દેશની રાજનીતિમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે હવે એક મોટું પગલું લેવામાં આવી શકે છે. 2023માં પસાર થયેલા મહિલા અનામત કાયદામાં હવે મહત્વપૂર્ણ સુધારા થવાની શક્યતા છે. આ ફેરફારથી લોકસભાની કુલ બેઠકો વધીને 816 થઈ શકે છે અને તેમાંમાંથી 273 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની યોજના સામે આવી રહી છે.
શું છે નવો પ્રસ્તાવ?
સરકાર હાલ “નારી શક્તિ વંદન કાયદો”માં સુધારો કરવા તૈયાર છે. આ સુધારા મુજબ:
લોકસભાની બેઠકો 543માંથી વધીને 816 થઈ શકે, તેમાંમાંથી 33% એટલે કે 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ સુધારેલ બિલ સંસદના હાલના સત્રમાં જ રજૂ થવાની શક્યતા છે અને 29 માર્ચ સુધીમાં તે આગળ આવી શકે છે.
સર્વસંમતિ બનાવવા રાજકીય ચર્ચાઓ તેજ
કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahએ વિવિધ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરીને આ સુધારા અંગે ચર્ચા શરૂ કરી છે. NCP (SP), BJD, શિવસેના (ઉદ્ધવ ગઠબંધન) અને YSR કોંગ્રેસ સાથે ચર્ચા થઈ છે, જ્યારે કોંગ્રેસ અને TMC સાથે હજુ વાતચીત બાકી છે. સરકારનો પ્રયાસ છે કે બિલ સર્વસંમતિથી પસાર થાય અને કોઈ રાજકીય અવરોધ ન આવે.
સીમાંકન અને બેઠકોમાં મોટો વધારો
કેવી રીતે બદલાશે ગણિત?
અહેવાલ મુજબ, 2011ની વસ્તી ગણતરીના આધારે બેઠકોનું સીમાંકન થશે.
તે મુજબ:
દરેક રાજ્યમાં લગભગ 50% બેઠકોમાં વધારો થઈ શકે
ઉત્તર પ્રદેશ: 80 → 120 બેઠકો
બિહાર: 40 → 60 બેઠકો
તમિલનાડુ: 39 → આશરે 58-59 બેઠકો
આ રીતે કુલ બેઠકો વધારીને પછી તેમાં 33% મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
દક્ષિણ vs ઉત્તર વિવાદનો ઉકેલ?
દક્ષિણ ભારતના રાજ્યો લાંબા સમયથી દલીલ કરતા આવ્યા છે કે વસ્તી નિયંત્રણમાં સફળતા છતાં તેઓને ઓછું પ્રતિનિધિત્વ મળે છે. આ નવા પ્રસ્તાવથી બેઠકોનો વધારો પ્રમાણસર કરવામાં આવશે, જેથી દક્ષિણ રાજ્યોની ચિંતા દૂર થઈ શકે છે.
મહિલા અનામત કાયદો શું કહે છે?
2023માં કેન્દ્ર સરકારે “નારી શક્તિ વંદન કાયદો” પસાર કર્યો હતો, જેમાં:
લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33% મહિલાઓ માટે અનામત
SC/ST માટે અલગ કોટા નહીં, પરંતુ તે જ 33%માં સમાવેશ
હવે આ કાયદાને વધુ અસરકારક બનાવવા માટે તેમાં સુધારો કરવાની તૈયારી ચાલી રહી છે.
આ મુદ્દો હવે કેમ મહત્વનો?
દેશમાં મહિલાઓનું રાજકીય પ્રતિનિધિત્વ વધશે
આગામી લોકસભા ચૂંટણી પહેલા રાજકીય ગણિત બદલાઈ શકે
સીમાંકન સાથે રાજ્યવાર રાજકીય શક્તિનું સંતુલન બદલાઈ શકે




