logo-img
Gst Rates Cut Farmers Agriculture Tractor Farming Gst News

GST ઘટાડાથી ખેડૂતોને આનંદો : નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્રેક્ટર અને કૃષિ મશીનરી પર મોટી રાહત

GST ઘટાડાથી ખેડૂતોને આનંદો
Published by: Offbeat Team
| Last Updated: Sep 05, 2025, 12:05 PM IST

GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે 12% અને 28% ના ટેક્સ સ્લેબ દૂર કર્યા છે. હવે ફક્ત 5%, 18% અને 40% ના 3 સ્લેબ બાકી રહ્યા છે. કૃષિ ક્ષેત્રની મોટાભાગની વસ્તુઓ હવે 5% ની રેન્જમાં લાવવામાં આવી છે. ટ્રેક્ટર, ટાયર, સિંચાઈ મશીનો, ખાતર બનાવતી મશીનો અને બાયો-પેસ્ટિસાઇડ્સ પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આનાથી ખેતીનો ખર્ચ ઘટશે અને ખેડૂતોને સસ્તા ભાવે સાધનો મળશે. જણાવી દઈએ કે નવા દર 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ થશે.

કૃષિ સંબંધિત વસ્તુઓ પર કેટલો ટેક્સ લાગશે?

  • હવે મોટાભાગની કૃષિ ચીજવસ્તુઓ પર ફક્ત 5% GST લાગશે.

  • જૈવિક જંતુનાશકો પર 5% GST લાગશે.

  • જોકે, રાસાયણિક જંતુનાશકો હજુ પણ 18% પર રહેશે.

ટ્રેક્ટર અને કૃષિ સાધનો સસ્તા થયા.

ખેડૂતો માટે સૌથી મોટી રાહત ટ્રેક્ટરના ભાવમાં ઘટાડાના રૂપમાં આવી છે. પહેલા ટ્રેક્ટર ખરીદવા પર 12% GST ચૂકવવો પડતો હતો, પરંતુ હવે તે ઘટાડીને માત્ર 5% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ટ્રેક્ટરના ટાયર, ટ્યુબ, હાઇડ્રોલિક પંપ અને જરૂરી ભાગો પણ સસ્તા થશે. પહેલા ટ્રેક્ટરના ટાયર પર 18% GST લાગતો હતો, જે હવે ઘટાડીને માત્ર 5% કરવામાં આવ્યો છે. હવે નાના ખેડૂતોને સીધો ફાયદો થશે કારણ કે ટ્રેક્ટર અને ટાયર ખરીદવા સસ્તા થશે.

ખાતર બનાવતી મશીનો અને બાયો-પેસ્ટિસાઇડ્સ પર રાહત

અગાઉ ખેતીમાં વપરાતા વન-બાગાયતી મશીનો, હાર્વેસ્ટિંગ અને થ્રેસીંગ મશીનો પર 12% GST લાગતો હતો , હવે તેના પર ફક્ત 5% GST લાગશે. ખાતર બનાવવામાં વપરાતા એમોનિયા, સલ્ફ્યુરિક એસિડ, નાઈટ્રિક એસિડ પર હવે 18% ને બદલે ફક્ત 5% GST લાગશે.

સિંચાઇના સાધનો પણ સસ્તા

સરકાર ડ્રીપ અને સ્પ્રિંકલર સિંચાઇને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે. એટલા માટે આની સાથે જોડાયેલી મશીનો પરથી ટેક્સ દૂર કરવામાં આવ્યો છે. 15 HP થી ઓછા ડીઝલ એન્જિન, થ્રેસિંગ મશીન અને કોમ્પોસ્ટીંગ મશીન પર માત્ર 5% GST લાગસે, જે પહેલા 12% હતો.

ખાતર પણ સસ્તા થશે

જૈવ-કીટનાશકો અને પ્રાકૃતિક મેંથોલ પર પણ ટેક્સ ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આનાથી ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત થશે અને ખર્ચ પણ ઘટશે.

દૂધ અને ડેરી પ્રોડક્ટ પણ સસ્તા થશે

દૂધ સાથે જોડાયેલી રોજિંદા જીવનની ચીજો જેમ કે દહીં, પનીર, છાસ પર હવે માત્ર 5% GST લાગશે. આનાથી ઘરનું બજેટમાં પણ રાહત મળશે અને પોષણની ચીજો પણ સસ્તી મળશે. આ સિવાય તૈયાર માછલી અને પ્રિઝર્વ્ડ ફિશ પર GST ને 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક મધ પણ ટેક્સ ઘટાડીને 5% કરી દેવામાં આવ્યો છે.

ખેડૂતો પર થશે સીધી અસર

નવા GST દરોથી ખેતીના ખર્ચમાં સીધી અસર જોવા મળશે. ટ્રેક્ટર અને ટાયરની કિંમત ઘટવાથી ખેડૂતો સરળતાથી મશીનો ખરીદશે. ખાતર અને કીટનાશક પર ટેક્સ ઘટાડવાથી ઉત્પાદન માટે ખર્ચ ઘટશે. ખેડૂત ટ્રેક્ટર અને મશીનો સસ્તી ખરીદી શકશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now