Home Religion The Great Glory Of Worshipping Goddesses During Navratriknow When To Worship Whom

નવરાત્રિમાં દેવીઓની પૂજાનો અનેરો મહિમા : જાણો કયારે કોની પૂજા? શું મળશે ફળ?

નવરાત્રિમાં દેવીઓની પૂજાનો અનેરો મહિમા
Published by: Offbeat Team
| Last Updated: Sep 20, 2025, 06:15 AM IST

નવરાત્રિ એ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે, જે દરમિયાન નવ દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. લોકો ભારે ઉત્સાહ સાથે માતાના નવ સવરુપોની પૂજા કરતાં હોય છે. અને દરેક દિવસે અલગ અલગ દેવીઓની પૂજા કરવામાં આવે છે, આ દેવીઓના નામ તેમની પૂજાનું કારણ અને રીત વિશે વાત કરીશું.

નવરાત્રિમાં માતાના ક્યા નવ સ્વરૂપોની થાય પૂજા અર્ચના જાણો | Gujarat News |  Sandesh

1. પ્રથમ દિવસ: માતા શૈલપુત્રી

દેવી શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી છે. તેમનું નામ "શૈલ" (પર્વત) અને "પુત્રી" (દીકરી) પરથી પડ્યું છે. આ દિવસે શાંતિ, શક્તિ અને શુદ્ધતા માટે પૂજા કરવામાં આવે છે.

વાહન: નંદી (બળદ)

રંગ: લાલ અથવા સફેદ

2. બીજો દિવસ: માતા બ્રહ્મચારિણી

આ દેવી તપ અને સંયમનું પ્રતીક છે. તેમની પૂજા ભક્તોને આધ્યાત્મિક શક્તિ આપે છે. જ્ઞાન અને મનની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે.

વાહન: પગપાળા

રંગ: નીલો

3. ત્રીજો દિવસ: માતા ચંદ્રઘંટા

આ દેવીના મસ્તક પર ઘંટ આકારનું ચંદ્ર હોવાથી તેમનું નામ ચંદ્રઘંટા છે. તેઓ શાંતિ અને શક્તિનું પ્રતીક છે. શૌર્ય અને નિર્ભયતા માટે પૂજા કરવામાં આવે છે.

વાહન: સિંહ

રંગ: પીળો

4. ચોથો દિવસ: માતા કુષ્માંડા

એવું માનવામાં આવે છે કે તેમણે પોતાની હાસ્યથી બ્રહ્માંડની રચના કરી, તેમની પૂજા આરોગ્ય અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે.

વાહન: સિંહ

રંગ: નારંગી.

5. પાંચમો દિવસ: માતા સ્કંદમાતા

ભગવાન કાર્તિકેય (સ્કંદ)ની માતા. તેઓ દયા અને મમતાનું સ્વરૂપ છે. સંતાન પ્રાપ્તિ અને સુખ-શાંતિ માટે પૂજા કરવામાં આવે છે.

વાહન: સિંહ

રંગ: સફેદ

6. છઠ્ઠો દિવસ: માતા કાત્યાયની

કાત્યાયની દેવીની પૂજા એટલા માટે થાય છે કે આ દેવીનું યોદ્ધા સ્વરૂપ, જે અનિષ્ટનો નાશ કરે છે. શક્તિ અને વિજય અપાવે છે.

વાહન: સિંહ

રંગ: લાલ

7. સાતમો દિવસ: માતા કાલરાત્રિ

આ દેવીનું ભયંકર પરંતુ રક્ષણ આપનારું સ્વરૂપ. તેઓ દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે. ભય અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ માટે તેમની પૂજા કરવામાં આવે છે.

વાહન: ગધેડો

રંગ: ઘેરો નીલો

8. આઠમો દિવસ: માતા મહાગૌરી

શાંત અને શુદ્ધ સ્વરૂપ, જે શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે. શાંતિ અને સુખ માટે તેમની પૂજા અર્ચના થાય છે.

વાહન: નંદી (બળદ)

રંગ: ગુલાબી

9. નવમો દિવસ: માતા સિદ્ધિદાત્રી

આ દેવી નવ સિદ્ધિઓ (આધ્યાત્મિક શક્તિઓ) આપે છે. તેમજ આધ્યાત્મિક ઉન્નતિ અને સફળતા માટે તેમની પૂજા કરવી જોઈએ.

વાહન: કમળ

રંગ: જાંબલી

દરેક દિવસે દેવીની આરતી, ચાલીસા અને ખાસ મંત્રોનો જાપ કરવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ગરબા અને ડાંડિયાનું આયોજન પણ થાય છે, જે દેવીની ભક્તિનો એક ભાગ છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા