પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે ઈતિહાસ રચાયો છે. કોલકાતામાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં સુવેન્દુ અધિકારીના નામાંકનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુવેન્દુના નામની જાહેરાત કરી. અમિત શાહ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં ધારાસભ્યોએ સર્વાનુમતે સુવેન્દુ અધિકારીને તેમના નેતા તરીકે ચૂંટ્યા. સુવેન્દુ અધિકારી આવતીકાલે એટલે કે 9 મેના રોજ સવારે 11 વાગ્યે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે સુવેન્દુ અધિકારી: રૂપા ગાંગુલી અને ઉત્તર બંગાળ માંથી બીજા ડેપ્યુટી CM, આવતીકાલે શપથવિધિ
9 મે એ બંગાળ માટે ખૂબ જ ખાસ દિવસ રહેશે કારણ કે તે દિવસે રવિન્દ્ર જયંતિ છે. આ શુભ પ્રસંગે રાજ્યમાં ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપરાંત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવનારા સુવેન્દુની સાથે 2 નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂંક કરવાની ચર્ચા છે જેનાથી રાજ્યમાં નવા રાજકીય સમીકરણો બની શકે છે.
સુપરસ્ટાર થલપતિ વિજય જ બનશે તમિલનાડુના નવા CM: રાજકીય પક્ષોને ધંધે લગાવીને છેલ્લે હીરોએ કાઢ્યો 'હુકુમનો એક્કો', આજે સાંજે જાહેરાત
બંગાળના રાજ્યપાલ આરએન રવિએ 7 મેના રોજ રાજ્ય વિધાનસભાનું વિસર્જન કર્યું હતું. કોલકાતા ગેઝેટમાં જાહાર કરાયેલા સત્તાવાર સૂચનાને ટાંકીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બાદ આ વિસર્જન કરવામાં આવ્યું હતું. કોલકાતામાં ધારાસભ્ય પક્ષની બેઠકને સંબોધતા અમિત શાહે વિજયના આંકડાઓ પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ વખતે બંગાળમાં ભાજપની લહેરનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે અમારા ધારાસભ્યોનો સરેરાશ જીતનો માર્જિન 28,000 મત હતો.
શ્યામપ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર
અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું, પાર્ટીના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો ખાસ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આજે બંગાળમાં ભાજપ સરકારની રચના ડૉ. મુખર્જીના સંઘર્ષ અને બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ છે. શાહના મતે, તેમણે મૂકેલા રાષ્ટ્રવાદના પાયા પર નિર્માણ કરી. હવે ભાજપ પહેલી વાર બંગાળમાં પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશનાં ચંદૌલીમાં 300 બાંધકામ કરાયા જમીન દોસ્ત : સમાજવાદી પાર્ટીની ઓફિસ પણ તોડી પડાઈ
ઘૂસણખોરી કરનારાઓ પર પ્રહાર
કોલકાતામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરીના મુદ્દા પર અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું. શાહે સ્પષ્ટપણે કહ્યું કે જેમ આપણે આસામમાં ઘૂસણખોરી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે તેમ બંગાળમાં પણ એવું જ થશે, જેનાથી અહીં પણ ગેરકાયદેસર સ્થળાંતર સંપૂર્ણપણે અશક્ય બની જશે.
આ પણ વાંચો: નોકરીની લાલચ આપી 35 યુવતીઓને લઈ જવાઈ ઝારખંડ : પછી એમની સાથે જે કરવામાં આવ્યું તે જાણીને ઉકળી જશે તમારું લોહી
શુવેન્દુ અધિકારી કોણ છે?
સુવેન્દુ અધિકારીનો જન્મ 15 ડિસેમ્બર, 1970ના રોજ પૂર્વ મેદિનીપુરના કાંઠીમાં એક શ્રીમંત રાજકીય પરિવારમાં થયો હતો. તેમના પિતા, શિશિર અધિકારી બંગાળના રાજકારણમાં એક આદરણીય અને અગ્રણી વ્યક્તિ છે. અધિકારી પરિવાર દાયકાઓથી સમગ્ર મેદિનીપુર પ્રદેશ પર પ્રભુત્વ ધરાવે છે. શુવેન્દુએ તેમની પાસેથી રાજકારણની મૂળભૂત બાબતો શીખી. તેમણે 1989માં કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે સમગ્ર બંગાળમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનોનું પ્રભુત્વ હતું તેથી તેમણે પોતાને વિપક્ષી વિદ્યાર્થી નેતા તરીકે સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો. 1995માં, તેમણે કાંથી નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈને ઔપચારિક રીતે પોતાની ચૂંટણી સફર શરૂ કરી.
સુવેન્દુનો સામનો સતત બે ચૂંટણીઓમાં મમતા બેનર્જી સાથે થયો હતો. તેમણે 2021ની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામથી મમતા બેનર્જીને હરાવ્યા હતા. આ વખતે તેમણે ફરી ભવાનીપુરમાં મમતા બેનર્જી સામે ચૂંટણી લડી. તેમણે ફરી મમતા બેનર્જીને હરાવ્યા. સુવેન્દુએ આ વખતે નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો જીતી હતી. 2011માં સુવેન્દુના હાથમાં જ 34 વર્ષ જૂની ડાબેરી સરકાર પડી ભાંગી હતી.





