Home International Coldrif Cough Syrup Banned Across Mp Declares Cm Mohan Yadav

MP માં Coldrif કફ સીરપ બેન! : CM મોહન યાદવે કહ્યું - "ગુનેગારોને છોડવામાં નહીં આવે"

MP માં Coldrif કફ સીરપ બેન!
Published by: OBS Bureau
Last Updated: Oct 04, 2025, 06:23 AM IST

Coldrif Cough Syrup Banned in MP: છિંદવાડામાં 9 બાળકોના મોત બાદ, મધ્યપ્રદેશે Coldrif કફ સીરપ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું છે.

CM યાદવે 'X' પર લખ્યું, " Coldrif સીરપને કારણે છિંદવાડામાં બાળકોના મૃત્યુ અત્યંત દુઃખદ છે. આ સીરપના વેચાણ પર સમગ્ર મધ્યપ્રદેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીરપ બનાવતી કંપનીના અન્ય ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે."

આ સીરપ ફેક્ટરી કાંચીપુરમમાં આવેલી છે. ઘટનાની જાણ થતાં, રાજ્ય સરકારે તમિલનાડુ સરકારને તપાસ કરવા જણાવ્યું. તપાસ રિપોર્ટ આજે સવારે મળ્યો. રિપોર્ટના આધારે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

"બાળકોના દુ:ખદ મૃત્યુ બાદ, સ્થાનિક સ્તરે કાર્યવાહી ચાલી રહી હતી. આ મામલાની તપાસ માટે રાજ્ય સ્તરે પણ એક ટીમની રચના કરવામાં આવી છે. ગુનેગારોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં."

સ્થાનિક સ્તરે, છિંદવાડા વહીવટીતંત્રે પહેલાથી જ Coldrif અને Nextro-DS સીરપ પર જિલ્લાવ્યાપી પ્રતિબંધ લાદી દીધો હતો. સીરપના વિતરણ, સપ્લાય ચેઇન અને ડોકટરોની ભૂમિકાની સંપૂર્ણ તપાસ કરવા માટે રાજ્ય સ્તરે હવે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC) ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને નમૂના પરીક્ષણમાં મદદ કરી રહી છે.

જાણવી દઈએ કે છિંદવાડાના પારસિયા વિસ્તારમાં, સ્થાનિક ડોકટરો દ્વારા વાયરલ તાવની સારવાર માટે ભલામણ કરાયેલ આ સીરપનું સેવન કર્યા પછી બાળકોની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. તેમને છિંદવાડા અને નાગપુરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ઘણાને બચાવી શકાયા ન હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
હવે જામશે ખરાખરીનો જંગ!
શું ફરી એકવાર દેશમાં કંઈક મોટું થવાનું છે?
ભારતના પરમ મિત્ર રશિયાના નિર્ણયથી ભારતની ચિંતા વધી
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય