ્વરૂપોમાં સક્રિય છે. તેમણે દેશવાસીઓને એકતા, સતર્કતા અને શક્તિ સાથે આગળ વધવાની અપીલ કરતાં કહ્યું હતું કે પોતાની આસ્થા, મૂળ અને વારસાને મજબૂતીથી જાળવી રાખવાથી જ ભારત આવનારા હજાર વર્ષ માટે પણ સશક્ત બની રહેશે.

આક્રમણકારોની માનસિકતા પર પ્રહાર

PM એ આક્રમણકારોની માનસિકતા પર પ્રહાર કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે,1000 વર્ષ પહેલાં અતતાયીઓએ આપણને જીતી લીધા હોવાનો ભ્રમ સેવ્યો હતો, પરંતુ આજે સોમનાથ પર લહેરાતી ધજા ભારતની અજેય શક્તિ અને સામર્થ્યનો પુરાવો આપી રહી છે. આ ધ્વજા સમગ્ર સૃષ્ટિને ભારતની સંકલ્પશક્તિનો સંદેશ આપી રહી છે. સોમનાથ મહાદેવના આશીર્વાદથી ભારત આજે તેના ભવ્ય વારસા અને સ્વાભિમાન સાથે વિશ્વ સમક્ષ અડીખમ ઊભું છે.

શૌર્ય સભાને સંબોધતા PM એ 1000 વર્ષ પૂર્વેના ઇતિહાસનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, આપણી આસ્થા અને શ્રદ્ધાના રક્ષણ માટે આપણા પૂર્વજોએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. પ્રભાસ પાટણની આ પવિત્ર ભૂમિનો કણ-કણ પૂર્વજોના શૌર્ય, પરાક્રમ અને વીરતાનો જીવંત સાક્ષી રહ્યો છે. સંસ્કૃતિના ધ્વજધારકો અને શિવભક્તોએ સોમનાથના ગૌરવ માટે આપેલા બલિદાનને કારણે જ આજે આપણી સંસ્કૃતિ અખંડ રહી છે.

PM એ જણાવ્યું હતું કે, ભારત માટે આગામી હજાર વર્ષનું તેમનું વિરાટ સ્વપ્ન તેમણે દેશ સમક્ષ મૂક્યું છે અને દેવથી દેશના વિઝન સાથે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે આજે દેશનું સાંસ્કૃતિક પુનર્જાગરણ કરોડો દેશવાસીઓમાં નવો આત્મવિશ્વાસ જગાવી રહ્યું છે. આજે વિકસિત ભારત અંગે દરેક નાગરિકના મનમાં દૃઢ વિશ્વાસ છે.

140 કરોડ ભારતીયો ભવિષ્યના લક્ષ્યોને લઈને સંકલ્પબદ્ધ છે એમ જણાવીને PM એ કહ્યું હતું કે, ભારત પોતાના ગૌરવને નવી ઊંચાઈએ લઈ જશે, ગરીબી સામેની લડાઈમાં વિજય પ્રાપ્ત કરશે અને વિકાસની નવી સિદ્ધિઓ હાંસલ કરશે. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય અને ત્યારબાદની યાત્રા માટે દેશ સંપૂર્ણ રીતે તૈયાર છે એમ તેમણે ઉમેર્યું હતું.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના અને માધવપુર મેળાની વધતી લોકપ્રિયતા

સોમનાથ મંદિરનો સાંસ્કૃતિક વિસ્તાર, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના અને માધવપુર મેળાની વધતી લોકપ્રિયતાથી ભારતની વિરાસત વધુ મજબૂત બની રહી હોવાનો ઉલ્લેખ કરીન PM એ કહ્યું હતું કે, આજનું ભારત 'વિરાસતથી વિકાસ'ની પ્રેરણા લઈને આગળ વધી રહ્યું છે અને સોમનાથમાં 'વિકાસ પણ, વિરાસત પણ'ની ભાવના સતત સાકાર થઈ રહી છે.

