logo-img
Rahul Dravid Resigns As Rajasthan Royals Coach

Rahul Dravid એ રાજસ્થાન રોયલ્સના કોચ પદેથી રાજીનામું આપ્યું! : શું તેમણે આ કારણે પદ છોડી દીધું?

Rahul Dravid એ રાજસ્થાન રોયલ્સના કોચ પદેથી રાજીનામું આપ્યું!
Published by: Offbeat Team
| Last Updated: Aug 30, 2025, 09:18 AM IST

Rahul Dravid: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રાજસ્થાન રોયલ્સ (RR) ટીમના હેડ કોચ પદે થી રાહુલ દ્રવિડે રાજીનામું આપ્યું છે. ફ્રેન્ચાઇઝીએ રાહુલ દ્રવિડ અંગે એક નિવેદન કર્યું હતું. IPL માં રાજસ્થાન રોયલ્સ માટે 46 મેચ રમનાર દ્રવિડ ગયા વર્ષે ટીમના હેડ કોચ બન્યા હતા. તેમના કોચિંગ હેઠળ, IPL 2025 માં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન સારું ન હતું.

'રાજસ્થાન રોયલ્સમાં તમારી હાજરી...'

રાજસ્થાન રોયલ્સના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'હેડ કોચ રાહુલ દ્રવિડ IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ સાથેનો તેમનો કાર્યકાળ સમાપ્ત કરશે. રાહુલ ઘણા વર્ષોથી રોયલ્સની સફરમાં કેન્દ્રિય રહ્યા છે. તેમના નેતૃત્વએ ખેલાડીઓની એક પેઢીને પ્રભાવિત કરી છે. તેમણે ટીમમાં મજબૂત મૂલ્યો સ્થાપિત કર્યા છે અને ફ્રેન્ચાઇઝીની સંસ્કૃતિ પર અમીટ છાપ છોડી છે.'

નિવેદનમાં આગળ લખ્યું છે કે, 'ફ્રેન્ચાઇઝના માળખાની સમીક્ષાના ભાગ રૂપે, રાહુલ દ્રવિડને એક વિશાળ પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકાર્યું નહીં. રાજસ્થાન રોયલ્સ, તેના ખેલાડીઓ અને વિશ્વભરના લાખો ચાહકો રાહુલ દ્રવિડનો તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે આભાર માને છે.' રાજસ્થાન રોયલ્સે પણ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ વિશે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી. પોસ્ટમાં લખ્યું હતું કે, 'ગુલાબી રંગમાં તમારી હાજરીએ યુવાન અને અનુભવી બંનેને પ્રેરણા આપી છે. હંમેશા શાહી. હંમેશા આભારી.'

રાહુલ દ્રવિડની કોચિંગ

રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ, રાજસ્થાન રોયલ્સ IPL 2025 માં 14 માંથી ફક્ત ચાર મેચ જીતી શક્યું. આ કારણે, તેઓ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહ્યા. રાજસ્થાન રોયલ્સના કોચ બનતા પહેલા, દ્રવિડ ભારતીય ટીમમાં મુખ્ય કોચની જવાબદારી સંભાળી રહ્યા હતા. દ્રવિડના કોચિંગ અને રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ 2024 માં T20 વર્લ્ડ કપ જીત્યો. જ્યારે દ્રવિડના કોચિંગ હેઠળ, ભારતીય ટીમ 2023 માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી.

શું તેમણે આ કારણે પદ છોડી દીધું?

IPL 2025 દરમિયાન, એવા અહેવાલો આવ્યા હતા કે, રાજસ્થાન રોયલ્સમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. એવા અહેવાલો હતા કે, કેપ્ટન સંજુ સેમસન ટીમ મેનેજમેન્ટથી નારાજ હતા. જોકે, રાહુલ દ્રવિડે તે અહેવાલોને બકવાસ વાતો છે કીધું હતું. દ્રવિડે કોઈપણ પ્રકારના વિવાદનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now