Home Gujarat Case Of Doctors Misconduct With Patients Relatives In Sola Civil

સોલા સિવિલમાં દર્દીના સગા સાથે તબીબનો ગેરવર્તનનો મામલો : આરોગ્ય મંત્રીએ તપાસના આપ્યા આદેશ

સોલા સિવિલમાં દર્દીના સગા સાથે તબીબનો ગેરવર્તનનો મામલો
Published by: OBS Bureau
Last Updated: Oct 27, 2025, 11:41 AM IST

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા સાથે બનેલી ઘટનાના પડઘા હવે ગાંધીનગર સુધી પહોંચ્યા છે. ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

રાજ્ય સરકારે તપાસાના આદેશ આપ્યા

સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ દ્વારા દર્દીના પરિવારજન સાથે થયેલી દાદાગીરી અને અયોગ્ય વર્તનના આક્ષેપો સામે હવે રાજ્ય સરકાર સક્રિય બની છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, “કોઈપણ તબીબી કર્મચારી કે અધિકારી દ્વારા દર્દી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવશે તો તેની નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”

મંત્રીએ અધિકારીઓને સૂચના આપી

તેમણે વધુમાં ઉમેર્યું કે, દર્દીઓ સાથે માનવતાભર્યું વર્તન અને યોગ્ય આરોગ્યસેવા સુનિશ્ચિત કરવી એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. મંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે આ ઘટનાની વિગતવાર તપાસ ઝડપી પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવામાં આવે. આ ઘટનાએ આરોગ્ય વ્યવસ્થાના વર્તન ધોરણોને લઈને ફરી ચર્ચા જગાવી છે અને હવે સૌની નજર સરકારની કાર્યવાહી પર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર!