બોલિવુડના પ્રખ્યાત અભિનેતા ગોવિંદાની તબિયત મંગળવારે અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેઓ રાત્રે 8:30 વાગ્યે ઘરે બેભાન થઈ ગયા હતા, જે બાદ ડોક્ટરની સલાહથી દવા આપવામાં આવી અને તબિયતમાં સુધારો થયો. જોકે, મધરાતે 12:30 વાગ્યે ફરી અસ્વસ્થતા અનુભવાતાં રાત્રે 1 વાગ્યે મુંબઈની ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરાયા. અનેક પરીક્ષણો બાદ તેઓ હાલ સ્વસ્થ અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. સ્વાસ્થ્ય અપડેટ ટૂંક સમયમાં જાહેર થશે.
ગોવિંદાની ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના
તાજેતરમાં ગોવિંદા ધર્મેન્દ્રની તબિયતની પૂછપરછ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ગયા હતા, જ્યાં તેઓ ભાવુક દેખાયા. ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત ચાહકો હવે ગોવિંદાની ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે ગોવિંદાને ગયા વર્ષે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી અકસ્માતે ગોળી વાગી હતી. ઘરે રિવોલ્વર સ્ટોર કરતાં તે હાથમાંથી સરકી ગઈ અને ડાબા ઘૂંટણમાં વાગી. હોસ્પિટલમાં સર્જરી કરી ગોળી કાઢવામાં આવી હતી. પોલીસે પૂછપરછ કરી, અને અનેક હસ્તીઓએ મુલાકાત લીધી હતી.




















