Home International Punjab Lpg Tanker Blast 2 Died 30 Hospitalized

Punjab માં LPG ટેન્કર ફાટ્યું : 2 નું ભરથું અને 30 લોકો ઘાયલ

Punjab માં LPG ટેન્કર ફાટ્યું
Published by: OBS Bureau
Last Updated: Aug 23, 2025, 03:49 AM IST

પંજાબના હોશિયારપુરમાં શુક્રવારે મોડી રાત્રે એક ટ્રક સાથે અથડાયા બાદ LPG ભરેલા ટેન્કરનો બ્લાસ્ટ થયો. ગેસ લીકેજ થવાને કારણે આગ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. 15 દુકાનો અને 4 ઘર બળી ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં બે લોકો પણ જીવતા બળ્યા હતા અને 30 થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા.

ઘાયલોને હોશિયારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાવચેતી રૂપે, હોશિયારપુર-જલંધર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને એક કિલોમીટરનો વિસ્તાર ખાલી કરી લોકોને દૂર કરવામાં આવ્યા છે. ઘટનાને કારણે લોકો ગભરાઈ ગયા છે અને તેઓ ગામથી ત્રણ-ચાર કિલોમીટર દૂર ગયા છે. હાલમાં, મૃતકોની ઓળખ થઈ નથી.

ઘરમાં સૂતા લોકો સુધી ધમાકા સાથે આગ પહોંચી

શુક્રવારે મોડી રાત્રે, હોશિયારપુર જિલ્લાના મંડિયાલા ગામમાં એક ટ્રક એક LPG ટેન્કરને ટક્કર મારી, જેના કારણે ટેન્કર રસ્તા પર પલટી ગયું અને વિસ્ફોટ બ્લાસ્ટ થયો. ટેન્કર પલટી જતાં જ એક જોરદાર વિસ્ફોટ થયો અને ટેન્કરમાંથી ગેસ ઝડપથી લીક થવા લાગ્યો. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડીવારમાં જ તે નજીકના ઘરો અને દુકાનોને લપેટમાં લઈ ગઈ. ઘણા ગ્રામજનો આગમાં ફસાઈ ગયા, જેમાંથી ઘણા લોકો પહેલેથી સૂઈ રહ્યા હતા.

ગ્રામજનોએ માહિતી આપતાની સાથે જ પોલીસ-પ્રશાસન દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જલંધર-હોશિયારપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગામથી એક કિલોમીટર પહેલા ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘરોમાં ફસાયેલા બળી ગયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. SDRF ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને હોશિયારપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને 30 થી વધુ લોકો આગમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા. આમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

અકસ્માતના કારણો અને નુકસાનનું મૂલ્યાંકન ચાલુ છે: DC

હોશિયારપુરના ડીસીએ જણાવ્યું હતું કે રાત્રે 1.30 વાગ્યા સુધીમાં આગ પર ઘણી હદ સુધી કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ અકસ્માતના કારણો અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે.

પંજાબના કેબિનેટ મંત્રી ડૉ. રવજોત સિંહે કહ્યું કે આ એક દુ:ખદ ઘટના છે. આગમાં ફસાયેલા લોકોને હોશિયારપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલમાં ઘાયલો કે મૃતકોની સંખ્યા કહી શકાય નહીં. આ ઘટનાથી લોકો ગભરાઈ ગયા છે અને તેઓ ગામથી ત્રણ-ચાર કિલોમીટર દૂર ગયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે નવા કોરોના વેરિઅન્ટે વિશ્વની ચિંતા વધારી
ડોલર પર હવે ટ્રમ્પની સહી
US-Israelના હુમલા વચ્ચે પણ ઈરાન થયું માલામાલ!
હવે જામશે ખરાખરીનો જંગ!