Home International Pm Modi Had A Telephonic Conversation With Bhagwant Mann Upon His Return To India

ભારત પરત ફરતાં જ પીએમ મોદીએ CM ભગવંત માન સાથે કરી ટેલિફોનિક વાત : પંજાબમાં પૂરની પરિસ્થિતિ અંગે લીધી માહિતી, સંભવ તમામ મદદનો આપ્યો ભરોસો

ભારત પરત ફરતાં જ પીએમ મોદીએ CM ભગવંત માન સાથે કરી ટેલિફોનિક વાત
Published by: OBS Bureau
Last Updated: Sep 01, 2025, 05:05 PM IST

ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાંથી સોમવારે પરત ફરતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાને પંજાબ સરકારને શક્ય તમામ મદદ અને સમર્થન આપવાનો વિશ્વાસ આપ્યો હતો.

મુખ્યમંત્રી ભગવંત માનએ રવિવારે વડાપ્રધાનને પત્ર લખી રાજ્યમાં પૂરથી સર્જાયેલા સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી 60,000 કરોડ રૂપિયાના બાકી ભંડોળ તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. સાથે જ તેમણે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF)માં સુધારો કરીને અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ એકર ઓછામાં ઓછા 50,000 રૂપિયાનું વળતર આપવા માટે અપીલ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે નવા કોરોના વેરિઅન્ટે વિશ્વની ચિંતા વધારી
ડોલર પર હવે ટ્રમ્પની સહી
US-Israelના હુમલા વચ્ચે પણ ઈરાન થયું માલામાલ!
હવે જામશે ખરાખરીનો જંગ!