logo-img
Air India Mumbai London Flight Delay

AIR INDIAની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી : મુંબઈથી લંડન જતા મુસાફરો અટવાયા

AIR INDIAની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી
Published by: Offbeat Team
| Last Updated: Nov 08, 2025, 06:58 AM IST

મુંબઈથી લંડન જવા માટે નિર્ધારિત એર ઇન્ડિયાની ફ્લાઇટ AI129 આજે સવારે સમયસર ઉડાન ભરી શકી નથી. સવારે 6:30 વાગ્યે ટેકઓફ થનારી આ ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે વિલંબિત થઈ છે. એરલાઇનના જણાવ્યા અનુસાર, વિમાનમાં સર્જાયેલી ટેકનિકલ સમસ્યા ઉકેલાયા બાદ હવે આ ફ્લાઇટ બપોરે 1 વાગ્યે રવાના થશે.

એર ઇન્ડિયાએ પ્રસ્થાનની રાહ જોઈ રહેલા મુસાફરોને એરપોર્ટ પર નાસ્તાની સુવિધા પૂરું પાડી છે. ફ્લાઇટમાં સવાર થનારા ઘણા મુસાફરો સવારે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તકેદારી બાદ જ વિમાનને મંજૂરી આપવામાં આવશે.

દિલ્હી એરપોર્ટ પર પણ ટેકનિકલ ખામી, 300 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત

આ વચ્ચે, દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ATC સિસ્ટમમાં ખામી સર્જાતા આશરે 300 થી વધુ ફ્લાઇટ્સની સમયસૂચીમાં વિલંબ નોંધાયો છે.

દિલ્હી એરપોર્ટ પ્રાધિકરણ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે ઓટોમેટેડ મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS), જે એર ટ્રાફિક કંટ્રોલની ફ્લાઇટ પ્લાનિંગ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમાં ખામી આવી હતી. હાલમાં સિસ્ટમ ધીમે ધીમે સુધરતી જઈ રહી છે અને એરલાઇન કામગીરી સામાન્ય સ્થિતિમાં પાછી લાવવા પ્રયાસો ચાલુ છે.

અધિકારીઓએ મુસાફરોને સલાહ આપી છે કે તેઓ પોતાની ફ્લાઇટ અંગેની નવીનતમ માહિતી મેળવવા માટે સીધો તેમની એરલાઇનનો સંપર્ક કરે અને એરપોર્ટ પરના અનાવશ્યક વિલંબથી બચવા સમયસર પહોંચે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now