Home National-International Gujaratis Who Had Set Out From America To Ahmedabad Got Trapped In Kuwait During The War Baps Saints Saved Their Lives

"જો BAPSના સંતો ન હોત તો અમે જીવિત ન હોત" : જાણો યુદ્ધની સ્થિતિ વચ્ચે કઈ રીતે હેમખેમ બચ્યા કુવૈતમાં ફસાયેલાં ગુજરાતીઓ

"જો BAPSના સંતો ન હોત તો અમે જીવિત ન હોત"
Published by: OBS Bureau
| Last Updated: Mar 17, 2026, 07:38 AM IST

અમેરિકાથી અમદાવાદ આવી રહેલાં ગુજરાતીઓ કુવૈતમાં અટવાયાં

વિનાશક યુદ્ધની સ્થિતિમાં બે દેશની બોર્ડર પર અટવાયાં પ્રવાસીઓ

ફસાયેલાં ગુજરાતીઓએ બસમાં કર્યો 1500 કિમીનો જોખમી પ્રવાસ

મિસાઇલ હુમલાઓ વચ્ચે BAPSના સંતોએ બચાવ્યો ગુજરાતીઓનો જીવ

હાલ મિડલ ઇસ્ટના દેશોમાં વિનાશક યુદ્ધ ફાટી નીકળ્યું છે. જ્યાં જુઓ ત્યાં ખતરનાક મિસાઇલોથી હુમલા થઇ રહ્યાં છે. માત્ર સૈન્યા ઠેકાણાઓ જ નહીં હવે તો રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. એમાં વચ્ચે અમેરિકા આગમાં ઘી હોમી રહ્યું છે. આવી સ્થિતિમાં દુનિયાના બીજા દેશો પણ આ આગની ચપેટમાં આવી ગયા છે. ત્યારે આ યુદ્ધની સ્થિતિમાં વિદેશની ધરતી પર ફલાયેલાં ગુજરાતીઓની વ્હારે આવ્યા સ્વામિનાયરાયણ સંપ્રદાય BAPSના સંતો.

ચારેય તરફ પ્રાણઘાતક મિસાઇલોથી હુમલા થઈ રહ્યાં હતાં. લોકો જીવ બચાવવા માટે બંકરોમાં સંતાઈને રહેતાં હતાં. થોડી થોડી વારે સતત યુદ્ધના સાયરનનો અવાજ આવતો હતો. આસપાસ કોઈ પણ પરિચિત નહોંતું. વિદેશની ધરતી પર દરેક ચહેરા યુદ્ધમાં ફસાયેલાં ગુજરાતીઓ માટે નવા હતા. ક્યાં જવું અને ક્યાં નહીં, કોણ બચાવશે અને ક્યાં રહેવું સુરક્ષિત રહેશે એ મોટા સવાલો હતા. અમેરિકાથી ગુજરાત આવી રહેલાં ગુજરાતી પરિવારો સાથે આ ઘટના બની હતી. અમેરિકાના રોબિન્સવિલેમાં રહેતા ગુજરાતીઓનું એક ગ્રૂપ ત્યાંથી અમદાવાદ આપવવા માટે નીકળ્યું હતું. પરંતુ મિડલ ઈસ્ટમાં ફાટી નીકળેલાં વિનાશક યુદ્ધના કારણે ગુજરાતીઓનું આ આખું ગ્રૂપ કુવૈતમાં ફસાઈ ગયું હતું.

ઉલ્લેખનીય છેકે, યુદ્ધની સ્થિતિ અને ભારે તણાવની વચ્ચે ફસાયેલાં ગુજરાતીઓના ગ્રૂપમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ હતી. ત્યાં થઈ રહેલાં મિસાઇલ હુમલા અને યુદ્ધની સ્થિતિને કારણે ગુજરાતીઓના આ ગ્રૂપે બચવાની આશા છોડી દીધી હતી. જોકે, અબુધાબીના BAPS મંદિર અને તેના સંત બ્રહ્મવિહારી સ્વામીની મદદથી કુવૈતમાં ફસાયેલું ગુજરાતીઓનું આ ગ્રૂપ હેમખેમ બચ્યું. બાકી તો આ લોકો ચારેતરફ હુમલા વચ્ચે ફસાયેલાં હતાં. જોકે, સ્વામિનાયરણના સંતોની મદદથી ગુજરાતીઓનું આ ગ્રૂપ બે દેશોની બોર્ડર પાર કરીને સુરક્ષિત રીતે અમદાવાદ પહોંચી ગયું છે.

