Home National Cockroach Janta Party Viral Manifesto Mahua Moitra Kirti Azad

શું છે કોકરોચ જનતા પાર્ટી? : જેણે કલાકોમાં બનાવ્યા લાખો મેમ્બર; મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદ પણ આ પાર્ટીના સભ્ય!

Cockroach Janta Party
Published by: Viral Patel
Last Updated: May 19, 2026, 03:32 PM IST

Cockroach Janta Party: આજકાલ ઇન્ટરનેટ પર એક અતરંગી રાજકીય પક્ષનો મેનિફેસ્ટો (જાહેરનામું) ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેનું નામ 'કોકરોચ જનતા પાર્ટી' (Cockroach Janta Party - CJP) છે. પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલનું માનીએ તો, આ પક્ષે માત્ર ત્રણ જ દિવસમાં 70,000 થી વધુ સભ્યો પોતાની સાથે જોડી દીધા છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદ પણ આ પાર્ટીના સભ્ય હોવાનું કહેવાય રહ્યું છે.

સોશિયલ મીડિયા પર આજકાલ એક અનોખી 'રાજકીય પાર્ટી'ની જોરદાર ચર્ચા થઈ રહી છે. તેનું નામ કોકરોચ જનતા પાર્ટી રાખવામાં આવ્યું છે. શરૂઆત મજાક અને કટાક્ષથી થઈ હતી, પરંતુ હવે તે ઇન્ટરનેટ પર એક મોટા ટ્રેન્ડમાં બદલાતી જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે લોન્ચ થયાના થોડા જ દિવસોમાં હજારો લોકો આની સાથે જોડાઈ ચૂક્યા છે. દેશના રાજકારણમાં નવી પાર્ટીઓ બનવી કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે વાર્તા થોડી અલગ છે. અહીં કોઈ મોટી રેલી નથી થઈ, ન તો સ્ટેજ સજાયું કે ન તો ઝંડાઓની ભીડ જોવા મળી. આ આખી વાર્તા સોશિયલ મીડિયાથી શરૂ થઈ અને જોતજોતામાં ઇન્ટરનેટ પર છવાઈ ગઈ. કોકરોચ જનતા પાર્ટી નામ સાંભળતા જ લોકોને પહેલા લાગ્યું કે આ કોઈ મજાક હશે. પરંતુ જ્યારે લોકોએ આની પોસ્ટ, જાહેરનામું અને સભ્યપદ અભિયાન જોયું, ત્યારે આ બાબત ચર્ચાનો વિષય બની ગઈ. સોશિયલ મીડિયા પર લોકો આને મજાક કરતાં વધુ એક પ્રતીક તરીકે જોવા લાગ્યા છે. CJP નું નામ આ સમયે ઇન્ટરનેટ પર 'ટોક ઓફ ધ ટાઉન' બનેલું છે.

પેટ્રોલ-ડિઝલ બાદ આ ખાદ્ય વસ્તુના ભાવ પણ આસમાને પહોંચ્યા : પ્રતિ પેકેટ રૂ.5 સુધીનો વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

એક ટિપ્પણીથી શરૂ થઈ આખી બાબત

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર વિવાદની શરૂઆત બેરોજગાર યુવાનોને લઈને કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ થઈ હતી. તે નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી હતી. ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી, તો કેટલાકે પોતાના અંદાજમાં વિરોધ શરૂ કર્યો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ સોશિયલ મીડિયા કાર્યકર્તા અભિજીત દીપકેના મગજમાં એક નવો વિચાર આવ્યો. તેમણે આ સમગ્ર મુદ્દાને વ્યંગ (કટાક્ષ) તરીકે લેતા 'કોકરોચ જનતા પાર્ટી' નામની શરૂઆત કરી દીધી. શરૂઆતમાં લોકોએ તેને મજાક ગણી, પરંતુ ધીમે-ધીમે તે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થવા લાગી. જોતજોતામાં હજારો લોકો આની સાથે જોડાવા લાગ્યા અને સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ્સ ઝડપથી વાયરલ થવા લાગી. અહેવાલો અનુસાર, આ 'પાર્ટી'એ લોન્ચ થયાના માત્ર ત્રણ જ દિવસમાં 70,000 થી વધુ સભ્યો પોતાની સાથે જોડી લીધા છે.

આખરે શું છે કોકરોચ જનતા પાર્ટી?

પાર્ટી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે આ એવા લોકોનો અવાજ છે, જેમને સિસ્ટમે નજરઅંદાજ કર્યા છે. આ પાર્ટીની વેબસાઈટ પર પણ તેને એક એવા પ્લેટફોર્મ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જે બેરોજગાર અને ઉપેક્ષિત લોકોની વાત કરે છે. પાર્ટીની ટેગલાઈન પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, આ એવા લોકોનો અવાજ છે જેઓ લાંબા સમયથી વ્યવસ્થાની બહાર હોવાનો અનુભવ કરી રહ્યા છે. જો કે, અત્યારે તેને એક કટાક્ષપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેને જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે, તેણે બધાને ચોંકાવી દીધા છે.

