logo-img
Will Virat Kohli And Rohit Sharma Play Vijay Hazare Trophy Matches Again

શું વિરાટ કોહલી-રોહિત શર્મા ફરીથી ડોમેસ્ટિક ક્રિકેટ રમશે? : જાણો ક્યારે છેલ્લે રમ્યા હતા

શું વિરાટ કોહલી-રોહિત શર્મા ફરીથી ડોમેસ્ટિક ક્રિકેટ રમશે?
Published by: Offbeat Team
| Last Updated: Oct 10, 2025, 10:58 AM IST

Virat Kohli-Rohit Sharma Will Play Domestic Matches: રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી વિજય હજારે ટ્રોફીમાં રમતી જોવા મળી શકે છે. ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલા બંનેને વિજય હજારે ટ્રોફીની ઓછામાં ઓછી ત્રણ કે ચાર મેચ રમતા જોવા મળી શકે છે. વિજય હજારે ટ્રોફી એક લિસ્ટ A ટુર્નામેન્ટ છે જેમાં દરેક ટીમ 50 ઓવર રમે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જો બંને ખેલાડીઓ 2027 નો વર્લ્ડ કપ રમવા ઇચ્છતા હોય, તો તેમણે ન્યુઝીલેન્ડ સામેની સીરિઝ પહેલા વિજય હજારે ટ્રોફીની ઓછામાં ઓછી 2 મેચ રમવાની રહેશે.

વિજય હજારે ટ્રોફી ક્યારથી શરૂ થશે?

સાઉથ આફ્રિકા સામેની સીરિઝના અંત અને ન્યુઝીલેન્ડ સામેની સીરિઝની શરૂઆત વચ્ચે, દિલ્હી અને મુંબઈમાં વિજય હજારે ટ્રોફીના ઓછામાં ઓછા છ રાઉન્ડ રમાશે. નેશનલ સિલેક્ટર પણ આ ટુર્નામેન્ટમાં અનુભવી ખેલાડીઓ રમવાની આશા રાખી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં, "સાઉથ આફ્રિકા સામે છેલ્લી વનડે 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં અને ન્યૂઝીલેન્ડ સામે પહેલી વનડે 11 જાન્યુઆરીએ વડોદરામાં છે. તેમની વચ્ચે પાંચ અઠવાડિયાનો અંતર છે. વિજય હજારે ટ્રોફી 24 ડિસેમ્બરથી શરૂ થશે. મુંબઈ માટે છ રાઉન્ડ હશે (24, 26, 29, 31 ડિસેમ્બર અને 3, 6, 8 જાન્યુઆરી). તેથી, રોહિત ઓછામાં ઓછા ત્રણ રાઉન્ડ રમશે, આ જ વાત વિરાટ કોહલીને પણ લાગુ પડે છે."

રોહિત શર્મા-વિરાટ કોહલી વિજય હજારે ટ્રોફીમાં છેલ્લે ક્યારે રમ્યા?

વિરાટ કોહલી છેલ્લે ફેબ્રુઆરી 2010 માં વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો, જ્યારે તેણે દિલ્હીની કેપ્ટનસી કરી હતી. રોહિત શર્મા છેલ્લે ઓક્ટોબર 2018 માં વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો. તેણે મુંબઈ માટે બે મેચ રમી હતી. રોહિત શર્માએ ક્વાર્ટર ફાઇનલમાં બિહાર સામે 33* અને સેમિફાઇનલમાં હૈદરાબાદ સામે 17 રન બનાવ્યા હતા.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની છેલ્લી આંતરરાષ્ટ્રીય સીરિઝ કઈ હતી?

રોહિત શર્મા અને વિરાટ કોહલી પહેલેથી જ T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે. ભારતીય ટીમને 2024 નો T20I વર્લ્ડ કપ જીત પછી બંને ખેલાડીઓ T20I માંથી અને મે 2025 માં ટેસ્ટમાંથી રિટાયર્ડ થઈ ગયા હતા. તેમનો છેલ્લે આંતરરાષ્ટ્રીય મેચ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ હતી, જ્યાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું.

આગામી સીરિઝ અને ભૂમિકા

હવે, રોહિત શર્મા અને વિરાટ કોહલી 19 ઓક્ટોબરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સીરિઝમાં સાથે જોવા મળશે. છેલ્લી ODI સીરિઝમાં કેપ્ટન રોહિત શર્માને બદલે હવે શુભમન ગિલ ભારતીય ટીમનો કેપ્ટન બન્યો છે, અને હવે રોહિત શર્મા એક બેટ્સમેન તરીકે રમશે. BCCI એ શુભમન ગિલને ODI ટીમનો નવો કેપ્ટન તરીકે સિલેકટ કર્યો છે.

ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટેની ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, યશસ્વી જયસ્વાલ.

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ODI સીરિઝ 2025 સમયપત્રક અને સમય

તારીખ

ફોર્મેટ

સ્થળ

સમય

19 Oct 2025

1st ODI

પર્થ સ્ટેડિયમ, પર્થ

9:00 AM

23 Oct 2025

2nd ODI

એડિલેડ ઓવલ, એડિલેડ

9:00 AM

25 Oct 2025

3rd ODI

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની

9:00 AM

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now