Home National-International Rahul Gandhi Punjab Visit Gurdaspur Ravi River Flood Villages Stopped By Police Congress Aap Controversy

રાહુલ ગાંધીને પંજાબના પૂર પીડિતોને મળવાથી રોકવામાં આવ્યા! : VIDEO: SP સાથે ઉગ્ર દલીલ, કહ્યું- 'તમે મને...'

રાહુલ ગાંધીને પંજાબના પૂર પીડિતોને મળવાથી રોકવામાં આવ્યા!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 16, 2025, 08:20 AM IST

પંજાબના પ્રવાસે રહેલા કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સોમવારે (15 સપ્ટેમ્બર) ગુરદાસપુર જિલ્લામાં રાવી નદીની પારે આવેલા એક ગામમાં જતા અટકાવવામાં આવ્યા ત્યારે વિવાદ સર્જાયો હતો. રાહુલ ગાંધી અમૃતસર અને ગુરદાસપુર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા હતા. તેમણે અમૃતસરના ઘોનવાલ ગામ અને ગુરદાસપુરના ગુરચક ગામની મુલાકાત લીધી અને ત્યાં પૂર પીડિતોને મળ્યા, પરંતુ જ્યારે તેઓ રાવી નદીની પેલે પાર આવેલા સરહદી ગામ તૂર જવા લાગ્યા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.

રાહુલ ગાંધી અને પોલીસ અધિકારી 'સામસામે'!

સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં રાહુલ ગાંધી પોલીસ અધિકારીઓને સવાલ કરતા જોવા મળ્યા. તેમણે કહ્યું "તમે મને કહી રહ્યા છો કે તમે મને ભારતીય ધરતી પર સુરક્ષિત રાખી શકતા નથી. શું તમે આ કહેવા માંગો છો?" પોલીસ અધિકારીએ જવાબ આપ્યો, "અમે હંમેશા તમારી સુરક્ષા માટે તૈયાર છીએ." જેના પર રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કરતા કહ્યું, "તો પછી તમે કેમ કહી રહ્યા છો કે આ ભારતનો પ્રદેશ છે અને તમે મને ત્યાં સુરક્ષિત રાખી શકતા નથી? શું તે ભારત નથી?" આ દરમિયાન તેમની સાથે પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ અને સાંસદ સુખજિંદર રંધાવા પણ હાજર હતા.

કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યા

પંજાબ કોંગ્રેસના પ્રમુખ રાજા વારિંગે કહ્યું કે, રાહુલ ગાંધી ફક્ત લોકોને મળવા અને તેમની સમસ્યાઓ સાંભળવા માંગતા હતા, પરંતુ પોલીસે તેમને સુરક્ષાના કારણોસર રોક્યા. તેમણે પ્રશ્ન કર્યો, "જો રાહુલ ગાંધીને ભારતમાં પાકિસ્તાનથી ખતરો છે અને તેઓ અહીં પણ સુરક્ષિત નથી, તો તેઓ ક્યાં સુરક્ષિત રહેશે?" પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પણ પંજાબ સરકાર પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરો છેલ્લા ત્રણ દિવસથી ત્યાં મેડિકલ કેમ્પ ચલાવી રહ્યા છે, છતાં રાહુલ ગાંધીને પૂરગ્રસ્ત પરિવારોને મળવા દેવામાં આવ્યા નથી. કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ તેને શરમજનક અને અસંવેદનશીલ ગણાવ્યું અને આરોપ લગાવ્યો કે તે સુરક્ષાનો મુદ્દો નથી પરંતુ રાજકીય નિર્ણય છે, જેથી સરકાર જવાબદારીમાંથી છટકી શકે. તેમણે કહ્યું, "સરહદ નજીક રહેતા લોકો પણ આપણા દેશવાસીઓ છે. ફક્ત સરહદ નજીક રહેતા હોવાથી, તેનો અર્થ એ નથી કે તેઓ મદદ મેળવવાના હકદાર નથી."

વિપક્ષે AAP સરકાર પર નિશાન સાધ્યું

કોંગ્રેસના નેતાઓએ પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકાર અને કેન્દ્રમાં ભાજપ સરકાર પર હુમલો કર્યો અને આરોપ લગાવ્યો કે બંને પક્ષોના નેતાઓ હજુ સુધી સરહદ પરના પૂરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા નથી. સોમવારે પંજાબના ગુરદાસપુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પોલીસ અધિકારીઓ સાથે બોલાચાલી થઈ હતી. રાહુલ ગાંધી ગુરદાસપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા ગયા હતા. પાકિસ્તાન સરહદને અડીને આવેલા ગામો તરફ આગળ વધતા જ SP જુગરાજ સિંહે તેમને સુરક્ષાના કારણો જણાવીને રોક્યા. SPએ રાહુલ ગાંધીને કહ્યું કે, આગળ પાકિસ્તાન સરહદ છે અને ફેન્સીંગ તૂટેલી છે. જેના પર રાહુલ ગાંધીએ SPને કહ્યું કે તમે ભારતીય ક્ષેત્રમાં મારું રક્ષણ કરી શકતા નથી, તેથી મને આગળ વધતા અટકાવવો છો. SPએ જવાબ આપ્યો કે ત્યાં સુરક્ષાની ચિંતા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત: રાજ્યોને આપ્યો LPG ક્વોટામાં 10% વધારો, જાણો સંપૂર્ણ વિગતો

