Home Gujarat The Riverfront Worth Crores Built On The Bhogavo River In Surendranagar Is Unused

સુરેન્દ્રનગરના ભોગાવો નદી પર બનેલો કરોડોનો રિવરફ્રન્ટ બન્યો બિનઉપયોગી? : બહાર નીકળવાનો રસ્તો ન હોવાથી શહેરીજનોમાં રોષ

સુરેન્દ્રનગરના ભોગાવો નદી પર બનેલો કરોડોનો રિવરફ્રન્ટ બન્યો બિનઉપયોગી?
Published by: Offbeat Team
| Last Updated: Jan 10, 2026, 01:41 PM IST

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પસાર થતી ભોગાવો નદી પર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રિવરફ્રન્ટ હાલ બિનઉપયોગી સાબિત થયો છે. રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં આગળ જઈ બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોવાના કારણે આ સમગ્ર પ્રોજેક્ટ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ અને જોરાવરનગર શહેરોની વચ્ચે ભોગાવો નદી પસાર થાય છે. આ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિકનો દબાણ રહેતું હોવાથી શહેરનો ટ્રાફિક હળવો કરવા તેમજ શહેરીજનોને હરવા-ફરવાનું સુવિધાજનક સ્થળ મળે તે હેતુથી સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં શહેરીજનોમાં આશા જાગી હતી કે હવે ટ્રાફિકની સમસ્યા ઘટશે અને પરિવાર સાથે ફરવા માટે એક સુંદર સ્થળ મળશે.

ભોગાવો નદી પર બનેલો કરોડોનો રિવરફ્રન્ટ બિનઉપયોગી

મનપાના ઇજનેરોની અણઆવડત કે આયોજનની ખામી કહો, રિવરફ્રન્ટ તો તૈયાર થઈ ગયો પરંતુ આગળ જતા આ માર્ગ ક્યાં બહાર નીકળશે તેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. છેલ્લા અંદાજે છ મહિનાથી નવો બનાવાયેલ રિવરફ્રન્ટ તૈયાર હાલતમાં છે, પરંતુ રસ્તો અચાનક પૂર્ણ થઈ જતાં વાહનવ્યવહાર આગળ જઈ શકતો નથી. પરિણામે કરોડોના ખર્ચે બનેલો આ રિવરફ્રન્ટ હાલ શહેરીજનો માટે બિનઉપયોગી બની ગયો છે. જ્યારે સરકારે રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ અને જોરાવરનગરના લોકોને મોટી આશા બંધાઈ હતી. લોકોને લાગ્યું હતું કે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે અને શહેરીજનોને એક નવી સુવિધા મળશે. તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો રિવરફ્રન્ટ આગળ જઈ બહાર નીકળતો જ ન હોય તો કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર શું હતી? વાહનવ્યવહાર કઈ દિશામાં જશે તે બાબત બનાવનાર ઇજનેરોને ખબર નહોતી કે શું?

બહાર નીકળવાનો રસ્તો ન હોવાથી શહેરીજનોમાં રોષ

બીજી તરફ મનપાના ઇજનેરો દ્વારા એવો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે કે એસ ટી નિગમને પત્ર લખી એસ.ટી. બસ સ્ટેન્ડમાંથી રસ્તો કાઢવાની યોજના બનાવાઈ છે. જોકે જો બસ સ્ટેન્ડમાંથી માર્ગ કાઢવામાં આવે તો અકસ્માતોની સંભાવના પણ નકારી શકાતી નથી, જેને લઈને શહેરીજનોમાં વધુ ચિંતા જોવા મળી રહી છે. હાલ રિવરફ્રન્ટ તૈયાર છે, પરંતુ તેનો ઉપયોગ શહેરીજનો કરી શકતા નથી. હવે લોકો નવી રિવરફ્રન્ટ સુવિધાઓની રાહ જોઈ રહ્યા છે અને મનપા શહેરીજનોને આ સુવિધા ક્યારે પૂરી પાડશે તે જોવાનું બાકી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો: કમોસમી વરસાદની ઘાત ટળી

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક: બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને કચડ્યો, 11 વર્ષની બાળકીનું મોત

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક

અમરેલીમાં વિકાસનો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 700 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

અમરેલીમાં વિકાસનો મહાકુંભ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ: 5,500 કન્ટેનરો વિદેશી પોર્ટ પર અટવાયા, કરોડોનું નુકસાન!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન: શું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પ્લાન? AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આપી જાણકારી

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન: અચાનાક પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાના નિધનથી સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન: "જંગ માટે તૈયાર રહેજો", પરસોત્તમ રૂપાલાનું ઈશ્વરિયાથી સમાજને આહવાન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન
Play Video

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર': તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી: ખાડાનું પાણી પીતા જ 33 ઘેટાં-બકરાના ટપોટપ મોત, માલધારીઓમાં ભારે રોષ!

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી
Play Video

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત: 2 ના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત!

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?: કેમ વારંવાર ધ્રૂજી રહી છે ધરા? જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં છે ભૂંકપનું સૌથી વધુ જોખમ

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ: મૃતકનો 'જીવ લેવા' મંત્રોચ્ચાર અને અગ્નિ પ્રગટાવાતા ભારે ફાળ!

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!
Play Video

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