Home Gujarat Gujarat Earthquake Seismology Department India Magnitude Tremor Earthquake

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત? : કેમ વારંવાર ધ્રૂજી રહી છે ધરા? જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં છે ભૂંકપનું સૌથી વધુ જોખમ

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?
Published by: OBS Bureau
| Last Updated: Mar 22, 2026, 06:37 AM IST

Earthquake in Gujarat: છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. ખાસ કરીને એમાંય ગુજરાતના કેટલાંક વિસ્તારો એવા છે જે જમીન નીચે સતત કંઈક સખડ ડખળ થતું જોવા મળે છે. જેને કારણે ગમે ત્યારે આંચકાનો અનુભવ થાય છે. ધીરેધીરે આ વિસ્તારના લોકોમાં હવે એક પ્રકારનો ડર પણ પેદા થઈ ગયો છે. બીજી તરફ વિજ્ઞાન અને ખાસ કરીને સિસ્મોલોજી વિભાગ કે જે ભૂકંપ સંબંધિત બાબતોનું સંપૂર્ણ મોનિટરિંગ કરે છે તે પણ આ અંગે પહેલાંની સરખામણીએ ખાસું એલર્ટ બન્યું છે.

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતનો સૌરાષ્ટ્ર ઝોન જાણે ભૂકંપનો એપી સેન્ટર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં જ ગઈકાલે રાત્રે રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં આવેલાં અમરેલી જિલ્લામાં લોકોએ ભૂકંપના આંચકાઓ અનુભવ્યા હતા. છેલ્લાં એક અઠવાડિયામાં સૌરાષ્ટ્ર ઝોનમાં અનેકવાર ધરા ધ્રૂજી હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેને કારણે હવે સ્થાનિકોમાં એક પ્રકારનો ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે અમરેલીના ખાંભા સહિત ગીરના વિસ્તારોમાં ધરતીકંપ અનુભવાયો હતો. 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂગર્ભીય હલચલ જોવા લોકો હવે સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.

ગાંધીનગર સ્થિત Institute of Seismological Research (ISR) દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ 22 ફેબ્રુઆરી, 2026ના રોજ મોડી રાત્રે 12:49 કલાકે અમરેલી નજીક ભૂકંપના હળવા આંચકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી. આ કંપનનું કેન્દ્ર Amreliથી અંદાજે 44 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 6.6 કિમી નોંધાઈ હતી.

મોડી રાત્રે આવેલા આ આંચકાને કારણે કેટલાક લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા, જેના કારણે વિસ્તારમાં થોડો ફફડાટ ફેલાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ અથવા નુકસાનના અહેવાલ મળ્યા નથી. તાજેતરમાં વારંવાર અનુભવાતા આંચકાઓને કારણે અમરેલી પંથકમાં લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.

ગુજરાતના કચ્છમાં આવેલાં વિનાશક ભૂકંપને હજુ પણ લોકો ભૂલ્યા નથી. એવામાં ગુજરાતના લોકો ફરી એકવાર ભૂકંપના આંચકાઓથી દહેશતનો અનુભવ કરી રહ્યાં છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકાઓનો અવારનવાર લોકોને અનુભવ થતો રહે છે. ભલે આંચકાની તીવ્રતા ઓછી હોય પરંતુ લોકોને ડર હોય છેકે, ગમે ત્યારે ભૂકંપનું જોર વધી શકે છે.

ભૂકંપ શું છે અને કેમ આવે છે?

ભૂકંપ પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટ્સની હલચલને કારણે થાય છે. ધરતીની અંદર લગભગ 12 મોટી પ્લેટ્સ છે, જે ખૂબ ધીમે ધીમે (દર વર્ષે લગભગ 4–5 મિમી) સરકતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે, દૂર થાય છે અથવા એક પ્લેટ બીજીની નીચે સરકે છે, ત્યારે ઉર્જા મુક્ત થાય છે, જેને આપણે ભૂકંપ તરીકે અનુભવું છીએ.

શું હોય છે ભૂકંપનું કેન્દ્ર?

ધરતીની સપાટી નીચેની એ જગ્યા જ્યાં ખડકો પરસ્પર ટકરાય છે કે તૂટે છે. ભૂકંપનું કેન્દ્ર કે ફોકસ કહેવાય છે. તેને હાઈપોસેન્ટર પણ કહે છે. આ કેન્દ્રથી જ ઉર્જા તરંગો સ્વરૂપે કંપન ફેલાવે છે અને ભૂકંપ આવે છે. આ કંપન બરાબર એ રીતના હોય છે જે રીતે શાંત તળાવના પાણીમાં પથ્થર ફેંકવાથી જે તરંગો પેદા થાય છે.

ભારતમાં ક્યાં-ક્યાં છે ભૂકંપના ઝોન? જાણો દરેક ઝોનનું મહત્ત્વ:

ભારતને ભૂકંપના જોખમ પ્રમાણે 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે:

ઝોન 5 – સૌથી વધારે જોખમ (જેમ કે ઉત્તરપૂર્વ ભારત, કચ્છ, આંદમાન-નિકોબાર)

ઝોન 4 – ઊંચું જોખમ (દિલ્હી, હિમાચલ, બિહારના ભાગો વગેરે)

ઝોન 3 – મધ્યમ જોખમ (ગુજરાતના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, કેરળ)

ઝોન 2 – ઓછું જોખમ

ઝોન 1 – સૌથી ઓછું જોખમ

દુનિયામાં સૌથી વધુ ભૂકંપ “રિંગ ઓફ ફાયર” વિસ્તારમાં થાય છે, ખાસ કરીને ઇન્ડોનેશિયા નજીક. ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળે છે, ખાસ કરીને દિલ્હી-એનસીઆર વિસ્તારમાં તેની અસર અનુભવાય છે. વિજ્ઞાનીઓ હજુ પણ ટેક્ટોનિક પ્રવૃત્તિઓ અને ભૂકંપના ચોક્કસ કારણો પર સતત સંશોધન કરી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત: 2 ના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત!

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ: મૃતકનો 'જીવ લેવા' મંત્રોચ્ચાર અને અગ્નિ પ્રગટાવાતા ભારે ફાળ!

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video