Home International Pok Pakistan Army Mi17 Helicopter Crash Muzaffarabad June 2026

PoKમાં મોટી દુર્ઘટના : ઉડાન ભરતા પહેલા જ પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, તમામ લોકોના મોત

Helicopter Crash in POK
Published by: Viral Patel
Last Updated: Jun 10, 2026, 01:00 PM IST

Helicopter Crash in POK: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહીં પાકિસ્તાની સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. આ ઘટના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના મુઝફ્ફરાબાદ શહેર નજીકની છે, જ્યાં પાક સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે.

આ ઘટનાની માહિતી પાકિસ્તાની સેના દ્વારા આપવામાં આવી છે. સેનાની મીડિયા વિંગે જણાવ્યું કે પાકિસ્તાની સેનાનું એક Mi-17 હેલિકોપ્ટર બુધવારે (10 જૂન) કોઈ ખામીના કારણે ઉડાન ભરતા પહેલા જ ક્રેશ થઈ ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે તેમાં સવાર તમામ ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. જોકે, આ હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હજુ સુધી ચોક્કસ માહિતી સામે આવી નથી.

જમ્મુ-કાશ્મીરને મળશે રાજ્યનો દરજ્જો : PM મોદી ટૂંક સમયમાં પૂરો કરશે વાયદો... ફારુક અબ્દુલ્લાનો મોટો દાવો

POKમાં તણાવની સ્થિતિ

નોંધનીય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આ સમયે ભારે તણાવ ચાલી રહ્યો છે. અહીંના લોકો પાકિસ્તાનની કઠપૂતળી સરકાર સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. તાજેતરમાં જ અહીં એક મોટું આંદોલન પણ જોવા મળ્યું હતું. આ જ કારણસર મુઝફ્ફરાબાદમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ પણ ત્યાં હાજર છે.

કેવી રીતે થયો અકસ્માત?

આ હેલિકોપ્ટર દુર્ઘટનાનું અસલી કારણ તપાસ બાદ જ સામે આવી શકશે, પરંતુ તે પહેલા પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે ખરાબ હવામાનના કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે, છતાં સાચી માહિતી મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ અકસ્માત બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આકાશમાં કાળો ધુમાડો દેખાઈ રહ્યો છે. આ દુર્ઘટનામાં એક પણ વ્યક્તિ જીવતી બચી શકી નથી.

PM મોદીના '56 મોટા નિર્ણયો' : જેણે 'દેશની દિશા અને વિકાસયાત્રા'ને આપી નવી ઓળખ

ભૂતકાળમાં પણ થઈ ચૂકી છે આવી અનેક દુર્ઘટનાઓ

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પાકિસ્તાનમાં અનેક વિમાન દુર્ઘટનાઓ થઈ ચૂકી છે. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં સૈન્ય અને સરકારી હેલિકોપ્ટર દુર્ઘટનાઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગિલગિટ-બાલ્ટિસ્થાનના દિયામેર જિલ્લામાં ટેકનિકલ ખામીના કારણે પાકિસ્તાની સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પાંચ સૈન્ય કર્મચારીઓના મોત થયા હતા. આ સિવાય ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જ ખૈબર-પખ્તુનખ્વા સરકારનું એક હેલિકોપ્ટર પણ ખરાબ હવામાનના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તે અકસ્માતમાં બે પાયલટ અને ત્રણ ક્રૂ મેમ્બર્સે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now