logo-img
Instructions To Survey The Damage Caused To Farmers After Heavy Rains In Saurashtra

સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને લઈ મહત્વના સમાચાર : ખેતીવાડીને થયેલા નુકસાનનો સર્વે કરવા છૂટ્યા આદેશ, કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન

સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને લઈ મહત્વના સમાચાર
Published by: Offbeat Team
| Last Updated: Aug 22, 2025, 12:45 PM IST

જામનગર: તાજેતરમાં સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદને કારણે ખેતીને થયેલા વ્યાપક નુકસાન અંગે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા હતા, જેના પરિણામે ઊભા પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોની ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.

સરવે બાદ સરકાર લેશે નિર્ણય

કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર, ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા નુકસાનનો સંપૂર્ણ સર્વે કરવામાં આવશે. આ સર્વેમાં પાકને થયેલા નુકસાનની વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવશે અને તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને સરકારને સુપરત કરવામાં આવશે.

અધિકારીઓ દ્વારા તૈયાર થયેલા આ રિપોર્ટની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષાના આધારે જ સરકાર ખેડૂતોને સહાય આપવા અંગેનો યોગ્ય નિર્ણય લેશે. આ નિર્ણયમાં નુકસાન પામેલા પાકના પ્રકાર અને તેના ટકાવારી મુજબ સહાયની જાહેરાત થઈ શકે છે.

આ પગલાથી સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને તેમને થયેલા નુકસાનની ભરપાઈ માટે કટિબદ્ધ છે, તેવો સ્પષ્ટ સંદેશ મળે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now