ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ ફાટી નીકળી છે. ફરી એકવાર હિંસા ભડકી છે. આવામી લીગે યુનુસ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. ઢાકા સહિત અનેક શહેરોમાં તોડફોડની ઘટનાઓ બની છે. શેખ હસીના પર આજે કોર્ટનો ચુકાદો આવવાનો છે. બાંગ્લાદેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરમિયાન વચગાળાની સરકારે હિંસામાં સામેલ લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલ કોર્ટ ચુકાદો આપશે
ગઈકાલે મોડી રાત્રે આવામી લીગના કાર્યકરોએ રાજધાની ઢાકામાં બસો અને સરકારી ઇમારતોને આગ ચાંપી દીધી હતી. વધતા તણાવ વચ્ચે મુખ્ય વિસ્તારોમાં સરહદ રક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે. સરકારે ચુકાદાનું જીવંત પ્રસારણ કરવા માટે ઘણી જગ્યાએ મોટી સ્ક્રીન લગાવી છે. બળવા પછી પદભ્રષ્ટ કરાયેલા ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામે આજે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) પોતાનો ચુકાદો આપવાનું છે. શેખ હસીનાની પાર્ટી, આવામી લીગે બાંગ્લાદેશમાં રાષ્ટ્રવ્યાપી "સંપૂર્ણ બંધ"નું આહ્વાન કર્યું છે. જોકે, યુનુસ સરકારે આવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો છે. અવામી લીગના પ્રતિબંધ બાદથી બાંગ્લાદેશ હાઈ એલર્ટ પર છે.
શેખ હસીનાએ કાર્ટ વિશે શું કહ્યું?
શેખ હસીનાએ ટ્રિબ્યુનલને કાંગારૂ કોર્ટ ગણાવી છે. તેમના પુત્ર અને સલાહકાર, સજીબ વાજેદે ચેતવણી આપી છે કે, જો તેમના પક્ષ અવામી લીગ પરનો પ્રતિબંધ હટાવવામાં નહીં આવે, તો તેઓ ફેબ્રુઆરી 2026 ની રાષ્ટ્રીય ચૂંટણીઓને અવરોધિત કરશે અને વિરોધ પ્રદર્શનો હિંસક બની શકે છે.




















