PM Modi on Gujarat tour : PM નરેન્દ્ર મોદી આજે હમીરજી સર્કલથી પગપાળા ચાલતાં પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. માર્ગ દરમિયાન ભક્તો અને નાગરિકોના ઉષ્માભર્યા સ્વાગત વચ્ચે વડાપ્રધાને દિગ્વિજય દ્વાર પાસે સાધુ-સંતોનું અભિવાદન સ્વીકારી ભગવાન સોમનાથના દર્શન કર્યા.
સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી
વડાપ્રધાનના આગમન સાથે જ સોમનાથ મંદિર પરિસર ‘મોદી મોદી’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનું અનોખું દૃશ્ય જોવા મળ્યું. વડાપ્રધાન મોદીએ શાંતિપૂર્વક સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. આ પાવન પ્રસંગે વડાપ્રધાન સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. ત્રણેય નેતાઓએ સાથે મળી દર્શન કરતા મંદિર પરિસરની ધાર્મિક મહિમા વધુ વધ્યો હતો.

ઓમકાર જાપ અનુષ્ઠાનમાં પણ જોડાયા
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરમાં યોજાયેલા 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં પણ જોડાયા હતા, જેમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.
3000 ડ્રોન દ્વારા સોમનાથની ગાથા રજૂ કરતો અદભુત ડ્રોન શો
રાત્રે મંદિર પરિસરમાં 3000 ડ્રોન દ્વારા સોમનાથની ગાથા રજૂ કરતો અદભુત અને ભવ્ય ડ્રોન શો પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ ડ્રોન શોએ સોમનાથ મંદિરના ઇતિહાસ, આસ્થા અને વૈભવને આકાશમાં જીવંત રૂપે રજૂ કરી ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.





















