logo-img
Supreme Court Orders Release Of Dogs But This Work Will Be Done Before Release

પશુપ્રેમીઓનો વિરોધ રંગ લાવ્યો : શ્વાનોને છોડી મુકવા SCએ આપ્યો આદેશ, પરંતુ છોડતા પહેલાં કરાશે આ કામ

પશુપ્રેમીઓનો વિરોધ રંગ લાવ્યો
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Aug 22, 2025, 06:23 AM IST

સુપ્રીમ કોર્ટે શુક્રવારે રખડતા શ્વાન મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે 11 ઓગસ્ટના આદેશ પર સ્ટે આપતાં સ્પષ્ટ કર્યું કે પકડાયેલા શ્વાનોને નસબંધી અને રસીકરણ કર્યા બાદ જ છોડવા પડશે. જ્યારે હડકવાથી સંક્રમિત કે આક્રમક વર્તન ધરાવતા શ્વાનોને રસ્તા પર પાછા મૂકવાના નહીં.

11 ઓગસ્ટે કોર્ટની બે જજોની બેન્ચે આદેશ આપ્યો હતો કે દિલ્હી-NCRમાંથી 8 અઠવાડિયામાં તમામ રખડતા શ્વાનોને પકડીને આશ્રય ગૃહોમાં મોકલવામાં આવે. આદેશ સામે ભારે વિરોધ થતાં મામલો ત્રણ ન્યાયાધીશોની વિશેષ બેન્ચને સોંપાયો હતો.

કોર્ટએ આ પહેલા 28 જુલાઈએ દેશભરમાં રખડતા કૂતરાઓના હુમલાઓ અને હડકવાના કેસોમાં વૃદ્ધિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સરકારના આંકડા મુજબ, વર્ષ 2024માં 37 લાખથી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાયા હતા.

આ મામલે BJP સાંસદ મેનકા ગાંધીએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે માત્ર દિલ્હીમાં જ ત્રણ લાખ રખડતા શ્વાન છે. જો તમામને પકડીને આશ્રય ગૃહોમાં મોકલવાના હોય, તો હજારો નવા આશ્રય ગૃહો બાંધવા પડશે, કારણ કે એક સાથે એટલા બધા શ્વાનોને રાખી શકાતાં નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now