અમેરિકાથી અમદાવાદ આવવા માટે જે ફ્લાઈટ ઉપડી ગુજરાતીઓનું આ ગ્રૂપ તેમાં સવાર હતું. પરંતુ એ દરમિયાન જ ઇરાને કુવૈત પર હુમલો કરી દીધો. જેના કારણે સુરક્ષાના કારણોસર તાત્કાલિક ધોરણે એરસ્પેસ બંધ કરી દેવાની ફરજ પડી હતી. ત્યાર બાદ ફ્લાઇટો કેન્સલ થઇ ગઇ હતી. જેથી અમદાવાદ આવવા નીકળેલું ગુજરાતીઓનું આખું ગ્રુપ કુવૈતમાં અટવાઇ ગયું હતું. કુવૈતમાં તેઓ કોઈને જાણતા નહોતાં. ત્યાંથી કોઈની પાસે થી પણ મદદ મળે તેવી શક્યતાઓ નહોંતી. એવામાં એક હરિભક્તે રોબિન્સવિલેમાં આવેલા BAPS મંદિરનો સંપર્ક કર્યો અને ત્યાંના સંતોને પરિસ્થિતિ અંગે જાણ કરી. જેના પછી રોબિન્સવિલેના સંતોએ અબુધાબીમાં આવેલા BAPS મંદિરના સંત બ્રહ્મવિહારી સ્વામીને વાત કરી. આ ફોન આવ્યાં બાદ તાત્કાલિક બ્રહ્મવિહારી સ્વામી કુવૈતમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલાં ગુજરાતીઓની વ્હારે આવ્યાં.

બ્રહ્મવિહારી સ્વામીએ તાત્કાલિક કુવૈતમાં રહેતા હરિભક્તોનો સંપર્ક કરીને સમગ્ર મામલે મદદ માંગી. સ્વામીએ માહિતી આપી કે, અમેરિકાથી આવી રહેલાં ગુજરાતીઓ યુદ્ધની સ્થિતિમાં ફસાયા છે. ત્યાર બાદ હરિભક્તોએ પણ સ્વામીના આદેશનું પાલન કરીને કુવૈતમાં ફસાયેલાં તમામ ગુજરાતીઓને સલામત રીતે અમદાવાદ પહોંચાડવામાં મદદ કરી. અમદાવાદ પહોંચતાની સાથે જ ગુજરાતી ગ્રૂપના સભ્યોએ BAPSના સંતોનો આભાર માન્યો હતો.

સમગ્ર મામલે અબુધાબીના BAPS હિન્દુ મંદિરના પ્રમુખ બ્રહ્મવિહારી સ્વામીએ મીડિયા સાથે ની વાતચીતમાં જણાવ્યુંકે, વિકટ પરિસ્થિતિઓ દરેકના જીવનમાં આવતી હોય છે. એવા સમયે જ માણસની સાચી પરીક્ષા થતી હોય છે. આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે આપણે ભગવાનમાં સાચી શ્રદ્ધા અને ધીરજ રાખીએ તો બધુ સારું થઈ જાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Rajya Sabha Election; રાજ્યસભા ચૂંટણીમાં NDAનો વિજય: બહુમતીનો આંકડો પાર; બિલ પાસ કરવામાં હવે નહીં નડે કોઈ અવરોધ

Rajya Sabha Election; રાજ્યસભા ચૂંટણીમાં NDAનો વિજય

Pakistan ની અફઘાનિસ્તાન પર સૌથી મોટી એર સ્ટ્રાઈક!: હોસ્પિટલ પર હુમલામાં 400 લોકોના મોત, 250 ઘાયલ; તાલિબાને લીધી બદલાની પ્રતિજ્ઞા

Pakistan ની અફઘાનિસ્તાન પર સૌથી મોટી એર સ્ટ્રાઈક!
Play Video

"જો ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવશે તો સમગ્ર મધ્ય પૂર્વને ઉડાવી દેશે": ટ્રમ્પની કડક ચેતવણી

"જો ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવશે તો સમગ્ર મધ્ય પૂર્વને ઉડાવી દેશે"

આજે 17 માર્ચ: વિશ્વ ઊંઘ દિવસ, કલ્પના ચાવલા, સાયના નેહવાલનો જન્મદિવસ

આજે 17 માર્ચ

ઈરાનના જપ્ત કરાયેલા ત્રણ ટેન્કર મુક્ત કરવાની માગ: જાણો કેમ ભારતે કર્યા છે જપ્ત

ઈરાનના જપ્ત કરાયેલા ત્રણ ટેન્કર મુક્ત કરવાની માગ

હોર્મુઝની ખાડીમાં યુદ્ધજહાજો તૈનાત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ: વિશ્વના શક્તિશાળી દેશોનો ઝટકો

હોર્મુઝની ખાડીમાં યુદ્ધજહાજો તૈનાત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ

LPG ટેન્કર 'શિવાલિક' મુન્દ્રા બંદરે પહોંચ્યું: સેંકડો ભારતીયોને ઈરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

LPG ટેન્કર 'શિવાલિક' મુન્દ્રા બંદરે પહોંચ્યું

બિહાર રાજ્યસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મોટો ઝટકો: 4 ધારાસભ્યો ગાયબ! પાંચેય બેઠકો પર NDAની જીત

બિહાર રાજ્યસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મોટો ઝટકો

Election Commission of India: સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટે આદર્શ આચારસંહિતાનું કડક પાલન માટે નિર્દેશો જારી

Election Commission of India

ગજબ થયું!: રોબોટને મહિલાની છેડતી કરવા પર કર્યો અરેસ્ટ

ગજબ થયું!

આ વર્ષે તૂટશે ગરમીના તમામ રેકોર્ડ!: ભારતના આ રાજયો પર વરસશે હીટવેવનો કહેર! IMDની ચોંકાવનારી આગાહી

આ વર્ષે તૂટશે ગરમીના તમામ રેકોર્ડ!

હરીશ રાણાની નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ પ્રક્રિયા શરૂ: AIIMSમાં લાઈફ સપોર્ટ ટ્યુબ દૂર કરાઈ, જાણો શું છે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ

હરીશ રાણાની નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ પ્રક્રિયા શરૂ
Play Video

Tamil Nadu Election Opinion Polls: તમિલનાડુમાં સરકાર બનાવવાનું સપનું સાકાર કરવા આ અભિનેતા સાથે NDAએ મિલાવવો પડે હાથ!

Tamil Nadu Election Opinion Polls

Rajya Sabha Election 2026: રાજ્યસભાની 11 બેઠકો પર મતદાન, સાંજે આવશે પરિણામ

Rajya Sabha Election 2026

દેશના આ રાજયોમાં તબાહી મચાવશે વાવાઝોડું!: હવામાન વિભાગની મોટી ચેતવણી, જાણો ગુજરાતને કોઈ ખતરો છે કે નહીં

દેશના આ રાજયોમાં તબાહી મચાવશે વાવાઝોડું!

દુબઈ એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો: ઈંધણ ટાંકીમાં ભયાનક આગ, તમામ ફ્લાઇટ્સ રદ

દુબઈ એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો
Play Video

ઓડિશાની SCB મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ: 10ના મોત, અનેક ઘાયલ, CM મોહન માઝી પહોંચ્યા ઘટનાસ્થળે

ઓડિશાની SCB મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ

આજે 16 માર્ચ: ભારતમાં પ્રથમવાર અપાઈ હતી પોલીયોની રસી, જાણો આજની મુખ્ય ઘટનાઓ

આજે 16 માર્ચ

શું કિમ જોંગ ઉન નાસ્તિક છે?: જાણો ઉત્તર કોરિયામાં કયા ધર્મનું અસ્તિત્વ છે અને લોકોની આસ્થા પાછળનું રહસ્ય

શું કિમ જોંગ ઉન નાસ્તિક છે?