logo-img
Vishwakarma Jayanti Is Special Day For Engineers Architects And Sculptors Know The Speciality

આજે વિશ્વકર્મા જયંતિ : એન્જીનિયર, આર્કિટેક્ટ તેમજ શિલ્પાકાર માટે આજનો દિવસ ખાસ, જાણો વિશેષતા

આજે વિશ્વકર્મા જયંતિ
Published by: Offbeat Team
| Last Updated: Sep 17, 2025, 04:16 AM IST

17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતિ અને કન્યા સંક્રાંતિ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરે છે. હિન્દુ માન્યતા મુજબ, ભગવાન વિશ્વકર્માનો જન્મદિવસ પણ આ જ દિવસે ઉજવવામાં આવે છે.

કોણ છે ભગવાન વિશ્વકર્મા?
ભગવાન વિશ્વકર્માને બ્રહ્માંડના પ્રથમ કારીગર અને શિલ્પી માનવામાં આવે છે. તેમને બાંધકામ, સ્થાપત્ય, મશીનરી, કારીગરી અને તકનીકી કુશળતાના દેવતા કહેવાય છે. સ્વર્ગલોક, દ્વારકા નગરી, સુદર્શન ચક્ર, પુષ્પક વિમાન જેવા અનેક દૈવી સર્જનો તેમના દ્વારા રચાયા હતા.

પૂજા વિધિ અને મહત્ત્વ
આ દિવસે એન્જીનિયરો, કારીગરો, મશીનરી વર્કર, સુથાર, લુહાર, સુવર્ણકાર, મેકેનિક્સ અને ઉદ્યોગકારો પોતાના સાધનો, મશીનો અને કાર્યસ્થળની સાફ-સફાઈ કરીને ભગવાન વિશ્વકર્માની પૂજા કરે છે. માન્યતા છે કે આમ કરવાથી કાર્યમાં સફળતા, વિકાસ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

  • વિશ્વકર્મા જયંતિનું મહત્વ

  • શ્રમજીવી લોકો માટે આ દિવસ શ્રદ્ધા અને પ્રેરણાનો છે.

  • શ્રમિક વર્ગ અને ટેકનિકલ ક્ષેત્રના લોકો પોતાના કાર્યમાં પ્રગતિ માટે પ્રાર્થના કરે છે.

  • આ દિવસે વિશ્વકર્મા પૂજન ઉદ્યોગોમાં ખાસ ભક્તિભાવ સાથે થાય છે.

પરંપરા પ્રમાણે, વિશ્વકર્મા જયંતિ શ્રમિકોના પરિશ્રમ અને કુશળતાનો ઉત્સવ છે, જે સમાજને પ્રગતિ તરફ આગળ ધપાવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now