Home International Bihar Election Result 2025 Jdu Nda Ljp Pm Narendra Modi Thanks To Bihar People

'બિહારમાં સુશાસન અને વિકાસની જીત' : ચૂંટણી પરિણામો પર PM મોદીની પ્રતિક્રિયા

'બિહારમાં સુશાસન અને વિકાસની જીત'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 14, 2025, 03:56 PM IST

Bihar Assembly Election Result : 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનડીએના સાથી પક્ષોને અભિનંદન આપ્યા. તેમણે એનડીએની ઐતિહાસિક સફળતા માટે બિહારના લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો. એનડીએએ કુલ 243 બેઠકોમાંથી 200 થી વધુ બેઠકો પર મજબૂત લીડ સ્થાપિત કરી છે. PM મોદીએ આ સફળતાને સુશાસન, વિકાસ, જન કલ્યાણ અને સામાજિક ન્યાય માટે અભૂતપૂર્વ વિજય ગણાવ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરતા પીએમ મોદીએ કહ્યું, "બિહારમાં સુશાસનનો વિજય થયો છે. વિકાસનો વિજય થયો છે. જન કલ્યાણની ભાવનાનો વિજય થયો છે. સામાજિક ન્યાયનો વિજય થયો છે."

'હું દરેક NDA કાર્યકર્તાનો આભાર માનું છું'

તેમણે વધુમાં કહ્યું, "2025ની વિધાનસભા ચૂંટણીમાં એનડીએને ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય અપાવનારા બિહારમાં મારા પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર. આ જબરદસ્ત જન સમર્થન અમને સમર્પણ સાથે લોકોની સેવા કરવા અને બિહારના ઉજ્જવળ ભવિષ્ય માટે નવા સંકલ્પ સાથે કામ કરવા પ્રેરણા આપશે." PM મોદીએ વધુમાં કહ્યું, "હું દરેક NDA કાર્યકર્તાનો આભાર માનું છું જેમણે અથાક મહેનત કરી છે. તેઓ લોકોની વચ્ચે ગયા છે, અમારા વિકાસ એજન્ડા રજૂ કર્યા છે અને વિપક્ષના દરેક જુઠ્ઠાણાને મજબૂતીથી પડકાર્યા છે. હું તેમની ખૂબ પ્રશંસા કરું છું."

'નવી ઓળખ આપવા માટે ખંતપૂર્વક કામ કરીશું'

PM એ કહ્યું કે, આગામી વર્ષોમાં અમે બિહાર તેના માળખાગત સુવિધાઓનો વિકાસ કરવા અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે ખંતપૂર્વક કામ કરીશું. અમે ખાતરી કરીશું કે બિહારના યુવાનો અને મહિલાઓને સમૃદ્ધ જીવન માટે પુષ્કળ તકો મળે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now