logo-img
Tragic End To Family Tragedy In Rajkot

રાજકોટમાં પારિવારિક કંકાસનો કરુણ અંત : માતા અને બે પુત્રોએ મળી પિતાનું ઢીમ ઢાળ્યું

રાજકોટમાં પારિવારિક કંકાસનો કરુણ અંત
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Nov 21, 2025, 08:32 AM IST

Rajkot Crime News : રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હુડકો વિસ્તારમાં એક હચમચાવી નાખે એવો બનાવ સામે આવ્યો છે. અહીં લાંબા સમયથી ચાલતા પારિવારિક કંકાસનો અંત એટલો ભયાનક રીતે આવ્યો કે માતા અને તેમના બે પુત્રોએ મળી પોતાના જ પિતાની હત્યા કરી નાખી. આ ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં ભય તથા ચિંતાનું માહોલ પેદા કર્યો છે.

રાજકોટમાં પારિવારિક કંકાસનો કરુણ અંત

મળતી માહિતી મુજબ, ઘરેલુ ઝઘડો એટલો વધ્યો કે વાત સીધી હત્યા સુધી આવી પહોંચી. ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો, ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં મૃતકની પત્ની તથા બંને પુત્રોને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે.

માતા અને બે પુત્રોએ મળી પિતાની કરી હત્યા

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આખો મામલો પારિવારિક અણબનાવથી શરૂ થયો હતો. પરંતુ નાનો લાગી રહેલો ઝઘડો કેવી રીતે આટલા હદ સુધી પહોંચ્યો અને હત્યા સુધી વકર્યો, તેના માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી માતા અને પુત્રોના સાચા ઇરાદા, ઘટનાની પાછળનું મૂળ કારણ અને હત્યા કેવી રીતે અંજામ અપાઈ તેના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ મામલાએ રાજકોટ શહેરને હચમચાવી દીધું છે અને ફરી એક વાર સાબિત કર્યું છે કે પારિવારિક કંકાસ જો સમયસર ન નિભાવાય તો તે કેટલી મોટી દુર્ઘટનાનું રૂપ લઈ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now