કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉદયપુરના સાંસદ ડૉ. ગિરિજા વ્યાસનું ગુરુવારે નિધન થયું. તે લાંબા સમયથી બીમાર હતા. અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ ૭૯ વર્ષના હતા.
ડૉ. ગિરિજા વ્યાસ ૩૧ માર્ચે ગંગૌર પૂજા દરમિયાન આગમાં સપડાઈ ગયા હતા જેના કારણે તેમના શરીરનો લગભગ ૯૦ ટકા ભાગ બળી ગયો હતો. ગંભીર દાઝી જવા ઉપરાંત તેમને મગજમાં હેમરેજ પણ થયું હતું જેના કારણે તેમની હાલત વધુ ગંભીર બની હતી. સતત સારવાર છતાં તેમની હાલતમાં કોઈ સુધારો થયો નહીં અને આજે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું.
ડૉ. વ્યાસ કોંગ્રેસ પાર્ટીના પ્રભાવશાળી ચહેરા હતા. તેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાષ્ટ્રીય મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજસ્થાન સરકારમાં મંત્રી અને ઘણી વખત ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે. ૧. તેમની છબી એક શિક્ષિત મજબૂત અને વિચારશીલ નેતાની રહ્યા છે જે હંમેશા મહિલા સશક્તિકરણ શિક્ષણ અને સામાજિક ન્યાય જેવા મુદ્દાઓ પર કામ કરતા હતા.