PM એ ઉમેર્યું હતું કે ગીર સિંહના સંરક્ષણથી આ વિસ્તારનું કુદરતી આકર્ષણ વધ્યું છે અને પ્રભાસ પાટણ ક્ષેત્રમાં વિકાસના નવા આયામો સર્જાઈ રહ્યા છે. કેશોદ એરપોર્ટના વિસ્તરણથી દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સીધા સોમનાથ સુધી પહોંચી શકશે, જ્યારે અમદાવાદ–વેરાવળ વંદે ભારત ટ્રેનના પ્રારંભથી તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓનો સમય બચી રહ્યો છે. ઉપરાંત, યાત્રાધામ સર્કિટના વિકાસથી આધ્યાત્મિક પ્રવાસને નવી ગતિ મળી રહી છે.

અંતમાં PM એ સોમનાથ સ્વાભિમાન પર્વને વિરાસત, આધ્યાત્મિકતા અને ગૌરવના સંગમ તરીકે ઓળખાવતા કહ્યું ,આ આયોજનમાં માત્ર ઉત્સવ નથી પરંતુ આત્મગૌરવની અનુભૂતિ છે. મહાદેવના સાનિધ્યમાં આ ભવ્ય અને દિવ્ય આયોજન દ્વારા નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના સામર્થ્ય અને શૌર્યના દર્શન થઇ રહ્યા છે. આ તકે PM એ ઉપસ્થિત ભાવિકોને 'હર હર મહાદેવ' ના જયઘોષ સાથે આસ્થાના આ મહોત્સવમાં જોડવા આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ સ્વાભિમાન પર્વને રાષ્ટ્રના આત્મસન્માન અને અતૂટ આસ્થાનું પર્વ ગણાવતા જણાવ્યું હતું કે, 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવું સોમનાથ મંદિર આપણી આસ્થા, આત્મસન્માન અને અડગ સંકલ્પનું પ્રતિક તો છે જ, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલું સોમનાથ સ્વાભિમાન પર્વ આસ્થાની નવી ઊંચાઈઓ સર કરશે.

છેલ્લા એક હજાર વર્ષમાં થયેલા અનેક આક્રમણો આપણી આસ્થાને તોડી શક્યા નથી

છેલ્લા એક હજાર વર્ષમાં થયેલા અનેક આક્રમણો આપણી આસ્થાને તોડી શક્યા નથી એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સોમનાથની અખંડ આસ્થાના પ્રતિક એવા ભગવાન સોમનાથ આજે પણ બિરાજમાન છે. એટલું જ નહીં, વીર હમીરજી ગોહિલ, ચૌલા દેવી, વેગડા ભીલ જેવા શૂરવીરોએ આપેલા બલિદાન આજે પણ આપણે સૌ ગૌરવભેર યાદ કરીએ છીએ.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 'સ્વ'ના ઉત્કર્ષ માટે કાર્યરત એવા વિશ્વ આખાયના પ્રયાસો વચ્ચે PM નરેન્દ્ર મોદીએ સોમનાથ દાદાના રક્ષણ માટે સમર્પિત શૂરવીરોની શહાદતને આ 'સ્વાભિમાન પર્વ'ના માધ્યમથી યાદ કરી છે.

સોમનાથ મંદિરના પુનરોત્થાનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 1000 વર્ષ પહેલા દેશની અસ્મિતા પર થયેલા આક્રમણ સામે અડીખમ રહેલા સ્વાભિમાની યોદ્ધાઓના શૌર્યની જ્યોત કરોડો દેશવાસીઓના દિલમાં સ્મરણરૂપે પ્રજવલિત રહે અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ભાવ વધુ મજબૂત કરવાના ગૌરવગાનનો અવસર નરેન્દ્ર મોદીએ આપણને આપ્યો છે તે આપણા સૌ માટે ગૌરવરૂપ ઘટના છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આઝાદી પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સરદાર સાહેબનો સંકલ્પ આજે ભવ્ય મંદિર રૂપે આપણે જોઈ રહ્યા છીએ. તે માત્ર ઈંટ પથ્થર નહીં, પરંતુ સરદાર સાહેબની સંકલ્પ શક્તિનું પ્રતીક છે.

PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યાત્રાધામોના હોલિસ્ટિક ડેવલપમેન્ટની પરંપરા વિકસિત ભારત ૨૦૪૭નો આધ્યાત્મિક સંકલ્પ હોવાનું જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કાશી વિશ્વનાથ, કેદારનાથ, મહાકાલ, બાબા વૈજનાથ ધામ, અયોધ્યામાં રામ મંદિર, પાવાગઢ મંદિરમાં ધ્વજારોહણ, અંબાજી ધામનો વિકાસ અને સોમનાથ સ્વાભિમાનનું આ પર્વ એ જ શૃંખલાનું પર્વ છે.

મુખ્યમંત્રીએ જનસમૂહને અપીલ કરતાં જણાવ્યું હતું કે 'વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત'ને આપણો જીવન મંત્ર બનાવીએ. ભગવાન સોમનાથ નરેન્દ્ર મોદીને અખંડ સામર્થ્ય આપે અને સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટેનો પથ બને તેવી શુભકામનાઓ તેમણે વ્યક્ત કરી હતી.

જય સોમનાથ'ના બુલંદ નાદ સાથે PM નું સ્વાગત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

'જય સોમનાથ'ના બુલંદ નાદ સાથે PM નું સ્વાગત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે PM ને આવકારવા એ ગૌરવની ક્ષણ છે. સોમનાથમાં યોજાયેલી ભવ્ય 'શૌર્ય યાત્રા' અને 72 કલાકના અવિરત 'ઓમકાર મંત્રજાપ'નો નાદ આજે સમગ્ર દેશમાં ગુંજી રહ્યો છે.

સમુદ્રના કિનારેથી ઇતિહાસને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, સોમનાથ એ ભારતની આત્માએ આક્રાંતાઓને આપેલો પડકાર છે, ગજનવી વિખરાઈ ગયો પણ સોમનાથ આજેય અજેય ઊભું છે. હમીરજી ગોહિલ અને વેગડા ભીલનું બલિદાન એ ભારતીય એકતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સરદાર પટેલના સંકલ્પને દોહરાવતા સંઘવીએ કહ્યું કે, આઝાદી સમયે સરદાર સાહેબે સ્પષ્ટ કર્યું હતું કે ભારત સ્વાભિમાનનો સોદો નહીં કરે, અને આજે PM ના નેતૃત્વમાં એ જ સંકલ્પ ભારતની નીતિ બની છે. હવે આપણે આક્રાંતાઓનું મહિમામંડન છોડી આપણી સંસ્કૃતિ પર ગૌરવ કરી રહ્યા છીએ. PM એ અયોધ્યા, કાશી અને મહાકાલ લોક દ્વારા 'વિકાસ' સાથે 'વિરાસત'નો સમન્વય કરી દેશની શ્રદ્ધાને નવી ભવ્યતા આપી છે. આધુનિક ભારતના શિલ્પી તરીકે તેમણે મંદિરોના પુનઃનિર્માણ દ્વારા યુવાનો માટે રોજગારીની નવી તકો પણ સર્જી છે.

આ પ્રસંગે ઉદ્બોધન કરતા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ એ સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનાનું સ્વાભિમાન છે તો PM નરેન્દ્ર મોદી પ્રત્યેક દેશવાસીઓનું અભિમાન છે. ગિરનારી સંતો અને સાધુઓના આશિર્વાદથી પહેલીવાર જૂનાગઢના ભવનાથ ક્ષેત્રની બહાર દિગ્મબર સાધુઓની રવાડી નીકળી હતી. PM ના નેતૃત્વને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે અને તેમના દૃઢ સંકલ્પથી ભારત વિશ્વ ગુરૂ બનવા તરફ જઈ રહ્યું છે.

આ વેળાએ વિવિધ મહાનુભાવો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત - સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીઅર્જુન મોઢવાડીયા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત આસપાસના જિલ્લાના સાંસદઓ તથા ધારાસભ્યઓ, અગ્રણીઓ, સાધુ-મહાત્માઓ અને શિવ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર