logo-img
Storms Blew Away Navratri Domes In These Two Districts Of Gujarat Know What Will Happen To Your District

Navratri 2025 : ગુજરાતના આ બે જિલ્લાઓમાં વાવાઝોડા ઉડાવ્યા નવરાત્રિના ડોમ, જાણો તમારા જિલ્લાની શું દશા થશે

Navratri 2025
Published by: Offbeat Team
| Last Updated: Sep 28, 2025, 06:51 AM IST

Navratri 2025: દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ગઈકાલે મોડી રાત્રે વાવાઝોડાએ તબાહી મચાવી હતી. ધોધમાર વરસાદ અને તીવ્ર પવનના કારણે અનેક ગામોમાં વિશાળ તારાજી સર્જાઈ છે. નવરાત્રિના ઉત્સવ વચ્ચે આ કુદરતી આપત્તિએ ખેલૈયાઓની મજા પણ ખરાબ કરી નાખી છે. આગાહીકાર અંબાલાલ પટેલે અગાઉ પણ આ અંગે આગાહી કરી હતી કે, આ વખતની નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે.

ભારે પવન અને વરસાદે નવરાત્રિના આયોજનોને કર્યો ધ્વસ્ત-

વલસાડ અને નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ઊંડા સંચાર, વીજ વ્યવસ્થામાં ખલેલ અને જાહેર અને ખાનગી મિલકતને નુકસાન થયું છે. નવરાત્રિના મંડપો અને ડોમો ધરાશાયી થયા હતા. નાસ્તાના સ્ટોલ, લાઈટિંગ અને શેડ્સ પણ તૂટી પડ્યાં હતા, જેના કારણે વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. ગોકુલ ગ્રુપ અને અનાવિલ સમાજના આયોજિત નવરાત્રિ મહોત્સવોમાં ડોમ ઉડી જતાં એક યુવકને ઈજા પહોંચી હતી, જ્યારે ઘણા સ્થળોએ ગરબાના મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા.

વીજળીના થાંભલા તૂટતાં વીજ પુરવઠો ખોરવાયો-

વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા તૂટી પડતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. ધનભુરા રોડ અને આરપીએફ ગ્રાઉન્ડ નજીક વૃક્ષો પડ્યા હતા, અને સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં રહેલી બાઈકને નુકસાન થયું હતું. રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર ટીમો-

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો, ફાયર વિભાગ, અને મામલતદારની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી. વાહનો દૂર કરવા, વૃક્ષો કાપવા અને વીજળી પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી રાત્રિભર ચાલી રહી હતી.

ચીખલીમાં અનાજ પલળી ગયું, દિવાળીના અનાજ વિતરણમાં થશે વિલંબ?

ચીખલી તાલુકામાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં શેડના પતરા ઉડી જતા દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. પરિણામે અંદાજે 277 ટન જેટલો ઘઉં અને ચોખો પલળી ગયો છે. આ કારણે દિવાળીના અનાજ વિતરણમાં વિલંબ થવાની શક્યતા છે. સરકારી અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી રહી છે, પરંતુ અનાજ હટાવવાની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી.

વાવાઝોડા બાદ જીવન પર અસરઃ પતરા ઉડી ગયા, ઘરવખરી પલળી-

ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકાઓમાં વાવાઝોડાના કારણે ગામડાઓમાં રહેલા ગરીબ પરિવારોના ઘરોના પતરા ઉડી ગયા છે. સરકારી આવાસમાં રહેલા અનેક લોકોના ઘરના છાપરા, સોલર પેનલ અને ઘરવખરી સંપૂર્ણ પલળી ગઈ છે. આ તબાહીથી લોકો ઘરના બહાર રહેવા મજબૂર બન્યા છે.

વરસાદના આંકડા (24 કલાકમાં – સવારે 6 વાગ્યા સુધી)

તાલુકો વરસાદ (મિમી) ઈંચમાં

નવસારી 14 0.58

જલાલપોર 13 0.54

ગણદેવી 25 1.04

ચીખલી 32 1.33

વાંસદા 16 0.66

ખેરગામ 53 2.20

હાલત સામાન્ય કરવા તંત્ર પ્રયાસશીલ-

મકાન વિભાગ, વહીવટીતંત્ર અને સ્થાનિક નેતાઓ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ધારાસભ્ય નરેશ પટેલે તાત્કાલિક તલાવચોરા ગામની મુલાકાત લીધી અને તંત્રને અસરગ્રસ્ત લોકોને ઝડપી સહાય પહોંચાડવા સુચના આપી હતી. હાલે દક્ષિણ ગુજરાત માટે આ મિની વાવાઝોડું ચેતવણીરૂપ છે કે કુદરત આગળ આપણે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. તંત્ર અને સ્થાનિક લોકો વચ્ચે સંકલન જરૂરિયાતભર્યું છે જેથી આ પ્રકારની આપત્તિઓ સમયે અસરકારક રાહત કાર્ય થઈ શકે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now