આજની ભાગદોળવાળી અને વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં હાઇ બ્લડ શુગર કે ડાયાબિટીઝ હોવી સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણી વખત લોકોને પૌષ્ટિક ખોરાક લેવા માટે સમય નથી હોતો અને લાંબા સમય સુધી બેસી રહેવાની આદત બ્લડ શુગર વધવાનું કારણ બને છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, જો હાઇ બ્લડ શુગરને કંટ્રોલ ન કરવામાં આવે તો તે લાંબા સમય બાદ હ્રદય અને બ્લડ વેસલ્સને નુકસાન પહોંચાડી શકે છે, નસોમાં દુખાવો, કિડની ફેલ્યોર, આંખો અને પગને નુકસાન અને કોઈ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પેદા કરી શકે છે.
શુગર અને કાર્બસને ઘટાડવું
હેલ્થ એક્સપર્ટ અનુસાર, ખાંડ, બ્રેડ અને ચોખા જેવા કાર્બસનું સેવન છોડવું જોઈએ. 2005 ની સ્ટડીમાં જાણવા મળું કે લો-કાર્બસ ડાયટથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે, વજન ઘટે છે અને ઇન્સ્યુલીનની જરૂર ઘટે છે.
તજનો ઉપયોગ કરવો
દરરોજ સવારે ચામાં એક ચપટી જેટલા તજ નાખેલી ચા પીવી જોઈએ. 2019 ની સ્ટડીમાં જણાવા મળ્યું કે 1 થી 6 ગ્રામ તજ દરરોજ લેવાથી ફાસ્ટિંગ ગ્લુકોઝ 18-29 % સુધી ઘટી શકે છે.
શાકભાજી પહેલા સલાડ ખાવું
ફાઈબર અને પોલીફેનોલથી ભરપૂર શાકભાજીઓનું સલાડ ખાવાથી લો-કાર્બસ ભોજન લેવાથી ભોજન બાદ શુગર લેવલ ઘટી જાય છે. 2023 ની સ્ટડીમાં જાણવા મળ્યું કે સલાડને પહેલા ખાવાથી કાર્બસનું ઑબ્ઝોર્પ્શન ધીમું પડી જાય છે અને બ્લડ શુગર સ્પાઇક ઘટે છે.
કોમ્પ્લેક્સ કાર્બસ પસંદ કરો
સાદા કાર્બસ (white bread, pastries, sugary drinks) જલ્દી ગ્લુકોઝમાં બદલાઈ જાય છે અને બ્લડ શુગરને ઝડપી વધારે છે. આની જગ્યાએ આખા અનાજ, દાળ અને શાકભાજી જેવા કોમ્પ્લેક્સ કાર્બસ લેવા, જે ધીમે-ધીમે ગ્લુકોઝ રીલીઝ કરે છે અને ઇન્સ્યુલીન સંવેદનશીલતા સુધારે છે.
દરેક ભોજન પછી 20 મિનિટ ચાલો
ખાધા પછી 20-30 મિનિટ સુધી ઝડપી ચાલવાથી બ્લડ સુગરમાં વધારો થતો અટકે છે અને ગ્લુકોઝ નિયંત્રણમાં મદદ મળે છે. 2022ના એક અભ્યાસમાં એ પણ સાબિત થયું છે કે ભોજન પછી ચાલવાથી ગ્લુકોઝની પિક ઓછી થાય છે.
કારેલાનો રસ
અઠવાડિયામાં ત્રણ વખત કારેલાનો રસ પીવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. 2017ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં કારેલાનો રસ પીધા પછી 90 મિનિટ પછી શુગર લેવલ ઘટી ગયું હતું.
કુદરતી સ્વીટનર્સનો ઉપયોગ કરો
ખાંડને બદલે સ્ટીવિયા અથવા મોન્ક ફ્રૂટનો ઉપયોગ કરો. આ બ્લડ સુગરમાં વધારો અટકાવે છે અને ઓછી કેલરીને કારણે વજન પણ નિયંત્રિત કરે છે.
થોડું થોડું ભોજન લો
દિવસમાં ત્રણ મોટા ભોજનને બદલે 5-6 નાની મિલ્સ લો. મોટા ભોજનથી બ્લડ સુગર ઝડપથી વધે છે અને ઘટે છે, જેના કારણે થાક અને ભૂખ લાગે છે. નાના અને સંતુલિત ભોજન બ્લડ સુગરને સ્થિર રાખે છે અને ઇન્સ્યુલિન પર દબાણ ઘટાડે છે.
નિષ્ણાતોના મત મુજબ, "જો તે મદદ કરે છે, તો 12 અઠવાડિયા સુધી ચાલુ રાખો. આહાર અને બ્લડ સુગરનો સમય બંને સુધારો, પરિણામો દેખાશે."