Home International Lord Swraj Paul Died Pm Modi Pays Tribute To Nri Industrialist Philanthropist

NRI બિઝનેસમેન લોર્ડ સ્વરાજ પોલનું નિધન : જાણો કોણ છે આ બિઝનેસમેન, PM મોદીએ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

NRI બિઝનેસમેન લોર્ડ સ્વરાજ પોલનું નિધન
Published by: OBS Bureau
Last Updated: Aug 22, 2025, 05:28 AM IST

NRI બિઝનેસમેન લોર્ડ સ્વરાજ પોલનું નિધન થયું છે. તેમને લંડનની એક હોસ્પિટલમાં 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બ્રિટનના Caparo ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક લોર્ડ પોલ બીમાર હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોર્ડ સ્વરાજ પોલના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

લોર્ડ સ્વરાજ પોલને શ્રદ્ધાંજલિ આપતાં PMએ લખ્યું, "લોર્ડ સ્વરાજ પોલના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. બ્રિટનમાં ઇન્ડસ્ટ્રી અને જાહેર સેવાના વિકાસમાં તેમનું યોગદાન, ભારત સાથેના ગાઢ સંબંધો માટે તેમનું અતૂટ સમર્થન હંમેશા યાદ રહેશે. મેં તેમની સાથે ઘણી મુલાકાતો કરી છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના, ॐ શાંતિ."

લોર્ડ સ્વરાજ પોલ કોણ હતા?

લોર્ડ સ્વરાજ પોલ ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક હતા, જે બિઝનેસની દુનિયામાં એક મોટું નામ હતું. તેઓ એક પોલિટીશિયન પણ હતા, જેનો જન્મ બ્રિટિશ ભારતના પંજાબના જલંધર જિલ્લામાં એક હિન્દુ પંજાબી પરિવારમાં થયો હતો. તેઓ બ્રિટનના Caparo ગ્રુપના સ્થાપક હતા. Caparo ગ્રુપ એક સ્ટીલ અને એન્જિનિયરિંગ કંપની છે. તેમના પિતા પીરે લાલે એક ફાઉન્ડ્રી શરૂ કરી હતી, જે સ્ટીલની ડોલ અને કૃષિ સાધનો બનાવતી હતી.

લોર્ડ સ્વરાજ પૌલની માતાનું નામ મોંગવતી હતું અને તેમના બે મોટા ભાઈઓ હતા જેમના નામ સત્ય પૌલ અને જીત પૌલ હતા. જલંધરની લબ્બુ રામ દોઆબા સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી, તેમણે લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાં અભ્યાસ કર્યો. તેમણે જલંધરની દોઆબા કોલેજમાં પણ પ્રવેશ મેળવ્યો. તેમણે અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું અને પછી પોતાની કંપની શરૂ કરી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ?
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત
ઈઝરાયેલી ટેન્કોનું કબ્રસ્તાન બન્યો આ દેશ
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?