દેશમાં ફરી લોકડાઉન જેવો માહોલ? : ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PM મોદીની અપીલ બાદ સરકારના 5 મોટા આકરા આદેશો

પાંચ મુદ્દાનું જાહેરનામું બન્યું ચર્ચાનું કારણ

જે બાબતે લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું, તે આનું મેનિફેસ્ટો (જાહેરનામું) છે. અન્ય રાજકીય પક્ષોની જેમ કોકરોચ જનતા પાર્ટીએ પણ પોતાના વચનોની યાદી જાહેર કરી છે. જાહેરનામામાં મહિલાઓ માટે 50 ટકા અનામતની વાત કરવામાં આવી છે. આ સિવાય મીડિયાની નિષ્પક્ષતા, પક્ષપલટો કરવા પર કડક પગલાં અને અન્ય ઘણા મુદ્દાઓ પણ સામેલ કરવામાં આવ્યા છે. સૌથી રસપ્રદ વાત એ રહી કે જાહેરનામાના અંતે લોકોને આ વારંવાર વાંચવા અને અન્યો સુધી પહોંચાડવા અપીલ પણ કરવામાં આવી છે. આ જ કારણ છે કે તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મહુઆ મોઇત્રાનું નામ પણ ચર્ચામાં આવ્યું

આ સમગ્ર મામલામાં રાજકારણનો તડકો ત્યારે લાગ્યો જ્યારે કેટલાક નેતાઓના નામ પણ આની સાથે જોડાવા લાગ્યા. સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ સામે આવી કે કેટલાક નેતાઓએ રમુજી અંદાજમાં આ પાર્ટીમાં રસ દાખવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદે આ અંગે માત્ર પ્રતિક્રિયા જ ન આપી, પરંતુ તેમાં જોડાવાની ઈચ્છા પણ દર્શાવી. આ પછી લોકોએ મીમ્સ (memes) બનાવવાનું શરૂ કરી દીધું. કોઈએ તેને દેશની સૌથી ઈમાનદાર પાર્ટી ગણાવી, તો કોઈએ લખ્યું કે અહીં વચનો ઓછા અને કટાક્ષ વધારે છે.

સમુદ્રમાં વધશે ભારતની તાકાત! : રૂ.70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ચિંતા વધી

લોકો બોલ્યા- મજાક છે કે નવું આંદોલન?

સોશિયલ મીડિયા પર આને લઈને લોકોના અલગ-અલગ અભિપ્રાયો સામે આવી રહ્યા છે. કેટલાક લોકો આને માત્ર મનોરંજન માની રહ્યા છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે આ યુવાનોની નારાજગી દર્શાવવાની એક નવી રીત છે. એક યુઝરે લખ્યું કે, ક્યારેક મજાકમાં કહેવાયેલી વાતો પણ મોટી ચર્ચા બની જાય છે. તો બીજા યુઝરે કહ્યું કે, ઇન્ટરનેટના યુગમાં કંઈપણ રાતોરાત આંદોલન બની શકે છે. હાલમાં કોકરોચ જનતા પાર્ટી ઇન્ટરનેટની દુનિયામાં ખુબ ચર્ચાઓ બટોરી રહી છે. હવે આ માત્ર એક મજાક બનીને રહી જાય છે કે આગળ જતાં આમાં કોઈ નવો વળાંક આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે.

જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ભારતના Supreme Court of India એ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવું નાગરિકોનો બંધારણીય અધિકાર છે, પરંતુ તે દરમિયાન જાહેર શાંતિ ભંગ ન થવી જોઈએ. કોર્ટએ જણાવ્યું કે વિરોધનો અધિકાર અને કાયદો-વ્યવસ્થા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. ભારતીય બંધારણના આર્ટિકલ 19(1)(a) અને 19(1)(b) હેઠળ નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ રીતે એકત્ર થવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જોકે, આ અધિકારો સંપૂર્ણ અપરિમિત નથી અને જાહેર વ્યવસ્થા, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે યોગ્ય મર્યાદાઓ લાગુ કરી શકાય છે.

સુપ્રીમ કોર્ટ અગાઉ પણ કહી ચૂકી છે કે “વિરોધનો અધિકાર કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ” નથી હોઈ શકતો, ખાસ કરીને જ્યારે તે રસ્તા બંધ થવા, સામાન્ય જનજીવન ખોરવાવા અથવા હિંસાની શક્યતા ઉભી કરે. આ ચુકાદો એ સંદેશ આપે છે કે લોકશાહીમાં વિરોધ મહત્વપૂર્ણ છે, પરંતુ તે શાંતિપૂર્ણ અને કાયદાની હદમાં રહીને થવો જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now