About Restart and ShutDown in Computer : જો તમે વિન્ડોઝ કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે કદાચ જાણતા હશો કે, તે શટડાઉન અને રીસ્ટાર્ટ ઓપ્શન આપે છે. બંનેનો ઉપયોગ તમારા કમ્પ્યુટરને બંધ કરવા માટે થાય છે, પરંતુ તેમાં થોડો તફાવત છે. જ્યારે શટડાઉન તમારા કમ્પ્યુટરને બંધ કરે છે, ત્યારે રીસ્ટાર્ટ તેને અસ્થાયી રૂપે બંધ કરે છે અને પછી તેને રીસ્ટાર્ટ કરે છે. જોકે, થોડા લોકો જાણે છે કે, બંને વચ્ચે નોંધપાત્ર તફાવત છે. રીસ્ટાર્ટ અને શટડાઉન વચ્ચેના તફાવતો અને ક્યાં ઓપ્શનનો ઉપયોગ ક્યારે કરવો તે જાણો.
શટડાઉન શું કરે છે?
વિન્ડોઝના જૂના વર્ઝનમાં, શટડાઉન અને રીસ્ટાર્ટ એ જ રીતે કામ કરતા હતા, પરંતુ વિન્ડોઝ 8 ના આવતાની સાથે, આ બદલાઈ ગયું છે. નવી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફાસ્ટ સ્ટાર્ટઅપ નામની એક નવો ફીચર સામેલ કરવામાં આવ્યો છે. તે તમારા કમ્પ્યુટરને શરૂ થવામાં લાગતો સમય ઘટાડવા માટે બનાવવામાં આવેલ છે. આ વિન્ડોઝને આગલી વખતે જ્યારે તમે તેને ચાલુ કરો છો ત્યારે ઝડપથી સેટઅપ કરવાની મંજૂરી આપે છે. વિન્ડોઝ 10 માં, શટડાઉન કરવાથી તમારા બધા પ્રોગ્રામ્સ અને ફાઇલો બંધ થઈ જાય છે, પરંતુ તે ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી મહત્વપૂર્ણ ભાગ વિન્ડોઝ કર્નલ બંધ કરતું નથી. તે ડિસ્ક પર સાચવવામાં આવે છે, અને આગલી વખતે જ્યારે તમે તેને ચાલુ કરો છો, ત્યારે તમારે વધુ રાહ જોવાની જરૂર નથી; તે તરત જ બુટ થાય છે.
જ્યારે તમે રીસ્ટાર્ટ કરો છો ત્યારે શું થાય છે?
બીજી બાજુ, તમારા કમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરવાથી વિન્ડોઝ કર્નલ સહિતની બધી પ્રોસેસ બંધ થઈ જાય છે. આનો અર્થ એ છે કે, જ્યારે તમારું કમ્પ્યુટર ફરીથી બુટ થાય છે, ત્યારે તમને ક્લીન શરૂઆત મળે છે. જોકે, તેને બુટ થવામાં થોડો સમય લાગે છે. તેથી, જ્યારે તમે અપડેટ્સ અથવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો છો, અથવા જ્યારે તમે કોઈ ભૂલને ઉકેલવા ઈચ્છો છો, ત્યારે તમારે તમારી સિસ્ટમ રીસ્ટાર્ટ કરવી જોઈએ.




















