Home Gujarat Vadodara Ankit Parmar Gave A Big Statement On Why He Got The Ticket

પોતાને કેમ ટિકિટ મળી એ મુદ્દે અંકિત પરમારે આપ્યું મોટું નિવેદન : "નારાજ નયનાબેનને અમે સમજાવી દઈશું, અને એ સમજી પણ જશે"

ankit parmar gave a big statement
Published by: Vishal Dave
Last Updated: Apr 10, 2026, 09:38 AM IST

Ankit Parmar gave a big statement: ભાજપમાં વર્ષોથી કામ કરનાર નયનાબેન પરમારને વડોદરા જિલ્લાની પોર બેઠક પરથી ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા છે. જેને કારણે નયનાબેને હવે ભાજપની સામે જ પોર બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ સ્થાનિક કક્ષાએ રાજકારણ ગરમાયું છે. સ્થાનિકો નવા ચહેરાને આવકારવા તૈયાર નથી. એવામાં પોર બેઠક પર નયનાબેનના બદલે જેમને ટિકિટ ભાજપે આપી છે એવા સોશિયલ મીડિયા સ્ટાર અને ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન કરતા વધુ ફોલોઅર્સ ધરાવતા અંકિતા પરમારનું મોટું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ ચૂંટણીમાં ભાજપે જે સુંદર ચહેરાને ટિકિટ આપી એ કોણ છે? : જાણો કેમ instagram પર ભાજપના આ ઉમેદવારને લાખો લોકો કરે છે ફોલો

જિલ્લા પંયાયતમાં ઉમેદવારીની તક મળતા અંકિતાબેન પરમારે જણાવ્યુંકે, હું સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીની દિલથી આભાર માનું છું. સ્થાનિક ધારાસભ્યનો આભાર માનું છું. જનતાનો પણ આભાર. તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચુકી છું. આજે મને જિલ્લા પંચાયતની ટિકિટ મળી એ આનંદની વાત છે. ભાજપે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ પક્ષના મોવડી મંડળનો આભાર. પોર બેઠક પર જંગી મતથી મારો વિજય થશે. મને ટિકિટ મળતાં જે લોકો નારાજ થયા છે તેમને મનાવીશ.

આ પણ વાંચોઃ આ સુંદર ચહેરા માટે ભાજપે વર્ષો જૂના કાર્યકરનું પત્તું કાપ્યું : ટિકિટ ના આપી તો નયનાબેન ભાજપને હરાવવા અપક્ષ ચૂંટણી લડશે, 34માંથી 32 નવા ચહેરા!

ભાજપના ઉમેદવાર અંકિતા પરમારે જણાવ્યુંકે, મોદીજીનું વિઝન છેકે, યુવા નેતાઓને આગળ વધારવા જોઈએ, ખાસ કરીને મહિલાઓને સોશિયલ મીડિયા પર મારા ફોલોઅર્સ સતત વધી રહ્યાં છે. રોજ વધુને વધુ લોકો મારી સાથે જોડાઈ રહ્યાં છે. તેથી હવે હું પણ એવું જ કોન્ટેન્ટ સોશિયલ મીડિયા પર મુકું છું જેનાથી લોકોની હેલ્પ થઈ શકે. હું હવે સોશિયલ મીડિયા થકી સરકારની યોજનાઓનો પ્રચાર કરીશ.

આ પણ વાંચોઃ 1 M Followers ધરાવતી Social Media Star ને ભાજપે આપી ટિકિટ : શું ચૂંટણીમાં મતદારો પર ચાલશે Influencer અંકિતા પરમારનો જાદુ?

નયનાબેન પરમાર અંગે ભાજપ ઉમેદવાર અંકિતાબેન પરમારનું નિવેદનઃ

ભાજપના ઉમેદવાર અંકિતા પરમારે જણાવ્યુંકે, નયનાબેન પણ ભાજપના સનિષ્ઠ કાર્યકર્તા છે. મારે એમની સાથે કોઈ મતભેદ નથી. એ પણ મારા બેન સમાન છે. મારે પણ એમની સાથે મળીને જ પાર્ટીમાં કામ કરવાનું છે. અમારા એવા પ્રયત્નો છેકે, નયનાબેનને સમજાવી દઈશું. અને એ સમજી જશે એવી મને ખાતરી છે. અમારે સાથે મળીને જ પાર્ટીમાં કામ કરવાનું છે. અંકિતા પરમારના આ નિવેદન બાદ સ્થાનિક સ્તરે રાજકારણમાં અલગ અલગ તર્ક વિતર્ક ઉભા થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now