અમેરિકામાં સુરક્ષાને લઈ ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. ગુનેગારોએ એક ભારતીય વિદ્યાર્થીને લૂંટીને ગોળી મારીને હત્યા કરી દીધી. તાજેતરમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. હૈદરાબાદના રહેવાસી ચંદ્રશેખર પોલે 2023માં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયા હતા. માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેઓ સારી નોકરી શોધી રહ્યા હતા. લૂંટ દરમિયાન ગુનેગારોએ તેમને ગોળી મારી દીધી હતી.
ગેસ સ્ટેશન પર ગોળીબાર
ચંદ્રશેખર ટેક્સાસમાં અભ્યાસ કરતી વખતે પાર્ટટાઇમ પણ કામ કરતા હતા. તેઓ ટેક્સાસના ગેસ સ્ટેશન પર કામ કરતો હતો. ગુનેગારોએ ત્યાં ચંદ્રશેખરને લૂંટ્યો અને પછી તેને ગોળી મારી દીધી. જોકે, સંપૂર્ણ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટેક્સાસ પોલીસે ઘટનાસ્થળ સીલ કરી દીધું છે અને તપાસ શરૂ કરી છે.
દૂતાવાસે નોંધ લીધી
હ્યુસ્ટનમાં ભારતીય કોન્સ્યુલેટે ઘટનાની નોંધ લીધી છે. દૂતાવાસે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે મૃતક ચંદ્રશેખરના પરિવાર સાથે સંપર્કમાં છે. સરકાર તેમના મૃત્યુની તપાસ અંગે સ્થાનિક અધિકારીઓ સાથે સતત ફોલોઅપ કરી રહી છે.
રાજ્યમંત્રીનું નિવેદન
ચંદ્રશેખર પોલેની હત્યા અંગે રાજ્યમંત્રી વિવેક વેંકટસ્વામીએ કહ્યું, "અમે અમેરિકામાં બંદૂક સંસ્કૃતિની સખત નિંદા કરીએ છીએ, જ્યાં નાની નાની બાબતો પર ગોળીબાર થઈ રહ્યો છે. લોકોની હત્યા થઈ રહી છે. હું આ ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, અને અમારી તેલંગાણા સરકાર વતી, અમે પરિવારને અમારો સંપૂર્ણ ટેકો અને હિંમત આપીએ છીએ."