કોમર્શિયલ ગેસ અંગે સરકારની મોટી જાહેરાત

ઈન્દોર બાદ દિલ્હીમાં પાંચ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ: દુર્ઘટનામાં બાળકો સહિત 9ના મોત, 2 લોકોએ જીવ બચાવવા બિલ્ડિંગ પરથી લગાવી છલાંગ

ઈન્દોર બાદ દિલ્હીમાં પાંચ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ

"રાજકારણમાં ક્યારેય પૂર્ણવિરામ નથી હોતું": સાંસદોને વિદાય ભાષણ આપતાં બોલ્યા PM મોદી

"રાજકારણમાં ક્યારેય પૂર્ણવિરામ નથી હોતું"

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાએ કરી સરકાર બદલવાની તૈયારી: માર્કો રુબિયોએ કર્યો મોટો ખૂલાસો, જાણો શું છે મામલો

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાએ કરી સરકાર બદલવાની તૈયારી

યુદ્ધોને કારણે વિશ્વમાં 4.5 કરોડ લોકો પર ભૂખમરાનું સંકટ!: યુદ્ધ અને હિંસાને કારણે દુનિયામાં અનાજની ભારે 'અછત!'

યુદ્ધોને કારણે વિશ્વમાં 4.5 કરોડ લોકો પર ભૂખમરાનું સંકટ!

EV Users સાવધાન! ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગ વખતે લાગી ભીષણ આગ: કારના ડિજિટલ લોક ખુલ્યા નહીં અને જીવતા ભુજાયા 8 લોકો, હજુ 4 ગંભીર

EV Users સાવધાન! ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગ વખતે લાગી ભીષણ આગ

દેશના 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ: હિમાચલમાં હિમવર્ષા અને મેઘાલયમાં વાવાઝોડાનો કહેર; જાણો આગામી 48 કલાક કેવા રહેશે?

દેશના 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!: મનગમતી સીટ માટે નહીં લાગે એકસ્ટ્રા ચાર્જ, સરકારનો મોટો નિર્ણય

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ભયાનક વળાંક: બે ટોચના અધિકારીઓના મોત બાદ ફાટ્યો ઈરાનનો ગુસ્સો, ઈઝરાયલ અને ખાડી દેશો પર મિસાઈલોનો વરસાદ!

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ભયાનક વળાંક

આજે 18 માર્ચ: જાણો ભારતીય સૈન્યની તાકાત વધારનાર ઓર્ડનન્સ ફેક્ટરી ડે વિશે

આજે 18 માર્ચ

ટ્રમ્પને ઝટકો: આતંકવાદ વિરોધી દળનાં ટોચના અધિકારીનું રાજીનામું, કહ્યું ઇઝરાઇલના દબાણમાં અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું

ટ્રમ્પને ઝટકો

રાજ્યસભામાં NDAની ‘બલ્લે-બલ્લે’, વિપક્ષની તાકાત ઘટી: જાણો- મોનસૂન સત્ર પહેલા કેવી રીતે બદલાયું ગણિત

રાજ્યસભામાં NDAની ‘બલ્લે-બલ્લે’, વિપક્ષની તાકાત ઘટી

ભવાનીપુરથી ચૂંટણી લડશે મમતા બેનર્જી...: TMCએ બંગાળ ચૂંટણી માટે 291 નામોની જાહેરાત કરી, જાણો વિગતે

ભવાનીપુરથી ચૂંટણી લડશે મમતા બેનર્જી...

બાળક દત્તક લેનારી માતાઓને પણ રજા મેળવવાનો અધિકાર: મેટરનિટી લીવ પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

બાળક દત્તક લેનારી માતાઓને પણ રજા મેળવવાનો અધિકાર

બંગાળનો પહેલો ઓપિનિયન પોલ: શું ભાજપ મમતાના ગઢમાં ગાબડું પાડશે? જાણો જનતાનો મૂડ

બંગાળનો પહેલો ઓપિનિયન પોલ

"જો BAPSના સંતો ન હોત તો અમે જીવિત ન હોત": જાણો યુદ્ધની સ્થિતિ વચ્ચે કઈ રીતે હેમખેમ બચ્યા કુવૈતમાં ફસાયેલાં ગુજરાતીઓ

"જો BAPSના સંતો ન હોત તો અમે જીવિત ન હોત"

Rajya Sabha Election; રાજ્યસભા ચૂંટણીમાં NDAનો વિજય: બહુમતીનો આંકડો પાર; બિલ પાસ કરવામાં હવે નહીં નડે કોઈ અવરોધ

Rajya Sabha Election; રાજ્યસભા ચૂંટણીમાં NDAનો વિજય

Pakistan ની અફઘાનિસ્તાન પર સૌથી મોટી એર સ્ટ્રાઈક!: હોસ્પિટલ પર હુમલામાં 400 લોકોના મોત, 250 ઘાયલ; તાલિબાને લીધી બદલાની પ્રતિજ્ઞા

Pakistan ની અફઘાનિસ્તાન પર સૌથી મોટી એર સ્ટ્રાઈક!
Play Video

"જો ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવશે તો સમગ્ર મધ્ય પૂર્વને ઉડાવી દેશે": ટ્રમ્પની કડક ચેતવણી

"જો ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવશે તો સમગ્ર મધ્ય પૂર્વને ઉડાવી દેશે"

આજે 17 માર્ચ: વિશ્વ ઊંઘ દિવસ, કલ્પના ચાવલા, સાયના નેહવાલનો જન્મદિવસ

આજે 17 માર્ચ